________________
-
પ્રબુદ્ધ જીવન .
પ્રજ્ઞાચક્ષુઓને મશીન-ટેલિફેન
બૂથને અર્પણ સમારોહ ' '' સંકલન : ચીમનલાલ એમ. શાહ કલાધર
“અંધજનેને સહાય કરવી એ પરમેશ્વરની ભકિત કરવા બરાબર છે. જેમણે દૃષ્ટિ ગુમાવી છે તેનું જીવન કેટલું અસહાય અને પરાવલંબી બને છે તે નજરે જોઈ શકાય છે. પરંતુ એ અનુભવીએ ત્યારે એને વિશેષ ખ્યાલ આવે છે.
આવા ચીમળાયેલા પુષ્પ જેવા જીવનને ફરીથી કિલ્લોલતું ' કરવા તેમને સ્વાવલંબી બનાવવા જરૂરી છે. તેને સ્વરેજગારી વિભાગ અને શ્રી મુંબઈ જેન યુવક સંધ પરસ્પર સહયોગથી આ કાર્ય કરે છે તેથી હું ખરેખર ખૂબ જ આનંતિ થ છું. આ સેવાકાર્ય આજના યુગમાં ખૂબ જ અગત્યનું અને આશીર્વાદરૂપ છે. આ કાર્યને મારે પૂર્ણ સહગ રહેશે. એમ મહારાષ્ટ્ર રાજયના ગૃહખાતાના રાજયમંત્રી શ્રી ‘શિવાજીરાવ દેશમુખે જણાવ્યું હતું. તેઓ “સંધ અને નેબના 'સ્વરોજગારી વિભાગના સંયુકત ઉપક્રમે ૧૯ પ્રજ્ઞાચક્ષુઓને મશીન-ટેલીફોન બુથે અર્પણ કરવા માટે રવિવાર તા. ૮-૭-૮૪ના રોજ સવારના ૧૦ કલાકે બિરલા કિડા કેન્દ્ર, ચોપાટી પર યોજાયેલ સમારોહમાં બોલી રહ્યા હતા. *, પ્રારંભમાં પ્રજ્ઞાચક્ષુબહેને સ્વાગતગીત | ૨૬ હતું, • ‘પ્રેમળ જયેતિ'ના સંયોજક શ્રીમતી નિરખેન શાહની
પ્રાર્થના બાદ સમારોહના પ્રમુખસ્થાનેથી ચીમનલાલ જે. શાહે સૌને આવકાર આપતાં જણાવ્યું હતું કે “સંધ’ દ્વારા પ્રેમળ જાતિના ઉપક્રમે માનવસેવાની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે તે પૈકી પ્રજ્ઞાચક્ષુઓને પગભર કરવાની યોજના નેબરના સહકારથી હાથ ધરવામાં આવી છે. કેઈ દયાભાવથી નહિ પરંતુ સાથીબંધુ પરત્વેની ફરજ તરીકે અમે આ કામ કરીએ છીએ અને તે માટે અમે સૌના અણુ છીએ.
નેબના સ્વરોજગારી વિભાગના મંત્રી શ્રી શિરાલી એ તેમની પ્રવૃત્તિઓને વિગતે ખ્યાલ આપ્યું હતું અને ભવિષ્યની
જને સમજાવી હતી. “સંધના મંત્રી શ્રી કે. પી. શાહ આ પ્રવૃત્તિ માટે જોઇએ તેટલી રકમ દાતાઓના સહકારથી મેળવી આપવાની ભાવના વ્યકત કરી હતી. આ બાબતમાં નબઅને તેના કાર્યકરોને નિશ્ચિંત રહેવા ખાતરી આપી હતી. તદુપરાંત શ્રી શૈલેશભાઈ કોઠારી, શ્રી સીરૂબેન નાણાવટી, શ્રી એલ. આર. સુબ્રહ્મણ્યમ આદિએ પ્રાસંગિક વકતવ્ય કર્યા હતા.
ગૃહખાતાના રાજ્યમંત્રી શ્રી શિવાજીરાવ દેશમુખના વરદ હસ્તે ૧૪ પ્રજ્ઞાચક્ષુઓને સિલાઈ મશીન, 1 પ્રજ્ઞાચક્ષને નિટીંગ - મશીન અને ચાર અંધજનેને પબ્લિક ટેલિફેન બુથ અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે માનનીય મંત્રીશ્રી દેશમુખે પિતાના તરફથી રૂ. ૨૦૦૦/- નું દાન આપવાની જાહેરાત કરી હતી અને રાજયકક્ષાએ જે કંઈ સહાય પિતાનાથી થઈ શકે તે કરવા માટે તત્પરતા દાખવી હતી, કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ શ્રી મંગસુલકરે કરી હતી. | દીપક આ મશીને અને બુથના દાતાઓ શ્રીમતી કાનન નાણાવટી, શ્રીમતી સરમીબેન પ્રવીણભાઈ ભણસાલી, શ્રીમતી દીવાળીબેન ચીમનલાલ મહેતા, શ્રીમતી લીલાવતી નગીનદાસ દફતરી, શ્રી એન. ડી. ગાંધી, શ્રી ચીનુભાઇ છગનલાલ શાહ, સ્વ. શ્રી યશવંતભાઈ દાદભાવાળા, શ્રી દીપચંદ કેસરીમલ શાહ હતા.
' ' . વિદેશમાં ભારતીય તંત્ર , ' ,
' (પૃષ્ઠ ૫૯ થી ચાલુ) વેપારના કામકાજ માટે વારંવાર બેંકમાં જવું પડતું. ભાષાને કારણે બહુ માથાકૂટ થતી. કંટાળી જતા કર્મચારીઓ ઉપેક્ષા કરતા. પરંતુ એમણે પિતાનું ખાતું બંધ કરી બીજી એક બ્રિટિશ બેંકમાં ખેલાવ્યું અને પિતાની ભાષાની મુશ્કેલી સમજાવી એટલે તે બેંકના ઓફિસરે બેન્કના ખર્ચે તેમને માટે એક દુભાષિયાની સગવડ કરી આપી.
જેમ બેકે, વીમા કંપનીઓ તેમ બીજી કેટલીક સરકારી કે અર્ધ સરકારી આપણું વિદેશીની કચેરીઓના કર્મચારીઓના જાતજાતના અનુભવ ઘણું લોકોને થયા હશે. બધાને ખરાબ જ અનુભવ થાય એવું નથી. કેટલાકને સારા અનુભવ પણ થયા હશે, તેમ અન્ય દેશના કડવા અનુષ પણ થયા હશે. કર્મચારીઓની પિતાની કેટલીક મુશ્કેલીઓ હશે, તેમને પક્ષે પણ કંઈક કહેવાનું હશે. ભારતીય લેકની આદત મુજબ વધુ પડતી ચીકાશ કે ખોટી માથાકુટના પ્રશ્ન પણ તેમને નડતા હશે. તે પણ એકંદરે તે વિદેશમાં આવેલા આપણું ભારતીય તંત્રોમાં વહીવટી કાર્યદક્ષતાની ઉણપ ઘણુને સાલતી હશે! અધિકારીઓ અને કર્મચારીઓની કડક પસંદગી અને વિશિષ્ટ તાલીમ વગેરે દ્વારા આ ધોરણ જરૂર સુધારી શકાય.
જેમ વિદેશમાં આવેલી ભારતીય કચેરી વિશેનબળો અભિપ્રાય છે, તેમ ભારતીય પ્રવાસીઓ અને વેપારી પેઢીઓ પણ ટીકા સાંભળવા મળે છે. લુચ્ચાઈ, અપ્રમાણિકતા, બોલેલું ફરી જવું વગેરે લક્ષણને કારણે ભારતીય લેકેની છાપ સારી પડતી નથી. નમૂના કરતાં હલકો માલ આપવાની આદતને કારણે કેટલાય ભારતીય વેપારીઓને બીજીવાર ઓર્ડર મળતા નથી, એટલું જ નહિ ભારતની આબરે બગડે છે.
ભારત પાસે પિતાના દેશને સુધારવા માટે એટલા બધા પ્રશ્નો પડયા છે કે વિદેશમાં પિતાની આબરૂ વધારવાના પ્રશ્ન પ્રત્યે તે કેટલું લક્ષ આપી શકે? તે પણ સંબંધિત સર્વ વર્ગ પોતે વ્યકિતગત અને તંત્રગત કક્ષાએ આ પ્રશ્ન ઉપાડી લે છે તે એ અઘરે પ્રશ્ન નથી કે ભારતની વિદે. શેમાં શાન ને વધે! એથી તાત્કાલિક લાભ તે થાય, પણ લાંબે ગાળે ઘણે મોટો ફાયદો થાય. ભારત પાસે ઘણી મોટી માનવશકિત છે. ગરીબી અને બેકારીને કારણે એ શકિત કેટલી બધી વેડફાઈ જાય છે. ભારતની પ્રતિષ્ઠા જે સારી હોય તો માનવશકિતની જરૂરવાળા એવા અન્ય દેશો દ્વારા ભારતની વેડફાઈ જતી માનવશકિતને કેટલો સરસ ઉપયોગ થઈ શકે!
- - સંઘ સમાચાર છે. અગ્રણી પત્રકારની તસવીરને અર્પણ સમારોહ
સંધના ઉપક્રમે ભારતના અમીમ પત્રકારોની તસવીર મુંબઈ ગુજરાતી પત્રકાર સંધને અર્પણ કરવામાં આવશે. શ્રી મેહનલાલ મહેતા, “પાન શ્રી જેહાન દારૂવાલા શ્રી માધવ ગડકરી અને શ્રી પી. આર. કે. મેનન આ અગ્રીમ પત્રકારના જીવનની ઝાંખી કરાવશે. . સમયઃ શનિવાર, તા. ૨૮-૭-૮૪ બપોરના ૪-૦૦ લાકે
સ્થળઃ વાલચંદ હીરાચંદ સભાગૃહ, ઈન્ડિયન મરચન્ટસ ચેમ્બર, ચર્ચગેટ, મુંબઈ ૪૦૦ ૦૨૦, . પ્રમુખ સ્થાને ડે, રમણલાલ ચી. શાહ બિરાજશે. સૌને સમયસર પધારવા સ્નેહભયું નિમંત્રણ છે. ન
થામનલાલ જે. શાહ કે, પી. શાહ મંત્રીઓ,