SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ - 27 ૧૭૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧-૮૫ વિશેષ પ્રાપ્ત થાય છે. એટલે દુનિયાના ઘણા દેશમાં રાજકારણમાં યુવાને કરતાં પ્રૌઢ કે વૃદ્ધ માણૂસે ટોચના સ્થાને બિરાજે છે. આપણે ત્યાં ગાંધીજી, જવાહર, સરદાર, રાજેન્દ્રબાબુ. રાધાકૃષ્ણન વગેરેએ સિત્તેરની ઉંમર વટાવ્યા પછી પણ ઘણું સંગીન કાર્ય કર્યું હતું. ચચીલ, સ્ટેલિન, ઝવેલ્ટ, માઓ સે તુંગ વગેરે ઘણા વચોવૃદ્ધોનાં નામો સાંભળવા મળશે. ઘરડા માણસ જારણમાં સારું કામ ન કરી શકે એવું કઈ નિયમ નથી, અને વૃદ્ધ રાજકીય વ્યકિતઓ જલદી રાજકારણ છોડી દે એવી એમની પ્રકૃતિ હોતી નથી. - રશિયા, ચીન, યુરોપના કેટલાક દેશમાં અત્યારે પણ ૭૫-૮૦ ની ઉંમર વટાવી ચુકેલા રાજદારી પુરુષો સત્તાસ્થાને બિરાજતા હોય છે. ત્યાં સ્પર્ધા ઓછી હોય છે અને ચૂંટણીની પદ્ધતિ વી હેય છે કે જેમાં વયોવૃદ્ધ માણસો જ આવાં સ્થાન પર આવી શકે. અપવાદરૂપ કયારેક નવા માણો પણ એવું સ્થાન મેળવી જાય છે. પરંતુ એકંદરે આદરણીય સ્થાન દરણીય અકિતને અપાતું હોવાથી વિવાદ એળે થાય છે. એવા નેતાઓને બહુ ધામ કરવાની હતી મથી ભારતમાં જેમ છાશવારે સમારંભમાં હાજરી અપાય છે તેવી હાજરી આપવાની હોતી નથી કે ભારત જેવી ગ્લિ સમસ્યા હોતી નથી કે સત્તાના દાવપેચ બહુ ખેલાતા નથી, એટલે અખંભવામૃદ્ધ વયોવૃદ્ધ રાજદ્વારી નેતા એવા સ્થાનને સારી રીતે ભાવી શકે છે. - આમ છતાં વયેવૃદ નેતાઓ સત્તાના સ્થાન પરથી સ્વેચ્છાએ જલદી નિવૃત્ત થઈ ગજદારી ક્ષેત્રે યુવાનોને વહેલું સ્થાન મેળવવા ર અને પ નિરીક્ષક, માર્ગદર્શક સલાહકાર તરીકે કામ કરે તે યુવાનોમાં નિરાશા કે નિર્વેદ બહુ વ્યાપે નહિ. ભારતમાં એની વિશેષ જરૂર છે. - રાજશાહીમાં રાજા નેવું વર્ષ થયા છે અને તેને મોટો પુત્ર પાંહ- સિની ઉંમરે પહેચવા આવ્યું હોય તો પણ તે રાજકુમાર કહેવાય ને રાજગાદી પર તેને બેસવા મળે નહિ. આવું જ્યારે થાય ત્યારે દીકળે એમ છે કે બાર જલદી મરે તો સારું, જેથી પિતાને મરતાં પહેલાં રાજગાદી ભેગવા મળે. પ્રાચીન સમયમાં કેટલાક આદર્શવાદી રાજા સમય થતાં રાજકુમારને ગાદીએ બેસાડી પોતે સંન્યસ્ત લઈ લેતા. પરંતુ આ મદરે ઓછું થતું. ઇંગ્લંડમાં હમણાં એવો લેકમત થઈ છે કે ગણી એલિઝાબેથે ગાડી છોડી પ્રિન્સ ચાહસને ગાદીએ બેસાડવો જોઇએ. - સત્તા ભોગવ્યા પછી માણસને સત્તારહિત રહેવું ગમતું નથી. માણસને સત્તાનું પણ વ્યસન થઈ જાય છે. એટલે સત્તા સ્થાન પર વધુ સમય ચીટકી રહેવા માટે તે જબરો પુરુષાર્થ કરે છે. વળી ભારતમાં તે સત્તાધીશોને ટેરર ખૂબ માનપાન મળે છે અને છાપાં, રેડિયો, ટી. વી. વગેરે પ્રચારનાં માધ્યમ દ્વારા ખૂબ પ્રસિદ્ધિ મળે છે એને અનુભવ કર્યા પછી સામાન્ય માણસ બનવું તેને ગમતું નથી. સત્તા પર હોય ત્યારે બે—પાંચ મિનિટની મુલાકાત માટે પણ કેટલાય લોકોની લાઈન લાગતી હોય અને સત્તા પરથી ઊતરી ગયા પછી મળવા માટે કોઈ ચકલું ફરકતું ન હોય ત્યારે તેને વસમું લાગે છે. એટલા માટે સત્તાસ્થાન પર બેસી રહેવાની તેમની લાલસા ઘણી પ્રબળ હોય છે. રાજકારણમાં પડેલા બધા જ માણસને હવે ઊંડી દેશદાઝ હોય છે એમ નહીં કહી શકાય. કેટલાક માણસનું યેય ઊંચામાં ઊંચું પદ મેળવીને પિતાની અંગત કારકિદીને સફળ બનાવવાનું હોય છે. એ પદ દ્વારા પછી લોકકલ્યાણ થાય તે પણ ભલે અને ન થાય તે પણ ભલે. વ્યકિતગત મહત્ત્વાકાંક્ષા « " એમને મન સર્વોપરી હોય છે. " કેટલાક નેતાઓના હૈયામાં લોકકલ્યાણની કિટ ભાવન પડેલી હોય છે, અને તેઓ લે કેની વચ્ચે રહીને પિતાનું કામ કરતા હોય છે. તે માટે પિતાને કઈ સત્તાનું સ્થાન મળ્યું તે ય ઠીક ને ન મળ્યું તે ય ઠીક. . કેટલાકમાં લોકકલ્યાણની ભાવના અને અંગત મહત્વાકાંક્ષા બંને સાથે સાથે ચાલે છે, પરંતુ અંગત મહત્ત્વાકાંક્ષાને તેઓ ઓછી પ્રગટ થવા દે છે. અને લેકસેવક હેવાનો, . દેખાવ સારો કરી શકે છે. માત્ર અંગત મહત્તવાકાંક્ષાવાળા નેતાઓ કરતાં તેઓ વધુ ઇષ્ટ છે. પદ અને સત્તા દ્વારા પ્રજાકલ્યાણનાં કાર્યો ત્વરિત અને મોટા પાયા પર થઈ શકે છે એ સાચું, પરંતુ પ્રજાકલ્યાણની કાર્યો કરવા માટે સત્તાસ્થાન અનિવાર્ય નથી. ગાંધીજી,. વિનોબા, જયપ્રકાશ, રવિશંકર મહારાજ વગેરે એનાં જવલંતઉદાહરણો છે. આપણા દેશનેતાઓએ પ્રજાકલ્યાણની સાચી ભાવનાથી કાર્ય કરવું જોઈએ. આપણુ વયોવૃદ્ધ રાજદ્વારી નેતાઓએ-મોરારજી દેસાઈ, જગજીવનરામ, ચરણસિંહ વગેરે. સત્તાસ્થાનથી દૂર રહી, કોઈ સંસ્થા દ્વારા કે વૈયકિતક ધોરણે લેકકલ્યાણના કાર્યો પાછળ પિતાની શક્તિ ખર્ચવી જોઇએ. રાજીવ ગાંધી દ્વારા દેશને યુવાન નેતાગીરી ધાર્યા કરતા વહેલી સાંપડી છે. આપણા રાજકારણમાં યુવાનોને વહેલું અને વધુ સ્થાન મળે એ જરૂરી છે, અને યુવાનોએ વયોવૃદ્ધ: નેતાઓને ન ધિકકારતાં વારંવાર તેમની પાસે સલાહ અને માર્ગદર્શન માટે જવું જોઇએ. યૌવનનાં રકૃતિ, ઉત્સાહ, તરવરાટ, તમન્ના વગેરેની સાથે વૃદ્ધોનાં અનુભવ, ડહાપણ અને સ્વસ્થતાને સમન્વય થાય તે પરસ્પર પ્રેમભર્યા સહકાર દ્વારા ઘણું સિદ્ધ કરી શકે. (પાના નં. ૧૮૨ થી ચાલુ) તે પતિ કે સાસુસસરાના વાંકને માફ કરી, જાતને વાળી લે છે. સ્ત્રીની ક્ષમા અને પ્રેમની લાગણી શકપીઅરનાં ઘણુ નાટમાં ઉત્તમ રીતે વ્યકત થઈ છે. ગાંધીજીના પ્રેમધર્મની વાત કરીએ તે, ગાંધીજી ઉપર પૂર્વ અને પશ્ચિમના સંસ્કાર પડયા હતા. ગાંધીજી સંપૂર્ણ પુરુષ ન હતા. ગાંધીજી અને રામ માનવ હતા. તેમની મર્યાદાએ, સમજવી જોઈએ. ગાંધીજીને પ્રેમ સેવા રૂપે પ્રગટ થયે. ગાંધીજીના જીવનના પાછલાં વર્ષો તપ, સંયમ અને તિતિક્ષામાં ગયા, એને ભય એ છે કે, એથી વ્યકિત કઠોર થઈ જાય. ગાંધીજીની કડક શિત સામે એમના પુત્ર હરિલાલે બળ કર્યું હતું, ગાંધીજીને પિતાના આગ્રહની ભૂલ પણ સમજાઇ હતી.. એમણે પત્રમાં હરિલાલની માફી પણ માગી છે. ગાંધીજીમાં આપણને કરુણાવતાર ઈશુનું દર્શન થાય છે, રામસ્મરણને તે એમને મોટો આધાર હતા. આપણું સૌમાં પ્રેમશકિત જીવંત રહે. ત્રણે વ્યાખ્યાનોનું સુંદર વિશ્લેષણ કરી અધ્યક્ષ શ્રી રમણલાલ શાહે સમાપન કરતાં કહ્યું હતું કે આવા ગહન અને વિરતૃત વિષયમાં સમય ઓછો પડે છે. પ્રેમનાં વિવિધ સ્વરૂપે છે જેને પ્રા. ચી. ન. પટેલે સુંદર આસ્વાદ માપણને કરાવ્યું છે. આમ વિદ્યાસત્રનું આ નાનપ પ્રેમધમની વિશદ ચર્ચાથી પ્રેમમય બની ગયું હતું.
SR No.525970
Book TitlePrabuddha Jivan 1985 Year 46 Ank 17 to 24 and Year 47 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy