SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન પણ દામ્પત્યજીવન ઉપર પડે છે. વળી જ્યાં સ્ત્રીઓ પતિ જેટલું કે વધુ કમાય છે, આર્થિક રીતે સ્વતંત્ર થવાને શકિતમાન થાય છે ત્યાં એના સ્વભાવમાં પરિવર્તન આજે છે, અસહિષ્ણુતા વધે છે. સંઘર્ષ થાય છે અને છૂટાછેડા લેવાય છે. મિજાજી, ખર્ચાળ પાનીને રાજી રાખવામાં પુઓ થાકી જાય છે. પશ્ચિમના દેશમાં છૂટાછેડાનું પ્રમાણ વધુ છે અને છૂટાછેડાનાં કારણોના મૂળમાં આર્થિક કારણ વિશેષ, રહેલું હોય છે. સુખસગવડનાં સાધનોથી માણસ સુખી જ થાય છે એવું નથી. અતિશય સમૃદ્ધિથી પણ માણસને નિદ થાય છે. માણસને રાજ્યની હૂંફ હોય છે, પણ પડોશી કે સ્વજનેની હૂંફ હોતી નથી. બધી જ સગવડો હોવા છતાં જીવન જીવવામાંથી રસ ઊડી જાય છે, કેટલાકને જીવન બજારૂપ લાગે છે. સ્થલ ભૌતિક સુખથી વધુ બીજું કઈ યેય હોતું નથી. ધર્મ અને તત્ત્વજ્ઞાનની જરૂરિયાત જણાતી નથી. ઉચ્ચતર જીવન ભાવના અનુભવવા મળી નથી હોતી. દયા, સહાનુભૂતિ, પરગજુપણું વગેરે સક્રિય રીતે અનુભવવા મળતાં નથી. એકલતામાં માણસ અંદરથી ખવાઈ જાય છે. જીવનને ન્યારી થાક લાગે છે ત્યારે જીવનને અંત આણે છે. દુનિયાના સમૃદ્ધ દેશોમાં રવીડનની ગણના થાય છે. ત્યાં વ્યકિત દી. આવક ઊંચામાં ઊંચી કહેવાય છે, છતાં આખી દુનિયામાં આપધાતના સરેરાશ સૈથી વધુ કિરસી રવીડનમાં નોંધાયા છે ભૌતિક સમૃદ્ધિવાળા દેશમાં બધું જ ખરાબ છે એમ નહિ કહી શકાય. એમની પાસેથી પણ ઘણું શીખવા જેવું છે. વળી પછાત દેશમાં ગરીબી, સમયને દુર્વ્યય, ગામગપાટા, નિંદાકુથલી, ઇષ્ય, વિદ્ધસતિષ, દખલગીરી, ગેરશિસ્ત, કામચેરી, લાંચરૂશ્વત, ગંદકી ઈત્યાદિ ઘણુ બધા દુર્ગુણ હોય છે. તેમ છતાં એટલું કહી શકાય કે મનુષ્ય ભૌતિક સમૃદ્ધિ પાછળ જેમ જેમ વધુ દેટ મૂકો જશે તેમ તેમ જીવનને હળવાશ તે ગુમાવતે જશે અને આત્માના ઉત્તમ સગુણેને એને વિકાસ ધીમે પડી જશે. એક અંગ્રેજ કવિએ કહ્યું છે: What is this life full of care. If there is no time to stand and stare! છે. વક, સહિ . વી. તે જ નથી હોત અને હોય છે તે તે લાચાર છે. આ જીવન- વ્યવસ્થામાં મોટો પ્રહાર પ્રેમભાવના ઉપર થાય છે. સાંજ પડે પડોશી. કે મિત્રો સાથે હળીમળીને આનંદમાં સમય પસાર કરવાનું, માનસિક થાક ઉતારવાનું ઓછું થાય છે. એથી અંગત સંબંધો મર્યાદિત બનતા જાય છે. એકબીજાને ઘેર જવાની કે પિતાના ઘરે કોઈને બોલાવવાની વાત શકય હોય ત્યાં ટાળવામાં આવે છે. આતિથ્થભાવના ઘટતી જાય છે. મહેમાન તરીકે કોઈને બોલાવવાની ઇચ્છા હોય તે પણ સંજોગેની પ્રતિકૂળતા જ વિશેષ રહે છે. સેમથી શુક્ર સુધી પતિ પત્ની નેકરી કરતાં હોય ત્યાં મહેમાનની આગતાસ્વાગતા માટે સમય કયાંથી રહે? બે-ત્રણ શનિ-રવિ પિતાના કામ માટે ગોઠવાઈ ગયા હોય તે મહેમાને મહિનાની રાહ જોવી પડે. અહીંની પરિસ્થિતિથી પરિચિત ન હોય અને સગાંસંબંધીઓને આધારે ભારતથી આવી ચડયાં હોય તેઓને જુદાં જ અનુભવ થવાના. '' - જીવનનિર્વાહનું ધોરણ જેમ ઊંચું જતું જાય છે તેમ માણસ સ્વકેન્દ્રી અને ક્યારેક સ્વાથી" પણ બનતા જાય છે. તે ફકત પિતાને જ કે પિતાના નાના કુટુંબને જ વિચાર કરતો જાય છે. એથી સ્વાર્થનું ઘર્ષણ સહન કરી શકતો નથી. સંકેચ, લજજા, વિવેક, સહિષ્ણુતા ઓછી થતાં જાય છે. આજબાજ વાતચીતને કે ટી. વી. ને જરાક વધુ અવાજ થાય તે ગોરા પડોશીઓ તરત ! આવીને કેર કરી જાય. વિદેશમાં જ્યાં પતિપની બંને કમાતી હોય છે ત્યાં બાળકેના ઉછેર ઉપર અસર પડે છે. માતા બાળકને પૂરતો સમય આપી શકતી નથી. વાત્સલ્યની ઊણપ અનુભવતા બાળક ઉપર બહારના વાતાવરણની વધુ અસર થાય છે. હવે ટી. વી. પર આવતાં ભયંકર દીની પણ ઘણી અસર થાય છે. પ્રેમભૂખ્યું બાળક સમય જતાં માતાપિતાથી વિમુખ થતું જાય છે. વારંવાર સામા થઈ જતા, મારવા ધસી આવતા બાળક પ્રત્યે પછી માતાપિતાને પણ બહુ પ્રેમ રહેતું નથી. લગ્ન પછી જુદાં રહેવા ગયેલાં સંતાનો સાથે મેધા આકર્ષક ગ્રીટિંગ કાર્ડ મોકલવા જેટલો સંબંધ રહે છે. જેમ માણસને પડોશીની ગરજ નથી, તેમ મતાપિતાને સંતાનની કે સંતાનોને માતાપિતાની ગરજ રહેતી નથી. પરંતુ વૃદ્ધાવસ્થામાં જીવન અસહ્ય અને નીરસ બની જાય છે. કોઈ એમને પ્રેમથી લાવે અથવા એમની પાસે બેસે તે આનંદ આનંદ અનુભવે છે પ્રેમનું મૂલ્ય ત્યારે એમને વધુ સમજાય છે. અમારી નીચેના ફલેટમાં રહેતા વૃદ્ધ દંપતીને વગર પરિચયે સામેથી જઇને અમે ચા-પાણી અને જમવા માટે નિમંત્રણ આપ્યું છે તેમને એકદમ આશ્ચર્ય થયું. આવ્યાં ત્યારે એમના ચહેરા પર અતિશય આનંદ છલકાતે હતા. જયાં પતિ-પત્નીના નેકરીના કલા જૂદા જુદા હોય છે. ત્યાં પરસ્પર સાથે રહેવા માટેના કલાકે ઘટતા જાય છે. એની અસર દામ્પત્યજીવન ઉપર પડે છે. એક મેનેજરે પિતાની સેક્રેટરીના પતિને સંભળાવ્યું હતું કે, જે નિદ્રાના કલાકોને હિસાબ ન ગણો તે તમારી પત્ની તમારી સાથે ઘરે જેટલા કલાક ગાળે છે તેથી વધ કલાક તે ઓફિસમાં મારી પાસે પસાર કરે છે.' થવસાયમાં અન્ય પુરુષ કે સ્ત્રીના સતત સહવાસની . અસર પ્રકાર સ ઘ સમાચાર પંજાબમાં લરકરી પગલાં: હવે શું? સંઘના ઉપક્રમે સોમવાર, તા. ૧૬-૭-૮૪ના રોજ એ વાર્તાલાપ યોજવામાં આવ્યો છે, જેની વિગત નીચે મુજબ છે સમયઃ સોમવાર, તા. ૧૬-૭-૮૪ના રોજ સાંજની, ૬–૧૫ કલાકે સ્થળ : ધી ઇન્ડિયન મરચન્ટ્સ ચેમ્બર સભાગૃહ, ચર્ચગેટની પાછળ વ્યાખ્યાતા: શ્રી મધુ દંડવતે પ્રમુખ શ્રી અમર જરીવાલા . સૌને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. ચીમનલાલ જે. શાહુ કે, પી. શાહ
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy