SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ પ્રબુદ્ધ જીવન હત્યા અને યુદ્ધની હિંસાના પ્રતિકારનું નવું દર્શીન ડા, યશવત ત્રિવેદી પશ્ચિમના તત્ત્વજ્ઞાનમાં, ખાસ કરીને ફિનોમિનેલેકિન્ન પ્રુવમેન્ટમાં, જેનું તેજસ્વી નામ હમણાં ઉમેરાયું છે તે છે મેન્યુઅલ લેવિનાસ. જાક દિરા જેવા સમથ' ચચિંતકે લેવિનાસના વિચાર પર હિંસા અને અધ્યાત્મવિદ્યા' નામક ભ્રંશેહેર પાનાંના સુદીધ' ચિ'તનપૂણ' લેખ લખ્યો છે. ઇમેન્યુઅલ લેવિનાસના વિચાર’માં મૂળ મુદ્દો છે: યુદ્ધની વિભીષિકા શા માટે છે? એને કાઈ ઉપાય છે ? હા. લેવિનાસના જન્મ રૂઢિચુસ્ત યહૂદી કુટુંોંખમાં ૧૯૦૬માં થયા છે. એમણે રશિયાના નિવાસ દરમિયાન સેવિયેત ક્રાન્તિ જોઇ છે; હિટલરના જમનીમાં યહૂદીઓ પર થયેલા અમાનુષી અત્યાચારની તેને જાણુ કે પાછળથી એમણે “ચ નાગરિકત્વ લીધુ છે. લેવિનાસને પ્રતીત થઈ છે કે પશ્ચિમનું તત્ત્વજ્ઞાન હિંસા તથા શાંતિના પ્રશ્નો સંદર્ભ પૂરા પાડવામાં નિષ્ફળ નીવડ્યુ' છે. એટલે એમણે તત્ત્વજ્ઞાનના આ પ્રશ્નોની ઊ’ડી અને સંપૂર્ણ તપાસ કરી છે. હિંસા અને એકહથ્થુ સત્તાનાં ગેરમાર્ગે લઇ જતાં પરિણામે વિષે એમણે ચિંતાપૂવ ક વિચાયુ" છે. આધુનિક સંસ્કૃતિમાં ઊભી થયેલી કટોકટીએ તેમને ઊંડાણથી વિચાર કરતા કર્યાં અશ્રામ, ઈસાક અને જેકબના પ્રભુનું મૃત્યુ થયુ છે? આઉશવિત્સની જર્મન હત્યાછાવણીમાં ચાલીસ લાખ યહૂદીઓની ધાર કતલ પછી હવે હ્યુમના શો અથ કરવે ? લેવિનાસના મનમાં નીતિમૂલ્યો માટે પ્રશ્ન જાગે તે સ્વાભાવિક હતું. ભૂત ઊંડાણુથી વિચાર કરતાં તે હ્યુમેનિઝમ ક્ધ અધર્મેન' ની ( ‘જંતર મનુષ્યના માનવતાવાદ'ની) નીતિ– પુરસ્કૃત ધમ ભાવના તરફ વળ્યા. એમણે યુલીસીસ અને અબ્રામનાં મે દૃષ્ટાન્તા યાજીને વાત સમજાવી છે. યુલીસીસને તેમણે પશ્ચિમના વસ્તુતત્ત્વમીમાંસાના પ્રતીક રૂપે જોયા છે. હ્રામરના મહાકાવ્યને નાયક યુલીસીસ અનેક સાહસેા અને ભ્રમણા કરે છે. ગમે તેવાં ભયાનક સાહસે કરીને, એ હંમેશાં સાજોનરવા અને વિજેતા રહેવા સરજાયા હોય તેમ, તેના વતન થાકામાં પાછો ફરે છે. જ્યારે વીસમી સદીને માણસ તા અનાત્મીકરણ પામેલા છે; એ ‘એલીઅનેટેડ' અને ' ડીહ્યુમેનાઇઝડ' માણુસ છે. એ પોતાના મૂળ વતનથી છૂટા પડી ગયેલા છે. એટલે લેવિનાસે આધુનિક માણસ માટે બાઈબલના પાત્ર અંબ્રામનું દૃષ્ટાન્ત ચેાજયુ છે. દેવી આદેશથી અબ્રામે પેાતાનું ઘર છોડી દીધું અને એક અજ્ઞાત દેશની ખેાજમાં નીકળી પડયા. જ્યારે એ ઘર છોડીને ચાલી નીકળે છે ત્યારે તેને ખબર છે કે તે હવે કયારે ય અહી કરી પાછો આવવાના નથી. અશ્રામ હાશનથી કનાન દેશ જાય છે-હેપ્રેાનમાં વસવાટ કરે છે. અશ્વામ દેવી અન્ય’ની-ડિવાઇન અખ્તર'ની-ખાજમાં એક નવેા દેશ ખેાળવા નીકળી પડયા છે. માણસ અને ઇશ્વરના સબંધ એ સ્વાતયેના સબંધ છે. માણુસની રવાથી સત્તા ખુલ્લી પડતાંની સાથે પ્રશ્નો ઊભા થવા માંડે છે. શરીર, મકાન, માલિકી-આ બધુ તેના હું બધારણ'ના અંશરૂપે હોય છે. આત્મા, ચેતના કે જાગરણના અથ'માં નહિં, પણ આ હું જયારે તા. ૧૬-૨-૮૪ માલિકી ભાગવનાર તરીકે પ્રકટ થવા માંડે છે ત્યારે માસ કટોકટી તરફ ધકેલાય છે. અહમ્ને લીધે ‘હું ' પેલી અનંતતાથી છૂટા પડી જાય છે અને તેને લીધે આવા પ્રશ્નો ઊભા થાય છે. ‘એની’–પરમાત્માની-સાથેને મારા સંબંધ કઈ રીતે ફરી બાંધી શકાય એ વિચારવાનુ છે. ભાષા અને વાતચીત દ્વારા આ સંબંધ ફરી બાંધી શકાય એમ છે. હું તે ‘અન્ય’ સાથે વાત કરવાનું શરૂ કરું છું કે તરત મારા અંતે ત્યાગુ' છું. અહીં ત્યાગ અને ક્ષમાભાવ અગત્યની ઘટના છે. જ્યારે હું તેની સાથે વાત કરું છું ત્યારે તે' સંરક્ષણ વગરના છે. આ સંરક્ષણ નૈતિક પ્રતિકારના સ્વરૂપનુ હોય છે. કાઇની હત્યા વખતે અનંતતા સાથેના મારા સબંધ પ્રતિકારને ઉશ્કેરે છે. આ વેળાએ એ અસીમ' સ રક્ષણ રહિત અને કારુણ્યમાં પ્રકટ થાય છે. આ પ્રસંગે મારા તેની સાથે સાવ નજીકના સંબંધ બંધાય છે. તેને થતી વેદનાની તીવ્ર માત્રા મને સ્પર્શે છે. તેને થતા માનભંગ અને તેમાંજ થતી તેની માનવૃદ્ધિ, મારી તેની નજીક જવાની પ્રવૃત્તિ અની રહે છે. લેવિનાસે ‘નજીક' માટે Proximity શબ્દ વાપર્યાં છે. 6 લેવિનાસના મત એવો છે કે માણસ અને ઇશ્વરને સબંધ સામાજિક કક્ષાા છે. વળી એ . એમ પણ માને છે કે ઇતિહાસના ચુકાદો કાંઇ શાશ્વત નથી. અરે’પરમા માએ-પોતાનું પ્રકટીકરણ કરવું જોઇએ, જેથી તહાસ આખરની શબ્દ ન બની રહે. આ અદૃષ્ટ' ઘટના અને છે અને નકકર સ્વરૂપે તે આત્મલક્ષી રીતે ખાલે છે ‘આ અદૃષ્ટ’ની ઉપર ઇતિહાસના ચુકાદાએ અપમાન અને માનભંગ ફેંકેલાં છે. તુલના ન કરી શકાય તેવી અવસ્થામાં દરેક વ્યકિતને પરમાત્મા ઓળખે છે. એટલે વ્યકિતની આત્મસ'વેદનપરકતા ઇતિહાસના ચુકાદા કરતાં વધુ પ્રાચીન અને મૂળની છે. હત્યા વખતે પરમાત્મા મારા તરફ આરેપ મૂકીને જુએ છે. જ્યારે અજાણ્યા, વિધવા અને અનાથ બાળકોના હક છીનવી લેવાય છે ત્યારે પ્રભુના દર્શનની પ્રક્રિયા ચાલે છે. જો હુ. મારી જાતને દનની આ ચર્યાં સન્મુખ ખુલ્લી રાખી શકું... તા ખીજાને થતા અન્યાયને સમજી શકું. બધું મારી પોતાની સંવેદના પર આધાર રાખે છે; મારી નૌતિક-ધામિ'ક આંતરદ ઈંટ પર આધાર રાખે છે. અનતીકરણુ (infiniti zation)ની પ્રક્રિયા નિરંતર અને જાતને ખુલ્લી મૂકીને જ કરી શકાય. ( યુગ જેને creating new level of Cons seious કહેતા હતા તેની નજીકની આ વાત છે. ) એટલે જ શુ વારંવાર પુનજાગરણની વાત કરતા હતા. મત્યતાની વચ્ચે આ જાગરણ : પ્રાપ્ત કરવાથી માણસ વયની અને મૃત્યુની મર્યાદાને ઓળ ગી જાય છે; નવા સમયનું પરાઢ ઊગે છે. પૂર્ણ* કાયાકલ્પ કરવાથી નવયૌવન મેળવીને માણુસ આ કરી શકે શકે છે ક્ષણિકતાતે-અ કિતાતે આત્મલક્ષિતાથી છૂટી પાડી નાખવાની નથી. આ આત્મલક્ષિતા એ સમાંતરે આંતર-આત્મલક્ષિતા (ઇન્ટર સબ્જેકિટવિટી) પણ છે, અને તે ક્રૂરી કરીને નવા પ્રાણ પશુ પૂરી લે છે. સંપૂર્ણ-શુ ભવિષ્ય માનવજાતની અલબત્ત
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy