SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ન લાં, ૧-૫-૮૪, , , * ** * .કા અન . . . . . . પ્રણ પછી કબીરે પણ સર્વધર્મસમભાવની વાત કરી. બેઉ સતી કવિઓ સાંપ્રદાયિકતાથી પર હતા. એમણે કાઈ પંથ ન . સ્થા કે ન અનુસર્યો, પણ બેઉએ માનવીનાં ઉત્કર્ષ માટે પંથ ચીં. જૈનદર્શનનાં સિદ્ધાંત અને પરંપરાને ઉદય થઈ જ્યારે શતદલે પાંખડીઓ ફેલાવી પૂરા પ્રફુલ્લન સાથે વિસ્તરી રહ્યાં હતાં ત્યારે એ પાશ્વભૂમિનાં વાતાવરણમાં સંભવતઃ ઇસુ પહેલાંની પ્રથમ સદીમાં સંતકવિ તિરુવલ્લુવરે જન્મ ધારણ કર્યો. ઇસ પહેલાંની પ્રથમ સદી અને ઈસુ પછીની પ્રથમ સદીની વચ્ચે એમના જીવનકાળ પથરાયેલું છે. ' સંત તિરુવલ્લુવરે “કુરળ' નામને અભુત ગ્રંથ ર. પ્રથમ કે બીજી સદીમાં રચાયેલાં તમિળનાં બે મહાકાવ્ય શિણાધિકારમ અને મણિમેળલાઈમા કુર”ની પચાવનમી રચાના અવતરણ તરીકે લેવામાં આવી છે. તિરબલુવર વિષે આધારભૂત માહિતી ખૂબ પાંખી છે. એમને જન્મ હાલના મદ્રાસના પામેલા પૂરમાં થયે હતે. એક માન્યતા એવી પણ છે કે તેમને જન્મ મદુરામાં થયેલ. મદુરા તે સમયે પાંડની રાજધાની હતી. ' , તિરવલ્લવર નામ ઇતિહાસથી તદન અજાયું છે. એ શબ્દનો અર્થ “વલુવા જ્ઞાતિને ભકત' એવો થાય છે. -- ' તિરુવલ્લુવર ગૃહસ્થાશ્રમી હતા, સંત કબીર અને સંત તિરુવલ્લુવર બેઉનાં ગૃહરજીવન આદર્શ ક્રેટિનાં હતાં. પરસ્પર પતિ-પત્ની વચ્ચે અદ્ભુત સાયુજય અને અખંડ વિશ્વાસ હતા. કબીરની જેમ તિરુવલ્લુવરનાં જીવનની દાંપત્યની અદભુત ઘટનાઓ દંતકથા સમી કપ્રિય અને લોકજીભે વસેલી છે. અને લેકે હોંશે હોંશે એની વાત કરતાં થાકતાં નથી. - સંતકવિએ દાંપત્યજીવનમાં ગ્રહથી અને કુટુંબજીવનમાં પ્રેમ અને શ્રદ્ધાને સવિશેષ મહત્વ આપ્યું છે. કેન્દ્રમાં રહેલી પ્રેમની વિભાવનાને વિસ્તારી કવિ ક્ષિતિજના પરિઘ સુધી લઈ ગયા. લૌકિક ને અલૌકિક સ્તર પર મૂકી દીધું. કુરળની ઋચાઓ તમિળમાં નરસિંહ મહેતાનાં પ્રભાતિયાંની જેમ ગવાય છે. ' તિરુવલ્લુવર જૈન હતા અને અરિહંતના ઉપાસક હતા એવી દૃઢ માન્યતા અમુક વર્ગમાં પ્રવર્તે છે. આજ દિવસ સુધી તિરુવલ્લુવર એટલા લોકપ્રિય છે કે દરેક પંથવાળા દા કરે છે કે તિરુવલ્લુવર પોતાના પંથના હતા...! કુળમાં જૈન સિદ્ધતિનું સૂક્ષ્મ અને વ્યાપક પ્રતિપાદન સંતકવિએ આલેખ્યું છે જેથી પણ તેઓ જૈન હોવાની માન્યતાને પુષ્ટિ મળે છે. ! ભાષાના અનુપમ લાલિત્યથી અને પ્રાણવાન શૈલીથી કરીને તમિળ, સાહિત્ય જ નહીં પણ અન્ય પ્રાચીન સાહિત્યમાં પણ ટોચને સ્થાને મૂકી દીધું છે. એક શબ્દમાં કહીએ તે આ ઋચાઓ જુગરવી” છે. તમિળ પ્રજાએ “વલ્લુવરની આગળ તિરું લગાડી પિતાને આદર વ્યકત કર્યો છે. અને કેરળ તિરકુરી” તરીકે ઓળખાય છે. “તમિળ વેદ તરીકે તે આવકાર અને આદર પામ્યું છે. . - તિરુકુળમાં કુલ ૧૩૩૦ કથાઓ છે. ૧૦ બચાઓનાં સમૂહનું એક પ્રકરણ, એવાં ૧૦૦ પ્રકરણ છે, જેના ત્રણ વિભાગે પાડવામાં આવ્યા છે. પ્રથમ ઃ સદાચાર-ગુણધમ કે ધમ, બીજો: સંપતિ અથવા અર્થ, ત્રીજો પ્રેમ અથવા કામ. જૈનદર્શનમાની મૈત્રી, કરણ, મુદિતા અને ઉપેક્ષાની ભાવનાઓને ખૂબ જ સુંદર રીતે એમણે વણી લીધી છે. " એમણે આવી ભવ્ય કૃતિને પણ કોઈ શીર્ષક નથી આપ્યું. શીર્ષક આપવાથી વિષય નિશ્ચિત અને સીમાબહ થઈ જાય છે. કોઈ કવિતાને માત્ર “કાવ્ય” એટલું જ શીર્ષક આપીએ તે બધા સીમાડા ભૂંસાઈ, સીમાહીન--અનંત તત્ત્વ આવી જાય છે. અરે તે તે એમાં આખું અહ્માંડ સમાઈ જાય...! અને સંતકવિએ પણ આ જ પ્રાર્થ કર્યો છે. * * સંતકવિ માત્ર જૈનદર્શનથી પરિચિત અને પ્રભાવિત હતાં એટલું જ નહિ પણ, એમણે વેદ અને હદનનો પણ અભ્યાસ કર્યો હતો. ગ્રીસના દાર્શનિકાની વિચારધારા તથા પ્રાચીન મની ફિલસૂફીઓના કવિને સારો પરિચય અને અભ્યાસ હતે. . * * * (વધુ આવતા અકે. સાભાર – સ્વીકાર દાદા ભગવાન વીતરાગ ટ્રસ્ટ, ૨૦-૧૦ એજલ લેન્ડ નાયગાંવ ક્રોસ રોડ, વડાલા, મુંબઈ ૪૦૦૦૩૧નાં પ્રકાશને. ' (૧) શીલ દશક (પૂર્વાધ) (૨) શીલ દશક (ઉત્તરાધ) (૩) શીલ દશક (સંક્ષિપ્ત) ત્રણેયના લે. શ્રી કાલ ભગવાન. કીમત છાપેલ નથી. અન્ય પ્રકાશન - સિધ્ધાચલની યાત્રા કરવા ચાલ જઈએ: લે. મુનિરાજશ્રી પૂર્ણચંદ્રવિજયજી પ્રા. શ્રી અલક એસ. શાહ, ૫૩૮ સેન્ટર સ્ટ્રીટ, પૂના કેમ્પ ૪૧૧૦૦૧. - સાધના પથ લે. આચાર્ય રજનીશ; પ્રકા. જીવન જાગૃતિ 'સંધ. ૫૦૫, કાલબાદેવી રેડ, મુંબઈ ૪૦૦૦૦૨. કીમત ' છાપેલ નથી. યોગ સાધનાના પાયા: લે. શ્રી અરવિ દ; પ્રકા. શ્રી અરવિંદ પ્રકા શ્રી અરવિંદ મંડળ, પ્રીતમનગર, પહેલે ઢાળ, અમદાવાદ ૩૮૦૦૦૬ કીમત રૂ. ૩-૦૦. અદ્વિતીય ચક્ષુ: લે. કાનજી સ્વામીનું પ્રમ, શાંતિલાલ ચીમનલાલ ઝવેરી. કીમત છાપેલ નથી. હિંસા, યાંત્રીકરણ અને પરદેશીકરણની ચુંગાલમાં ફસાયેલું ભારત : લે. અને પ્રકા. મેહનલાલ બી. મહેતા, સાત ગલી, પેળીયા ફળી, જેતપુર (સૌરાષ્ટ્ર) કીમત બપેલ નથી. કેરળ શબ્દનો અર્થ થાય છે: “જે નાનું હોય છે. તમિળ પિંગળમાં એને અર્થ થાય છે “છંદ' અથવા “નાનું સ્વરૂપ'. કુરણ એ છંદનું નામ છે એમ કહી શકાય. એમાં બે પંકિતઆની એક ઋચા હોય છે. એક ઋચામાં એક ભાવના કે વિચાર પર્યાપ્ત હોય છે. બહુધા માર્મિક કથન રૂપે–ખૂબ સંક્ષેપમાં તત્ત્વ કે પ્રજ્ઞાની વાત માર્મિક રીતે કહેવા માટે આ માધ્યમ ખૂબ અનુકૂળ છે. સંતકવિએ પિતાની આગવી પ્રતિભાથી,
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy