SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૧૦. | ગમે તે ધર્માનુષ્ઠાનમાં પ્રવૃત્ત હોઈએ એ ધર્માનુષ્ઠાનમાં ઉપયુંકત આંતરક્રિયા કરવા વડે કરીને જ કર્મના ઉપશમ (શમન) ક્ષાયોપથમિક (ભગવાને કર્યા એવા ભાવ) વાવ ક્ષાયિક ભાવે (ભગવાને કર્યો એ જ ભાવ) નીર્દોષયુક્ત ગુણદોષ રહિત ગુણ પ્રાપ્તિ થશે. મોહાદિભાવોને નિદ્રાવત્ કરીશું તે જ મરશે જાગ્રત મહાદિ ભાવ મરતા નથી પણ જીવને મારે છે. સંસારીજીને કમ સત્તામાં પણ પડેલાં છે. તે નવાં કમને બંધ પણ કરે છે અને ઉદયમાં આવેલ કમને પણ વેદે છે. આ સઘળીય કમજનિત અવસ્થામાં પ્રતિપળે આત્મા હાજર હોવા છતાં આત્મા, આત્માને એટલે કે પોતાને નથી વેદ. પરંતુ કમંજનિત અવરથાને, અર્થાત કર્મના ઉદયને વેદે છે. જ્યાં સુધી જીવ આત્માને નહિ વેદે ત્યાં સુધી જીવને ઉદ્ધાર અર્થાત જીવન નિતાર નહિ થાય. ગુરુ અને ગ્રંથ દ્વારા આત્માને જેમ જાણે તેમ પિતાના જ આત્માને આત્મા વડે અનુભવવાને છે એ મહત્ત્વનું છે. મોક્ષમાર્ગે જવા માટે જે કરવાનું છે, જે થવું જોઇએ તે આત્મા દ્વારા આત્મામાં થવું જોઈએ. અઘાતી કર્મના ઉદયને ન વેદતાં કેવળ આત્માને વેદો તે ધ્યાન છે. નાશ કરવાનું છે ચાર ઘાતકર્મોને અને વિજય મેળવવાનો છે ચાર અઘાતીક ઉપર. ઘાતકમના સર્વથા નાશથી આત્માના જ્ઞાનાદિ ગુણ અવિનાશી અને અરૂપી બને છે. તે હવે કમંયુકત એવાં આપણે કર્મ મુકત બનવા વિચારવાનું છે કે હું એટલે કેણુ? હું એટલે સિદ્ધાત્મા!” હું ત્રામિ ” હું એટલે શરીર કે ચાર અઘાતી કર્મે અર્થાત નામ, ગોત્ર વેદનીય અને આયુષ્યકર્મની પ્રકૃતિઓ નહિ. હું રૂપી નહિ પણ અરૂપી ! હું ઊંચ-નીચ, મોટો-નાને નહિ પણ હું અમુલg! હું વિનાશી નહિ પણ હું અવિનાશી-અક્ષય-નિત્ય-સત! હું સુખી-દુઃખી નહિ; હું બાયબાધક નહિ પણ હું અવ્યાબાધ સુખી ! ખૂબી તે એ છે કે ચારે અઘાતી કર્મના ક્ષયે (નાશથી) કરીને આત્મામાં પ્રગટ થતા સિદ્ધત્વના ગુણે જીવને એટલા પુદગલદ્રવ્યના ગુણધર્મના નિષેધરૂપ છે જેમ કે......... આત્માના સિદ્ધત્વ પુદ્ગલના ગુણધર્મો. (પરમાત્મત્વ)ના ગુણ : અપીપણું “રૂપીપણું અવ્યાબાધપણું બાય-બાધકતા અક્ષય-અવિનાશી રિથતિ ક્ષયસ્થિતિ-વિનાશી સ્થિતિ અગુલધુ સ્થિતિ ગુલઘુ સ્થિતિ એ જ સૂચવે છે કે પુલના બનેલાં કમને છેડીએ તે તેના એટલે કે પુગલના ગુણથી છૂટીએ. અને આત્માના પિતાના જે વિધેયાત્મક નવગુણે પિતામાં રહેલા છે એવા કેવલજ્ઞાન, કેવલદર્શન, ચારિત્ર્ય, તપ અને અનંતવીર્યશકિતને પામીએ. ' તાત્પર્ય એ કે કમંયુકત આત્માએ આત્મશકિત ફેરવી કમ મુક્ત થવાનું છે અને તે માટે પ્રથમ એણે મોહને નાશ કરી વીતરાગ બનવાનું છે, જે મોક્ષ પ્રતિના ત્રણ ચરણમાંનું પ્રથમ ચરણ છે. એ બારમું ગુણસ્થાનક છે. એ માટે સુખને અર્થાત સુખની મળેલી સાધનસામગ્રીને અને સુખની ઇચ્છાને ત્યાગ કરી દેવાનો છે. છતાં ય જે સુખ ભોગવવા વારે આવે ત્યારે વૈરાગ્યભાવ રાખી અનાસકત નિર્મોહી, નિઃસ્પૃહી, નિલેંપ સ્થિતપ્રજ્ઞ બનવાનું છે, જ્યારે દુઃખ આવે ત્યારે જ્ઞાન-ધ્યાનથી , દુઃખને સામનો કરી, દુ:ખને નહિ જોગવતાં, અર્થાત દુઃખને નહિ ગઠિતા, દુઃખની અસર ન લેતાં, દુ:ખમાં દુઃખી ન થતાં સુખી રહીને દુઃખને ખતમ કરવાનું છે કર્મનાં ઉયને આધીન થનાર બહિરાત્મા છે કમના ઉદયને આત્મબળથી ક્ષયોપશમ કરી કમને જે આધીન કરે છે : તે અંતરામાં છે અને ઘાતકમના ઉદયને જે સર્વથા ખતમ કરે છે એટલે કે ક્ષય કરે છે તે પરમાત્મા છે. આવી પ્રક્રિયાથી. વીતરાગ બનેલ અંતરાત્મા વીતરાગતાની તાકાતથી અજ્ઞાનના પડળને હઠાવી સ્વ-આત્મક્ષેત્રે વિદ્યમાન કેવલજ્ઞાનને નિરાવરણ.. કરી સાકાર પરમાત્મા બને છે. આ મોક્ષ પ્રતિનું દ્વિતીય ચરણ છે, જે તેરમું ગુણસ્થાનક છે. અને અંતે આયુષ્યકાળ પૂરે થયે સર્વ અઘાતકમની સ્થિતિ પૂરી થયે સાકાર , પરમાત્મા નિર જન, નિરાકાર, પરમાત્મા બની આત્મ પ્રદેશને દેહપિંજરમાંથી મુકત કરી અનામી, અરૂપી, અવિનાશી, અશરીરી, અજન્મા, અક્ષય, અખંડ, અગુરુલઘુ, અવ્યાબાલ સ્થિતિને પ્રાપ્ત કરે છે, જે આત્માનું મોક્ષ પ્રતિનું તૃતીય અને ચરમ ચરણ છે. એ ચૌદમું ગુણસ્થાનક છે. આ શકય ત્યારે જ બને જયારે આત્મા, આત્માને દે, આત્મા એના ઉપયોગને વેદે. કમને વેદનારે કદી પરમાત્મા બની શકતા નથી. આત્માને સર્વથા વેદ એ જ પરમાત્મા બની શકે છે.. સ ઘ સમાચાર મંદબુદ્ધિના બાળક માટે પ્રેમળ જ્યોતિ'ના ઉપક્રમે ૮ થી ૧૫ વર્ષની ઉંમરનાં મંદબુદ્ધિનાં બાળકનું એક મંડળ શરૂ કરવાનું વિચાર્યું છે. દર રવિવારે બાળકે માટે રમતગમત અને મનોરંજન આદિ કાર્યકમ તેમ જ બાળકોને નાસ્તો અને ભેટ આપવામાં આવશે. શારીરિક દષ્ટિએ ખોડ. ખાંપણ વિનાનાં, ગુજરાતી ભાષા બોલી શકતાં મંદબુદ્ધિનાં બાળકોને વિના મૂલ્ય પ્રવેશ આપવામાં આવશે. સંધના સભ્યના મંદબુદ્ધિના બાળકોને પ્રથમ પસંદગી અપાશે. રસ ધરાવતા મંદબુદ્ધિનાં બાળકોનાં મા-બાપવડીલોએ તા. ૨૦-૨-૮૪ સુધીમાં સવારના ૧૧-૦૦ થી ૬-૦૦ દરમિયાન સંઘના કાર્યાલયને સંપર્ક સાધવા વિનંતી. કે. પી. શાહ ચીમનલાલ જે. શાહ મધુબેન મેઘાણું કે. પી. શાહ સંયોજકે મંત્રીઓ
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy