SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ଜ પ્રબુદ્ધ જીવન ભક્તામર સ્તંત્રમાં પ્રતીક ચાજના ૧ ડા. શેખચંદ્ર જૈન ભકતામર સ્તોત્ર જૈન ધમ'ના ચારે ફ્રિકાને માન્ય અને પ્રચલિત આરાધનાસ્તોત્ર છે. તેમાંય સવિશેષ મૂર્તિપૂજક વેતાંબર અને દિગંબર સપ્રાદાયમાં વધુ માન્ય છે. થાક આગળ વધીને કહીએ તે જૈનસ્તોત્ર સાહિત્યમાંજ નહિ સસ્કૃત સાહિત્માં પણ તેનું અદ્વિતીય સ્થાન છે. આરાધ્યનેા ગુણ; સૈાય અને મહિમાના (અતિશય) ત્રિવેણી સંગમ તેમાં અક્ષય રીતે પ્રવાહિત થાય છે. ભાષાનુ' સૌંદય', પદલાલિત્ય, અલ કારાની છટા એક જ સ્થળે જોવા મળે છે. આ કળાપક્ષનાં સાન્વયનું રહસ્ય પણ તેમાં કવિના હવ્યપક્ષ કે ભાવપક્ષની વિહ્વળતાને લીધે જ છે. આરાધ્યની ભકિત, ગુણકથનમાં તન્મય ભકતકવિ આચાય શ્રી માનતુ ગરિ જાણે આદ્રિનાથમય બની જાય છે. ભકત અને આરાજ્ય વચ્ચે અદ્ભૂત સ્થપાય છે અને જે રીતે ભાવવિભાર થઇ જાય છે. તે અવણુની છે. આવી ભક્તિની ચરમ અવસ્થાએ જ જે અન્તરના ઉદ્ગાર પ્રસ્ફુરિત થાય છે, તે સ્વાભાવિક રીતે જ સ્રનામુગ્ધકારી જ હોય. આ સ્તુત્રને મહિમા તેની અતિશયતા ઋદ્ધિસિદ્ધિને માટે પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. અને ધામિક દૃષ્ટિએ આવાં સ્તોત્રના પાડે અને સાધના સાધકને શાંતિ, સુખ અને સમૃદ્ધિ આપે છે. તે હેતુથી પણ તેની મહત્તા વધી છે. અહી મારા ઉદ્દોશ અતિશયાની મહત્તા સિદ્ધ કરવાને નથી, પરંતુ આ તેંત્રમાં કવિએ જે પ્રતીકા મૂકમાં છે, પ્રતીકાનાં સાધ્યમથી જે કથન પ્રસ્તુત કરવાનુ છે, તે અંગે મારા વિચારો રજૂ કરવાના છે. સવ પ્રથમ તે આ સ્તોત્રની સાથે આચાર્યશ્રીની કથા સાંકળાયેલી છે. તેમાં ઉલ્લેખ છે કે કેટલાક દરબારીઓની કાન– સંભેરણીથી રાજા હ દેવે માનતુ ંગાચાયને ખેડીએથી જકડીને ૪૪ કે ૪૮ તાળાની કાલકાઠેરીમાં હૃદ કરી દીધા હતા અને આદેશ આપેલ કે જો તમારા જૈન ધમમાં શક્તિ હોય તા તેના મહિમા " પ્રકટાવે અને મુક્ત થાઓ. આ કેદખાનામાં આચાય શાંનચિત્ત, સ્થિર ભાવથી આદિનાથ પ્રભુના ધ્યાનમાં લીન થઈ આ સ્તોત્રની રચના કરી. એક એક શ્લેકે એક એક તાળું તૂટતું ગયું' અને પરમ વીતરાગી મુનિ મહારાજ સમતાભાવ ધારણ કરી, આવા રાજા અને દરબારીઓ પ્રત્યે પણ વાત્સલ્યભાવ દર્શાવી ધમ લાભ' કહીને બહાર આવ્યા. 'આ વાર્તાને પણ એક પ્રતીકરૂપે જ લઇ શકાય. મનુષ્યનાં અશુભકમાં જ્યારે ઉદ્યમાં આવે છે ત્યારે મોટા-મોટા મુનિરાજાને પણ તે ભોગવ્યા વગર છૂટકા થતા નથી. પર`તુ, જે ભે–વિજ્ઞાન દષ્ટિ પ્રાપ્ત કરી સમ્યકવી બન્યા છે તે ગભરાતાં નથી કે ચલિત થતા નથી, આવા પ્રસગાને ઉપસગ સાની તપસ્યામાં વધુ લીન બને છે. કર્મોનું ક્ષય કરે છે અને વધુ થઈને બહાર આવે છે. માનતુગાચાય પણ આવા ઉપાંગ વખતે પ્રભુ આરાધનામાં લીન બન્યા. ઉપસગ રૂપી ગ્રહણ પૂર્ણ થતાં જ પુનઃ ધર્મ'રૂપી ચંદ્ર પ્રકાશિત બન્યા. તાળામાં બધં કર્યાંમાં પણ એક જ સંકેત છે કે, મનુષ્ય પોતાનાં તા. ૧૬ ૭-૮૫ શુભાશુભ કર્મોના તાળામાં ખધ હોવાથી ચતુગતિમાં ભ્રમણ કરે છે અને જ્યાં સુધી આત્મપ્રદેશમાં સ્થિર થઇ આ કમખ ધનને તાડતા નથી ત્યાં સુધી મુક્ત થઇ શકતા નથી. આમ જેલ અને તાળા આ બે શબ્દો સસાર અને બુદ્ધ કર્માંનાં જ પ્રતીક છે અને આરાધના તેમાંથી મુકત થવાની પ્રક્રિયા છે. માનતુ'ગરિ પ્રારંભ જ આરાધ્યદેવ આદિનાથનાં રૂપ, સૌન્દ્રય અને તેમને મહિમા ગાઈને કરે છે. ભગવાનનાં ચરણ તે તરી જવાનાં આધાર છે. આ સંસાર પવનેાધતનપક જેનેા છે. જ્યાં વિષય, કામવિકારના ઝંઝાવાત સતત સંસારસાગરને તાકાની બનાવી રહ્યા છે. વિષયના મગરમચ્છ ગળી જવા તૈયાર છે, તેવા સમયે એકમાત્ર આર્દ્રિનાથનું નામ સ્મરણ અને આરાધના જ આધારરૂપ અની શકે છે. 19 આચાય અનેક વખત વીતરાગદેવની તેમના ગુણા અને પ્રભાવની તુલના સરાગી દેવા સાથે કરે છે અને ખૂબ જ સુન્દર પ્રતીક મૂકે છે કે, વીતરાગી દેવ તા ચદ્રકિરણ જેવા ઉજ્જવળ નિર્માલ ક્ષીરાધિનાં પવિત્ર જળ જેવા છે. અને સરાગી દેવે ક્ષાર જળ જેવા છે. ક્રાણુ આવા જળને ત્યજીને ખારા પાણીને પીવા જશે ? આ રીતે તેઓએ મીઠ્ઠા અને ખારા પાણીનાં પ્રતીકથી વીતરાગી અને રાગીદેવાની ભાવના અને પ્રભાવ સ્પષ્ટ કર્યાં છે. સમાધિ કે સામાયિકમાં દૃઢ સાધક સુમેરુ પવ તના પ્રતીક છે કે, જેને કામવાસના રૂપી ભૌતિકસાન્દ્રય ચલિત કરી શકતા નથી કે સ`સારના ઝંઝવાત એટલે કે આકષ ણુ અસ્થિર અનાવી શકતાં નથી. અને પછીના શ્લોકમાં સ્થિર તપસ્વી' એક એવા નિધૂમ દીપકની જેમ સ્થિર જ્ઞાની પ્રાપ્ત (કેવળ જ્ઞાન) છે કે જેની ધવત્ર જ્યંતિ કાઇ પણ પ્રકારના કષાય વિકારની - આંધીમાં પણ એલવાતી નથી. બન્ને લેકમાં સુમેરુ અને નિધૂમ જ્યોતિમુકત દીપક સાધકની અડગતાનાં પ્રતીક છે અને ઝંઝ્યાત વગેરે સસારની ભૌતિકતાનાં પ્રતીક છે. અહીં સંસાર પર તપસ્યાને વિજય પ્રગટાવ્યે છે, સાચું પણ છે, ભૌતિક સુખામાં પણ આત્મા સાથે દૃઢ થઈ શક્યા, તે જ મહાવીર ખની શકયા, મુકત બની શકયા. કવિએ આદિનાથ ભગવાનને યુદ્ધ, શંકર, બ્રહ્મા, વિષ્ણુ જેવા વિશેષણા આપીને વંદના કરી છે. પરંતુ અહીં' તેને આશય અવતારી દેવા નથી. જ્યારે તે યુદ્ધ શબ્દના પ્રયોગ કરે છે ત્યારે તેમને અભિપ્રાય કેવળ જ્ઞાનરૂપી માધિ જેએને પ્રાપ્ત થઇ છે તેવા અરિહંત ભગવાનના ગુણાનુ જ અકન છે. શંકર શબ્દ શાંતિ કે શિવત્વ કરનાર આત્માને પવિત્ર બનાવ નારનુ પ્રતીક છે, જ્યારે બ્રહ્મા અર્થાત્ મોક્ષમાગ પ્રશસ્ત કરનાર જિનેશ્વરની જ પ્રતિચ્છાયા પ્રસ્તુત કરનાર શબ્દ છે. વિષ્ણુ અર્થાત્ પુરુષોત્તમ. અહીં વિષ્ણુની કલ્પના પણ એવા પુરુષ માટે કરવામાં આવી છે કે, જે સવ પુરુષોમાં ઉત્તમ માક્ષમાગ બતાવનાર ન, જ્ઞાન અને ચારિત્ર્યથી દઢ બનેલા પાતે પોતાના આત્મપ્રદેશને પૂર્ણ રીતે જાણનાર છે. તેવા ઉત્તમ પુરુષ અર્થાત્ અનુસધાન પૃષ્ઠ પટ ઉપર માલિક શ્રી મુંબઇ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરાર વી. પીર, મુંબઈ ૪૦૦૦૦૪. ૩. ન. ૭૫૦૨૯૬ : મુદ્રણસ્થાન : ટ્રેન્ડ પ્રિન્ટસ', જગન્નાય શંકર શેઠ રેડ, ગિરગામ, મુંબઈ
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy