SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ 1 તા. ૧-૩-૮૪ (પાના ૨૧૦ થી ચાલુ ) અન્ય કાઇ દર્શનમાં નથી. શ્રમણુ સ ંસ્કૃતિ જ વિશ્વની એવી સંસ્કૃતિ છે જેમાં પ્રાણીઓમાં જ નહીં, પ્રત્યેક પદાથ માં પણુ જીવની સકલ્પના કરવામાં આવી છે. સ્વયં તે કેન્દ્રમાં રાખીને અનુભવ કરવામાં આવ્યા કે અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં જે સ્થિતિ આપણી થાય છે, એવી જ સમસ્ત પ્રાણીઓની થાય છે. એને આધારે જ તેઓ કહી શકયા કે કાઇ પણ પ્રતિકૂળ વ્યવહારથી તમને જે ષ્ટ થાય છે એવુ જ કષ્ટ તમારા પ્રતિકૂળ વ્યવહારથી અન્યને પણ થશે. આ ભાવ જો બધા સમજે, જીવનમાં ઉતારે તે શુ હિંસાનું અસ્તિત્વ રહેશે ? જૈનદર્શનના મનીષીઓએ પહેલી વાર પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશકાયી જવાના અસ્તિત્વનેા સ્વીકાર કર્યાં. અને સન્દર્ભે એમણે આ પંચાસ્તિકાયના જીવાની વિારણામાં, દુરુપયેાગમાં યા અતિઉપયોગમાં હિંસાના દોષનું નિરૂપણ કર્યું". આ મનોવૈજ્ઞાનિક તથ્ય પ્રસ્તુત કર્યુ કે પ્રત્યેક દુ...! યા દુવ્યવસ્થાનું મૂળ કારણ હિ ંસાત્મક ક્રિશ ક ભાવ જ હોય છે. મનુષ્યનું મન સમરત સદ્ અને અસદ્ વૃત્તિઓનુ ઉદ્ગમસ્થાન હોય છે. મૂળભૂત રીતે ક્રોધમાન-માયા-લાભ જે ચાર કષાય છે એ વ્યકિતને નિરન્તર દુવૃત્તિઓ તરફ પ્રેરે છે. યાગશાસ્ત્ર દ્વારા પણ સિદ્ધ થયું છે કે આવી દુર્ભાવનાઓને કારણે અમુક ગ્રન્થિ યા ચક્ર કાય રત અને છે. એક ખાસ પ્રકારના સ્રાવ થાય છે અને વ્યકિત એવાં જ ક્રુરતાભર્યાં, જુઠ્ઠાં, દબી, પરિન ંદા, પરદુઃખ દેવાનાં કાય' કરવા માંડે છે. એનુ સંતુલન ખારવાઈ જાય છે. ગ્રન્થિ એમાં એક તાણ વધતુ અનુભવાય છે. હિંસાનું મૂળ પ્રેરક તત્ત્વ ક્રોધ છે. ક્રોધી વ્યક્તિ નજીવા પ્રતિકૂળ વ્યવહારથી જ સ ંતુલન ગુમાવી ખેસે છે. એની મુખાકૃતિ વિકૃત થઇ જાય છે, ખેલવાનાં પણ સાનભાન રહેતાં નથી. ખસ, આ જ આવેગમાં એ અનેક હિંસાત્મક કાય કરી ખેસે છે. ખીજાઓની તલ યા આત્મહત્યા પણ કરી નાખે છે. હિંસક પહેલાં પેાતાને જ મારે છે, પછી બીજાને મારવા ઉદ્યત થાય છે. ક્રોધની જેમ અન્ય કષાય પણ એને હિંસાને માગે જ વાળે છે. માન અને માયાવીથી વધુ હિંસક લાભી છે. એ લાભને વશીભૂત થઇને ચેરી, ધાડ, હત્યા, દાણચેરી- શું શું નથી કરતા ! સાચું! એ છે કે અહિંસાને સ્વીકાર એટલે માનવ અનવાની કળાના વિકાસ કરવા. તે ભગવાન મહાવીરના યુગને જોઇએ. સત્ર ધમ'ને નામે હિંસાના નગ્ન નાચ થઈ રહ્યો હતા. અંધશ્રદ્ધા, જાદૂ-મંતર, છળપ્રપ`ચમાં ફસાયેલા સમાજ પશુબલિ અને નરઅલિમાં ધમને શોધી રહ્યો હતા. એવે વખતે પાતા વ હિંસકૅાની વચ્ચે જોખમમાં નાખીને પણુ, મહાવીરે નિય થઇને કહ્યું, હિ ંસા કાઈ પણ સમયે ધમ' નથી, પાપ છે. લેાકાના ભ્રમ, અંધવિશ્વાસને પડકાર્યાં. માણસ-માણસ વચ્ચે ધમ', જાતિ, ઊંચ-નીચને કારણે જે હિંસા ફેલાઈ રહી હતી. અને અહિંસાનાં જળથી શાન્ત કરી, આ એમનુ ક્રાન્તિકારી પગલું હતું. પણ આ અહિંસાની રક્ષા અને પુનઃસ્થાપના માટે એમણે અનન્યતમ ક્ષમા ધારણ કરવી પડી. હિંસાને શુદ્ધ જીવન ૨૧૦ હસીને સહન કરી. જીવ અને જીવવા દો'ની સાથે જાણે ખધાં ગાઈ ઊઠયાં- ‘તમે સ્વયં જીવા, જીવવા ા જમાનામાં બધાંનેે, પોતાનાથી કમ ન માતા સુખ-દુ:ખમાં કોઇને.' આ અહિંસાના મન્ત્રને વતમાન યુગમાં ગાંધીજીએ ઉતાયે અને એના સફળ પ્રયેગ કરીને આ વિશાળ દેશને સ્વતન્ત્રતાની પ્રાપ્તિ કરાવી. આજે વિશ્વમાં અહિંસાની વાત કરનારા રાજકારણી ખેમ્બમારા પણ કરાવે છે. એમની કથની અને કરણીના ક્રૂરક જ હિંસાને રોકી શકતો નથી. જો આપણે ખરેખર શાન્તિ, પ્રેમ જોઈએ તેા આપણે મન, વચન અને કમથી અહિંસા અપનાવવી પડશે. કૃષ્ણે લેસ્યા શુકલ લેમ્પામાં પરિવર્તિત કરવી જોઇશે. જૈન ધર્મના સિદ્ધાન્ત મુજબ ખાદ્ય ત્ર્ય હિંસાના જ નહી, અત્તરંગને દુઃખ પહેાંચાડનારી ભાવહિંસાના પણ ત્યાગ કરવો પડશે. જૈન ધર્મના ખીજો રત'ભ છે કમવાદ. કમવાદને અથ અહી' ‘રામભરેસે’ કે ભાગ્યવાદ નથી, પરન્તુ કાર્યાં અને ક્રિયાઓન બાખતે છે. આ સિદ્ધાન્ત પણ વૈજ્ઞાનિક તેમ જ મન અને ક્રિયાઓ સાથે જોડાયેલા છે. માણસ પોતાનાં કરેલાં કાર્યોનુ પરિણામ ભોગવે છે. આ તથ્ય બધાંએ સ્વીકાર્યુ છે. આપણી સમસ્ત પ્રવૃત્તિઓનાં મૂળમાં પ્રેરણાસ્વરૂપ યા નિમિત્ત સ્વરૂપ રાગ ષ રહે છે. જૈનદર્શન અને હિન્દુશનમાં આ કમસ ખાખતે મતભેદ છે. પ્રત્યેક કમ'ના કર્તા માણસ છે એને સ્વીકાર બન્નેએ કર્યાં છે, પણ મૂળમાં જુદાપણું છે. હિન્દુધમ માં ફળના દાતા ઇશ્વર છે, જ્યારે જૈનદર્શનમાં કર્તા સ્વય" પેાતાનાં કર્મોનુ ફળ પ્રાપ્ત કરે છે. એ પોતેજ કર્યાં અને. ભાકતા છે. સૈદ્ધાંન્તિક ભાષામાં અત્યન્ત સ ંક્ષેપમાં કહુ. તા જેવા જેવાં ક્રમ જીવ કરે છે, એવા જ સ્વભાવને લઇને સૂક્ષ્મ સ્કંધ અજીવ કમ' યા દ્રવ્યમ' એની સાથે છૂંધાય છે અને કેટલાક સમય પછી પરિપકવ દશાને પ્રાપ્ત થને ઉદયમાં આવે છે. એ વખતે આજના પ્રભાવથી જીવના નાનાદિ ગુણુ તિીભૂત થઈ જાય છે. એક વાર જો આપણે આ સત્યને સમજી લઇએ કે આપણે જે સુખ યા દુઃખને પામી રહ્ય છીએ એ આપણાં જ કરેલાં કાર્યાંના પરિપાક છે, તા પછી આપણે સુખદુ:ખમાં સમભાવ ધારણ કરી શકીએ છીએ. આ જ્ઞાન થતાંજ આપણે નવાં કનિ રોકી શકીએ છીએ અને અન્ય કુકર્માંને ભોગવીને યા સકમેથી એની અસરને આછી કરી શકીએ છીએ. સાથીએ ! જૈનદર્શન જ કહે છે કે કમ* ભલે શુભ હોય કે અશુભ, અને આ જીવને બાંધે છે, ગતિઓમાં ભ્રમણ કરાવે છે–એટલે એ ભાગા પ્રત્યે પણ ઉદાસ થવાને મત્ર આપે છે. પરિગ્રહ પર અંકુશ લગાવે છે. માણસના કર્માંના ભાર એના અસંયમને લીધે છે. એટલે સંયમ ખાખતે ભાર મૂકીને મનુષ્યને ચારિત્રિક પતનથી બચાવવાના ઉપાય બતાવે છે. દુર્ભાગ્ય આ વાતનું છે કે લેએ કમને ભાગ્યનું પ્રતીક યા પર્યાયવાચી માની લીધું. ત્યારથી નિષ્ક્રિયતા અને આળસુપણુ વધ્યાં. રૂઢિગ્રસ્ત, કુરીતિમાં ક્રૂસાયેલા લેક ↑
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy