________________
પ્રથદ્ધ જીવન
તા. ૧૬-૧૨-૮+
છે. અચાનક મોટી સંખ્યામાં માનવસંહાર થાય છે. અને વસતિનું
પ્રમાણ ઘટતાં થોડી સમતુલા જળવાય છે. આ કુદરતી 3. આપત્તિઓ કાણુ મોકલતું હશે? શું તેની સામે રક્ષણની
વ્યવરથા ન થઈ શકે? શું એની પાછળ ઇશ્વરને કોઈ સંકેત હશે કે શું કર્મની છ લીલા હશે ? પાપને બાર જ્યારે વધી જાય ત્યારે જ શું આમ બનતું હશે? આવી વિવિધ વિચારણા ધાર્મિક અને સામાજિક એવા વિભિન્ન સ્તરે થાય છે. ભારતના સામાન્ય લેકે પ્રારબ્ધમાં વિશેષ માનતા હોવાથી આવી ઘટનાઓ વખતે માથે હાથ દઈને બેસી રહે છે. જેવી ભગવાનની મરજી' એમ કહીને ધર્મના નામે આશ્વાસન લે છે પરંતુ એથી સમસ્યાને વ્યવહારુ ઉકેલ જલદી આવતું નથી.
ભારતમાં ગરીબ લેકોનું પ્રમાણ ઘણું મોટું છે. અને અને કેટલાક રાજદ્વારી નેતાઓ માનવતાને નામે ગરીબ પાસે કાયદાનું ઉલંધન કરાવે છે. તેમને પક્ષ લઈ સરકાર સામે વિરોધ કરે છે અને સરકારીતંત્ર કેટલીકવાર લાચાર બની જાય છે. લાચાર ન બને તે ' પણ સરકારી વહીવટીતંત્રમાં હવે તે એટલી બધી જડતા
વ્યાપી ગઈ છે કે ઓછું કામ એટલે ઓછી જવાબદારીને સિદ્ધાંત ત્યાં વ્યાપકપણે પ્રવતવા લાગે છે. મેપસ્વાઈ અને દાંડાઈ વધી છે. ઉપરી અધિકારીઓ પણ હાથ જોડીને બેસી : રહે છે. કેઈને સાચી શિક્ષા થાય તે પણ યુનિયને હડતાલ
પર ઊતરે છે. આમ બધી જ રીતે બધાં જ ' સરકારી ખાતાંઆમાં વહીવટીતંત્ર અત્યંત કથળેલું નજરે પડે છે. એમાં કયારેક કાર્યદક્ષતા જોવા મળે તે આનંદ આનંદ થાય છે, . જાણે કે અનપેક્ષિત કોઈ સુંદર અનુભવની પ્રાપ્ત ન થઈ . ' હાય ! જે સહજ હોવું જોઈએ તે હવે વિરલ થતાં સાનંદાકે અર્ય ઉપજાવે છે. આવી જ્યાં સ્થિતિ હોય ત્યાં પિતાની ! પ્રગતિશીલ દૃષ્ટિથી પોતાની સત્તા વાપરીને અધિકારીઓ
સરસ નવા કંઈ ફેરફાર કરે એવા સ્વપ્નાં સેવવાને વખત પ્રજાજનને માટે તે કયારે આવવાને? પ્રજામાં પણ , શિથિલતા, જાગૃતિને અભાવ, પિતાની ફરો માટેની સભાન
તાને અભાવ વગેરે તે વધતાં ચાલ્યા છે. પરંતુ સામાન્ય પ્રજાજનેમાં ૫ણ અસ્વચ્છતા, અપ્રામાણિકતા, છેતરપિંડી, બેઇમાની, અહકનું મેળવી લેવાની વૃત્તિ, કાયદાના પાલન પ્રત્યે બેદરકારી, પિતાનો સ્વાર્થ સાધી લેવાની તત્પરતા, હાલતાં ચાલતાં તકરાર અને મારામારી વગેરે દુર્ગુણે પુષ્કળ પ્રમાણમાં વધ્યા છે, અને પોષાય છે. પરિણામે પાપને ભાર ભારતીય પ્રજામાં અનહદ વધતા જાય છે એવું કેટલાક સમાજચિંતકે અને ધર્મચિંતને લાગે છે. ' કરેલા પાપ માથુને મેડા વહેલાં ભેગાવવાનાં અચૂક આવે છે. એવી ભારતીય માન્યતા છે. પાપના ઉદય વગર આવી દુર્ઘટનાઓ બને નહિ એમ મનાય છે. એક સાથે એક જ વખતે મનુષ્ય કે પ્રાણીઓને મોટો સમુદાય મૃત્યુ પામે ત્યારે તેનું સામુદાયિક પાપકર્મ ઉદયમાં આવ્યું એમ મનાય છે. માટે આવી દુર્ઘટનાઓ અને આ પ્રકારનાં કુમરણ
વધતાં જવાના એવી નિરાશા કેટલાક લેકે સેવે છે. ' . મા તે ધાર્મિક માન્યતાઓની વાત થઈ. પરંતુ વ્યવહાર
દષ્ટિએ તે પ્રજામાં જેમ જેમ શિસ્ત વધે, કાયદાઓને માન . આપવાની વૃત્તિ વધે, જવાબદારી માટેની સમાનતા વધે તો : પરિસ્થિતિ વધારે સ્વચ્છ થાય. ધાર્મિક દષ્ટિએ કહેવાતા પાપ - ધટે તે વ્યવહારુ દષ્ટિએ પણ દુર્ઘટનાઓ અને કુમરણનું
પ્રમાણ ધટે અને તેની સુખાકારી વધે.
આવડા મેટા દેશમાં, આટલી ગીચ વસતિમાં એવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું સરળ નથી. ગાંધીજીએ સમગ્ર દેશને જાગ્રત અને સભાન કર્યો, રચનાત્મક કાર્યક્રમો આપ્યા. ત્યાગ, હાદાઈ અને પ્રામાણિકતાની ભાવના વધારી, ડેરઠેર અનેક સ્થાનિક આદરણીય નેતાઓનું સર્જન કર્યું અને આખા દેશની તાસીર બદલાવી નાખી. ' વર્તમાન સમયમાં પ્રધાને, સરકારી અધિકારીઓ, રાજદ્વારી ' નેતાઓ, ઉદ્યોગપતિઓ વગેરે બધાં જ જયાં સ્વાર્થી બની ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે ત્યાં કોણ કોની આગળ ફરિયાદ કરે? સૌને સદબુદ્ધિ સાંપડે એવી પ્રાર્થના જ કરવી રહી. માનવ રાહતફંડ
ભેપાળમાં ઝેરી ગેસની દુર્ઘટનાના કારણે ૨૦૦૦ થી પણ વધુ માન મરણને શરણ થયા છે. કેટલાંય કુટુંખે વેરવિખેર અને નિરાધાર થઈ ગયા છે. એમના પર આવી પડેલી આવી અણધારી વિપત્તિમાં એમની પડખે ઊભા રહેવું તે માપણા સૌની પ્રથમ ફરજ છે.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘે ભોપાળની આ દુર્ઘટના નિમિત્ત માનવ રાહતનિધિ સંચય કરવાનું નક્કી કર્યું છે, જેમાં આ છપાય છે ત્યાં સુધીમાં એટલે કે તા. ૧૩-૧૨-'૮૪ સુધીમાં નીચે પ્રમાણે “સંધના પેટ્ર, કારોબારી સમિતિના સભ્ય, શુભેચ્છકે અને આજીવન સભ્ય તરફથી આર્થિક સહાગ મળે છે.
' , ૫૦૦૦/- શ્રી મુંબઈ જૈન યુવક સંધ , ૫૦૦૦/- મે. નવનીત પ્રકાશન કેન્દ્ર ૧૦૦૧/- શ્રી રસિકલાલ મોહનલાલ ઝવેરી ૧૦૦૧/- , ચંપાબેન લક્ષ્મીચંદ વેરા હ. રજનીભાઈ ૧૦૦૧/- , મુકુન્દભાઈ ગાંધી ૧૦૦૧/- , મે સેવંતિલાલ કાંતિલાલ એન્ડ કુ.
હ. જયંતીલાલ પી. શાકે : - ૧૦૦૧/- , એ. જે. શાહ ૧૦૦૧/- , શૈલેશભાઈ કોઠારી
૦૧/-, વસનજી લખમશી શાહ , ૧૦૦૦/-, બિપિનભાઈ કે. જૈન
- , એ. આર. શાહ એચ. યુ. એફ. ૫૦૦/- , ડે. રમણુલાલ ચી. શાહ ૫૦૦/- શ્રી ચીમનલાલ જે. શાહ ૫૦૦ - શ્રી કે. પી. શાહ. ૫૦૦/- , પ્રવીણભાઈ કે. શાહ
૦/- , સુબોધભાઈ એમ. શાહ
૦/- , ગણપતભાઈ મ. ઝવેરી ૫૦૦/- , રસિકલાલ લહેરચંદ શાહ ૫૦૦/- , છેડા જવેલરી માટ' છે. પન્નાલાલ છે ૫૦૦/- શ્રી જયંતીલાલ ફત્તેચંદ શાહ ૫૦૦/- મે. જય ફાર્મા કી. ૨૫૧/- શ્રી શાંતિલાલ દેવજી નંદુ ૨૫૧/- છે..ધનવંત તિ. શાહ,
૨૫૧/- શ્રી દેવચંદ રવજી ગાલા * ૨૦૧/- શ્રી ઉષાબેન મહેતા ૧૫૧/- શ્રીમતી જયાબેન ટી. વીરા ,
૫૧/- શ્રી હરિલાલ ગુલાબચંદ શાહ રૂ. ૨૫,૧૬૩/