SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયુદ્ધ જીવન તા. ૧-૮-૮૫ જવાબ “જન્મભૂમિ'ના આદ્ય તંત્રી સદૂગત શ્રી અમૃતલાલ શેઠે એક વેળા મહાત્મા ગાંધીજીને આપ્યું હતું. આવી ખુમારીને વારસે મનુભાઈ થકી કેટલો જળવાય ને કેટલે નહિ એને ચુકાદો આપવાની આ વેળા નથી. એ યશઅપયશની ગાંસડીઓ બંધાવી આપવાનું કામ આપણું નહિ. ગુજરાતી પત્રકારત્વને ઈતિહાસ યથા સમયે સૈને સેના અધિકાર મુજબ એવી ગાંસડીઓ સમતલપણે વહેંચી આપવાનું કામ કરે ત્યાં લગી એના ચુકાદા માટે આપણે રાહ જોઇશું. “જન્મભૂમિ' ના તંત્રી તરીકે એમણે એમના પ્રતાપી પૂર્વજોના પેંગડામાં પગ મૂકી બતાવ્યો ડુતો. જન્મભૂમિની પ્રગતિમાં તેઓ નિમિત્ત બન્યા હતા. સંસ્થા પ્રત્યેની વફાદારી એવી કે પ્રલોભને આવ્યાં ત્યારે પણ તેઓ અવિચળ જ રહ્યા! વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા પછી પણ માનદ્ સલાહકાર તરીકે થોડે વખત એમની સેવાઓ લેવાનું સંસ્થાને યોગ્ય લાગ્યું હતું. “જન્મભૂમિ' સાથેના સુદીધ સહ ગ દરમિયાન, થેડો વખત સુરતમાંથી પ્રસિદ્ધ થતા સંસ્થાના જ દૈનિક “પ્રતાપ' ના તંત્રી તરીકે પણ તેમણે કામગીરી બજાવી હતી. મનુભાઈએ તંત્રી થતાં પહેલાં ઉપતંત્રી, વૃત્તાન્ત નિવેદક, રમતગમતના સમીક્ષક, સાહિત્ય, કલા અને સંગીત વિવેચક, વિજ્ઞાન વિષયક લેખના લેખક, અગ્રલેખના લેખક તથા સમાચાર સંપાદક તરીકેની વૈવિધ્યભરી કામગીરી બજાવી હતી. આવી વિવિધ હેસિયતથી લગભગ અડધી સદી સુધી એમણે ખેડેલા પત્રકારત્વને લીધે ગુજરાતી પત્રકારત્વ થોડુંક વધારે ઉજમાળું બન્યું છે. રાષ્ટ્રજીવનનાં બધાં ક્ષેત્રની રખેવાળી કરવાને પત્રકાર ધમ એમણે કઈ અદ્ભુત સામાજિક જાગૃતિપૂર્વક આચરી બતાવ્યું છે, એના પુરાવા આપણને અભ્યાસ, આંતરિક અભિનિવેશ, સમભાવ અને કંઈક આકેશપૂર્વક લખાયેલા અગ્રલેખમાંથી મળી રહે છે. મનુભાઈનાં લખાણોના નિયમિત વાચકે, ગરીબીમાં સબડતી પ્રજાની વચ્ચે પ્રજાના સેવકોને વૈભવન ખૂની ભપકા સૂઝે છે, એ પ્રશ્નાર્થ કરતે અપ્રલેખ “રિઝ હોટેલ અને ભંગી લેની’ આજે પણ યાદ કરે છે ! સમાજકારણ, રાજકારણ, સંગીત, સાહિત્ય, વિજ્ઞાન અને ક્રિકેટ, એમ ભિન્ન પ્રકારના વિષયોમાં એમની પત્રકારી કલમ આસાનીથી વિહરતી, આ તે કલમ વિહારની વાત થઈ, પત્રકારત્વના વ્યવસાયનાં વહીવટી આંટીઘૂંટી અને કસબ-ક્રાફટ...પણ એમને હરતગત હતાં. તેઓ તે નીચલી સપાટીના બધા પ્રકારના ઢસરડા” કરતા કરતા ઊંચા સ્થાને આવ્યા હતા ને! વિજ્ઞાનને વિષયેની એમની માવજત તે એક અલાયદા પ્રકરણનો વિષય બની શકે એવી છે. પરદેશથી આવનારા નામાંકિત વિજ્ઞાનીઓને મળવાનું થતું ત્યારે એ વિજ્ઞાનીઓ પણ મનુભાઈની તેજવી વૈજ્ઞાનિક બુદ્ધિથી અભિભૂત થતા હતા. ગુજરાતી વાચકોને વિજ્ઞાનાભિમુખ કરવામાં મનુભાઈને ફાળે ઘણે મોટે લેખાશે. વિજ્ઞાન નને કોઈ પણ લેખ હોય–મનુભાઈએ જે તે વિષયના છેલ્લામાં છેલ્લા સશેધનને મમ એમાં આ જ હોય ! આ લેખ પાછળ તેઓ ઘણો જ પરિશ્રમ ઉઠાવતા. વિજ્ઞાનને કોઈ પણ પાસા વિશે ઇગ્લેન્ડમાં શું થઈ રહ્યું છે, એટ્રેન લિયામાં કેવી પ્રગતિ થઈ છે, જર્મની કયાં છે, અમેરિકા કેટલેક આવ્યું છે, રશિયા આગળ છે કે પાછળ આ બધાનું પગેરું મનુભાઈ અનેક સામયિકે, પુસ્તકો અને રેડિયેના અવિરત સેવનથી રાખતા હતા અને એ બધી સામગ્રી સફળ, રસસિકત. બાનીમાં ગુજરાતીઓ માટે વ્યકત કરતા હતા. એમને દેહ ઊગે ને કેક સ્થળ પણ ખરે! પણ એ. સ્થૂળતાને કારણે પત્રકાર તરીકે કરવા જોઈતા પુરુષાર્થને એમણે. કયાંય આંચ આવવા દીધી નહોતી. એમના બુદ્ધિસામર્થ્યને પિંડ શી રીતે બંધાયો ? વાયાધીશ પિતાના તેઓ છેલ્લા પુત્ર.. મનુભાઈના જન્મ પછી પિતા છ જ વરસમાં નિવૃત્ત થયા હતા. મનુભાઈએ વરસો સુધી ગરીબીમાં તવાવું પડ્યું હતું. એમને પ્રાથમિક અભ્યાસ ચીખલીમાં. માધ્યમિક ડોક ચીખલીમાં, ડોક અમદાવાદમાં, ઉચ્ચ અભ્યાસ વડે ડરા, બનારસ અને મુંબઈમાં, વિલ્સન કોલેજમાંથી તેઓ વિજ્ઞાનના સ્નાતક થયા. અભ્યાસમાં તેઓ પહેલેથી જ ભારેના તેજસ્વી. એક વેળા તે વરસમાંથી સાત મહિના ગેરહાજર (માંદગીને લીધે) હતા તે પહેલે નંબર તે રાખે જ ! નાનપણમાં પણ એક વેળા એક વરસમાં ત્રણ પરીક્ષા આપીને મેટા હનુમાન કૂદકે એમણે મારેલે ! ઇજનેર થવાનાં રવાના ભાથા સાથે તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયા હતા. અહીં જ આ લેખના આરંભમાં જે Divinity. ઉલ્લેખ છે તેને પ્રવેશ થાય છે, ૧૯૩૨ની સ્વરાજ્યની ચળવળ મનુભાઈની કારકિદી માં ને વળાંક લઈને આવી હતી, સત્યાગ્રહના આદોલનમાં આખું કુટુંબ ખુવાર થઈ ગયું, બ્રિટિશ સલ્તનતે, એમનાં જમીન, ઘર, ઘરવખરી દેવદેવીની ચાંદીની મૂતિઓ, પુસ્તકે બધું જ જપ્ત કરી લીધું હતું. આખું કુટુંબ પહેરેલે કપડે અને અધભૂખ્યા પેટે રસ્તા પર ફેંકાઈ ગયું હતું. કાળમીંઢ ગરીબીને પડછાયે એમના કુટુંબને ઘેરી વળે ! પણ ભવિષ્યમાં જેમનામાં અદ્દભુત જ્ઞાનબળ અને આત્મબળ પ્રગટવાનું હતું એ મનુભાઈ હિંમત હારી જાય એ તે નામુમકિન! મનુભાઈ મેટાભાઈ બાલુભાઈની સાથે મુંબઈ આવ્યા. બાલુભાઈને તે “હિદુરતાન પ્રજામિત્ર'માં ઉપતંત્રી તરીકેની નોકરી મળી ગઈ. મનુભાઈને પણ પરચુરણ કરીએ તે મળતી રહી, પણ કોણ જાણે કેમ, એમની બહુમુખી પ્રતિભાને આ નક રીઓમાં સેરવતું જ નહિ! જેના માહ્યલામાં હૃદયમનનાં અનેક વિધ સંચલને કેચલું ભેદીને બહાર આવું આવું થતાં હોય એને આવા વાતરિયાં કામ કયાંથી ફાવે? .. શાળા કોલેજમાં અને તે પછીના કાળમાં પણ સંસ્કૃતના પ્રશિષ્ટ ગ્રંથોનું સેવન એમણે અદ્દભુત લગનપુર્વક કરેલું. વિજ્ઞાનના પ્રથમ પ્રેમના સંગની વચ્ચે પણ તેઓ અંગ્રેજી તથા ગુજરાતી સાહિત્યને શિષ્ટ ગ્રંથનું પરિશીલન કરતા જ રહ્યા હતા. સાહિત્યકારો સાથેની ગોષ્ઠિ કરતી વખતે મનુભાઈ. ઘણીવાર નમ્રતાપૂર્વક કહેતા કે મને તે સાહિત્યમાં શું સમજણ પડે ? પણ મનુભાઈ કાન્ત, કલાપી, ગોવર્ધનરામ, બ. ક. ઠા, મેધાણી, મુનશી, શેકરિપયર અને શેલી તથા કાલિદાસ તથા બાણ ભટ્ટને ટાંકી શકતા એટલું જ નહિ, કેટલીકવાર સહૃદયમાં કોઈક પાઠ વિશે મતભેદ થતો ત્યારે સાચા પાઠ માટે મનુભાઈના વાંદરાના ઘરને પ૩૫૭૫ ટેલિ. નંબર રણકી ઊઠતો હતે. સંસ્કૃતને આ પ્રેમ એમને વારસામાં મળ્યું હતું. એમના પિત વલ્લભરામ સંસ્કૃતના વ્યુત્પન્ન પતિ હતા, એમણે યજુદી સંહિતાની સમીક્ષાનું એક પુતક પ્રસિદ્ધ કર્યું હતું. , વલ્લભરામભાઈ. આખી
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy