SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન --- વિભૂતિઓ માટે નિર્માણ થયેલાં સ્થળો એક યા બીજા કારણે વિલીન પણ થઈ ગયાં છે. છે. કેઈ વ્યકિતના મહત્ત્વના કારણે નહિ, પરંતુ પ્રકૃતિના રમ્ય વાતાવરણને કારણે અથવા ત્યાં બાંધવામાં આવેલા મંદિર, મસ્જિદ, ગુરુદાર, ચર્ચ, કિલે કે આધુનિક હોટેલને કારણે કેટલાંક સ્થળે સુપ્રસિદ્ધ બને છે. એવા સ્થળે જવાનું પણ માણસને વારંવાર ગમે છે. કેટલાંક પ્રસિદ્ધ સ્થળે ત્યાં વધુ પડતા માણસે જવાને કારણે, રવછતા વગેરે ન જળવવાને કારણે, બેટા આશય વાળા માણુના અટાફેરાને કારણે, બદમાશોની પ્રવૃત્તિઓને કારણે અવનનિ પામે છે. સમય જતાં તેમનું મહત્ત્વ ઓછું ને એવું થતું જાય છે. ભૌગોલિક કે રાજકીય દુર્ઘટનાઓને કારણે કેટલાંક સ્થળે નષ્ટ થાય છે. આમ, ચડતી પડતીને ક્રમ ચાલ્યા કરે છે. આવા વિભિન્ન સ્થળે પ્રતિ માણસને જવાનું કેમ ગમે છે ? કુદરતનું સૌન્દર્ય તે ખરું જ; કયારેક નવીનતા પણ તેમાં ઉમેરાય છે. કયારેક માત્ર સ્થળ નિમિત્ત બને છે. ઉપલક દષ્ટિએ કદાચ કોઈને બધાં જ સ્થળ સરખાં જ લાગે. પરંતુ સુમ દૃષ્ટિએ જોઈએ તે દરેક સ્થળની પોતાની વિશિષ્ટતા હોય છે. મુકત મનથી વિચરનાર માણસને કોઈક સ્થળે સવિશેષ આનંદ અનુભવવા મળે છે. કયારેક કોઈ વિશિષ્ટ ભાસ કે સ્વપ્નને અનુભવ થાય છે, તે ક્યારેક કોઈ ચમત્કારિક અનુભવ પણ થાય છે. એવા અનુભવો એક કરતાં વધુ વાર જ્યારે થાય છે ત્યારે ત્યાં જવા માટે મનુષ્યનું મન વધારે ખેંચાય છે. એમાંથી જ્યારે એક પ્રકારની શ્રદ્ધા પ્રગટે છે ત્યારે પિતાની આસપાસના માણસને પણ એ સ્થળે જવા માટે તેઓ ભલામણ કરે છે. કેટલાંક સ્થળે હજાર-બે હજાર કે પાંચ-દસ હજાર વર્ષથી લોકનાં એકસરખા આકર્ષણને પાત્ર રહ્યાં છે. ગંગોત્રી મનેત્રી, બદરી-દેદાર, કૈલાસ-માનસરોવર, શત્રુંજય અને - સમેતશિખર, જગન્નાથપુરી અને રામેશ્વરમ, ગિરનાર, શ્રવણ બેલગાડા, જેરુસલેમ, મકકા-મદિના, સારનાથ, રાજગૃહી, પશુપતિનાથ, કટો-નારા, વગેરે સ્થળે અનેક સૈકાથી વિવિધ ધર્મની પ્રજાઓનું સતત આકર્ષણ કરતાં રહ્યાં છે. એ ભૂમિને એવું તે શું પ્રતાપ છે કે સમયે સમયે નવી નવી પ્રજા દઢ શ્રદ્ધાપૂર્વક એના તરફ આકર્ષતી રહે છે અને ત્યાં જઈ આવીને પરમ કૃતાર્થતા અનુભવે છે ? - પ્રભુ તે આપણા પિતાના હૃદયમાં વસે છે; એને પામવાને પ્રયત્ન કરીએ, તે પછી કોઈ તીર્થસ્થળે જવાની જરૂર નથી, એવી દલીલ કેટલાક કરે છે. એમાં ઘણું તથ્ય છે; પરંતુ એ કેટિ સુધી પહોંચવાનું, સગુણ ભકિતમાંથી નિર્ગુણ ભક્તિ સુધી પહોંચવાનું ગજું બધા લેકેનું નથી. - સૂક્ષ્મ દષ્ટિએ જોઈએ તે કેટલાંક સ્થળો એવાં હોય છે કે જ્યાં અનેક મહાત્માઓની કલ્યાણુકારી ભાવનાઓનાં શુભ સ્પંદને થયાં હોય છે. કેટલીક ભૂમિ એવી હેય. છે કે જ્યાં વખતોવખત મહાન તપસ્વીઓએ અનેરી તપશ્ચર્યા કરી હોય છે. કેટલીક ભૂમિ એવી હોય છે કે જ્યાં મહાન વિભૂતિઓએ પિતાને પાર્થિવ દેહ છે હોય છે, જેને કારણે એમના સૂક્ષ્મ પરમાણુઓ ત્યાંના વાયુમંડળમાં ભળી જઈ ઘૂમ્યા કરે છે. આવા સર્મ પરમાણુઓવાળા વાતાવરણને કારણે તેમાં પ્રવેશતાં જ શ્રદ્ધાવાન માણસની અશુભ વિચારધારા પણ શુભમાં ફેરવાઈ જાય છે. એક વખત થયેલા અનેરા અનુભવ પછી માણસને વારંવાર ત્યાં જવું ગમે છે. જેમ કોઈ જીવંત મહાત્મા પાસે જતાંની સાથે આપણે કહિ. અવનવી પ્રેરણા અનુભવીએ છીએ, તેમ આવા કોઇ પવિઝન સ્થળમાં જતાં જ આપણે કેઈ વિશિષ્ટ અનુભવ પામીએ છીએ. સંત મહાત્માઓ કે તીર્થંકરોની જન્મભૂમિ, કર્મભૂમિ, કે નિર્વાણભૂમિ પણ સ્થાવર તીર્થરૂપ બની જાય છે. અન્તરાતાત્માં જ ભગવાનનાં દર્શન કરવાની ઇચ્છા, સેવનાર મનુષ્ય પણ આવા કેઈ શત, રમ્ય, પવિત્ર સ્થળે જાય છે તે પિતાની આત્માનુભૂતિને વિશેષ દૃઢ બનાવી શકે છે. અલબત્ત, કેટલાક ધંધાદારી, ભાડૂતી માણશે. કારણે કેટલાંક તીર્થોનું વાતાવરણ બગડે છે જરૂ૨, પરંતુ જે કલુષિત થવાને દોષ તીથને નહિ, પણ વ્યકિતને છે. બૌદ્ધિક તીર્થયાત્રાને ગમે તેટલે નિષેધ કરે તે પણ તીર્થયાત્રાનું સ્વરૂપ જગતમાંથી કયારેય નષ્ટ થવાનું નથી, તીર્થનું સ્વરૂપ કદાચ બદલાય, સ્થળ બદલાય, પ્રકાર બદલાય, તે પણ ઘર છોડીને બહાર જવાની વૃત્તિ જ્યાં સુધી મનુષ્યમાં છે ત્યાં સુધી તીર્થયાત્રા અવશ્ય રહેશે. આવતી કાલનાં કેટલાંક તીર્થોનું નિર્માણ અવકાશમાં થાય તે મનુષ્ય ત્યાં પણ તીર્થયાત્રા કરવા જવા લાગશે. સ ઘ સમાચાર સ્વ. પરમાનંદભાઈ કાપડિયાના સુપુત્રી મધુરીબેન અને સંધની કારોબારી સમિતિના પીઢ સભ્ય શ્રી એ. જે. શાહના પૌત્રી કુ. નંદિતા નવેમ્બર, ૧૯૮૩ માં ઇન્સ્ટિટ્યૂઢ આ ચાર્ટડ એકાઉન્ટન્ટસ તરફથી લેવાયેલી ફાઇનલ સી. એન. પરીક્ષામાં દરેક વિષયમાં ૭૦ ટકા ઉપરાંત માર્કસ મેળવી ભારતભરમાં પ્રથમ આવેલ છે. સાથેસાથ એકાઉન્ટન્સી. એડીટીંગ અને ટેકસેશનના મહત્ત્વના વિષય સહિત ૧: પારિતોષિમાંથી ૮ પારિતોષિકે પણ મેળવ્યાં છે. ઇન્ટિટ, ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાના ઇતિહાસમાં પહેલી જ વાર આ રીતે એક વિદ્યાર્થિની બહેન પ્રથમ છે. એમને અમારાં હાર્દિક અભિનંદન, કુ. નંદિતાની અર સિદ્ધિની ખુશાલીમાં શ્રીમતી મધુરીબેન અને એ. જે. શાહ તરફથી સંઘને ૨ ૧૧,૦૦૦ અનામત રાખી, તે રકમનું બાળ પ્રેમળ જયેતિ'ની પ્રવૃત્તિમાં વાપરવા માટે ભેટ આપેલ છે, જેને સંઘે સાભાર રવીકાર કર્યો છે. ભૂલ-સુધાર તા. ૧-૪-૮૪ના અંકમાં સંધના તથા વાચનાલયના હિસાબે પ્રગટ થયા છે તેમાં કેટલીક છા૫ભૂલ રહેવા પામી છે તે નીચે પ્રમાણે સુધારીને વાંચવું. * પાનું નંબર વિગત છપાએલી રકમ સાચી રકમ ભારત પેટ્રોલિયમ પેરેશન ૧૪,૦૦૦ ૧,૪૦,૦૦૦ : ૨૩૬ . ગવર્નમેન્ટ . ડીઝીટને સરવાળો ૬,૪૫,૦૦૦ ૬,૮૫,૦૦૦ - ૨૩૬
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy