SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૧-૮૪ 3 જન્મ થયો તે જીવથી 2 સુચતિ રહેચ્છાએ પાલકપિતા પરેશબાબુની એ સાથે શિષ્યા ને મત્ર છે અને તનના પાસેથી તેણે શુદ્ધ સત્યશીલતાના સંસ્કાર ઝીલ્યા છે. એ , સંસ્કાર એને પિતાની પરિસ્થિતિની મૂંઝવણમાંથી સહીસલામત રીતે પસાર કરાવી નાયક ગેરને સ્વદ«tવવામાં તેની સાથી બનાવે છે. - સુચરિતા પરેશ બાબુના કુટુંબના બ્રહ્મોસમાજ વા તાવ માં ઊછરી છે અને તે સમાજનો ૨૮ હિંદુ આચારવિચાર પ્રત્યેને ! અણગમો તેનામાં પણ કેળવાય છે. પણ તે સાથે તેને પરેશબાબુની ઉદાર દૃષ્ટિ ને સહિષ્ણુતા પણ મળી છે. પરેશબાબુ નિષ્ઠાવાન બ્રહ્મોસમાજી હતા, પણ બ્રહ્મોસમાજમાંથી તેમને જે મળ્યું હતું તેણે તેમને વિનવ્ર બનાવ્યા હતા. તેમના સંસ્કારે સુચરિતા સમજતી થઈ હતી કે “સત્યની સાથેને માણુસને સારો સંબંધ ભકિતને સંબંધ છે, એ - સંબંધ માણસને નમ્ર બનાવે છે. પરંતુ નમ્ર બનાવવાને બદલે જે એ માણસને ઉદ્ધત અને અહંકારી બનાવે તે માણસ એ સત્યની તુલનામાં પિતાની ક્ષુદ્રતા જ માત્ર પ્રગટ કરે છે.' પરેશબાબુના કુટુંબમાં એક હારાનબાબુ નામના ઉત્સાહી બ્રહ્મસમાજી આવતા. તેઓ સુચરિતા પ્રત્યે પક્ષપાત બતાવતા એટલે બધાંએ માની લીધું હતું કે તેમનું સુચરિતા સાથે લગ્ન થશે. સુચરિતાએ પણ મનમાં એ વાતને આવકારી હતી, હારાનબાબુ પ્રત્યેના વ્યકિતગત આકર્ષણને કારણે નહિં, પણ. બ્રહ્મોસમાજ પ્રત્યેની તેમની દેખાતી નિષ્ઠાથી આકર્ષાઈને. પણ કુટુંબમાં વિનય ન ગ નામના બે હિંદુ મિત્રે આવતા થયા તેમની પ્રત્યેના હારાનબાબુતા વર્તનમાં સુચરિતાને તેમની માનસિક સંકુચિતતા પ્રત્યક્ષ થઈ ગઈ અને તેનું હૃદય ગેરા તરફ ખેંચાવા લાગ્યું. ગે. રામ સુચરિતાને હુયે પિતાના કરતાં જુદી પણ પારદર્શક સત્યશીલતા જોઈ. ગેર ચુસ્ત હિ દુધમપ્રેમી હતા. તે હિંદુ ધર્મની નિર્બળતાઓ સમજો, પણ હિંદુધર્મના ટીકાકારના આક્રમક પ્રહારો સામે તે એટલી જ આક્રમકતાથી હિંદુ ધર્મને બચાવ કરતે. પરેશબાબુ કુટુંબ સાથે પહેલા પરિચયના પ્રસંગે તેણે ચાનાસ્તો લેવાની ના કહી એટલે પરેશબાબુની પત્ની વરદાસુંદરીએ તેને પૂછ્યું, “તમે નાતજાતમાં માને છે ? ઉત્તરમાં ગેરાએ કહ્યું, ‘નાતજાત કંઇ મારી ધડેલી થેડી છે તે એમ ન માનું? સમાજને માનું છું એટલે નાતનતને માનુ છુ.' તાના હારાનબાબુ આવ્યા અને દલીલમાં જોડાયા. તેમને ઉત્તર આપતાં ગોરાએ કહ્યું: “જ્યાં સુધી તમને દેશ ઉપર ખરે પ્રેમ નહિ થાય અને દેશવાસીઓના ભેગા તેમની જstજેડ આવીને તમે ઊભા નહિ રહે ત્યાં સુધી તમારા મેમાંથી દેશની નિંદાને એક અક્ષર નીકળશે તે પણ હુ તે સહન કરવાને નથી” “આમ કરીએ તે દેશમાં સુધારા કેવી રીતે થાય?’–હારાને પૂછયું, “સુધારા !'— ગેએ “ગજના’ કરી. “સુધારા પછી, સુધારા ' કરતાં શ્રદ્ધા અને ભકિન વધુ અગત્યનાં છે... પહેલાં આપણે એક થઈએ, પછીથી સુધાર આપે આ૫ અંદરથી ઊગવા માંડશે ઉપેક્ષા ને અહંકાર દૂર કરી નમ્ર બની અંતરથી સૈની સાથે એક બની જાઓ પછી તમારા પ્રેમ હજારે ભૂલચૂકને જીતી શકશે ' ગોવાની રૂઢિભકિત સાથે સંમત નહિ થવા છતાં સુચનાને તેની દેશભકિત સ્પશી" ગઇ. ગોરાને પચય વધતાં તે પણ તેમાં દેશભકિત ને અધર્મપ્રેમથી ૨ ગાઈ ગૌરવપૂર્વક “હુ હિંદુ છું” કહેતી થઈ અને ગોરાની દેશસેવામાં જોડાવા અધીરી થઇ. સ્વદેશપ્રેમની નવી ભાવના સુચરિતાને એવી ઉ૯લાપ્રેરક બની કે એક દિવસ એ ભાવના તેના નાના ભાઈ સતીશ આગળ ઊભરાઈ ઊઠી. ધણુ કામ કરવાનાં છે, ભાઈ !” તેણે મુગ્ધ બનીને સાંભળી રહેલા સતીશને કહ્યું. “આપણે ભાઈબહેન ભેગા થઈને કામ કરીશું...આપણુ દેશમાં ન પ્રાણ પૂરવાને છે, ને તેને મહાન બનાવવાનું છે... આટલું હંમેશા યાદ રાખજે કે, એક અતિમહાન દેશમાં તારો જન્મ થયે છે, ખરા હૃદયથી તારે એ મહાન દેશની ભકિત કરવાની છે, ને જીવથી તેની સેવા કરવાની છે.' [ પણ વીન્દ્રનાથની દષ્ટિએ ગોરા ને સુચરિતની દેશભકિતમાં એક કચાશ રહી હતી. ભકિતની અતિશયતામાં ગેરા સ્વેચ્છાએ સાંપ્રદાયિક સંકુચિતતાને આસકિતપૂર્વક વળગી :હ્યો હતો અને શિષ્ય ભાવે સુચરિતા તેને અનુસરતી થઇ હતી. રવીન્દ્રનાથે તેમને એ આસકિતના બંધનમાંથી મુકન કરાવી તેમના રવધર્મ પ્રેમને વિશુદ્ધ કર્યો. નવલકથાને અંતે તેમણે ગોરને પાતાના જન્મ વિશેની સત્ય હકીકતનું જ્ઞાન કરાવ્યું. ગોરા હિંદુ માતાપિતાને નહિ પણ ૧૮૫૭ના વિપ્લવમાં મૃત્યુ પામેલા એક આયરિશ લશકરી અમલદારના પુત્ર હતો. એ જ્ઞાન થતાં ગેરે રૂઢિભકિતના બધા સંસ્કારમાંથી મુક્ત થઈ ગયું. પરેશબાબુની પાસે જઇ તેમને દંડવત પ્રણામ કરી અને તેમની ચરબ્યુરજ લઈ તેણે કહ્યું: “હું એકદમ મુકત બની ચિંતાને એક મહાન સત્યની અંદર આવી પડ છું આખા ભારતવર્ષના સુખ – દુઃખ, શુભ-અશુભ અને જ્ઞાન-અજ્ઞાન એકદમ મારા હૃદયમાં આવી પહોંચ્યાં છે આજે હુ ખરે સેવાને અધિકારી થયો છું.” આજે હું એ પવિત્ર બની ગયો છું કે ચંડાલના ઘરમાં પણ મને અપવિત્રતાને ભય રહ્યો નથી. પરેશબાબુ, આજે સવારે સંપૂર્ણ અનાવૃત્ત ચિત્ર લઈને હું એકદમ ભારતવર્ષના ખોળામાં . જઈને પડ છું. માતાને ખોળે એટલે શું તે હું આજે આટલે દિવસે પરિપૂર્ણ ભાવે અનુંભન કરી શકી છું... તમારી પાસે જ મુકિતને મંત્ર છે... મને તમારો શિષ્ય બનાવે. આજે તમે મને એ દેવતાને મંત્ર આપ, જે હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, બ્રાહ્મ સૌના દેવતા છે, અને જેના મંદિરનાં બારણાં કોઇ પણ જાતિને માટે, કઈ પણ વ્યકિતને માટે, કદી પણ બંધ રહેલાં નથી, જે એકલા હિંદુના નહિ પણ આખા ભારતવર્ષના દેવતા છે' સુચરિતા તરફ જોઇને તેને કહ્યું, “સુચરિતા હું હવે તારે ગુરુ નથી હું તને માત્ર એટલી પ્રાર્થના કરું છું કે મારો હાથ ઝાલી મને તારા આ ગુના ચરણુમાં લઈ જા.' અને સુચરિતા તેને લઈ ગઈ. માણસની સંસ્કૃતિના પ્રાચીનતમ યુગથી પુર સ્ત્રીને હાથ પકડી તેને દોરતે આવ્યો છે. પણ રવીન્દ્રનાથના, અને ગાંધીજીના પણું, સ્ત્રીદર્શને પુઅને દોરવ ની સ્ત્રીની સૈનિક શકિતમાં વધુ શ્રદ્ધા રાખી હતી. પિતાના પ્રેમીને હાથ પકડી તેને તેમના બન્નેના ગુરુની પાસે લઈ જતા સુચરિતાનાં ચિત્રમાં રવીન્દ્રનાથે સ્ત્રી પ્રત્યેની તેમની એ નવી દષ્ટિને ભૂનિમંત કરી છે ગોરાએ સુચરિતાને રવદેશપ્રેમનો મંત્ર આપે, સુચરિતા એ ગેરને મુકિતને માત્ર પરેશભાબુ પાસે જ છે એવું, પરેશબાબુ પાસેથી પિતાને મળેલા સંસ્કાર દ્વારા પરોક્ષ તે જ્ઞાન કરાવ્યું. સ્ત્રી-પુરુષની સમાનતાની અર્વાચીન ભાવનાનું આ ભારતીય દર્શન ધનંસહચારમાં સ્ત્રીપુરૂની સમ નતાની આ અર્વાચીન ભારતીય ભાવ અને સ્ત્રીઓ ચાતાર્થ કરશે કે કેમ તેની ઉપર માણસની સંસ્કૃતિના ભવિષ્યને આધાર રહેશે.
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy