________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯૮૪.
• શકે નહિ. જ્ઞાનના ત્રણ પ્રકાર છે. (૧) વસ્તુને વસ્તુ સ્વરૂપે
ઓળખવી (૨) આત્મ પરિણતિ (૩) તત્ત્વ સંવેદન આત્માની ઉદ્દભવેલી પ્રક્રિયાઓથી એક શકિત અને દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. માનવીમાં જે સામ્યમ્ દષ્ટિ ન હોય તે જીવન ચક્ર વિનાના રથ જેવું બની રહે છે.
જ્ઞાનનો સાર ભકિત. એ જ એક્ષલક્ષી રાજમાર્ગ છે. જૈનધર્મમાં જ્ઞાન ગતિ ભકિતને ખૂબ જ મહિમા છે. જ્ઞાનથાગ-ભકિતયોગની પ્રાપ્તિ એટલે જીવનમાં પ્રકાશને ફેલા. ભગવદ્ ભકિત-૨૫ જ્ઞાન માનવીના જીવનને ઉજાળે છે. ડગલે ને પગલે ક્ષતિઓ કરતે જીવ આત્મજ્ઞાન સ્વરૂપ ભકિતને પામે છે તે તરી જાય અને બીજાને પણ તરવા માટે પ્રેરણું - આપે છે. કાઉસગ્ગ : * પ્રથમ વ્યાખ્યાતા ડે. રમણલાલ ચી. શાહે ઉપરોકત વિષય પર આપેલું વ્યાખ્યાન ગતાંકમાં અક્ષરશ: પ્રગટ કરવામાં આવ્યું છે, એટલે અહીં તેની પુનરુક્તિ કરતા નથી. ભવને ભય
પૂ. મુનિશ્રી વાત્સલ્યદીપે કહ્યું કે આખી દુનિયામાં બધું જ ભરી શકાય પશુ માસની ખોપરી ભરી શકાતી નથી. માણસના મનની તમામ વાસના જ ભવાંતરના બીજનું સજક છે. માનવી જે પિતાનું મન સ્વસ્થ રાખી શકે તો તે ભવનરને અટકાવી શકે. " કમંવાદની વાત કરતાં તેમણે સમજાવ્યું કે જગતના જીવો જે પ્રમાણે કર્મ બાંધે છે તે જ પ્રમાણે તેને ભેગવવાને વારે આવે છે. કર્મબંધ ન થાય તે માટે આપણું શત્રરૂપ ચાર કષાયે કૅધ, માન, માયા અને લેભથી સર્વથા દૂર રહેવા તેમણે જણાવ્યું હતું. क्षमा-धर्मका सार - પૂ. મુનિશ્રી યશોભદ્રવિજયજી મહારાજે જણાવ્યું હતું કે ક્ષમા એ ધર્મનું ભૂષણ છે, વીરનું આભૂષણ છે. મનુષ્ય જીવનમાં બીજી વસ્તુની કમી ચાલશે પણ જીવનમાં ક્ષમા અલ્પ હશે તે તે હરગીજ નહિ ચાલે.
ધી ન તો પિતાનું ભલું કરી શકે છે ન બીજાનું. સત પુરુષ વેરભાવને બદલે નિત્ય ક્ષમાભાવ ધારણ કરી પિતાના આત્મિક વિકાસને ઉચ્ચ કોટિએ લઈ જશે. ક્ષમાશીલ વ્યક્તિત્વ માટે (૧) પિતાની ભૂલને સ્વીકાર (૨) સહનશીલતાની ખીલવણી (૩) ગુણાનુવાદને પ્રાધાન્ય (૪) મંત્રી ભાવનાની કેિળવણી અને (૫) અન્યની નિંદા કરવાનું છોડી દેવાનું આવશ્યક છે. આ રીતે ક્ષમાશીલ મનુષ્ય પિતાના આચરણ અને આત્મિક ગુણે વડે વ–પર કલ્યાણ સાધી શકે છે. વિટ હિટમન કે ડે. સુરેશ દલાલે જણાવ્યું હતું કે છેલ્ટ ટિમનને અમેરિકન ભાષાને રવીન્દ્રનાથ ટાગોર ગણી શકાય. ૩૧ મી મે ૧૮૧૮ ના રોજ જન્મેલા આ માનવતાવાદી કવિએ કેન્દ્રની
હશરમમાં આવ્યા સિવાય નિર્ભિકતાથી કાનું સર્જન કરી વિશ્વના મહાન કવિએમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું.
હિટમન નાયગરાના ધોધ જે હતો. આખાબોલે ને સાહસિક હતા. દુનિયાની તેને પરવા ન હતી. તેણે પિતાની કવિતામાં કહેલું કે તમને શકિત આપવા હું અધીર નથી, પણ તમને જણાવવા હું એટલે અધીર જરૂર છું, કે તમે પિતે જ સત્ય છે. તમે જાતને જાણે. જાતને જે માન ન આપી શકે તે બીજાને માન શું આપી શકવાના હતા. સબસે ઊંચી પ્રેમસગાઈ
- ડે. ગુણવંત શાહે ઉપરોકત વિષય પર આપેલું વ્યાખ્યાન આ અંકમાં અક્ષરશઃ પ્રગટ કર્યું છે, એટલે અહીં તેની પુનરુકિત કરતા નથી. લેકમાન્ય ટિળક: રાજદ્વારી ક્ષેત્રે તેમ જ ધમ ક્ષેત્રે
પ્રા. પુરુષોત્તમ માવળંકરે જણાવ્યું હતું કે નૈતિક જીવનના પુરસ્કર્તા અને સાચા લેકશિક્ષક લેકમાન્ય ટિળક વિલક્ષણ રાજપુરુષ હતા. સ્વરાજ્યને મંત્ર આમ તે દાદાભાઈ , નવરજીએ આપે, પરંતુ લોકઉચ્ચારણ કરાવ્યું ટિળકે. નૈતિકતા તેમને મન ધમ હતું. સંપ્રદાયના વાડામાં પુરાઈ ને રહેવાનું અને ધર્મ અને રાજકારણ એકબીજાના વિરોધી નથી એવું પ્રતિપાદન તેમણે કર્યું હતું. - કર્મો ઉપર ભાર મૂકતાં ટિળકે કહેલું કે વાવતા જાઓ. સારુ બીજ ચોકકસ ઊગી નીકળશે. સ્વાતંત્ર્ય સંગ્રામના અદમ્ય અને અડગ સૈનિક ટિળકે લેકસમુદાયની પ્રતિષ્ઠા સંપાદન કરી તેથી તેઓ લોકમાન્ય કહેવાયા. લેકમાન્યના અવસાન . પછી ગાંધીજીએ નવજીવનમાં ટિળકને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું હતું કે ટિળક મર્યા નથી, આપણુ વચ્ચે હજુ જીવે છે. અતિમનસ-દિવ્યતાનું પરમાણુ
પ્રા. અશ્વિન કાપડિયાએ જણાવ્યું હતું કે મર્યાદિતતાથી પર એવા પ્રદેશમાં જવા આપણી પાસે રહેલું કરણ (સાધન મન એ મર્યાદિત છે. છતાં શ્રદ્ધા વડે, પૂર્ણ સમર્પણ વડે પરમાત્મ તત્વની પ્રાપ્ત કરી શકાય છે.
આ સાહિત્ય, વિજ્ઞાન, ઇતિહાસ દરેકે સત્યની ખેજ કરી છે અને જે રજૂ કર્યું છે તે પૂર્ણ સત્ય નથી પણ અધ સત્ય છે. સત્યની ખેજ ચતસિક સાધના છે. શ્રદ્ધા, સંકલ્પ અને સમર્પણને ભાવ રાખવાથી પરમાત્મા તત્વની પ્રાપ્તિ થાય છે. પરમાત્માની અનુભૂતિ એ તો આત્માને સાહજિક સ્વભાવ છે. સત્યશોધક ભગવાન મહાવીર
ડોકુમારપાળ દેસાઇએ જણાવ્યું હતું કે સત્ય નવીન નથી, પુરાતન નથી, એને જન્મ નથી, ઉનાળામાં નિરભ્ર આકાશ જોયું હશે. વાદળા પાણી વિનાનાં અને પાર્થીવાળી પણ હોય છે. સત્ય એ વ્યાપક, ચિરંજીવી અને આકાશ - જેવું છે. સત્યને પામવા ભગીરથ પુરૂષાર્થ કર પડે. સત્ય
એ જ પરમેશ્વર સત્યની ઉપાસનામાં જ મનુષ્ય જીવનનું સાફલ્ય છે...
જીવન જીવવાનું ઉત્કૃષ્ટ દૃષ્ટાંત ભગવાન મહાવીરનું છે. ભગવાન મહાવીર સત્યશોધક હતા. તેમણે બતાવ્યું કે સત્યને પંથ એ આત્મખેજને પથ છે. આચારાંગ સૂત્રમાં પણ કહ્યું છે કે સત્પની આણને માનતા છવ સંશાર તરી જાય છે