SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૭-૮૫ '! પ્રયુદ્ધ જીવન શ્રદ્ધા નહી, આત્મશ્રદ્ધા ડા. સુમન શાહ આ પણી જાણું બહાર ઘણી વસ્તુઓમાં આપણને શ્રદ્ધા પડી હોય છે. પોતે ફરીથી જાગશે જ એવી શ્રદ્ધાથી રાતે માણસ પથારીમાં લખાવતા હોય છે. આણમની રાત મળવાની છે એવા ભરોસે દિવસભર રઝળતા હોય છે. પ્રકૃતિએ માણક્ષની જ નહીં, જીવમાત્રની બધી જ કાળજી લીધી છે. એના તરફથી જે કંઇ મળવુ ઘટે એ આપણને સા મળ્યા જ કરે છે: હવા, પાણી, ખોરાક, પુષ્પો, પુષ્પોનાં રૂપ-રંગ-સુગ-૧, પખીઓના કલરવ, નદીજળનો કલકલતા પ્રવાહ, સાગરના ધૂંધવા, શીતળ ચાંનીથી છવાયેલી કે તારામાંથી તગતગતી નરી સ્તબ્ધતાભરી રાત્રિએ, પ્રકાશની વ્યપકતા, અધકારની નિબિડા, ઘણું. પારી પત્ની છત કે આકાશ સવાર સુધીમાં તૂટી નહી પડે એવી એને ખાતરી છે, પણુ એસેિ જવા મળતી પરેકટ ટ્રેન કે ૧૦-૫ ની એકસપ્રેસ બસ મળશે જ એની એને ખાતરી નથી. ન પશુ મળે--એવા ભાવ વિશે જ. એને ખાતરી હોય છે. ખાસતે આજે પોતાનુ કામ કે નિરુચશે કે કેમ એ વિશે શ્રદ્ધા તાફીક અને નરી ચિંતા છે. આપણું અસ્તિત્વ જ્યાં જ્યાં ગૂંથાયુ છે ત્યાં ત્યાં ખાતરી, ભરોસો ક શ્રદ્ધાની ગેરહાજરી છે. પ્રકૃતિથી અલગ પડી આપણે જેટલા ક વ્યવહારો અને વ્યાપાસે નિપજાવ્યા છે એ બધા જ ‘સાંસ્કૃતિક’ પ્રસગામાં આપણુ જીવન એક ગૂંચ છે. એવી ગૂચ અનુભવવા ભિખારી હાવું જ જરૂરી, ને તાલેવત હોઇએ તે બધું સમુંસૂતરું જ હોય એવું નથી. કાઈપણ માનવખાળ ગૂંચ લઈને જ આમરણાંત જીવતા હોય છે. એમાં ફસાયેલા રહીને એકવિસ મરી જાય છે. એવું અને કે ગૂ ંચ શ્રદ્ધાથી ઊકલી જાય. શ્રદ્ધા સેતુથી સામે પાર પહોંચી જવાય. કાઇ ધમમાં, સમ્પ્રદાયમાં, વિચાર ક આચારમાં માણસને આમ જ શ્રદ્દા બેસે. શ્રદ્ધા, મુદ્ધિ અને તર્કની દુશ્મન છે. જાતે વિચારવાનો પ્રશ્ન જ ઊમા થતો નથી. એવી કશી સભાનતાને પ્રવેશ થાય કે તરત એ શ્રદ્ધા ઊડી જાય છે. જેએ ઇશ્વરના જ્ઞાનનો આગ્રહ રાખે છે તે રવાડે ચડી જાય છે. જ્ઞાનમાગીએ બહુધા ત્રસ્ત રહે છે અને જીવનને એક જાતની વ્યગ્રતામાં પલટી નાખે છે. જાણવામાં જ એમનું બધું વેડફાઇ જાય છે. જ્ઞાન–વાંછુની એક આખી જિ:ગી પૂરી થઇ જાય. જે ઇશ્વરને એ જાણી રહે તેની ભકિત-આરાધનાની એને જવલ્લે જ તક મળે. એટલે સહજપણે જે શ્રદ્ધાળુ થયો તે સુખી થાય. એનામાં નરી ભકિત જ વિશ્વસે અને સંભવ છે કે એ વનમુકિતના અનુભવ પણ કરે. પણ બધાના ભાગ્યમાં આવું નથી હોતું. સહજ શ્રદ્દા દુČભ વસ્તુ છે, એક પ્રકાની વિરલતા છે. વળી એ પળવિપળ માટે હોય છે, સતત નહીં. ઇશ્વરમાં શ્રદ્ધા ઊગે એ એક ક્ષણ હોય છે. એ ક્ષણને ટકાવવા જતાં આપણું અસ્તિત્વ વચમાં આવે છે અને બધું રફે ફે કરી નાખે છે. એટલે તે ધાર્મિક પરમ્પરાઓમાં શ્રદ્ધાને ટકાવી રાખવા’નો આગ્રહ મહેર્યાં છે. કાઇપણુ ધમના આચારવિચાર । ક્રિયાકાર્ડ, એના વિધિનિષેધા કે એની રીતરસમો પાછળનો હેતુ શ્રદ્ધાને ટકાવી D *** સુર રાખવાના છે. ધાર્મિ કનુ પરમ લક્ષણ એ છે કે એણે ધમ ધાર્યાં છે, પરમને વિશેની શ્રદ્ધા ધારી છે. બહુ જ કઠિન સમ છે આ, માણુસ માટે. શ્રદ્ધાની ક્ષણ બરાબર છે, એનું જીવન સાવ જ કપરી વસ્તુ છે. વારે વારે માસ ધામિક મટી જાય, વરેલા વિચારોથી વિરુદ્ધનું આચરણુ કરે, પત્ર કરેલી નીતિને ફગાવી દે એમ થવુ વધારે સંભવિત છે. ધણીવાર એવુ' પણ . ખતે કે એ પેાતાનાં તમામ સ્વીકૃતને ફગાવી દે, ગુરુતે પતા. મેલે, ધાર્મિક કે આધ્યાત્મિક નેતાને તિલાંજલિ આપી દે.. વિદ્રોહે ચડી જાય. આપણી ગુરુ-શિષ્ય પરમ્પરામાં આનાં અનેક નિશા મળી આવે છે. શિષ્યા નહીં તે ગુરુ અને તે તેમના શિષ્યે પાછા ગુરુ બને એવા ઉપક્રમ સ્થપાય જ શી રીતે ? હમેશા શિષ્યાને ચરણ-શરણમાં રાખનારી પ્રથા પણ આ પમ્પાની જ દેણુ છે, તે શિષ્યોને પોતાથી સવાયા જોનારી એક પ્રશસ્ત સમ પણ એની જ દે છે. સા ગુરુને ખબે ચડી રહેના કે એમની આંગળી પકડી કારિકદી પૂરી કરનારા શિષ્ય શિષ્યા જ નથી. ક્રમ કે ગુરુએ ધારેલી શ્રદ્ધાને વિકસાવવાનું કામ એમનાથી થવાનું' જ નથી. એ ખાલી રહ્યા છે, વજન વિનાના, નિચહ્ન, પોતીકા ‘ગૌરવ' વિના એ અન્યના ગુરુ પણ શી રીતે થવાના? વિદ્રોહસૌંશય કે પ્રશ્નત્તિ વડે જ સાચા શિષ્ય કે ગુરુ થવાય છે. પણ પ્રશ્ન થા કે શંકા પડવી એ માણસમાત્રને સહેજ છે. સહજ શ્રાના જેવી જ વસ્તુ સહજ સશય છે. માણુસના બંધારણમાં જ કંઇક એવું છે, જે ગમે તે ક્ષણે એની સરળતાને કે સવાતિાને હરી લે. અસ્તિત્વમાં ગમે તે ધડીએ એક અમળાટ જાગી ઊઠે છે, ઘડી એ બડી સાપા પડી જાય છે. જીવનહેતુ વિશે અમૂંઝણ થવા લાગે છે. માનેલા ઇશ્વરમાં કે દેવદેવલામાં રોપેલા વિશ્વાસ બાષ્પ બની જાય છે. બની બનાવેલી કારકિર્દી અને સમગ્ર અરિતત્વની નિકતાની તીવ્ર લાગણી થવા માંડે છે. અજુ નને યુદ્ધભૂમિ પર આવી દારુણુ ક્ષણા લાધી હતી અને વીર યોદ્ધાને કલ બ્યના અનુભવ થયા હતા. પણ એ સમ્પ્રનતાની ક્ષા હતી, જીવનની સાચી ક્ષણેા હતી. અર્જુનનો વિશ્વાયોગ એના અસ્તિત્વની મેહામાત થવાના ધન્ય યોગ હતા. ભગવાને એને ખાસ્સો ખેાધ આપ્યા. અને પોતાના વ્યાપક પ્રપંચનું સાધન બનાવ્યો. એમણે જ સંશયાત્માને વિનાશ થાય છે' કહ્યુ' હતું ને? પણ માજીસ મૂળે સશયાત્મા છે. કામ, ક્રોધ, મ:, મેહ, લાભ વડે તા એ માણુસ છે! સભ્રમ, સંશય કે સ્મૃતિનાશ મનુષ્યને વિશેષ છે, મનુષ્યેતરના નહીં. એ વડે ભલે પ્રાશ થાય, મનુષ્યને એને ડર નથી, એની કાઇ પણ ચેષ્ટાનુ કેન્દ્ર એનુ અસ્તિત્વ છે કાઇ પણ પરિણામને ઝીલનારું પણ એનુ અસ્તિત્વ છે. એને એના અસ્તિત્વથી કદી છૂટો પાડી શકાતો નથી. માણુસને માણસ તરીકે મિટાવી દેનારી કાઇપણ ફિલસૂફી નબી નથી, એવી કાઇપણુ ધાર્મિકતાનુ ઝાઝુ ચાલ્યું નથી. અનેક ધર્મોં અને દાનૈય ઝડપથી કાલગ્રસ્ત બની ગયાં છે, કેમ કે એમનાં મૂળમાં મનુષ્યન માનાના સાક્ષાત્કાર કે સ્વીકાર નહોતા બલકે ઉપેક્ષા હતી... સ્વર્ગની લાલયે પ્રુ નની ી? માણુસને શરણાથી અનાવ શકાય છે. કલ્યાણ કે જીવન સફ્ળતાને લોભે એને દાસ બનાવી શકાય છે. એમાં સ્વાતંત્ર્ય અને દાયિત્વને લેાપ છે. એને એન
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy