SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. એવા કાળમાં જ આપણી સમેતા, શ્રદ્ધા, હિમ્મત તથા તથા ધીરજની કસોટી થતી હોય છે. જીવનની કટોકટીની ક્ષણે મનુષ્ય ઊંડી શ્રદ્ધા રાખે, નિરાશાને પચાવી જાણે, નિષ્ફળતાને પણ કોઈ દિવ્ય શકિતના આવિષ્કાર રૂપે જુએ એમાં મનુષ્યના ભાવિ ઉદયની ચાવી રહેલી છે. નિષ્ફળ નિવડવાની, નાસીપાસ થવાની આવી ક્ષણોએ ઉય માટે પુરુષાર્થ અલબત્ત, છોડી દેવાને નથી. નિષ્ફળતા શા માટે મળી તેની જ કરી, વિજયની શ્રદ્ધા સાથે ઉયના શિખર પ્રત્યેનું આરોહણ કરવાનું છે. એવા આરોહણમાં પરમતત્વમાં ઊંડી આસ્થા આપણો મૂળભૂત આધાર બની રહેતી હોય છે. | ઉધ્ય અને અસ્તની પ્રક્રિયા જેવી વ્યકિતના જીવનમાં તેવી માનવ સમૂહો અને રાષ્ટ્રોના જીવનમાં પણ સમજવી. રાષ્ટ્રના જીવનમાં પણ ઉથથી અરત અને અસ્તથી ઉદય તરફની ગતિ જોવા મળે છે. જો કે સંપૂર્ણ ઉદય અને સંપૂર્ણ અસ્ત જેવું કાંઈ હોતું નથી. ઉદય તરફની છલાંગમાં કયારેક અસ્ત ભણી ઢળવાની છાયા ભળેલી હોય. આપણી એક અખમાં હર્ષની ચમક દેખાતી હોય ત્યારે જ બીજી આંખમાં શેકની છાલક વાગવાની કવચ શરૂઆત થઈ ગઈ છે. પરાજયની ભૂમિમાં વિજયનું બીજ રોપાયેલું હોય છે. છાયા અને પ્રકાશ, આશા અને નિરાશા, સુખ અને દુઃખ, ટોચ અને ખીણ, અસ્ત અને ઉ–આ બધાની જીવનના મહાન ખેલમાં ફૂલગૂંથણ થયેલી હોય છે. વળી ઉદય અને અસ્ત વિશેના ખ્યાલ વ્યકિત-સાપેક્ષ હોઈ શકે. સત્તા અને સંપત્તિ જતી રહે તે ઘણાને મોટી વિપત્તિ લાગે. તે કઇ ભકત-હૃદયને ભગવાનનું વિસ્મરણ થાય તે માટી વિપત્તિ અને નારાયણનું સ્મરણ તે જ એક માત્ર સંપત્તિ લાગે. विपदो नैव विपदः सम्पदौ नैव सम्पदः । विपद विस्मरणं विष्णोः सम्पन्नारायण स्मृतिः ॥ સંસ્કૃત સાહિત્યના કવિ માધે લખ્યું છે. એક બાજુ સૂર્ય ઊગી રહ્યો છે અને ચન્દ્રને હિમાલયનાં શિખરે પાછળ અસ્ત થઈ રહ્યો છે. તેથી આ પર્વત જાણે બે બાજુએ લટકાવેલા ઘંટવાળા હાથીની લીલાને ધારણ કરી રહ્યો છે. મનુષ્ય જીવન જાણે અસ્ત ઉદયના ચન્દ્ર-સૂર્યને ધારણ કરતા આ પર્વત જેવું છે. અસ્ત અને ઉદયની ગૂંથણીનું ચિત્રાત્મક વર્ણન એક સંસ્કૃત સુભાષિતમાં થયેલું છે. એમાં સૂર્યોદય પહેલાંના અરુણદયકાળનો નિર્દેશ થયો છે. એક બાજુ ચંદ્રનો અસ્ત થઈ રહ્યો છે અને બીજી બાજુ અરુણને આગળ કરી સૂર્ય ઉદય પામી રહ્યો છે. એક સાથે આ દુઃખ અને સુખ માટે જાણે લોકોને શીખવતા હોય તેમ આ બે તેજવીઓ (સૂર્ય અને ચંદ્ર) વતતા દેખાય છે.. જૈન સાહિત્ય સમારેહ : (પૃષ્ઠ ૪૨ થી ચાલુ) આતિથ્ય માણ્યું હતું. ખંભાતના પ્રાચીન જૈન મંદિર, જ્ઞાને ભંડારો અને અન્ય જોવા લાયક સ્થળોની મુલાકાત નિમંત્રિત સંસ્થાએ ભાગ લેનાર પ્રતિનિધિઓ માટે ગઠવી હતી. આ બધી વ્યવસ્થામાં ખંભાતની કાયાપલટ કરનાર સામાજિકે અને રાજકીય અગ્રણી શ્રી. રણજિતરામ શાસ્ત્રી ખડેપગે સતત હાજર રહ્યા હતા. આ અહેવાલ લખાય છે એ દરમિયાન એમનું અચાનક અવસાન થયું. એમની સતત ભાવકતા નજર સમક્ષ તરવરે છે. અને અને સહજપણે ભીની થાય છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે. ઋણ સ્વીકાર આ સમારોહની નોંધ મારા મિત્ર પ્રા. ગુલાબ દેઢિયા અને શ્રી ચીમનલાલ કલાધરે લીધી હતી જેના આધારે આ અહેવાલ તૈયાર થઈ શકે છે. એ બંનેને અણુસ્વીકાર કરતા મને આનંદ થાય છે. સ્વ. . ઉમેદભાઈ મણિયાર : (પૃષ્ઠ ૩૪ થી ચાલુ) છેલ્લી માહિતી જોઈતી હોય તે તે ઉમેદભાઈ પાસેથી મળે. ઉમાશંકરભાની તમામ પ્રવૃત્તિઓથી તેઓ સતત માહિતગાર હેય. ઉમાશ કરભાઈ અને ઉમેદભાઈ વચ્ચે યુવાન વયે બંધાયેલી સ્નેહની ગાંઠ ઉત્તરોત્તર વધુ ગાઢ થતી રહી હતી. મુંબઈમાં ઘણાં વર્ષો સુધી ઉમાશંકરભાઈને ત્યાં ઊતરતા. બીજા મોટા સગવડતાવાળા ઘરે ઊતરવાનું શક્ય હોય તે પણ ઉમે ભાદની તારાબાગમાં આવેલી નાની ઓરડીમાં ઊતરવામાં ઉમાશંકરભ ઈ વિશેષ આનંદ અનુભવતા. ઉમાશંકરભાઈ મુકત મનથી અને નિખાલસતાથી ઉમે ભાઈ સાથે વાત કરતા. એક વખત ઉમાશંકરભાઈ મુંબઈમાં મારા ધરે ઊતર્યા હતા. રાતના એમની સાથે એક-બે સ્થળે જઈને અમે પાછા ફરી રહ્યા હતા. અગિયાર વાગવા આવ્યા હતા. ત્યાં રસ્તામાં ઉમાશંકરભાઈએ મને પૂછયું, “આપણે ઘરે જવામાં મોડું નથી થતું ને ? “ના, કેમ ? તે આપણે ઉમેભાઈના ઘરે જઈ આવીએ.” અત્યારે અગિયાર વાગે ? તેઓ સુઈ નહિ ગયા હોય ? “ના, તેઓ જાણતા જ હશે. નહિ જાગતા હોય તે ઉઠાડીશું.' અમે ઉમેદભાઈના ઘરે પહોંચ્યાં. તેઓ સૂવાની તૈયારી કરતા હતા. ઉમાશંકરભાઈને જોતાં જ તેઓ આનંદમાં આવી. ગયા. તેમનાં પત્ની વિદ્યાબેનને પણ મેડી રાતના મહેમાન ગમ્યાં. વાત નીકળતાં જાણવા મળ્યું કે ઉમાશંકરભાઈ ઉમેભાઈને ઘરે જ્યારે જમવાના હોય ત્યારે ઘણું ખરું પૂરણપોળી બનાવવાનું કાર્યક્રમ હેય. ઉમાશંકરભાઈને પૂરણપોળી બહુ ભાવે અને તે પણ વિદ્યાબેનના હાથે બનાવેલી. લગભગ કલાક અમે ઉમેરભાઈના ઘરે બેઠાં. ઘણી વાત. નીકળી. ઉમેદભાઈનાં મામિક વાકથી વાતાવરણ પ્રસન્ન, . હળવું રહ્યું. પાછા ફરતાં રરતામાં ઉમાશંકરભાઈએ કહ્યું, આખે દિવસ બધે ગંભીર વાતે જ ચાલે એટલે ઉમેદભાઈ પાસે જાઉં ત્યારે હું હળવે અને તાજો થઈ જાઉં. આનંદમાં લાક બે કલાક ક્યાં પસાર થઈ જાય તેની ખબર ન પડે.” ઉમાશંકરભાઈ મુંબઈ આવે અને ગમે તેટલે ભરચક કાર્યક્રમ હોય તે પણું ઉમેદભાઈને મજ્યા વગર ન રહે. છેવટે ટેલિફોન ઉપર પણ ઉમેદંભાઈ સાથે વાત કર્યા વગર મુંબઈ ના છેડે. ઉમાશંકરભાઈ જેવા બહુકૃત વિદ્વાન મૂર્ધન્ય કવિના હૃદયમાં ઉમેદભાઈએ અનોખું ઊંચું રથાન મેળવ્યું હતું એ જ ઉમેદભાઈની મહત્તા દર્શાવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉમેદભાઈ આધ્યાત્મિક જીવન તરફ વળ્યા હતા. તેઓ વજેશ્વરી પાસે ગણેશપુરીમાં મુકતાનંદ સ્વામી પાસે જઈને રહેતા. ચોગ અને ધ્યાનમાં તેઓ ઊંડો રસ લેવા લાગ્યા હતા. એને પ્રભાવ એમના જીવનમાં દેખાતે હતો. એમની સાથેની વાતચીતમાં ધ્યાનના એમના અનુભવની વાત નીકળતી. છેલ્લા કેટલાક સમયથી એમની તબિયત બહુ સારી રહેતી ન હતી. હવેગની તકલીફ શરૂ થઈ હતી, એટલે બહાર તેઓ બહુ જતા નહિ. વાંચન, મનનમાં તેમને સમય પસાર થ. ક્રમે ક્રમે શાંત બનતી તેમની જીવનલીલા હૃદયરોગનો હુમલે થતાં વિરમી ગઈ એમના અવસાનથી અંગત રીતે મને તે એક મુરખી માર્ગદર્શકની ખોટ પડી છે. એમના આત્માને શાંતિ હો!
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy