________________
શ્રાદ્ધ જીવન
૪૪
.ભગ ચાલીશ વર્ષથી રસિકભાઈના આ નિયમિત કાયક્રમ, અનિવાય.કારણ ન હોય ત્યાં સુધી પોતાના આ નિયમિત ક્રમમાં જરા પણ ફેરફાર કરે નહિ. જીવનની અ ંતિમ ક્ષણ સુધી આ ક્રમને તેઓ વળગી રહ્યા. અવસાનના વિસે સવારે પણ તે ', ૮૩ વર્ષની ઉંમરે મોટર ચલાવી સવારે ગાર્ડનમાં ફરવા ગયા * હતા. પાછા આવીને દૂધ પીને પ્રબુદ્ધ જીવન વાંચતા હતા ત્યાં એમનુ અવસાન થયું.
રસિકભાઇ રાજ સવારે ખે માઇલ જેટલુ અને સાંજે પણ એટલુ અચૂક ચાલતા. ચાલવાના તેઓ ભારે શોખીન અને આગ્રહી. ચાલવાથી આરોગ્ય ધણું સારું' રહે છે એવું અનુભવને આધારે અને એ માટે બીજાને ભલામણ કરતા. માં પડવું અને બીજા પાસે ચાકરી કરાવવી એ એમને રૂચતી વાત નહાતી. એટલા માટે આરોગ્ય સાચવવાની ખાખતમાં તે હંમેશાં પૂરા સભાન રહેતા. માથું દુખ્યુ હોય, તાવ આવ્યા કે કાઇ માંગીમાં પટકાયા હોય એવુ એમના જીવનમાં જવલ્લે જ બન્યું હશે!
આ ચાલવાના રાજના મહાવરાને કારણે જ પ્રવાસ એ તેમની એક પ્રિય પ્રવૃત્તિ હતી, જે છેલ્લા બે એક દાયકામાં તેમણે ઘણી ઓછી કરી નાખી હતી. ભારતમાં અને ભારત બહાર તેઓ ધણુ ફર્યાં હતા. હિમાલયમાં પણ એમણે પગપાળા લાંખા પ્રવાસ ખે દાયકા પૂર્વે કર્યાં હતા.
રસિકભાઇ સેઇ અને નાકર રાખીને પોતે ધરમાં એકલા રહેતા હતા. પરંતુ તેમનું' ધર હંમેશાં ભયુ' રહેતુ. જમવા માટે મહેમાનેાની વણજાર તેમના ઘરે બારે માસ સતત ચાલુ રહેતી. મહેમાન વગર એકલા જમવાનુ જાણે એમને ભાવતુ નહિ, ફાવતું નહિ. રોજ સવારે ૯ થી ૧૧ સુધી એમને ટેલિફોન જુદી જુદી વ્યક્તિઓને જુદા જુદા નિમિત્ત જમવાનું નિમંત્રણ આપવા માટે વપરાતો. સગાં, મિત્રો, સંબંધીઓ, વેપારીએ સહાકાય કર્તાઓ, ઉપરાંત અમારી જૈન યુવક સંધતી સમિતિના સભ્યોને તેમણે અનેકવાર જમવા ખોલાવ્યા હશે. સ્વ. પરમાન કાપડિયાના સમથી એમની આ પ્રવૃત્તિ ચાલુ હતી, કાકા કાલેલકર, જયપ્રકાશ નારાયણુ, ક્ાધર વાલેસ, પુરુષોતમ માવળ કર વગેરે અનેક નામાંકિત વ્યકિત એમના ઘરે કેટલીયવાર જમવા પધારી હશે. જૈન યુવક સંધના કેટલાય નિયા રસિકભાઈના ઘરે ભોજન પ્રસંગે લેવાયા હશે. ખીજાને પ્રેમથી આગ્રહપૂર્ણાંક જમાડવા એ એમની પ્રિય પ્રવ્રુત્તિ હતી, પરંતુ પાતે મિતાહારી હતા. ઓછું જમતા અને જમનારાનું ચીવટપૂર્વક ધ્યાન રાખતા. રસિકભાઇ પોતે બહાર, રેસ્ટારાંમાં કે કાઇના ધરે જમતાં નહિ. અહારનુ પાણી સુધ્ધાં તે પીતા નહિ. સંયમ અને આરોગ્યની દ્રષ્ટિએ પેાતાના આ નિયમને તે ચુસ્તપણે વળગી રહેતા. કેટલીયવાર લગ્ન પ્રસંગે કે બીજી મિજબાનીઓમાં તેઓ હાજર જરૂર રહેતા, પરંતુ કશુ લેતા નહી. વારવાર અનેક મિત્રાને જમાડવાને કારણે કાને શુ વધારે ભાવે, કાને કેટલું તીખું-મોળુ ફાવે તે બરાબર જાણી લે અને તે પ્રમાણે મહારાજને સૂચના આપતા. જમાડતી વખતે પુત્સલ એક માતાની જેમ તે બધાની કાળજી રાખતા.
રસિકભાઇના વડીલ બંધુઓનુ કુટુંબ વિશાળ હતું. તે બધા ભાઈઓને ઘરે નિયમિત મળવા જતા. બધાના ખબરઅંતર પૂછ્યા, સલાડુંસૂચન આપતા. કંઇ કામકાજ હોય તો તે કરવાની વ્યવસ્થા કરાવી આપતા. જરૂર હોય તેને ગુપ્ત આર્થિક મદ મઘ્ન પણ કરતા.
]
તા. ૧-૭-૮૫
રસિકભાઈ ઘણા પરગજું, પરંતુ ખીજાની પાસે પેાતાનુ’ કામ કરાવવા હુ રાજી નહિ. પ્રેસ્ટેટનું ઓપરેશન કરાવવાનું હતું ત્યારે પોતે એકલા ચૂપચાપ હોસ્પિટલમાં પહાચી ગયા અને ઓપરેશન થઇ ગયા પછી સગાં-સબંધીઓને સમાચાર જણાવ્યા હતા. એમને એવી હમેશાં ઈચ્છા રહેતી કે પથારીમાં માંદા પડી બીજાના પાસે ચાકરી કરાવતાં કરાવતાં અવસાન થાય એ પ્રસંગ પોતાના જીવનમાં ન આવે તે સારુ, અને બન્યું પણ એવુ જ. એ વિસે સવારે ગાર્ડનમાં ફરી આવી ઘરે આવી દૂધ પીને ‘પ્રબુદ્ધ વન'ના નવા અંક વાંચવાને પોતે ચાલુ કર્યાં. સાડા અગિપાર વાગે જમવાનુ તૈયાર રાખવાની રાજની જેમ મહારાજને સૂચના આપી અને વાચતાં વાચતાં કાઈ પણ પ્રકારના શારીરિક દ કે વ્યથા વગર, કાષ્ટને અણુસાર પણ ન આવે એ રીતે તેઓ કાયમને માટે નિદ્રાધીન થઇ ગયા. જાણે તેમણે ઈચ્છા-મૃત્યુ સોંપાયુ..
સ્વ. રસિકભાઇને મને પડેલવહેલે પરિચય ત્રણેક દાયકા પહેલાં થયેલા, ગુલામેના મુક્તિદ્દાતા' નામનુ લિંકનના જીવનચરિત્ર વિશેનુ' મારુ' પુસ્તક એમણે સ્વ. પાન દભાઇ પાસેથી લઇને વાંચેલું. એમને એ પુસ્તક બહુ ગમેલુ' અને ત્યારથી મારા લેખનકાય' વિશે અવારનવાર પૂછ્યા અમે ચેપાટી ઘણાં વર્ષાં રહ્યાં એટલે રસ્તામાં અને એમને ધરે વારંવાર મળવાનુ થતુ. યુવક સંધના નિમિત્તે અમારો સ્નેહસંબંધ વધુ ગાઢ થયા.. પિતા જેવું વાત્સ” અમને એમની પાસે અનુભવવા મળતું,
પર્યુષણ વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનેાની અને ‘પ્રયુદ્ધ વનનાં લખાણાની નિખાલસ ચર્ચા એમની સાથે થતી.. તેઓ પોતાના પ્રામાણિક મત પ્રેમથી જણાવતા, કયારેક અન્ય મહત્ત્વના દષ્ટિકાણથી એમને સમજાવવામાં આવતુ તા તે પોતાના મત ખલતા; પેાતાના મતને આગ્રહ તે તે કયારેય રાખતા નહિ.
સ્વ. રસિકભાઈને ધાર્મિક ક્રિયાકાંડ તરફ રુચિ નહોતી. સાધુ–ભગવ તાના સપકમાં તે આવેલા નહિ. એક વખત મને કહે, “મારા એક વેપારી મિત્ર માટી ઉમરે દીક્ષા લીધી છે. મુંબઇ આવ્યા છે એમ સાંભળ્યું છે. એ કયાં છે તેની તમે તપાસ કરાવી આપે અને મારી સાથે ચાલે, કારણ કે મને સાધુએ પાસે કેવી રીતે જવુ* અને શી વાત કરવી તેની ખબર નથી.' તપાસ કરી રાતને વખતે અમે ગયા. મળ્યા. વંદન કર્યાં, જૂનાં સ’સ્મરણો તાજા થયાં. રસિકભાઇએ પૂછ્યું, આટલી મોટી ઉંમરે દીક્ષા લીધી તે બરાબર ફાવે છે?”
ફાવે છે, પણ દીક્ષાપાલન ધાર્યાં કરતાં ઘણું કડક છે.' કઈ બાબતમાં ’
બધી જ ખતમાં. દાખલા તરીકે મને પેટની તકલીફ હતી. એટલે સવારે નિયત સમયગાળામાં ઠલે ન જવાય તે ઉપવાસના દંડ આવે.
‘આ તો બહુ કિન કહેવાય. તમને ન ફાવે તે પાછા આવી જાઓ. વેપારધંધાની કે આજીવિકાની કઈ ચિંતા નહિ કરતા. એ હું સભાળી લઈશ.
ના, પશુ મને હવે ખરાખર ફાવી ગયુ છે. ઊલટાનું હવે પેટની જરાય તકલીફ રહી નથી. સયમની આરાધના ઘણી
(અનુસ`ધાન પૃષ્ઠ પ૧ પર)