________________
મ
પ્રહ છવન
તા. ૧-૨-૮
?
ને શાલીની ખાસકિત છેડી હું ગાંધીજી પ્રત્યે કેવી રીતે આક્ષયે એ સાહિત્યને કોઈ અભ્યાસી સહેલાઇથી નહિ સમજી શકે. પણ તે બન્યું, અને હું ગાંધીરસમાં ડૂબી ગયા. પણ તે એવી રીતે નહિ કે મારા બીજા રસ સુકાઈ જાય. ગાંધીજીનું કામ કરતાંયે મૂળ સંસ્કૃતમાં વાલ્મીકિ રામાયણ વાંચ્યું, અને મારી કલ્પનાસૃષ્ટિમાં એક નવો રસપ્રવાહ વહેતા થયો. ' ચારેક વર્ષ દિલ્હીમાં રહ્યા પછી મદિ પ એટલે અમારા ચીફ એડિટરે સભાવથી મારી બદલી અમદાવાદ કરાવી આપી. અમદાવાદમાં ત્રણેક વર્ષ પથારીવશ રહ્યો, પણ પથારીમાં પડ્યા પડ્યા વિના કષ્ટ અનુવાદનું કામ કરતે રહ્યો અને નેકરી ચાલુ રહી. ક્યાંય બહાર જવા-આવવાનું ન બનતું તેથી કંટાળે અનુભવવાને બદલે બચતા સમયમાં મેં ગુજરાતી વાંચવાનું શરૂ કર્યું. “સરસ્વતીચંદ્ર' ને ચારેય ભાગ સળંગ વાંચ્યા. પછી ‘દર્શક’ ની પ્રસિદ્ધ નવલકથા ઝેર તે પીધાં છે જાણી જાણી’ વાંચી અને તે ઉપર લખવાનું મન થતાં 'સંસ્કૃતિમાં લેખ લખી મોકલે તે શ્રી ઉમાશંકરે છે. 'એટલે ગુજરાતીમાં વધુ લખવાનું મન થયું અને મારા પ્રવૃત્તિરસને એક નવું ક્ષેત્ર મળી ગયું. - બેત્રણ વર્ષ પછી સાહિત્યરસને વધુ તૃપ્ત કરે એ
બીજે, સંગીતરસ, જાગ્રત થયો. એમ તે એ રસ જૂને હતે. . શાળામાં કવિતાપાઠ માટે હંમેશાં માત્ર બે કે ત્રણ જ ગુણ મળતા, પણ કોલેજમાં જઈ સિનેમા જેતે થે એટલે કલકત્તાની ન્યુ થિયેટર્સ કંપનીનાં અને પૂનાની પ્રભાત કંપનીનાં ચિત્રમાં ગીત આવતાં તેમાં ખૂબ રસ પડવા માંડે. વર્ષો પછી રેડિયે ખરીદ્યો. તેણે કાનને શાસ્ત્રીય સંગીતને રસ લગાડે. દશેક વર્ષ ઉપર એ રસ વધુ તીવ્ર બન્યું. પુત્રી સાથે અમદાવાદનાં જુદાં જુદાં સંગીતમંડળના સભ્ય થશે અને રાત્રે ઉજાગરા કરીને એમના કાર્યક્રમોમાં હાજરી આપવા લાગે. છેલ્લાં બે વર્ષથી શરીરની નિર્બળતાને કારણે તે બંધ થયું છે, પણ દરરોજ સરેરાશ બે કલાક રેડિયો ઉપર શાસ્ત્રીય સંગીત સાંભળું છું.
સાહિત્ય ને સંગીતના કળારસ વધવાની સાથે માનવસંબંધોને જૂને રસ એટલા જ પ્રમાણમાં ચાલુ રહ્યો છે. મિત્રોમાં હળવાભળવાનું મને એટલું ગમતું કે ગુજરાત કોલેજમાં હતા તે વર્ષો દરમિયાન તેમાંના કેઇના ઘેર પાટી જેવું હોય ત્યારે, હું કંઈ ખાઈ શકતે નહોતે તે પણ, તેઓ આગ્રહ કરીને મને બોલાવતા. હું જઈને તેમની સાથે ટેબલ ઉપર બેસી માત્ર ચા પીતે, પણ તેમની વાતમાં પૂરા રસથી ભળતા. એમ પણ કહી શકું કે મારી હાજરીના કારણે જ વાત સારી જામતી. આજે પણ જૂના કે નવા મિત્રોમાંથી કઈ મળવા આવે છે, કે હું તેમને મળવા જાઉં છું, ત્યારે તેમની સાથે વાત કરવામાં કેટલો સમય જાય છે તેનું ધ્યાન નથી રહેતું. મિત્રોની જેમ ઘરમાં 'પૌત્ર-પુત્રી પણ મારા જીવનરસને વહેતે રાખવામાં સારે ફાળે આપી રહ્યાં છે. છેલ્લાં સાત વર્ષથી તેમની સાથે–પહેલાં પૌત્રી ને પછી પત્ર સાથે–રમવામાં, વાત કરવામાં, લડવા-ઝઘડવામાં, તેમને ફરવા લઈ જવામાં, દરરોજના બેત્રણ કલાક ગયા છે. ' હવે તે મારાથી જરા છૂટાં થયાં છે, પણ હજુ તેમણે દાદાને છે તેમની માયામાંથી મુકત કર્યા નથી. |
' આવા સ્વભાવને ધડપણ કોણે મોકલ્યું ને વૈરાગ્ય કે ગમે? ભલે ઘડપણ આવ્યું અને ચાલવાનું હોય ત્યાં સુધી ચાલે. એક પ્રખ્યાત ગ્રીક ઊંકિત છે, Call no man happy. till he is dead. એટલે કે કોઈ વ્યકિત આજે ગમેક તેટલી સુખી હોય, તે જીવતી છે ત્યાં સુધી કયારે તેના ઉપર અણધારી આપત્તિ આવશે તે કહી ન શકાય. એ ન્યાયે કે માણસ જીવનના અંત સુધી પતે આજે છે તેમ સુખી રહેવાની આશા ન રાખી શકે; પણ ભવિષ્યમાં જે થવાનું હોય તે થાય, આજે તે મારા મનમાં રવીન્દ્રનાથ ઠાકુરની અંગ્રેજી “ગીતાંજલિ'ના એક કાવ્યની પંક્તિ રમી રહે; "When I go from hence let this be my. parting word, that what I have seen is unsurpassable."
કેઈને પ્રશ્ન થશે કે જેને મારા જેવા રવભાવની બક્ષિસર ન મળી હોય તે વૃદ્ધાવસ્થામાં કેવી રીતે સુખથી અથવા, સંતોષપૂર્વક જીવી શકે? એ પ્રશ્નના ઉત્તરરૂપે ઉપર આપવાને માટે અધિકાર નથી. પણ મને લાગે છે કેઆપણી પ્રાચીન જીવનદૃષ્ટિમાંથી તેને ઉત્તર મળી રહે તેમજ છે. એ દષ્ટિએ વાનપ્રસ્થાશ્રમનું મોટું ગૌરવ કર્યું હતું. એક શબ્દનો પછી સંકુચિત અર્થ થઈ ગયે. વાનપ્રરથ થવું એટલે ઘરબાર છોડી વનમાં જઈ વસવું અને આત્મજ્ઞાનની સાધનામાં પ્રવૃત્ત થવું, પણ એ હવે શક્ય નથી રહ્યું. અને શક્ય હોય
પણ ઈષ્ટ નથી. આત્મજ્ઞાન માટે વૃદ્ધો સામાન્ય જીવન પ્રત્યા ઉદાસીન થઈ જાય તેથી સમાજને નુકસાન થાય. તેમ કરવાને બદલે તેઓ પિતાપિતાના સ્વભાવ ને શક્તિ અનુસાર સેવાપ્રવૃત્તિઓ ખેળી લેવું અને ગાંધીજી કહેતા તેમ, સેવા દ્વારા જ આત્મજ્ઞાન છે અથવા ઈશ્વરની ભકિત કરે. પિતાના સુખદુ:ખને વિચાર કરે એ વૃદ્ધાવસ્થામાં સાર્થકતા અનુભવવાને ઉત્તમ ઉપાય છે. એવી પારમાર્થિક દૃષ્ટિ કેળવવાદ: માટે વૃદ્ધાવસ્થા જીવનને શ્રેષ્ઠ કાળ છે, અને તેમાં જ એની ધન્યતા રહેલી છે. અંગ્રેજ કવિ ટેનિસન કહે છે,
# "Old age hath yet his honour and his: toil.” વૃદ્ધાવસ્થામાં પણ પુરુષાર્થ માટે અને પુરુષાર્થના, ગૌરવ માટે અવકાશ છે. મેં પિતે એવો પુરુષાર્થ નથી કર્યો, પણ કઈને કરતાં જોઉં તે મને એવાં સ્ત્રીપુરૂષને આદરથી નમસ્કાર કરવાનું મન થઈ જાય. વલ્લભવિદ્યાનગરના " ચારૂતર વિદ્યા મંડળમાં મને એવું જીવન જીવતા એક 'વડીલને પરિચય થયે હતે. એમનું નામ હીરાલાલ દેસાઈ. એમના વ્યક્તિત્વની સુવાસ હજુ મારી સ્મૃતિમાં રહી ગઈ છે"
અસ્થિ સારવાર કેન્દ્ર હાડકાના દર્દોના નિષ્ણાત છે. જે. પી. પીઠાવાલા સંધના કાર્યાલયમાં દર રવિવારે સવારના ૮-૦ થી ૧-૦ સુધી નિયમિત માનદ સેવા આપે છે. હાડકાના દરદીઓને અ. કેન્દ્રને લાભ લેવા વિનંતી. પ્રવીણભાઈ મ. શાહ ચીમનલાલ જે. શાહ. - સંજક
'કે, પી. શાહ
મંત્રીએ