SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬- ૪ O : ' મળવાનું થયું ત્યારે તે પણ તેમને યાદ એટલે બે ચાસણની પેસ્પીતાલમાં દાદાને સારવાર માટે, વધી ગયેલા શ્વાસ માટે, ખસેડવામાં આવ્યા ત્યારે એમ પણ થયું કે દાદા આપત્તિ વટાવી જશે. પહેલાં પણ આ જ હુમલો થયે હતા અને ગુજરાત સરકારે દાક્તરોની ખાસ ટીમ તેમની સારવાર માટે મોકલી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે મને કાંઈ થવાનું નથી. બેરસદથી સારા | થઈને તે બેચાસણ આવ્યા અને એક એકમી વર્ષ ગાંઠ અમે બધાએ ધામધૂમથી ઊજવી અને તેમાં પૂરે સમય હાજર પણ રહ્યા. દાકતરાની સલાહ ન હતી તે પણ તે પિતાને મળવા આવેલા વિશાળ જનવૃંદથી દૂર રહેવા ઇચ્છતા ન હતા. મંચ ઉપર ખાટલા પર બે કલાક સુધી ચત્તા સૂઈ રહ્યા. ગુજરાતને સમગ્ર ગાંધીસવકગણુ આ મહાન ગાંધીવાદી વિભૂતિને અંજલિ આપવા નીકળતે થયે. બહારગામથી પણ કાર્યકરો આવ્યા હતા. દાદાએ તે દિવસે ફળના રસને બદલે આગ્રહપૂર્વક બાજરીને રોટલે દૂધ સાથે લીધું હતું. ગેરહાજર રહીને દાદા તેમની અમાનતા કરવા ઈચ્છતા ન હતા. પૂરાં સો વરસ અને વત્તા એકસો દિવસ દાદાએ કર્યો હતા. છેલ્લી આપત્તિમાંથી તેઓ ઉગરી શકયા નહિ. જિજી. વિષા તો પહેલાં ય ન હતી. જીવનભર સદાય જીવવાની ઈચ્છા તેમણે સેવી ન હતી. મૃત્યુની ઈચ્છા પણ સેવી ન હતી. ગઈ બીમારી વખતે તે કહેતા હતા કે હું સામે ચાલીને મૃત્યુ માગવાને નથી, ઇશ્વરની ઈચ્છા હશે તેમ જ થશે. જ્યાં સુધી આ દેહ પાસે ઇશ્વરને કામ લેવાનું છે ત્યાં સુધી તેને ત્યાગ ઉચિત નહિ ગણાય.' બધી આશા, શ્રદ્ધા, પ્રાર્થનાને આકાર ધારણ કરી, લેહીના પ્રત્યેક ટીપે મનની ઇચ્છાની આંગળી પકડીને લેભના સહારે દોડવા લાગ્યા. તારીખ પહેલીએ સવારે આકાશવાણીના પ્રથમ સમાચારપત્રમાં જ કિતનની ધૂનમાં આ આકાર વિલીન થઈ ગયો, સવારે સાડા છ વાગે જ દાદાનું વાગ્યે થંભી ગયું અને રેડિયેએ તરત જ તે સમાચાર વહેતા કરી દીધા. મનની સૂની નગરીની, ભાંગેલી ભીંત પરના છેલ્લાં બાંસઠ વરસના ભીનાં સ્મરણાના અક્ષરે મન સમક્ષ વહેવા લાગ્યા. એક સ્વપ્ન ઊંધમાં જ તૂટી પડે તેવી હાલત હતી. તેના રજકણે જીવનમાં એટલા બધા વ્યાપ્ત હતા કે તેને પરાવતા સત્રની સાંકળ સાંધવાનું પણ ધડીભર કઠણ થઈ ગયું. ચોસઠ વર્ષ પહેલાં આઠ વરસની કુમળી વયે તેમના ખોળામાં બેસવાનું સદભાગ્ય મને થયું. બારડોલીથી ગાંધીજીએ સ્વરાજના અદિલનનું એલાન કર્યું હતું અને ત્યાં ગુજરાતના તમામ ચુનંદા સેવકે લડતની તૈયારી માટે એકત્ર થયા ' હતા. મારા પિતાજી ત્યાં સરકારી મામલતદાર હતા અને મને રોજ અગિળી ઝાલી બારડોલી આશ્રમમાં લઈ જતા હતા. અને તેના કારણે મહારાજને જેવાને પણ મને લહાવે મળ્યું. તેમના ખળખળ વહેતા સ્મિતથી નાનું બાળક તે ખુશખુશાલ થાય અને એ રીતે એકવાર એમના મેળામાં પણ બેસી ગયો. માથે હાથ ફેરવીને એમણે કહ્યું કે મોટો થાય ત્યારે લડતમાં જરૂર આવજે. ડે દૂર જ બારડોલીના આજના વયેવૃદ્ધ આગેવાન ખુશાલભાઈ પટેલ ઊભા હતા. તેમણે કહ્યું કે આને તે હું સરઘસમાં પણ લઈ જવાને છું. મેં તેએમના પિતાને કહ્યું છે આ છોકરો અમને સુપરત કરી દે. દાદા ત્યારે ખડખડાટ હસ્યા હતા. તેવું જ હોય તેમણે પીરસ્યું છે. દાદા, મુરખી જુગતરામભાઈ, સ્વાજાના સ્વ. મોરારભાઈની પથારીની લગેલગ જ મારું બિછાનું આવ્યું. રોજ સવારે અટી બનાવવાની અને કે પાટી વણવાની આવે ત્યારે, દાદા તેની સમજ આપે અને ઠા કેમ કામ ઉકેલવું તે બતાવે. ૧૯૨૯માં દા નાગપુર સત્યાગ્રહ વખતે પહેલીવાર જેલમાં ગયા ત્યારે આદર્શ કેદીનું બિરુદ પામ્યા હતા. ધાણી ચલાવવાની હોય કે સાફસકી કરવાની હોય, દવાનું હોય કે રસોઈ કરવાની હોય તે દાદા સમય પહેલાં કામ પતાવી દે. તે વખતે જેલરે કહ્યું: હતું કે આ આદર્શ કેદી મેં કદી જોયો નથી. ૧૯૩૨ના, જેલવાસ વેળાએ મને જેલના એક નિયમભંગ માટે શણના કપડાં પહેરવાની સજા થઈ. પૂરા બે મહિના માટે માત્ર શણનાં કપડાં જ પહેરવાના કહ્યાં હતાં. દાદાએ મારે નામ પડ્યું સૂબેદાર. “તને હવે જેલમાં કાઈ નહિ સતાવે, બધા તારાથી ડરશે’ રોજ આવા જ પ્રેમપૂર્વ તે મારી અને મારા જેવા યુવાનોની સંભાળ લે અને જાત જાતની વાત કરે. કેકવાર રાતના બહાર સૂવાનું થાય તે આકાશમાં તારાઓનું દર્શન કરાવે. અમારી સાથે ત્યારે મનમાડ બે કેસના આરોપી શ્રી મદનમોહન ગુપ્તા. હતા. શ્રી ગુપ્તાજી આજે “સરરવતી'ના સંપાદક છે. દાદા મા તેમને ઘણો અહેસાવ, દાદા સાથે તે હિંસા અહિંસાની ચર્ચા કરતા હતા. દાદા તેમને ગાંધીજીની અહિંસાને ગમસમજાવતા. શ્રી ગુપ્તાએ પિતાના પુસ્તકમાં નાણું છે કે બેમ અને હિંસાનો માર્ગ મેં છે , હોય તે પૂ. રવિશંકર મહારાજના પ્રતાપે. એ જ વખતે જેલમાં બીજા બે વિ૫વવાદીઓ હતા. હમણાં જ દિવંગત થયેલા ઝાંસીના પંડિત મરમાણેદ અને બીજા યુવાન, શીખ વિપ્લવવાદી સચ્ચાસિંધ પરમાણંદજી ત્યારે બડા ચકકરના સેપરેટ સેલમાં બંધ હતા. દાદાને એકવાર તેમણે સંદેશે મેલે. કે મારે આપનાં દર્શન કરવા છે. દાદા ત્યાં પણ અવારનવાર જતા. સચ્ચાસિંધ અઠવાડિયામાં એકથી બે વાર દાદાની ખાસ મુલાકાતે આવતા અને પ્રણામ કરી જાય. માત્ર વિલપ્તવાદીએ જ નહિ પણ જેલમાં ગુનાઓ માટે પકડાયેલા ધારાએ, બારેયાએ, પિતાના મહારાજને પગે લાગવા આવતા. અમારે વર્ડન ધરારા કામને હતું. અને એ તે દાદા તમારે જ. જોઈએ છે એવું હંમેશ પૂછી જતો. આ બધા વેડનેને અને કેદીઓને દાદા માટે ત્યારે આદર. તેમના ઘણાખરાના કુટુંબીઓ તે દાદાના પરિચયમાં પણ આવ્યા અને તેમને એ બધા માટે દાદાએ કેવું કામ કર્યું છે તેની પણ વાત કરતા. બહારવટિયાઓના વિરતારમાં તેમના સેવાકયને થે ખ્યાલ પણ મને હતે. તે પ્રસંગે અમે તેમને પૂછતા પણ ખરા, નમ્રતાપૂર્વક એ કહેતાં કે તેમાં કાંઇ ધાડ મારી નથી. તેમના ખમીરને થે વળાંક આપી શકે તેને મને આનંદ છે. ત્યાર પછી તે દાદાને ઘણીવાર મળવાનું થયું, ૧૯૩૩ થી માંડીને ૧૯૪૦-૪૧ સુધી અમે ગરમ સમાજવાદ દળ સભ્યને, ગુજરાત પ્રાંતીય સમિતિને, સ્થાપિત આગેવાની સામે ઘર્ષણમાં પણ આવવાનું થતું. દાદા અમારી લાગણીનર, કદર જરૂર કરતા. એ કહેતા કે સામાજિક અને આર્થિક અન્યાય સામેની લડત તદ્દન વાજબી છે. પરંતુ તમારી કાર્યાનિધિ (અનુસંધાન પૃ. ૫૯)
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy