SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૨ પૂર્ણાત્મા, પરમાત્મા બનાવવા તે પુરુષાય છે. પરિણામ જે આવે એ પ્રારબ્ધાનુસાર છે. પ્રારબ્ધ પર વસ્તુ સબંધે છે. અને તે પરાધીનતા છે. વસ્તુ મળે પણ ખરી અને ન ય મળે. ભાવ પ્રમાણે કમ બંધ થાય છે એ યાદ રાખી આપણે સારા ભાવ કરતાં શીખવું જોઇએ અને ભાવ પ્રમાણે કમ ખતમ થાય છે તેથી સારા ભાવ રાખવા જોઈએ. ભાવ આત્માને કમના ઉલ્થને જાળવવાના નથી. ભાવ આત્માને છે. ક્રમના ઉદયને જાળવવાના નથી. જાળવવાના તે આત્માના ભાવને છે. ધમ કથાનુયાગમાં કથાપાત્રના મેદિયને એટલે કે પુણ્ય–પાપના ઉદયને ન જોતાં તે તે વ્યકિતમાં પાત્રમાં રહેલ આત્મભાવને જોતાં શીખીશુ તે આત્માભાવને પામીશું. આત્મા ભાવ કદી પુદ્ગલદ્રવ્યથી ખરીદી શકાતા નથી. આત્મભાવ – બ્રહ્મભાવ- વ્યસંપત્તિ જે આપણા આત્મામાં છે તે આપણે કેળવવાની છે, વિકસાવવાની છે. અધાતીકમના ઉદય જેમ ચાલે છે એમ ચાલવા દેવા, થાય છે તેમ થવા દેવું અને વચ્ચે ડખલ કરવી નહિ. તેના કર્તી યા ભાતા બનવું નહિ. અધાતીકમના ઉદ્દેશ્યના અકર્તા, અભેાંકતા બનીએ તે સમભાવ છે. એમાં કમ'ના ઉદયની અસર ન લેતાં અસંગ, નિલે"પ, સ્થિતપ્રજ્ઞ બની રહેવાનુ` છે. જાગૃતાવસ્થામાં ગુણપ્રાપ્તિ વખતે દોષરહિતતા આવે તા તેના મૂળરૂપે ધ્યાન અને સમાધિ મળે છે, જે ધમનું ફળ છે. એ કુળ તત્સમય- તત્કાળ છે. એ જ સમયે તૃપ્તિની, શાંતિની, સમતાની, આનંદની અનુભૂતિ થાય છે. જ્યારે કમ'નુ ફળ રાહુ-તે જ સમયે પ્રાપ્ત નથી થતું પર ંતુ કાળાંતરે, બંધાયેલ કમ, સત્તામાં ગયેલ હોય તેઉદયમાં આવે ત્યારે પ્રાપ્ત થાય છે. જધન્યથી અ તમુ ત બાદ અને ઉત્કૃષ્ટથી ૭૦ કાડાકાડી સાગરાપમની પૂર્વે કમળની પ્રાપ્તિ હોય છે. ધમ તત્ત્વ, ભાવતત્ત્વ, એકાંતે આત્મદ્રવ્ય છે. જ્યારે મતત્ત્વ એકાંતે પુદ્ગલતત્ત્વ છે. પુદ્ગલદ્રવ્ય છે, કમ'ના નાશથી તે જ સમયે કૈવલજ્ઞાન નિરાવરણ થાય છે. અને એ જ સમયથી સ્વરૂપાનંદ બ્રહ્માનંદ–આત્માનંદ–પૂર્ણાનંદ વેદાય છે. ધમ તત્ત્વને નથી તે ભૂત કે નથી તા ભવિષ્ય. ભૂત અને ભવિષ્ય તો ક્રમ તત્ત્વ છે, કે જ્યાં પુદ્ગલના પર્યાયાના પરિવર્તનની આવશ્યકતા છે. ધમ તત્ત્વમાં તે આત્માના અપ્રગટ અને સુષુપ્ત એવાં પ્રાપ્ત ગુણાનુ પ્રાદુર્ભે વન, પ્રગટીકરણ છે. ઉધાર એનું નામ કમ'! ક્રમ ઉધાર છે. આજે રોકડું એનુ નામ ધમ' છે! ધમ'નુ ફળ ઉપર જણાવ્યું એમ રાહુ છે. ધમનું ફળ એટલે દાષરહિતતા, અને તનમનની દુઃખરહિતતા, કર્મબંધ નવા ન થવા તે ધમનું રોકડુ' ફળ છે. ઉદયમાં આવેલ કમ વેળાએ જ્ઞાનદશામાં વર્તવાથી જાગૃતતાએ નવા કમબંધ નથી થતે અને સત્તામાં રહેલ ક્રમેર્માની સકામ નિર્જરા થાય છે. જ્ઞાનદશામાં વવાથી કમના ઉદય માત્ર દૃશ્યરૂપ વતે છે. પરંતુ તેની લેશમાત્ર અસર થતી નથી, 1 દ'નાવરણીય · ક્રમ'ના ઉદય ટાણે નિદ્રા સમયે આ ક્રમના ઉદયની લેશમાત્ર અસર જીવને થતી નથી. રાગ કે શાતા અશાતા વેદનીયની પણ અસર થતી નથી, એ જ પ્રમાણે જાગૃત અવસ્થામાં નાનક્શામાં રહીને તન અને મનના દુ:ખની લેશમાત્ર અસર ન લેતાં ક્રમ'ના ઉદય નિરી જાય છે, અને નવીન ક્રમ'બંધ થતા નથી. આ જ્ઞાનદશા એ જ ધમનું રાહુ કળ 1 પ્રબુદ્ધ જીવન તા. ૧૬૧-૨૪ વચ્ચે તીથકર ભગવ તા . પણ દીક્ષા ગ્રહણ કરી જબરજસ્ત આત્મપુરુષાષ' ફેરવતાં હોય છે. તે ત્યારે ઉપસ પણ સ્વરૂપભાવમાં રમણ કરતા હોય છે. અને ત્યારે જ તેઓ સધાતીકમ રહિત થતે કેવલજ્ઞાન પામે છે. તેજ પ્રમાણે આપણે પણ ભૂતકાળમાં ધર્માનિત શુભભાવ.સભ્યગભાવ કરેલ હોવાથી વતમાનમાં અધાતીકમની પુણ્યપ્રકૃતિ ઉદયમાં આવીને પુણ્યના સુખનાં સાધના વચ્ચે ખેસાડે છે. છતાં તેમાં મૂર્ણિત નહિ થઈ જતાં જાગૃત રહી સ્વય સ્વરૂપભાવમાં રમણુતા કરવાની છે. તેમ કરીશુ તે જ સ્વરૂપની, પૂર્ણતાની, કૈવલજ્ઞાનની પ્રાપ્તિ કરી શકીશું'. એ ન ભૂલવું કે સમ્યગભાવના પ્રતાપે પુણ્યભધ થાય છે. પરંતુ પુણ્યબંધના ઉદયને આધીન સગભાવ રહે જ એવુ` ન સમજવું. કમના ઉદય હોવા છતાં, તેમ જ સત્તામાં બેઠાં હોવા છતાં આપણે શુદ્ધ આત્મપર્યાંયની ચિંતવના વડે તત્ત્વજ્ઞ થયેલ હાવાથી કમ'ના ઉદય ટાણે પણ તે કમ'ની પ્રકૃતિ અને રસ નિરક બનાવી શકીએ છીએ, રતિ ને અરતિથી,. હર્ષી ને શાકથી પર થઇ શકીએ છીએ તે જ આત્માની મહાનતા છે. નિદ્રામાં છવ બાહ્ય સુખને કે દુ:ખને વેદતા નથી અને છતાં શાંતિના અનુભવ હોય છે. તે જ મુજબ જાગૃતાવસ્થામાં, અપ્રમત્તાવસ્થામાં વીતરાગતાના જે ગુણા આપણે કેળવતા હાઇએ, તે ગુણાને જો વેદતા હાઈએ, તે કમના ઉધ્યની વેળાએ ક્રમનાં પ્રકૃતિ અને રસને ખાળી શકીએ છીએ. અર્થાત્ નિરંક ખનાવી શકીએ છીએ. ઉધાડી આંખે જાગૃતાવસ્થામાં નિદ્રા જેવી સ્થિતિમાં રહેતાં શીખવુ એ ધમ સાધના છે. વીતરાગતાના અળે એવી ધમ'સાધના થાય છે. સ સારભાવયુકત જાગૃતાવસ્થામાં રાગ-દ્ર ષ, કષાય, મેહાદિ ભાવા કરીએ છીએ. તા પછી પ્રશ્ન એ રહે છે કે જાગૃતાવસ્થામાં નિદ્રાવસ્થા એટલે શું ? જાગૃતાવસ્થામાં સાક્ષીભાવમાં, નિલે પભાવમાં રહીએ અને માહાદિભાવે ન કરીએ એ જ સ્થિતપ્રજ્ઞાવસ્થા, અને નિઃસ્પૃહતા. તે જ તો જાગૃતાવસ્થામાં નિદ્રાવસ્થા છે, નિદ્રાવસ્થામાં તે પ્રમાદ છે જ! અને તે દર્શનાવરણીય કમનાં ઉદયવાળી એવી કમજનિત અવસ્થા હોવા છતાં, ત્યાં ત્યારે માહાદિ, કષાયાદિ ભાવેા તેટલા સમય પૂરતા થતા નથી. અને તા યુ આપણે પરમાત્મા ની શર્તા નથી એનું કારણુ પ્રમાદાવસ્થા છે. અને કમજનિત અવરથા છે. જ્યારે જાગૃતાવસ્થામાં જયાં પ્રમાદ નથી ત્યાં પુરુષાથથી વીતરાગતા સેવતાં સેવતાં વીતરાગતાના અળે પરમાત્મા બની શકાય છે. પાંચે ઇન્દ્રિયો જાગૃતાવસ્થામાં ભલે જાગૃત રહે, પરંતુ તેને મેહાદિભાવ સાથે ન રાખતાં માહાદિ ભાવોને નિદ્રાવત્ અનાવી દી અને સ્વભાવમાં તન્મય થઇ જઈને, કાધ લેાભાદિ સવાય ભાવે ઇન્દ્રિયજનિત ભાવેા છે, અને તે ઇન્દ્રિયા માટે છે, તેથી તેવા કષાયાદિ ભાવાને નિદ્રાવત્ બનાવી, અર્થાત્ સુષુપ્ત કરી ને નિરથ ક બનાવવાના છે. આંતરક્રિયા છે, જે સાચી ધમ સાધના છે અને તે આપણે કરવી જોઇએ. દશનાવરણીયકમ ( નિદ્રા) ની તાકાત છે કે એમાં દેહભાન રહેતુ નથી. તે જ્ઞાનાવરણીયક્રમ'ના સંયેાપશમની એવી તાકાત આપણે કેળવવી જોઇએ કે ઉત્થાન દશામાં જાગૃતાવસ્થામાં સ્વરૂપસ્થિત થઈને દેહભાન કેમ ન ભૂલી શકાય?
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy