________________
તા. ૧૬-૧ર-૮૪
પ્રબુદ્ધ જીવન
L૧૫૭
બન્યું છે તે એ પવનની છેલ્લામાં છેલ્લી લીલા છે. એને શું પરિણામ આવશે તે ભવિષ્યના ગર્ભમાં છે. દેશના રાજકીય નેતાઓ ને શિક્ષિતે ચેતશે અને પ્રત્યક્ષને સક્ષમ બન્ને પ્રકારની હિંસાને ત્યાગ કરી સ્વસ્થ લોકશાહીના વિકાસ માટે પ્રજાજીવનના વાતાવરણને શાંતિમય બનાવશે, કે જે આંતરિક પરિસ્થતિને લાભ લઈ બ્રિટિશ એ ભારતમાં પિતાનું રાજય સ્થાપ્યું તેનું પુનરાવર્તન થશે?
ઠાકરને પણ એવી જ હિંસાની ગંધ આવી હતી અને તેથી છેડે સમય તેમાં ભાગ લઈ તેઓ અદલનથી તટસ્થ થઈ ગયા હતા.'
અને ૧૯૩૦ - ૧૯૩૨ ની સવિનય કાનૂન ભંગની લડતેમાં પ્રત્યક્ષ પ્રમાણમાં ઘણી ઓછી રહી હતી, પણ સક્ષમ હિંસા અસહકારના આંદોલન દરમિયાન હતી તેટલી નહિ તેય સારી માત્રામાં આચરાઈ હતી. એટલે ગાંધીજીએ ૧૯૩૪ માં લડત પાછી ખેંચી લીધી અને દેશમાં વધુ શુદ્ધ અહિંસા પ્રગટાવવા પોતે પ્રામોદ્યોગોના ઉદ્ધારના કાર્યક્રમમાં રોકાઈ ગયા. એક વર્ષ પછી ૧૯૩૫ના ગવનમેન્ટ ઓફ ઇન્ડિયા એકટથી કાચું પાકું પ્રાંતિક સ્વરાજ્ય મળ્યું તેને ઉપગ કરવા ઇચ્છનાર ગ્રેસ નેતાઓને ગાંધીજીએ તેમ કરવાનું ઉત્તેજન આપ્યું અને તેમાં તેમને મદદ પણ કરી. પણ લગભગ ચાલીસ વર્ષથી દેશના રાજકારણમાં જે ઉદ્દામવાદી મિજાજ ફેલાતે જતા હતા, તેણે હવે બે રૂપ લીધાં : કેમવાદી આક્રમકતાનું ને આર્થિક વર્ગવિગ્રહનું. સવા બે વર્ષ ચાલેલા પ્રાંતિક સ્વરાજના પ્રયોગ દરમિયાન એ બંને પ્રકારની હિંસાવૃત્તિએ જોર પકડયું. અને ગાંધીજીએ વલ્લભભાઈને એક પત્રમાં લખ્યું હતું તેમ દેશમાં તોફાની પવન” શ૩ થયો. એ પવનનું પરિણામ. ૧૯૩૯ના માર્ચની ત્રિપુરી ગ્રેસમાં એક આજ સુભાષ બેઝ ને તેમના પક્ષકાર અને બીજી બાજુ વલ્લભભાઈ ને મેંગ્રેસના બીજા જૂના નેતાઓ વચ્ચે , વૈમનસ્ય થયું, અને એક વર્ષ પછી ૧૯૪૦ના માર્ચ માસમાં મુસ્લિમ લીગે પાકિસ્તાન માટે આક્રમક ને ઝનૂની પ્રચાર કર્યો, એમાં આવ્યું.
સાભાર સ્વીકાર શિશુ વિહાર, કૃષ્ણનગર, ભાવનગરના પ્રકાશન (૧) એકયુપ્રેસર દ્વારા અંધત્વ નિવારણ લે. દેવેન્દ્ર કે. વેરા કિંમત ૩–૫૦ (૨) ઉપાસના લે. ચંપકલાલ ત્રિભોવનદાસ ત્રિવેદી મૂલ્ય રૂ. ૪-૫૦
પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ, શાંતિ નિકેતન, મું. તીથલ નાં પ્રકાશને. (૧) ક્ષમાપના : લે. મુનિશ્રી જિનચંદ્રવિજય કિં. રૂા. ૩-૦૦ (૨) આતમ વિંઝે પાંખ: લે. મુનિશ્રી મુનિચંદ્રવિજયજી
કિં. રૂ. ૩-૦૦ (8) સમણિની સુવાસ: લે. મુનિશ્રી જિનચંદ્રવિજયજી
કિ. રૂા. ૪-૦૦ લેખક શ્રી રતિલાલ અધ્વર્ય, સ, દત્ત સોસાયટી, અમદાવાદ-૭નાં પ્રકાશન (૧) રવિશંકર મહારાજ કિં. ૨. ૨૯-૦૦ (૨) શ્રી ઈન્દુલાલ યાફિક કિં. રૂ. ૨-૦૦ (૩) શ્રી ઢેબરભાઇ કિં. રૂા. ૨-૦૦ શ્રી બબલભાઈ મહેતા કિં. રૂા. ૨-૦૦ અન્ય પ્રકાશનો:
ગદષ્ટિ સમુચ્ચય ભા. ૧ વ્યાખ્યાતા પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. પ્રકા. દિવ્યદર્શન ટ્રસ્ટ, ૬૮, ગુલાલવાડી, મુંબઈ-૪ કિં. રૂા. ૨૫-૦૦. In Search of the Ultimate by Vinod J. Kapasi, 62, Vaughan Rd. Horrow, MIDDLEX, U. K. 4. 2013દાસજી મહારાજના વચનામૃત સંપા. ગેન્દ્ર પ્રકા. Eશ્રી કેશુભાઈ શેઠ, દેવકિસન ભવન, પ્લેટ નં. ૪૬, ન , કપાલ રોડ નં. ૧, મુંબ–૪૯. કિં. રૂ. ૪-૦૦ મોરપીંછ
લે. સાધુ માધવપ્રિયદાસ પ્રકા. સ્વામીનારાયણ અક્ષરપીઠ, (શાહીબાગ રોડ, અમદાવાદ-૪ કિં. રૂા. ૧-૫૦ રાષ્ટ્રસેવક ત્યાગી રાજવી દરબાર શ્રી ગોપાળદાસ દેસાઈ લે. સતીશચંદ્ર મ. જેવી પ્રકા. ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ, વલ્લભનગર કન્યા કેળવણી મંડળ, ભકિતનગર સોસાયટી, રાજકેટ-૨ કિં. રૂ. ૨૫-૦૦ વેશ વિનાને વહીવટ : પંચાયત લે. અને પ્રકા. મહેન્દ્ર દેસાઈ, પ્રગતિ પ્રકાશન, હવેલી, વસે (વાયા : નડિયાદ) કિં. રૂ. ૩-૦૦
સક્ષમ હિંસા ને પરસ્પર વેરઝેરના એ વાતાવરણમાં, ૧૯૩૯ ના સપ્ટેમ્બર માસમાં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે જયપ્રકાશ ને સુભાષ બેઝનું ખૂબ દબાણ હોવા છતાં બ્રિટિશ સરકાર સામે સત્યાગ્રહ કરવાની ગાંધીજીની બિલકુલ ઈચ્છા નહોતી. તેમણે વારંવાર કહ્યું હતું કે સત્યાગ્રહને પરિણામે વગંવર્ગ વચ્ચે વેરઝેર વધશે અને અંધાધૂંધી ફેલાશે અને તેમાંથી સ્વરાજ નહિ મળે. ૧૯૪૧ના ડિસેમ્બરમાં જાપાન યુદ્ધમાં જોડાતાં પરિસ્થિતિ બદલાઈ અને આપદુ ધર્મ તરીકે ગાંધીજીએ બ્રિટિશેને હિંદ છોડાવવાની લડત ઉપાડી. એ લડતમાં સરકાર ને પ્રજા બન્ને પક્ષે ખૂબ હિંસા આચરાઈ. ગાંધીજીએ એ હિંસા માટે મોટા ભાગનો દેષ સરકારને આડે હતું, પણ ૧૯૪૪ના મે માસમાં જેલમાંથી છૂટયા પછી તેઓ પ્રજાની હિંસાનું પ્રમાણ પણ સમજ્યા હતા. ખાસ કરીને બિહારમાં અસામાજિક તત્ત લડતમાં વ્યાપક પ્રમાણમાં જોડાયાં હતાં. અને બે વર્ષ પછી ૧૯૪૬ ના કટોબરમાં ને આખલીના અત્યાચારના પ્રત્યાઘાત રૂપે બિહારમાં તેનાથી પણ વધુ ક્રર અત્યાચાર થયા તેને દેષ ગાંધીજીએ ૧૯૪૨ ની લડતમાં ઉત્તેજન પામેલાં એ અસામા*િ તને આ હતો. એ પછી તે ૧૯૩૭૩૮માં શરૂ થયેલે તોફાની પવન’: વાવંટોળ બની ગયું જેણે હિંદુ-મુસ્લિમ-શીખની માનવતાનાં મૂળ લગાગ ઉખાડી નાખ્યાં. ગાંધીજીની અહિંસાએ દેશને એ સર્વનાશકારી પરિણામના ભયમાંથી તત્કાલ પુરત બચાવી લીધે, પણ સ્વરાજનાં ૩૭ વર્ષ દરમિયાન જૂને “તફાની પવન’ જુદાં જુદાં નિમિતે વાત રહ્યો છે. પંજાબમાં છેલ્લા ઘેડ માસ દરમિયાન જે
ભૂલ સુધાર પ્રબુદ્ધ જીવન” ના તા. ૧-૧૨-૮૪ના અંકમાં સંધ સમાચાર માં વિદ્યારત્રની તારીખ ૬, ૭, ૮ જાન્યુઆરી-૧૯૮૫ છપાઈ છે. તેને બદલે તા. ૭, ૮ અને ૯ જાન્યુઆરી–૧૯૮૫ એમ વાંચવું. -તંત્રી