SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૯-૮૪ અતર હોવુ જોઇએ. બંને હાથ અને બાજુ સીધા લટકતા હોવા જોઇએ. દૃષ્ટિ સીધી સામે અથવા નાસાગ્ર ઉપર સ્થિર હાવી જોઈએ. લશ્કરી તાલીમમાં Attention Position (સાવધાન) કરાવાય છે. તેવા કાઉસગ્ગ હવે જોઇએ. આવા પ્રકારના કાઉસગ્ગને ક્રાયાની દૃષ્ટિએ વિશુદ્ધ કહ્યો છે. આવશ્યક નિયુકિતમાં કહ્યુ' છે : वो सिरियबाहुजुगले, चउरंगुले अंतरेण समपादो । सव्वंग चलणरहिओ, काउसग्गो विसुद्धो दु ॥ १५१ ॥ પ્રબુદ્ધ જીવન ભાવાથ": તે કાયાત્સગ વિશુદ્ધ છે કે જેમાં પુરુષ અને હાથ લાંબા કરીને, સમપાદ ઊભા રહે છે અને ખે પગ વચ્ચે ચાર આંગળનુ અંતર રાખે છે તથા શરીરના કાઇ પશુ ભાગ હલાવતા નથી. : આસિત કાઉસગ્ગમાં સાધકે પદ્માસન કે સુખાસનમાં એસી, કરોડરજ્જુ સીધી ટટ્ટાર રાખી, બંને હાથ અને ઢીંચણુ ઉપર ખુલ્લી હથેળી સાથે ગાઢવી (અથવા અને હથેળી ચરણુ ઉપર નાભિ પાસે એની ઉપર એક એમ ગાઢવી), દૃષ્ટિ સામેની દિશામાં સીધી અથવા નાસાગ્ર ઉપર સ્થિર કરવી જોઇએ. શાષિત કાઉસગ્ગમાં શવાસનમાં હાઇએ તેવી રીતે સૂતાં સૂતાં, હાથ-પગ ફેલાવ્યા કે હલાવ્યા વગર શરીરને ઢીલુ' રાખી દૃષ્ટિને સ્થિર કરવાની હોય છે. શરીર અને ચિત્તની જુદી જુદી અવસ્થાને લક્ષ્યમાં રાખી નીચે પ્રમાણે ચાર પ્રકારના કાઉસગ્ગ ખતાવવામાં આવ્યા છે. (૧) ઉત્થિત-ઉત્થિત (૨) ઉત્થિત-નિવિષ્ટ (૩) ઉપવિષ્ટ—ઉત્થિત (૪) ઉપવિષ્ટ-નિવિષ્ટ કાયાત્સગ મુદ્રામાં સાધક જ્યારે ઊભા હોય છે અને એનું ચિત્ત પણ જાગ્રત હોય છે તથા અશુભ ધ્યાનના ત્યાગ કરીને શુભ ધ્યાનમાં તે લીન હોય છે ત્યારે ઉત્થિત- ઉત્થિત પ્રકારના કાઉસગ્ગ થાય છે. સાધક જ્યારે કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા હાય છૅ, પરંતુ એનુ મન સાંસારિક વિષયમાં રોકાયેલુ હોય છે અર્થાત્ આત કે રૌદ્રના પ્રકારનું અશુભ ધ્યાન એના ચિત્તમાં ચાલતું હોય છે ત્યારે સ્થિત-નિવિષ્ટ પ્રકારને કાઉસગ્ગ અને છે. કેટલીકવાર સાધક વૃદ્ધાવસ્થાને કારણે કે શારીરિક અશક્તિને કારણે ઊભો રહી શકતા નથી, ત્યારે પદ્માસન કે સુખાસનમાં ખેસી કાઉસગ્ગ કરે, પરંતુ એનુ જાગૃત અપ્રમત્ત ચિત્તો ધમ ાન કે શુકલામાં ત્રીને અન્ય હાય તા ઉપવિષ્ટ–ઉત્થિત પ્રકારના કાઉસગ્ગ થાય છે. સાધક તંદુરસ્ત અને સશક્ત હોય છતાં પ્રમાદ અને માળસને કારણે ખેડૂ બેઠાં કાઉસગ્ગ કરે. વળી એકાઉસગ્ગમાં તે અશુભ વિષયાનું ચિંતન કરે અર્થાત્ એની ચિત્તશક્તિ પશુ ઉર્ધ્વ ખનવાને બદલે ખેલી રહે ત્યારે ઉપવિષ્ટ-નિવિષ્ટ પ્રકારનું કાઉઋણ થાય છે. ભદ્રબાહુસ્વામીએ શરીની સ્થિતિ તથા મનના ભાવ સ્પ્રે અને અનુસાર વધુ પ્રકાર પાડી ક્રાઉસગ્ગના નવ પ્રકાર બતાવ્યા છે. ઉસગ્ગ ઊભા ઊભા, બેઠાં બેઠાં ને સૂતાં સૂતાં કરી શકાય છે. ૩ એ ત્રણેય સ્થિતિના ત્રણુ ત્રણુ એમ નવ પ્રકાર નીચે પ્રમાણે દર્શાવ્યા છેઃ (૧) ઉત્સત-ઉત્સત (૨) ઉત્સત (૩) ઉત્સૂત-નિર્ણા (૪) નિષ્ન-ઉત્સત (પ) નિષ્ણુ (૬) નિષઙ્ગ-નિષ્ણુ (૭) નિષષ્ણુ-ઉત્સત (૮) નિર્ણી (૯) નિમ્ન-નિષન. ધ્યાનના ચાર પ્રકાર છેઃ આત" ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધમ' ધ્યાન તે શુકલ ધ્યાન. આત'ને રૌદ્ર ધ્યાન શુભ છે. ધમ' ધ્યાન તે શુકલ ધ્યાન શુભ ધ્યાન છે. ક્યારેક શુભ કે અશુભ એવું કાઇ યાન ચિત્તમાં ન ચાલતુ હોય અને કેવળ શૂન્ય દશા પ્રવતતી હોય એવુ પણ બને છે. શરીરની સ્થિતિ ઉપરાંત ચિંતનની શુભાશુભ ધારાને લક્ષમાં રાખી ઉપર્યુકત નથ પ્રકારો ભદ્રખાહુસ્વામીએ દર્શાવ્યા છે. ભદ્રખાહુરવામીએ પ્રયેાજનની દૃષ્ટિએ કાયાત્સગના ખે પ્રકાર દર્શાવ્યા છેઃ (૧) ચેષ્ટા કાર્યોત્સગ અને (૨) અશિ ભત્ર કાર્યોંત્સગ ચેષ્ટા કાયાત્સગ` સામાન્ય રીતે દેશની વિશુદ્ધિ માટે કરવામાં આવે છે. અવરજવર કરવામાં, આહાર, શૌચ, નિદ્રા વગેરેને લગતી ક્રિયા કરવામાં જે કઈ રાષ લાગે છે તેની વિશુદ્ધિને અથે' દિવસ કૅરાત્રિને અતે અથવા પક્ષ, ચાતુર્માસ કે સવત્સરને અંતે ચેષ્ટા કાઉસગ્ગ કરવામાં આવે છે. તે નિયત શ્વાસાચ્છ્વાસ-પ્રમાણ હોય છે. અભિભન્ન કાયોત્સગ આત્મચિંતન માટે, આત્મિક શકિત ખીલવવા માટે, ઉપસત્ કે પરિષહાને જીતવા માટે કરવામાં આવે છે. સાધક જંગલ, ગુઢ્ઢા, સ્મશાનભૂમિ, ખડિયર વગેરે એકાંત સ્થળમાં જઈને અભિભવ કાઉસગ્ગ કરે છે અભિભવ કાર્યેાત્સગ અચાનક કાઇ સંકટ આવી પડે ત્યારે પણ કરવામાં આવે છે. આગ લાગવી, ધરતીકં પ થા, ઢાનારત થવી, દુકાળ પડવા, યુદ્ધ થવું, રાજ્ય તરફથી દમન-પીડન થવુ વગેરે પરિસ્થિતિમાં સાધક અભિભવ કાઉસગ્ગ-ધ્યાનમાં સ્થિર થઇ જાય છે. અથવા એવા કાઉસગ્ગમાં રહેલા મહાત્મા ગજસુકુમાલ, મદત રાષિ' વગેરેની જેમ, ઉપસર્ગ થવા છતાં જરા પણુ ચલિત થતા નથી, જરૂર પડે પ્રાણત્યાગ થવા દે છે. અભિભવ કાયાત્સગ' ઓછામાં ઓછે અ ંતરમુદ્દતના અને વધુમાં વધુ એક વર્ષના હોય છે. શક્તિ અનુસાર તે અપ સમય, દિવસ, રાત, પક્ષ, ચાતુર્માસ કે એક વર્ષ સુધી કરાય છે. ભગવાન ઋષભદેવના વખતમાં સળંગ એક વર્ષ સુધીના ઉપવાસ કરી શકાતા હતા. ત્યારે તેવું શરીરખળ હતું. બાહુબલિએ પોતાના ભાષ ભરત મહારાજા સાથે યુદ્ધ છેડી દાને યુદ્ધભૂમિમાં જ એક વર્ષ' સુધીના કાયાત્સગ' કર્યાં હતા, ધ્યાનમાં તેઓ એવા લીન હતા અને શરીરથી એવા અચલ હતા કે પક્ષીઓએ એમની દાઢીના વાળમાં માળા બાંધ્યા હતા. ઉત્તરાયનના ૨૯મા અધ્યયનમાં કાર્યોત્સર્ગના માહમા સમજાવવામાં આવ્યા છે. પ્રભુ મહાવીર સ્વામીને પ્રશ્ન પૂછવામાં આવે છે: હે ભગવાન કાયોત્સર્ગ થી જીવને શા લાભ થાય છે? ભગવા? કહ્યું : જે ઋયુષ્યમાન, કાપસિંધી ભૂત અને વંત માન કાળના અતિચારાની શુદ્ધિ થાય છે. જેમ મજૂર પેાતાના માથેથી ખેાજો ઉતારી નાખ્યા પછી હળવા થાય છે, તેમ
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy