________________
તા. ૧-૭-૮૪.
પ્રબુદ્ધ જીવન
(પૃષ્ઠ ૫૦થી ચાલુ)
ધરમપુર આદિવાસી વિસ્તાર કેન્દ્ર ધરમપુરના આદિવાસી વિસ્તારમાં સર્વાગી વિકાસ માટે સં’ નાખેલી ટહેલના પ્રત્યુત્તરમાં ઉદારદિલ દાતાઓ તરફથી અત્યાર સુધીમાં રૂા. ૧૫૪,૦૦૦/-નાં વચને મળ્યાં છે. એ પિકી “સંઘે તા. ૨-૫-'૮૪ના રોજ એના ફાઉન્ડેન્ટ દ્વારા મોકલી આપ્યા છે.. - આ વિસ્તારમાં હાથ ધરાયેલી કાર્યવાહીને અહેવાલ એનાડે ફાઉન્ડેશનના શ્રી બિપિનભાઈ સંધાણીએ બુધવાર તા. ૨૦-૬-૮૪ ના રોજ “સંધના કાર્યાલયમાં મળેલ ઉપસમિતિની બેઠકમાં રજૂ કર્યો હતો. એમણે વિગતે આપેલ અહેવાલથી ઉપસમિતિના સભ્યોને સંતોષ થયો હતો.
વરસાદની મોસમમાં અન્ય કામ થઈ શકે તેમ ન હોવાથી વૈદ્યકીય સારવારની કાર્યવાહી હાથ ધરવાનું આ બેઠકમાં નકકી કરવામાં આવ્યું છે.. અને હાલ તુરત રૂ. ૧૦,૦૦૦/આ પ્રવૃત્તિમાં ખર્ચવાની મંજૂરી આપવામાં આવી છે. અા પ્રવૃત્તિના અનુસંધાનમાં “સંધના ચારેક પ્રતિનિધિઓ તા. ૬ અને ૭ જુલાઈના રોજ આ વિસ્તારની મુલાકાત લેશે.
આ પ્રવૃત્તિને વધુ ને વધુ આર્થિક સહાય દ્વારા સાહી આપવા સૌને પ્રેમાળ વિનંતિ છે.
- મંત્રીઓ ચીમનલાલ જે. શાહ
કે. પી. શાહ
માંગ ગાંધીયુગ આવ્યા પછી વધુ સ્પષ્ટ થાય છે. ગાંધીજીના પત્રકારત્વમાં નથી અંગ્રેજોની બીક કે નથી સમાજના રૂઢિચુસ્ત તને ડર. સ્ત્રીઓની પરિસ્થિતિ વિશે ગાંધીજી પિતાના અખબારોમાં અવારનવાર લખતા એ જાણીતી વાત છે, સ્ત્રી-સામયિકે:
પરંપરાગત સ્ત્રી--સામયિકે આપણે ત્યાં ગઈ સદીથી ચાલતાં આવ્યાં છે. આ સદીની શરૂઆતમાં “સુંદરી સુધ બહાર પડતું હતું, ત્રીસીના દાયકામાં સુરતથી “સ્ત્રી શકિત” થોડો વખત બહાર પડયું. સ્વાતંત્ર્યોત્તરકાળમાં “ગૃહમાધુરી’ નીકળ્યું અને સ્ત્રી', વગેરે ચાલે છે, “સુધા' બંધ થઈ ગયું, આ અને આવાં સામયિકોમાં પ્રારંભથી કેટલીક પ્રથાઓ ચાલતી આવી છે, જેમાં બે મુખ્ય છે. એક એ કે સ્ત્રી એટલે પત્ની કે માતા અથવા તો કૌટુંબિક વ્યકિત એવી વ્યાખ્યા અને તેથી ઉત્પન્ન થતા સ્ત્રી પ્રત્યેનો અભિગમ અને બીજી પ્રથા તે આ અભિગમથી ઉત્પન્ન થતી વિષય પસંદગી જેમાં વાનગી, શણગાર, ઘરસજાવટ, કૌટુંબિક પ્રશ્નો વગેરે મુખ્ય રહે છે. જયારે સ્ત્રીઓ નવી નવી વાંચતાં શીખી હતી એ જમાનામાં કદાચ આ બધું ગ્ય હશે. કારણ કે વાંચનાર બધી જ સ્ત્રીઓ ઉપલા વર્ગની ગૃહિણીઓ હતી. અને એમની શિક્ષણ અને સામાન્ય જ્ઞાનની કક્ષા ઓછી હતી. આપણે પુરુષને માત્ર પિતા કે પતિ કે કુટુંબીજન તરીકે નથી લેખતા પણ નાગરિક કે વ્યાવસાયિક કે એવા અન્ય તોથી ઓળખીએ છીએ ત્યારે સ્ત્રી માત્ર પુત્રી, પત્ની, બહેન, મા વગેરે તરીકે નહીં પરંતુ એક વ્યકિત તરીકે લેખાવી જોઇએ, કઈ પણ વિષય એના રસનો વિષય છે જો એને રસ પડે એ રીતે મુકાય છે. - કેટલીક સ્ત્રી-સામયિકે હવે સમયને રંગ ઓળખી દુનિયામાં બનતી ઘટનાઓ અને તેમની સ્ત્રી જીવન પર પડતી અસર વિશે કાળજીથી લખવા માંડયાં છે અને એમણે પિતાની સંપાદકીય નીતિ પણ બદલી છે. મરાઠીમાં “શ્રી” અને અંગ્રેજીમાં “ઇઝ વીકલી’ એમાં મોખરે છે. જનસામાન્ય પત્રકારત્વ અને સ્ત્રીઓના પ્રશ્નો:
અહીં એક ખાસ વાતની નધિ લેવી જોઇએ કે. પુરૂષ માલિકનાં અને પુરુષ સંપાદકૅ દ્વારા ચલાવાતાં અખબારો સ્ત્રીઓના પ્રશ્નની અવગણના કરે છે એમ હવે કહી શકાય નહીં. છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્ત્રીઓ પર થતા અત્યાચારોની નોંધ લેવી અને એ સામે કડક સંપાદકીય નેધ લેવી, તંત્રીલેખ લખવા એ કામ આપણાં અખબારે અને એમાં ય ખાસ કરીને પ્રાદેશિક ભાષાની અખબારો કરી રહ્યાં છે એ આનંદની વાત છે, શું સ્ત્રી-સામયિકે સ્ત્રીઓની બાબતમાં આટલું ય નહીં કરે ? સ્વાતંત્રયસંગ્રામમાં ભાગ લઇ સહભાગી પત્રકારત્વની પરંપરા બંધાઈ છે તે છેડી સ્ત્રી–મુકિત સંગ્રામની અવગણના કરનારા સ્ત્રીસામયિકે કેટલીક વાર “તટસ્થતાને બદલે “તીરે ઊભા જુએ તમાશા' જેવી ભૂમિકા ભજવે છે.
સાભાર સ્વીકાર શ્રીમની જીવનસિદ્ધિ: ડે. સરયુબહેન આર. મહેતા, પ્રકા. શ્રેયસ પ્રચારક, શરાફ મેન્સન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨, કિંમત જણાવેલ નથી.
એક: સંપા. ત્રિભુવન વીરજી હેમાણી, કિં. રૂ. ૨૨૫, વલ્લભ ડી. ગાલા, ગુપ્તા નિવાસ, ભાઉ દાજી રોડ, મુંબઈ-૧૯
સવમભાવના: સંતબાલજી, કિ. ૫૦ પૈસા, પ્રકર.. મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, હઠીભાઈની વાડી, અમદાવાદ,
અભિનવ મહાભારત : (ભાગ: ૧) શાંતિલાલ શાહ, કિં. . ૧૨, પ્રકા. નવજીવન મુદ્રણાલય, અમદાવાદ છે
અભિનવ મહાભારત (ભાગ-૨): જિતેન્દ્ર ઠાકરભાઇ દેસાઈ, કિં. રૂા. ૨૦ પ્રકાશક ઉપર મુજબ ૪ સંતબાહ પત્રસુધા–કાશીબેનને : સં. અંબુભાઈ શાહ, કિ. રૂ. ૭, નવજીવન મુદ્રણાલય, અમદાવાદ * સંતબાલ મારી મા " મીરાંબહેન, કિં. રૂા. પાંચ, પ્રકા. નવજીવન મુદ્રણાલય, અમદાવાદ. એ
સંતબાલની pજીવનસાધના (ખંડ ૨): દુલેરા માટલિયા, કિં. રૂ. ૨૦, મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, હઠીભાઇની વાડી, અમદાવાદ-૪.