SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૭-૮૫ પ્રબુદ્ધ જીવન ૫૯ ના : હવે સંસાર જેઓ આ બિરાજે છે કમળને આ ભકતામર સ્તોત્રમાં પ્રતીક પેજના (પૃષ્ઠ ૬૦ થી ચાલુ) અરિહંત ભગવાનની જ પ્રસ્તુતિ કરી છે. ભગવાન જિનેન્દ્રદેવના જે આઠ પ્રાતિહાય માનવામાં આવે છે તે પણ પ્રતીક રૂપે જ પ્રસ્તુત છે અને આ પ્રાતિહાર્ય સને અસત્ પર વિજય, સંસાર પર વૈરાગ્યની મહત્તા વગેરેને જ સૂચવે છે. અશેકક્ષ સૂચવે છે કે ભગવાનના સમવસરણ કે ધમ. સભામાં તેઓ તે શકરહિત છે જ, સંપૂર્ણ વાતાવરણ શંકરહિત બન્યું છે અને તેમાં બેઠેલાં સર્વે જીવો સંસાર તાપથી મુક્ત થઈ અશોકપણમાં શાંતિનો અનુભવ કરી રહ્યા છે. ઉત્તમ આરાધ્યના સાનિધ્યમાં મનુષ્ય શોક-દુઃખ ચિંતારહિત બની જાય છે. સિંહાસન એ તે. ઉચ્ચ અને ઉત્કૃષ્ટ આસનના પ્રતીક રૂપે છે. બીજુ જેઓએ પંચ જ્ઞાન પ્રાપ્ત કર્યા છે, કમળને ક્ષય કર્યો છે તેઓ આવા ઉચ્ચાસને બિરાજે છે બીજું આ આસન સિંહ-આસન છે. જેઓ સંપૂર્ણ નિર્ભય બન્યા છે, જેઓને હવે સંસારની માયા, ભય, સતાવી કે, ડરાવી શકતા નથી, જેઓ મૃત્યુંજયી બની ગયા છે, તે જ સિંહ જેવા થઈ સિંહને આસન બનાવી નિર્ભય બને છે અને આવા આરાધ્યને સમાગમ કરનાર ધર્માચારી વ્યકિત સિંહવૃત્તિ અર્થાત્ નિર્ભયવૃત્તિ પ્રાપ્ત કરે છે અને ધર્મારાધનામાં ભયમુકત બની સિંહની જેમ દઢતાથી આરઢ બને છે. ભગવાન ઉપર ઢળવામાં આવતા ચંમર કે જે ૬૪ પ્રકારના છે, તે વિવિધ ૬૪ કલાના અને ૬૪ રિદ્ધિનાં પ્રતીક છે અર્થાત તીર્થકર ભગવાને આ વિશ્વને જીવન પવનની ૬૪ કલાઓ શીખવી છે, જ્યારે ત્રણ છત્ર કે જે ઉત્તરોત્તર નાનાથી મેટાં થતા બતાવ્યા છે તે રત્નત્રયનાં પ્રતીક છે. તે સૂચવે છે કે ઉત્તરોત્તર ચારિત્ર્યમાં દઢ બની મુકિત પંથ પર આગળ વધી શકાય છે અથવા જે રત્નત્રય ગુણોને ધારણ કરે છે, તે સિદ્ધત્વ પ્રાપ્ત કરી શકે છે. દુદુભિ પ્રાતિહાર્યા જાણે ઉલ્લેષણ કરે છે હે સંસારના મિતાવથી પીડિતજને, ધર્મના શરણમાં વારિ શરyi માં આશ્રય પ્રાપ્ત કરો, જાગૃત બને. ધમનું શરણુ જ સંસારનાં દુઃખેથી મુકિત આપી શકે છે. પુષ્પવૃષ્ટિ વસંતની શોભા અને શાંતિનું પ્રતીક છે. જ્યારે આવું વાતાવરણ હોય ત્યારે હૃધ્યમાં શાંતિ, ધમની પ્રભાવના વધે છે. આ વ્યિપુછપની વૃષ્ટિ એવી રીતે ન થાય છે કે તેના પાંદડાને ભાગ નીચે હોય અને દાંડીને ભાગ ઉપર હોય તે પ્રતીક છે કે ભગવાનના શરણમાં આવનાર તેમના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક નમન કરે છે, તે પતિતજન પણ ઉધ્વમુખી બનીને ધમની ઊંચાઈઓને કે, મુક્તિને પ્રાપ્ત કરી શકે છે. આવે પતિત જ્યારે ધમની ઊંચાઈએમાં ઉપર ઊઠે છે, ત્યારે તેનું જીવન પુષ્પની જેમ કોમળ અને સુગંધિત બને છે. પ્રભામંડળ કે, આભામંડળ તે શુકલલેસ્યા અર્થાત ઉત્તમ શુભ પ્રભાવનું પ્રતીક છે. જ્યારે સંપૂણ મિશ્રાવ દૂર થઈ જાય, મનના સમસ્ત વિકારો, શકિાઓ, મિથ્યાત્વ દૂર થઈ જાય, સમ્યકત્વની પ્રાપ્તિ થાય અને તીર્થંકર ભગવાન રવયં અરીસા. જેવા બને છે. તેમના પરમૌકારિક દિવ્ય દેહમાંથી અલૌકિક કિરણે પ્રતિભા મંડળની રચના કરે છે અને આ દપંણ કે, આલોકમાં જીવ ત્રિલેકના દર્શન કરે છે. અને તે નિરંતર પિતાને નિર્મળ બનાવવાના પ્રયત્ન કરે છે. અંતિમ પ્રતિહાર્ય દિગ્ય ધ્વનિ છે, જે ધ્વનિ ભેગવાન કેવલીમાં. વચનામૃતના પ્રતીક છે જે સપ્તતત્વ દ્રવ્ય વગેરે ધમનાં રવરૂપને સત્યરૂપે પ્રકટ કરે છે અને મુમુક્ષુને આનંદ આપે છે. . " ભકતામર સ્તોત્રમાં માનતુંગાચયે સવપ્રથમ આદિનાથના રૂપ-ચારિત્રયનાં પ્રતીકે પ્રસ્તુત કર્યા. તદુઉપરાંત તેમના પ્રાતિહાર્યોના વર્ણનમાં પ્રતીક મૂકાં અને છેલ્લે તેમના મહિમાને ગુણગાનું પ્રતીકના માપમથી કરે છે. . મદોન્મત્ત હાથી પણ ભગવાનના ભકતની સામે વશાબંતા થઈ જાય છે. અહી આ મોન્મત ધી હાથી તે મને વિકારનું પ્રતીક છે. અને ભક્ત તે સમ્યક દષ્ટિના પ્રતીકરૂપે છે. અર્થાત સમ્યક દૃષ્ટિ, સત્ત્વગુણના ધારકની દષ્ટિની સામે વિકારયુકત હાથી જ્યા શકિતશાળી પંણુ પરાજિત થઈ જાય છે. આમ સવૃત્તિને અસદુવૃત્તિ પર વિજય છે. સિંહ કે જે હસ્તીગંડ સ્થળને ક્ષત-વિક્ષત કરી શકે છે તે પણ આરાધનામાં દઢ વ્યકિતની સામે પરાસ્ત થાય છે. અહીં સિંહ તે હિંસાનું પ્રતીક છે અને , આરાધક અહિંસા-દઢતાના પ્રતીક રૂપે છે. આ કલેકમાં હિંસા પર અહિંસાને વિજય દર્શાવીને અહિ સમ ધર્મના મહિમાની સ્થાપના કરી છે. પુનઃ પ્રલયાગ્નિને કવિ ઉગ્ર સ્વરૂપે વર્ણવે છે, જેમાં સમસ્ત સંસાર ભસ્મ થાય તેવી તીવ્રતા-ઉષ્ણુતા છે. પરંતુ આદિનાથન નામનું સ્મરણ શીતળુંજળની જેમ કાય કરી આ અગ્નિને ઠારી દે છે, અહીં પ્રલયાગ્નિ ધના પ્રતીકરૂપે છે અને સ્મરણ તે શીતળ: જળ છે અર્થાત્ કોધનું શમન શાંતિ-શીતળતાથી જ થઈ શકે તેમ તેઓ કહેવા માંગે છે. અહીં પરોક્ષ રીતે તે અહિંસાનું સમર્થન છે. મનની શાંતિ જ દઢતા બક્ષે છે. સુપે તેની વિકરાળતા, તેનું ઝેર વગેરે કામ-કેપ કયાયના પ્રતીક છે. અને સત-ધમની શ્રદ્ધા દેવ-શાસ્ત્ર ગુરુની આરાધના જડીબુટ્ટી છે કે જે સર્પદંશના ઝેરને દૂર કરે છે. અરે સાપના. ડથી નિર્ભય બનાવે છે. અરે! આજે મનમાં બેઠેલા વિવિધ વિષય કક્ષાના સાપને દૂર કરવી હશે તે એક માત્ર ઉપાય સદુધર્મની આરાધના છે. રણક્ષેત્રમાં હાથી, ઘેડા અને ભયંકર શત્રુઓથી ઘેરાયેલ પણ ભગવાનના મરણથી વિજય પ્રાપ્ત કરે છે. અહીં’ રણક્ષેત્ર એટલે સંસાર. સંસારમાં જીવને અનેક પર પદાર્થો પીડિત કરે છે. આ આત્મપ્રદેશને સંસારના ભ્રમણ સુખ-દુ:ખમાં પરેશાન કરે છે. પરંતુ ભકિતના પુરુષાથથી આત્મપ્રદેશને જાગૃત કરનાર આ સાંસારિક મોહમાયા, કષાયરૂપt હાથી, ઘેડ, અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી મેક્ષ, પ્રાપ્તિને વિજેતા બને છે અને આવા સંસારના સાગરમાં જ્યાં મગરમચ૭ અર્થાત પંચપાપ' વગેરેથી ઘેરાયેલા છીએ, ત્યાં. ભકિતરૂપી નૌકાથી જ પાર થઈ શકાય. અહીં' સંસાર મોહ-. માયા લોભ વગેરેને પ્રતિબિંબિંત કરે છે, તે. ધર્મની નૌકા : વગેરે તેને પાર કરવાના પ્રતીકરૂપે છે. મનુષ્ય, શરીરના કનેકરોગોથી ઘેરાયેલું છે જીવનની આશા છૂટી ગઈ છે. તે પણ ભગવાનના નામની ઔષધિથી કામદેવ જેવી સુંદરતા પ્રાપ્ત કરે છે. અહીં બાહ્ય શારીરિક રોગ કે જે માનસિક ત્રાસ અનિયમિતતા સ્વછંદતાના પ્રતીકરૂપે છે, ત્યાં સાચી ભકિત ઔષધિનું કામ કરે છે. જ્યાં આરાધના વગેરેની પ્રધાનતા છે અને છેલ્લે તેઓ લેહ શૃંખલાથી જકડાયેલા ધાયેલ શરીરની વાત કરે છે ત્યાં પણ પ્રતીક દ્વારા કહેવા માંગે છે. કે, સંસારના બંધને આપણને લોહ શૃંખલા (બેડીઓ)માં જકડીને સતત પીડા આપી રહ્યાં છે. આવા સમયે જે પ્રભુના નામ-મંત્રનું : કોષ : (અનુસંધાન પૃષ્ઠ પર ઉપર) . . .
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy