SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ (90 પ્રબુદ્ધ જીવન નરશી ના થા મેં ગુલાબ દેઢિયા આજથી સવા બસે અઢીસા-વા પડેલાં કચ્છના ભાટિયા, ખાજા, લેહાણા અને જૈનેએ રાજીરટીની શેાધમાં મુંબઇ આવવાનુ શરૂ કર્યુ હતુ.. કચ્છની સૂફી ધરતી હંમેશાં વિષમતાઓથી ભરેલી રહી છે, જેથી કચ્છી પ્રજાને ખડતલ અન્યે જ છૂટા ખીજી તરફ કચ્છના સાગરકાંઠે પ્રજાને સાહસિક બનાવે એવે રહ્યો છે. કચ્છના માંડવી, મુન્દ્રા કે જખૌ બંદરેથી વહાણા લકા, જાવા, સુમાત્રા, જાજીખાર અને ચીન સુધી સફર ખેડી આવતાં કચ્છની જાકારા દ્વૈતી પરિસ્થિતિથી કંટાળીને, મુંબઇના આકષ ણુથી 'જાઈને કાંઈ કેટલા માયાક્લા, સાહસિક, ખિસ્સામાં ફૂટી કોડીય ન હોય એવા જીવાના મુંબઇ આવતા કાઈ વહાણુમાં ચડી બેસતા. પંદર કે એથી ય વધુ દિવસે વહાણુ મુબઇ પહેાંચે. દરિયાઈ જોખમે અનેક, ચાંચિયાઆના ભય પણ ખરા જ. ખાવા માટે ઘરનું ભાતું અને ગાજરનું અથાણુ હોય, પણ આંખમાં સ્વપ્ના હોય. આમ મુંબઇ આવી, મજૂરી કરી, આપબળે આગળ આવા પુરુષાથી' કચ્છી માનવીએ ૧૯મી સદીની આસપાસ બમ્રતા અનાજ, કરિયાણુ, તેલીખીાં, રૂ અને કાપડના વેપાર સર કર્યાં. મુબની તે સમયની જાહેજલાલી અને દેશ-વિદેશના વેપારવણુજમાં ખેતાજ બાદશાહ ખનીને જીજ્ગ્યા. વિક્સતા મુંબઈના વિકાસમાં કાળા આપ્યા. આવા મુંબઇ આવનાર કચ્છી અગ્રેસર પાયેનિયામાં એક તે શેડ શ્રી નરશી નાથા. આજથી બસો વર્ષ પહેલાં સને ૧૭૮૪ માં કચ્છના અબડાસા પ્રદેશના નળિયા ગામે નરશી નાયાના જન્મ થયા હતા. તદ્દન ગરીબ ઘર. ધરની ખેતીવાડી પણ નહિ. પિતા ખેતમજૂર તરીકે કામ કરે. જેમ તેમ દિવસે કાઢે, નરશી નાતા હતા ત્યારે જ એક તેા ગરીખી; તેમાં બીજું દુઃખ આવ્યું. માતા માંકબાઈનું મૃત્યુ. પિતા–પુત્ર એકલા પડી ગયા. જીવતર વધુ કાણુ થઇ ગયું. ઘરને સૂનકારે ઘેરી લાધ્યું. નરશી સેાળ વર્ષને થયે ત્યાં સુધી બાપ-દીકરા નળિયા ગામમાં જ જેમ તેમ વિસેા પસાર કરતા હતા. જીવનની હાલાકીઓથી કંટાળી એક દિવસ બાપ-દીકરો જખૌ બંદરેથી ઉપડતા વઠ્ઠાણુમાં ચડી ખેઠા. સાથે લેવા જેવું તો કંઇ હતું. નહિં અને ગામમાં મૂકવા જેવુ' પણ કર્યા કઇ હતું? સને ૧૮૦૦ની આસપાસ મુંબઇમાં પીવાના પાણીની ભારે તંગી. કાર્ટમાં ચેડા કૂવા હતા. મુંબઇ આવી પહેલાં તે ખાપ-દીકરો ગાદી અને બારામાં હુમાલીનું કામ કરતા મજૂરોને પાણી પાવાનુ કામ કરવા લાગ્યા. સચ્ચાઇ અને સાદાઇને લીધે 'એ લેાકામાં જાણીતા થયા. અને કરકસરને લીધે ખે પૈસા બચાવ્યા પણ ખરા. એ નાનકડી મૂડીમાંથી યુવાન નરશીએ પોતાના મુકાદમીને ધંધા શરૂ કર્યાં. નરશી જેને ત્યાં જાય--એસે, તેને લાભ થાય’-એવી માન્યતાથી બધાં તેને ખેલાવતાં. એનાં પગલાં શુકનવતાં ગાવા લાગ્યાં નાનકડી મુકાદમીમાંથી તા. ૧-૮-૮૪ તે બારભાયા કંપનીના મુકાદમ નિમાયા. ધીરે ધીરે મુંબઇના વેપારી વગ'માં જાણીતા થયા અને દારી-લોટા પશુ લાવ્યા વગર વતનથી મુબઈ આવેલા નરશી હવ નરશી શેઠ' ના નામે ઓળખાવા લાગ્યા. દિવસ-રાત જોયા વિના મહેનત કરી. એ પુરુષાથ' અને પ્રામાણિકતા કામ લાગી. સાથેાસાથ નસીમે યારી આપી. જોતજોતામાં નરશી શેઠની ગણુના મુખના શ્રીમ ામાં થવા લાગી. આજે પણ કચ્છી દશા ઓશવાળ જૈત કામના પેાતાના બાપીકા ધંધા કહેવા હોય તે રૂ અને કપાસના વેપાર. આજવી દૃઢસા વર્ષ પહેલાં કચ્છી શા ઓશવાળ જૈન જ્ઞાતિના અગ્રેસર નરશી નાથાએ એ ધા વિકસાવ્યા અને પેાતનાં સગાંવહાલાં, ગામાઇનાતીલાં, આળખીતા” પાળખીતાન એ ધધામાં પ્લાટયા. નરશી શેઠે જોતજોતામાં પેાતાની વેપારી શાખાએ ભારતભરમાં ખેલી. ચીન સાથે વ્યાપારી સ ંબધા વિકસાવ્યા. હવે તા કપાસ ઉપરાંત મરીમસાલા અને અનાજ-કરિયાણાના ધધામાં પશુ દાખલ થયા અને એ બધા સર કર્યાં. દેશ-પરદેશના વેપારને પહોંચી વળવા પાતાનાં વહાણે પણ વસાવ્યા. શેઠ મેતીશા, શેઠ જમશેદજી જીજીભાઈ, જીવરાજ બાલુ, ગોકુળદાસ તેજપાલ, મૂળજી જેઠા જેવા રધરા નરશી નાથાના સમકાલીનેા હતા. તેમનુ લગ્ન નાની વયે કુંવરબાઈ સાથે થયેલું. પ્રથમ પુત્ર મુસ્ગાદેવીના તળાવમાં ડૂબીને નાની વયે મરણ પામ્યા. સંવત ૧૮૯૫ માં મુંબઇમાં ફેલાયેલા મરકીના રોગમાં બીજા પુત્ર હીરજીનું અવસાન થયુ. પારીત જુવાનજોધ પુત્રના અકાળ અવસાનથી માતા ધરબાઇને કારમાં આધાત લાગ્યા, જેની કદી કળ ન વળી: થાડા સમયમાં માતાએ પશુ એ જ રાહ લીધા. ત્યાર બાદ થાડા સમયમાં, આ દુઃખ આછું હોય તેમ ની શેઠના પિતાનું અવસાન થયું. શેઠ હચમચી ગયા. જ્યારે સુખના સૂરજ મધ્યાહ્ન તતા હતા, સમૃદ્ધિ-વૈભવ અગાધ હતાં, લેકમાં નામના હતી, ત્યારે જ કૌટુબિક જીવન આકરું થઇ પડયુ. નરશી નાથા માત્ર એક શ્રીમંત વેપારી ન રહેતાં, દાનવીર પણ બન્યા. કચ્છમાં એમણે અબડાસાનાં બધાં ગામાના દશા ઓશવાળાને માનભેર નાતરી, ત્રણ વસ ભાવપૂર્વક જમાડયા, અને ચાંદીની મોટી થાળીની લહાણી કરી, પોતે ગરીબાઇમાં જીવેલા તેથી ગુપ્તદાન પણુ ઘણુ કર્યુ. ધર્મપ્રેમી નરશી નાથાએ સંવત ૧૮૮૯ માં મુબંધમાં મસ્જીદ બંદર પાસે શ્રી અનંતનાથજી જિનાલય બંધાવ્યુ, સાથેાસાથ પોતાના વતન નળિયામાં સંવત ૧૮૯૭ માં શિખરમધ જિનાલય બંધાવી પ્રતિષ્ઠા મહોત્સવ ઊજન્મ્યા. નળિયાનાએ ભવ્ય દેરાસરની ગણુના કચ્છની મેાટી પચતીથીનાં પાંચ દેરાસરામાં થાય છે. થાડા સમય પછી (અનુસ ંધાન પૃષ્ઠ -૬૨). માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સલ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, સુ ખન્ન ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬, ઃ મુખ્રુસ્થાન ટ્રેન્ડ પ્રિન્ટલ', જગન્નાથ કર રાઠ પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રાય, ગિરગામ, મુંબઇ - ૪૦૦૦૦૪.
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy