________________
તા. ૧-૭-૮૪
પ્રબુદ્ધ જીવન ,
હશે. “તમે આઠ માણસ શા માટે માર્યા ?” એમ પુછાતાં શું તેઓ એમ કહેશે કે નહીં પ્રભુ, તેમાંથી છ તે . મુસ્લિમ હતા” પ્રજાના સોએ સો ટકા લોકો ધાર્મિક ન હોય તે. ખરું, પણ આ લેકે તે “રવધમ” ની રક્ષા કાજે જ બહાર પડયા હતા તેથી ધર્મ પ્રત્યેની તેઓની આરથા તે ઊંડી જ માનીને ચાલવાનું ને? અનામત માટેના હરિજન-સવર્ણો વચ્ચેનાં રમખાણ કરતાં આ તોફાને જુદાં ગણાય. ત્યાં ધર્મ નહીં, પરંતુ આર્થિક હકકેના મુદ્દે લડાઈ સળગી હતી. અહીં તે મુખ્ય મુદ્દો જ ધમ હતો. ઇસ્લામની ખબર નથી, પણ હિન્દુ ધર્મમાં તે બીજાનું મન દુભાવવું પણુ જે હિંસા ગણાતી હોય તે આ બધાને તેના રક્ષક કેમ મનાય? આથી ઊલટું, જેના થકી જે તે સંપ્રદાય બદનામ થાય તેવા આ પ્રતિનિધિઓએ ગીતા કે કુરાનમાંથી બે શ્લોક કે બે આયાતે પણ વાચી હશે કે કેમ તેવી શંકા ખોટી નથી. - પંજાબના ઉદાહરણમાં, જે હિંસા થઈ તે નહીં, પણ વધુ દુઃખદાયક બાબત હતી સુવર્ણ મંદિરના લશ્કર પ્રવેશ પછી પંજાબ બહારના મુખ્યત્વે દિલ્હી, મુંબઈના) શીખનું વલણ. આટઆટલી સ્પષ્ટ વિગતે અપાયા પછી પણ તેઓને આ પગલું નિંદ્ય લાગ્યું; તે એટલે સુધી કે તેઓ “ખાલિસ્તાન ઝિંદાબાદ' કહેવા સુધી ગયા. અંગતપણે હજુ મને એ સ્પષ્ટ નથી સમજાયું કે કોઈ પણ ધર્મસ્થાનમાં લશ્કરના પ્રવેશ સામે તાવિક વધે છે. હવે જોઈએ ? લશ્કરે મહમુદ ગઝની માફક માત્ર દેવસ્થાનનું અપમાન કરવા કે લુંટવાના મુખ્ય હેતુથી પ્રવેશ કર્યો હોય તે વાત જુદી છે. પણ જયાં સુધી દેવને ચર્ચામાં જ લાવવાના ન હોય ત્યારે લશ્કરના માણસોને માણસ સિવાય બીજું કશું કેમ ગણાય ? પંજાબ પ્રશ્ન તે સરખામણી સાદી છે. ભિંડવાલેના માણસે શસ્ત્રો સાથે અંદર ગયા, લશ્કર પણ શસ્ત્ર સાથે અંદર ગયું. માત્ર ફરક એટલે કે લશ્કરના માણસો “સરકાર” નામની કોઈ સંસ્થાના પગારદાર હતા અને જો એ સંસ્થાનાં હતાં. આતંકવાદીએને કદાચ તખ્તના પગારદાર કે સ્વયંસેવક કહી શકાય. હા, જે વાંધે જવાનોના ચામડાના જેડા કે પટ્ટા હોવા વિશે કે તે કઈ હોય તો તે કદાચ ધાર્મિક લાગણીના હિસાબે મંજૂર રહે. (તે કોઈ સ્પષ્ટ વાંધો અગાઉનાં અઠવાડિયાં દરમિયાનની ચર્ચામાં ક્યાંય રજૂ કરાયો નહોતે.) બકે મંદિરની પવિત્રતાનો ભંગ કરતાં દ્રવ્ય, હેરોઇન, ચરસ, દ.રૂ વગેરે અંદર લઈ જનાર તોથી મંદિરને છોડાવવા જવાનોએ સામી છાતીએ જીવ આપે તેથી શીખોએ ખુશ થવું જોઇએ પણ મુખ્ય મુદ્દો એ છે કે વિરોધ થયો તેમાં ધર્મનું કઈ જ પાસું મોજૂદ ન હતું. કોઈ જ એવું કારણ નથી અપાયું કે શા માટે લશ્કરે (કઈ પણ) ધર્મસ્થાનમાં ન જવું ગર્ભગૃહમાંથી ઘરેણુઓની ચોરી થાય ત્યારે પોલીસને બોલાવવાની કદી કોઈએ વાંધો લીધો છે?
આવા પામળા, સંવેદનશીલ વિરોધમાં ખુશવ તાસંઘ જેવા અભ્યાસી શીખે પણ સૂર પુરાવ્ય (પણું મુખ્ય પૂજારી એ ન પુરાવ્ય), એથી સ્પષ્ટ છે કે આપણને ધર્મની આડશે રાજકારણ રમવું છે. મહારાષ્ટ્રનાં રમખાણવાળું ઉદાહરણ પણ જેડી લઈએ તે સરળ શબ્દોમાં તારણ એવું નીકળે છે કે આપણું અંગત કે જાહેર આચારમાં ધર્મનું આપણે કઇ તાવિક માર્ગદર્શન લેતાં નથી; નથી આપણને અધાર્મિક આચરણને ય બાધ. ખરે
આસ્તિક તે કદાચ ધામને કશા વિવાદમાં વચ્ચે લાવો પડે તેવું કૃત્ય કરવા જ તૈયાર ન થાય. માત્ર આ પ્રસંગોએ નહી, જીવનનાં પ્રત્યેક ક્ષેત્રે આપણું વર્તન ધમના હાદની વિરુદ્ધનું થતું જાય છે. આમ છતાં પાછી આપણે ધામિકના ધામિક: શું ધમ એ માત્ર પહેરવાનું ઘરેણું છે? ચામડીને અડકે, બીજાને દેખાય પણ તનને તેને સ્વાદ નહીં, ગંધ નહી, કોઈ જ પિષણ તેનાથી નહીં! તેમ આપણે ધમ પણ જાણે કાં પહેરવાને છે; આત્માના બંધારણમાં તેને કે ફાળે જ નહી' સવારે પૂજ થઈ જાય, ભગવાન જેડને વ્યવહાર, લેતી-દેતી થઈ જાય પછી નાટકને બીજે અંક શરૂ થાય, માણસને માણસ જોડેના વ્યવહારને, પહેલા અંકને બીજા અંક પર જરાય પ્રભાવ નહીં!
એ પ્રશ્ન થાય કે ધમકશિક્ષકે આવી સ્થિતિને આવતી રેકી કેમ ન શકે? આમ તે જમાનાની વધતી જતી આધુનિકતાના પ્રમાણમાં આજે ધાર્મિક નેતાઓને અનુસરનારાઓની સંખ્યા વધતી જાય છે. દિલ્હીના ઇમામ કહે કે ફલાણુને મત ન આપે તે તે પક્ષ હારી જાય. ગુજરાત-મુંબઇમાં જ ધાર્મિક પ્રવચનમાં તાજેતરમાં જે ભીડ દેખાય છે તે માનવી મુશ્કેલ થાય તેટલી હોય છે. બેએક વર્ષ પૂર્વે શ્રી પાંડુર ગ શાસ્ત્રી રોજિત વયસ્ક સંમેલન નિમિત્તેની રેલી જોર સમાજના બધા વગના લે કે તેમાં હાજર હતા; શિરતથી ચાલતા હતા. ઉંમરમાં પણ નાનેથી મોટા, ખૂબ મોટી સંખ્યામ, આવું જ અનુસરણુ બધા ધાર્મિક નેતાઓને હમણાંથી મળતું હોય તેવું જણાય છે. જે વિવિધ નેતાઓના આ અનુયાયીઓ બીજું કશું નહીં તે માત્ર એક સાદો નિયમ પાળે કે હું જે ખાતામાં કામ કરું છું ત્યાં લાંચ નહીં લઉં અને ક્યાંય લાંચ દઈશ નહીં” તે કેટલા બધા લોકોનું જીવન કેટલું સરળ બને ? પણ એવું બનતું જણાતું નથી. લાગે છે કે બધા વ્યવહારદક્ષ અનુયાયીઓ છે. ‘ભાની નોકરી માટે આણે ફલાણાભાઈને કહ્યું છે; બુધવારે સ્વાધ્યાયમાં આવે છે !” આવું ય સાંભળ્યું છે. .
એક પંથના અને યીમાં બેક, જીવન વીમા વગેરે જેવી સંસ્થાઓના કર્મચારીઓની સંખ્યા ઘણી છે. તેમાંના એક અંગત મિત્રને પૂછયું કે તમને વ્યવસાય અંગે લાંચ કે દબાણ લાવનારાઓથી કંટાળો થતું હશે. તેઓએ તેમના માર્ગદર્શક, ધમ શિક્ષકે આ બાબત શી વલણ શીખવી છે તેની વાત કરી. શબ્દશઃ યાદ નથી પણું અર્થ એ હતો કે તમે તે સાક્ષી બની પ્રભુ કરાવે તે કરશો; માત્ર જાતને તે ઊંડી ન લઈ જવી. પરંતુ આમાં એ વાત સ્પષ્ટ નથી કે કે જ્યારે લાંચને પ્રસ્તાવ મૂકે ત્યારે તેના અનુદન માટે આ સાધક ભાઈ કયા શબ્દો વાપરશે ? કે માત્ર પરમાત્મા તેમના થકીથી અનમેદનના શબ્દો બેલશે ? અને એ નાણાયા આવેલ પચાસ રૂપિયે ડઝનની કરી છોકરાએ ખુશ થઈને ખાશે ત્યારે તેઓ માત્ર સાક્ષીભાવે તે નીરખશે! શું અનુયાયીઓ ગુમાવવાની બીકમાં આપણા સતે મળી સલાહ આપે છે? રાજકીય ક્ષેત્રે તે એક સંત પાક્યો હતો જેમણે શિષ્ય થવા આવનારાઓને સ્પષ્ટ કહ્યું કે “હરિજન સાથે ભોજન લો નહીંતર ઘરે જાઓ. મને તમારી મદદની જરૂર નથી!” આધ્યાત્મિક ક્ષેત્રે આ કાં નહી? શિષ્યની શરતે શિક્ષા આપે