________________
૧૨૦
પ્રણ
વન
તા. ૧૬
કે, જે રાવણે ધનુષ તોડયું હેત તે સીતાએ તે રાવણને જ પરણવું પડત. સ્ત્રીઓના ચારિત્ર્ય પ્રત્યેની કુશ કા ઘણી કફોડી સ્થિતિ સર્જે છે. કેડીલિયા કે શકુન્તલાએ છેલ્લે ક્ષમા આપવાની જ છે. આપણું સમાજવ્યવસ્થાને કારણે પુરુષ કરતાં
સ્ત્રીને વધુ સંતાપ વેઠવાના આવે છે.' - દ્વિતીય બેઠકનું સંચાલન સંધના મંત્રી શ્રી કે. પી. શાહે કર્યું હતું અને આભારદર્શન શ્રી ગણપતભાઈ મ. ઝવેરીએ કર્યું હતું.
- રવિવાર ૩૦મી સપ્ટેમ્બરની તૃતીય અને અંતિમ બેઠકને વિષય હતે: “નારીપાત્રોનાં મને વ્યાપાર અને સંવેદના દ્વારા પ્રગટ થતી સનાતન ખેજ, પ્રશ્નો અને સત્ય. આ બેઠકના અધ્યક્ષ ડો. રમણલાલ ચી. શાહ હતા.
સુમધુર અને સરળ સંસ્કૃતમાં પ્રવચન આપતાં છે. ગૌતમ પટેલે જણાવ્યું હતું કે ભારતીય પરંપરામાં સૌભાગ્યાકાંક્ષી કન્યા પાર્વતી છે. પ્રેમમાં નિરાકાર ઈશ્વર સાકાર બનીને આવે છે. કાલિદાસે કુમારસંભવ’ માં શિવ અને પાર્વતીને આદર્શ દંપતી રૂપે અંકિત કર્યા છે. સૌન્દર્યથી શિવને વશ કરવા જાઓ તે તે અદશ્ય થઈ જાય છે. એ કલ્યાણુરૂપ શિવ પાર્વતીની તપશ્ચર્યા અને અનન્ય પ્રેમથી વશ થાય છે. - ડે. રાજેન્દ્ર નાણાવટીએ કાલિદાસની સૃષ્ટિ વિશે કહ્યું
હતું કે, મનુષ્ય માત્રની ખાજ આઈડેન્ટીટી-વ્યક્તિત્વની ખોજ છે. - કાલિદાસની - ખજ જીવનને અર્થ પામવાની છે. કેન્દ્રબિન્દુ પ્રણય છે. પ્રણયને કારણે પુરુષના જીવનમાં બહુ મોટો ફેરફાર નથી થતો પણ સ્ત્રીનું તે સમગ્ર જીવન બદલાઈ જાય છે. ઉચ્ચ વર્ગની સ્ત્રીઓએ પુરુષપ્રધાન સમાજમાં સમાધાન કર્યો જ છૂટછે, એવું કાલિદાસમાં દર્શન થાય છે. ડો. નાણાવટીએ શાકુન્તલના સાત અકેની રચના અને તેમાં કાલિદાસે કરેલ પાત્રગૂંથણીને મમ' સમજાવ્યું હતું.
ડો. સુરેશ ઉપાધ્યાયે કહ્યું હતું કે પ્રેમસૃષ્ટિના ઉત્તમ. આલેખનને કારણે કાલિદાસને જગતના મહાન સજામાં સ્થાન મળ્યું છે. પુરુષ અને નારીના આદર્શો, પુરુષ અને નારીનાં કાર્યોનું સબળ આલેખન કાલિદાસની કૃતિઓમાં જોવા મળે છે. એ સૃષ્ટિ નિત્ય નવીન લાગે છે, જે એની ખૂબી છે. કાલિદાસની કવિતા વિશ્વનું કુતૂહલ છે. પ્રેમ મહાન છે, પણ સમર્પણ મહાનતમ છે.
શબ્દસૃષ્ટિના સંપાદક છે. સુમન શાહે કહ્યું હતું કે, રવીન્દ્રનાથ અને કાલિદાસનાં પાત્રોએ વ્યકિતત્વ ગુમાવ્યું જ નથી તે તેમાં શોધવાનું શું હોય? બધાં જ મહાકવિઓ કહે છે, પ્રેમ જે મનુષ્યના જીવનના કેન્દ્રમાં છે. એ કેમ વારંવાર આચ્છાદિત થઈ જાય છે, પ્રગટ થતું નથી ? એ પ્રેમને રૂંધનાર આપણે પોતે જ છીએ. રવીન્દ્રનાથને અતરવાર અતિ સમૃદ્ધ છે. નારીનું પ્રિયા રૂપ પ્રકૃતિગત છે, પત્ની અને વિધવા સમાજે ઊમાં કરેલાં છે. બીજું સ્વરૂપ સતી લક્ષ્મીનું છે એ પણ પ્રકૃતિગત છે. ત્રીજી સ્વરૂપ અંબા રૂ૫ છે, માતા રૂપ છે. પ્રકૃતિનું મેટામાં મોટું કામ એ માતા " કરે છે. સંસારને સાતત્ય આપે છે. ચોથું સ્વરૂપ આધુનિકાનું છે. .* * દરેક નવી સભ્યતામાં સ્ત્રી જૂનવાણી દેખાય છે, પુરુષે
નવી નવી સંસ્કૃતિ રચતા જ રહે છે. રવીન્દ્રનાથની સુચરિતા
આધુનિકા છે. આનંદમયી શુદ્ધ માતા છે. માતા વિશે લખવું એ પડકારરૂપ છે. આપણી નવલકથાઓમાં હજી પણ તે પૂર્ણ રૂપે વિકસ્યું નથી. આ પરિસંવાદની સૌથી મોટી ફલશ્રુતિ એ છે કે, આપણે કાલિદાસ, શેકસ્પીઅર અને રવીન્દ્રનાથની સૃષ્ટિ વિશે તે જાણીશું પણ સાથે સાથે આજે જે ક્ષુલ્લક સાહિત્ય સર્જાઈ રહ્યું છે તે વિષે ૫ણું જાણવા વિચારવા મળશે. એ મહાન સજનાં પાત્રો માત્મીવાળા હતાં.
પ્રમુખસ્થાનેથી ડો. રમણલાલ ચી. શાહે કહ્યું હતું કે, સીને સમજવી સહેલી નથી તે પુરુષને સમજ પણ કયાં સહેલે છે?' મેટા સજ કે સૈકાઓ સુધી તપાસાતા રહે છે. આનંદવાકર કહેતા કે, પોતે સરસ્વતીચન્દ્ર દર વર્ષે એક : વખત વાચી જતા. અહીં જે ચર્ચાઓ થઈ તે વિવેચકોની નિરામય દૃષ્ટિની ઘાતક છે.
પ્રા. તારાબહેન શાહે કાર્યક્રમનું સંચાલન કરતા કહ્યું હતું કે નારી સૌથી વધુ માતા ૨૫ છે. નારીને પ્રેમ અને વાત્સલ્ય મઘી મિરાત છે. આ પારસવાદથી સંસ્કાર ઘડતરનું કાય થોડે અ શે પણ થશે તે આનંદ થશે ડે. ધનવ ત શાહ આભારદર્શન કર્યું હતું.
ચારે ય બેઠકાન આર મે અને અતે યોજાયેલા સંસ્કૃત ગ્લાક, શેકસપીઅરના સાનટસ અને રવીન્દ્ર કવિતાના પઠન કાર્યક્રમમાં શ્રી પ્રતાપ ઓઝા, શ્રીમતી મીનળ પટેલ, પ્રા. બકુલ રાવળ, શ્રીમતી નીલની અને શ્રી બળવંત મડગાંવકર અને શ્રીમતી વાસ તો ઘણુએ ભાગ લીધો હતો.
આ પરિસંવાદના સંજોએ હવે કયારેક ગોવર્ધનરામ, ન્હાનાલાલ, મુનશી, અને રમણલાલ વ. દેસાઈની નારીસૃષ્ટિ વિશે પરિસંવાદનું આયોજન કરવાનું વિચાર વ્યકત કર્યો હતે.
યુનિવર્સિટી કક્ષાના આ ગંભીર અને અર્થસભર પરિસંવાદની ચારે બેઠકમાં સહૃદય ભાવકની હાજરીથી યથા સમય . આવનારને પણ સભાગૃહમાં બેસવાની જગ્યા ન મળે એવી સ્થિતિ હતી. ત્રણેય મહાન સજ કેની નારીસૃષ્ટિમાં વિહરવાથી ભાવની સાહિત્યાભિમુખતામાં અને આત્મશ્રીમાં વધારે થયો હતો. આ પરિસંવાદના પેપર્સ પુસ્તકાકારે પ્રસિદ્ધ થાય એવી ઇચ્છા પણ વ્યકત કરવામાં આવી હતી.
સંધ સમાચાર સ્ટેલ, ટેલિફેન બૂથ, આદિ તપાસ સમિતિ
(૧) હરિભાઈ ગુલાબચંદ શાહ (૨) શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહ અને (૩) શ્રી રમણભાઈ લાકડાવાળા નિમંત્રિત સભ્યો :
સંઘની કારોબારી સમિતિમાં નીચે મુજબ સભ્યોની નિમંત્રિત. સભ્ય તરીકે પૂરવણી કરવામાં આવી છે.
(૧) શ્રી ચંદ્રકુમાર જયંતીલાલ શાહ (૨) શ્રી રસીકભાઈ એસ. શાહ (એકયુપ્રેશરવાળા) (૩) શ્રીમતી મિતાબેન શિરીષભાઈ કામદાર (8) શ્રીમતી સુલીબેન હીરાણ (૫) શ્રી ગુલાબચંદભાઈ શાહ (૬) પ્રા. ગુલાબ દેઢિયા (૭) શ્રી તરણિકાબેન બિપિનભાઈ શાહ