SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત જીવન તા. ૧૬-૭-૮૫ સંઘ સમાચાર સહમંત્રી સંધના સહમંત્રી તરીકે શ્રી શૈલેશભાઈ હિંમતલાલ કેકારીની “સંધની કારોબારી સમિતિએ સર્વાનુમતે વરણી કરી છે. ડે. ધનવંત તિ. શાહ અને શ્રીમતી નિરખેન એસ. શાહ સહમંત્રી તરીકે સેવા આપી રહ્યાં છે. રાજકોટમાં હાડકાંનાં દરની સારવાર માટે શિબિર સંધના ઉપક્રમે રાજકોટમાં સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવાર અનુક્રમે તા. ૨૯, ૩૦, ૩૧ જુલાઈ અને ૧ ઓગસ્ટ, ૧૯૮૫ એમ ચાર દિવસ માટે હાડકાંનાં દરદોની . સારવાર માટે એક શિબિર યેજવામાં આવી છે. અસ્થિ ચિકિત્સક કે. જે. પી. પીઠાવાળા હાડકાનાં દરદોની વિના મૂલ્ય સારવાર આપશે. આ શિબિરનું ઉદ્દઘાટન શ્રી શશિકાન્ત મહેતા કરશે. રાજકેટની આ શિબિરને જરૂરિયાતવાળા દરદીઓને લાભ લેવા વિનંતી. પ્રવીણભાઈ મંગળદાસ શાહ કે. પી. શાહ પન્નાલાલ ૨, શાહ સંયોજક મંત્રીઓ પ્રશ્ન પણ આ રીતે વિલંબમાં પડે, એથી પરિસ્થિતિ વધુ વિણસી, નિર્દોષ માણસે માર્યા ગયા, લાખ વિદ્યાથીઓને અભ્યાસ બગડે અને પ્રજાને કરડે રૂપિયાનું ખોટું નુકસાન થયું. સાચી પ્રજાપ્રીતિ કે દેશદાઝ હોય છે. આવી દુઃખદ પરિસ્થિતિમાં ખાવાનું પણું ન ભાવે, તેને બદલે પ્રસન્ન વદને, છાતી કાઢીને ફરતા અને ઊંચાં સત્તાસ્થાનના સ્વપ્નાં સેવતા આપણું રાજકારણીઓને જોઈએ છીએ ત્યારે ઘણા છૂટે છે. કોઈ પણ વિરોધ કે આંદોલન જ્યારે ઉગ્ર બને ત્યારે હિંસક સ્વરૂપ પકડે. વિરોધ પક્ષની એવી મુરાદ પણ ખરી. ગુજરાતના દેલનમાં અમદાવાદના કેટલાક વિસ્તારમાં આંતરવિગ્રહ જેવી પરિસ્થિતિ સર્જાઈ. ભાડૂતી ગુંડાઓ અને ગેરકાયદે હથિયારોની આયાત મેટા પાયા પર થઈ. કોમવાદ અને વર્ગ વિગ્રહનાં મૂળ ધણું ઊંડા ગયાં. પ્રજામાં પરસ્પર વૈરભાવ અને અવિશ્વાસની લાગણી જોરદાર બની ગઈ. પ્રજાને આ ઘા રુઝાતાં સમય લાગશે. આર્થિક નુકસાન કરતાં પ્રજાની ભાતૃભાવની લાગણીને જે નુકસાન થયું છે તે અમાપ છે. | | અનામત વિરોધી આંદેલને કેટલીક સફળતા મેળવી છે, પરંતુ તેની ઘણી ભારે કિંમત ચૂકવવી પડી છે. સત્તાધીશાને અને અંદેલનકારને બંનેને આ પરિસ્થિતિમાંથી ઘણા સારા બોધપાઠ મળવો જોઈએ. પરંતુ ગુજરાતના ઇતિહાસમાં આ કાળ કાળા અક્ષરે લખાશે એ નિર્વિવાદ છે. લશ્કરી જાસૂસી અને વિદેશી ચલણના કૌભાંડ દ્વારા કલંકિત બનેલા ગુજરાતને અનામત વિરોધી આંદોલન દરમિયાન બનેલી ઘટનાઓએ વધુ કલંકિત કર્યું છે. જે કઈ પણ પ્રજાને યુદ્ધ કે અશાંત પરિસ્થિતિને છેવટે તે થાક લાગે જ છે. ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે અમરસિંહ ચૌધરી આવ્યા એ વિચારશીલ માણસને ગમ્યું નહિ હોય. તેમ છતાં તેમને હટાવવા માટે આંદોલન ચાલુ રાખવું એમાં બહુ ડહાપણુ લાગતું નથી. ગુજરાતની પ્રજાએ ઘણું વેઠયું છેપરિસ્થિતિને હવે શાંત બનવા દેવી જોઈએ. આપણે ધારીએ છીએ એટલી ઝડપથી એ શાંત નહિ થાય. પ્રેમ, ભાતૃભાવ અને સહકારનું વાતાવરણ સર્જાતાં હજુ ઠીક ઠીક સમય લાગશે. ગુજરાતના નવા મુખ્ય પ્રધાન કેટલી સ્વસ્થતાથી, સમભાવથી, પ્રજા–કલ્યાણની બુદ્ધિથી વર્તમાન પરિસ્થિતિને સંભાળી લે છે એ હવે જોવાનું રહે છે. એક આદિવાસી વ્યકિત મુખ્ય પ્રધાન થાય એ ગૌરવની વાત છે; પરંતુ મુખ્ય પ્રધાન ‘પૂર્વગ્રહરહિત, ન્યાયબુદ્ધિવાળા, પ્રજાપ્રિય, પ્રજાવત્સલ અને લોકકલ્યાણની સાચી દાઝવાળા હોય એ વધુ ગૌરવની વાત છે. . -રમણલાલ ચી. શાહ ભૂલ-સુધાર - (૧). “પ્રબુદ્ધ જીવન” ના તા. ૧૬-૫-૮૫ ના અંકમાં શ્રી યશવંત દેશના એક વિચિત્ર સંસ્મરણ” લેખમાં “સર્વથી ઉપર મનુષ્ય અને મનુષ્યથી ઉપર કઈ નહિ' એવું પ્રખ્યાત સૂત્ર લખનારે રવીન્દ્રનાથ ટાગોર દર્શાવાયા છે. આ સૂત્ર ટાગેરનું 'હિ પણ ચંડીદાસનું છે. શ્રી કુન્દનિકાબેન કાપડીઆએ. આ ક્ષેતિ તરફ અમારું ધ્યાન ખેંચ્યું છે તે માટે તેમને આભાર. - (૨) “પ્રબુદ્ધ જીવનના તા. ૧-૭-'૮૫ના અંકમાં પૃષ્ઠ– ૪૬ પરની બીજી કોલમની ‘૧૨ મી પંકિતમાં “મને તે એવી રીતે રહેવાનું જ ગમે” એમ છપાયું છે તેને બદલે” મને તે એવી રીતે રહેવાનું ન જ ગમે' એમ જોઈએ, આ ભૂલ વીતેલાં વર્ષો” લેખમાં રહી ગઈ હતી અને તેના લેખક છે પ્રા. ચી.ના. પટેલ. સંઘના આરંભકાળના સભ્યોનું બહુમાન શ્રી મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના તા. ૨૫-૧૧૧૯૨૮ના રોજ ધી બેખે જૈન યુથ લીગ (શ્રી મુંબઈ જેને યુવક સંધ)ના નામે અને શ્રી મુંબઈ જૈન યુવક સંધના નામે તા. ૩-૫-૧૯૨૯ના રોજ સ્થાપના થઈ હતી. બંનેના ધ્યેય સમાન હતાં એટલે આ બંને સંસ્થાનું તા. ૮-૭-૧૯૨૯ના રોજ એકીકરણ કરવામાં આવ્યું હતું. “સંઘના આરંભકાળના સભ્યનું (ઉપરોકત બંને સંસ્થાના સભ્ય, જેમની આજે ૮૦ વર્ષની ઉંમરે હોય) બહુમાન કરવાનું વિચારાયું છે. સંધના આરંભકાળના જે સભ્ય હોય તેઓ તેમનાં સરનામાં સાથેની વિગત “સંઘના કાર્યાલયમાં મોકલાવે એવી વિનંતી છે, જેથી આરંભકાળના સભ્યનું ઉચિત રીતે. બહુમાન થઈ શકે. ' –મંત્રીએ : ભકતામર સ્તોત્રમાં પ્રતીક થાજના . (પૃષ્ઠ ૫૯ થી ચાલુ) સ્મરણ કરે છે તે મુકત થાય છે. અર્થાત નામમંત્રને સ્મરણ વખતે જે સંસારની પીડાને ભૂલીને દઢતાથી આત્મપ્રદેશમાં અંતમુખી બને છે તે પીડમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે. આમ તે ભક્તામર સ્ટેત્રના લગભગ બધા લે કે કોઈ નવી જ દ્રષ્ટિ અપે છે. પરંતુ ઉપર વર્ણવ્યા ત્યાં વધુ પ્રતીકાત્મક શૈલીમાં કવિએ ભગવાન આદિનાથનાં રૂ૫ ગુણ અતિશયને વર્ણવ્યા છે. સંસાર, મનુષ્યનો ચંચળ સ્વભાવ, આધિ-વ્યાધિ, ઉપાધિ, કષાય, વિષયવાસના, મેહ વગેરે કે જે સંસારમાં ભટકાવનાર છે તેમાંથી મુકિતને ઉપાય ભગવાનની આરાધના, ધ્યાન અને આત્મચિંતન છે. આ ત્રના કવિએ ભકિતની ઉત્કૃષ્ટતા, તેને પ્રભાવ અને મિથ્યાત્વને ત્યાગ કરીને ક્રમશઃ પ્રગતિ કરતા કરતા ઉર્ધ્વગતિ પ્રાપ્ત કરવાના ઉદ્દે સ્પ વર્ણવ્યું છે.
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy