________________
પ્રબુદ્ધ જીવન
*
તા. ૧૬-
નહિ, સરલા ભગારી છે;
અહી
પ્રણાલિકા
, એ
અન્ય સેવા
મંગવશાત કોઇને ટકી રહેવું પડે છે તેને પિતાની સંસ્થા પ્રત્યે બહુ આદર હેત નથી. પિતાના અંગત મિત્રવર્તુળમાં પિતાને કચવાટ તેઓ વારંવાર વ્યકત કરે છે, સ્ટાફને ઓછા પગાર આપવાનું માનસ હવે જૂનવાણી ગણાવું જોઈએ.
જેમ કર્મચારીઓની બાબતમાં તેમ સમિતિના સભ્યોની બાબતમાં પણ વધુ પડતી કરકસરની સારી છાપ પડતી નથી. સંસ્થાને માટે આથિંક ભોગ આપવાનું બધા કાર્યકરોને પરવડે નહિ, કેટલાક સમયને ભોગ આપી શકે પણ પૈસાને નહિ, સંસ્થાનાં જ કામ માટે ટેલિફેન, ટપાલ, અવરજવર, બહારગામની મુસાફરી વગેરે માટે ખર્ચ સંસ્થા સાથે ન નાંખવાની પ્રણાલિકાને આગ્રહ આગેવાનો કાર્યકર્તાઓએ બધા સભ્યો પાસે ન રાખવું જોઇએ, એટલું જ નહિ એવી સ્થિતિવાળા કાર્યકર્તાઓને સંસ્થા પાસેથી ખર્ચ લેવા માટે પ્રેમભર્યો આગ્રહ પણ કરે જોઈએ. કોઈક વખત એટલા માટે જ આગેવાનોએ પિતે પણ સંસ્થામાંથી ખર્ચની રકમ લેવી જોઈએ (જે પછી અન્ય રીતે ઈચછા હોય તે સંસ્થાને ભેટ તરીકે આપી શકે છે.) જેથી અન્ય કાર્ય, કર્તાઓને ખર્ચની રકમ લેતાં સંકેચ ન થાય. એમ ન થાય તે નબળી આર્થિક સ્થિતિવાળા સારા પ્રામાણિક કાર્યકર્તાઓ સંસ્થા ગુમાવે છે. સંસ્થાઓ માટે જે ખર્ચ કર્યું હોય તે તો આપવું જ જોઈએ, પરંતુ સાધારણ સ્થિતિના જે સેવકે પિતાને ઘણું બધો સમય સંસ્થાને આપતા હેય એની અંગત જરૂરિયાત માટે ચાપાણી, ટેલિન ઈત્યાદિની સગવડ આપવાનો પણ વિવેકપૂર્વક આગ્રહ રખાવો જોઈએ. કેટલાક કાર્યકર્તાઓ એટલા બધા પ્રામાણિક અને ચુસ્ત હેય છે કે સંસ્થાને ખર્ચે ચાપાણી ન પીએ, પિતાના અંગત કામ માટે સંરથાની ટાંકણી પણ ન વાપરે કે સહી કરવા માટે બોલપેનને પણ અડે નહિ. પોતે સંસ્થા માટે બધું જ કરી છૂટે, પણ સંસ્થાનું રજ માત્ર ઋણ પિતાને માથે ન ચડે તેની પૂરેપૂરી ચીવટ રાખે. તેવા કાર્યકર્તાઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે. પરંતુ એ જ આગ્રહ તેઓ બીજા કાર્યકર્તાઓ પાસે રખાવે તે કરકસર થાય, નિયમ સચવાય, પણું સંસ્થાની સુવાસ ઘટે. કરકસર માટે માણસને દુરાગ્રહ એટલે બધે ન જોઇએ કે અન્ય વ્યકિતને એ ; માટે ચીડ ચડે કે અભાવ થાય. સંસ્થાના વહીવટી ખર્ચમાં કેટલુંક ખર્ચ અનિવાર્ય ગણી લેવું જોઈએ. દસ હજારનું દાન આપનાર કેઈ એક દાતાઓ સંસ્થાની ઓફિસમાંથી અચાનક અંગત કામ માટે ટેલીફોન કર્યો હોય તે તેની પાસેથી તેના પૈસા લેવા કે ન લેવા? દાતાને યાદ આવે અને આપે તે સારી વાત છે. આપવાનું તરત સઝયું ન હોય અને એમ ને એમ ચાલ્યા જતા હોય ત્યારે પૈસા માંગી લેવા તે સંસ્થાના હિતની વાત નથી. કારણ કે તેમ કરવા જતાં અવળી અસર પડવાને સંભવ છે. વખત જતાં સંસ્થા માટેના દાનનો પ્રવાહ ઉપર ૫ણું અવળી અસર પડવાને સંભવ છે.
આ સંસ્થાની મુલાકાતે આવેલા મહેમાનને ચા-પાણી સંસ્થાના ખર્ચ પાવી કે નહિ? આવા પ્રશ્નમાં પણ વિવેકદ્રષ્ટિ વાપરવી જોઈએ. કરકસરથી ખર્ચ બચે છે પરંતુ વધુ પડતી કરકસરથી બે ગાળે અંસ્થા પિતે જ નિસ્તેજ બની જાય છે. :
કેટલાક પ્રામાણિક માણસે સત્તા મળતાં સંસ્થાના છે ઉપર નાગની જેમ બેસી જાય છે. એમની પ્રામાણિકતા ઇ છે, પરંતુ સંસ્થાના પૈસા સાચી રીતે વપરાતા હોય તે પણું, એમને કહે છે, દરેક કામમાં ઓછા અને મેડા પૈસા આ વાનું જ એમનું વલણ હોય છે, કેટલીક સંસ્થાના ટ્રસ્ટી પિતાની બધી જ શકિત પાછપૈસાની ભૂલ પકડવાચ કે ચીજવસ્તુની ગણતરીમાં ખચી નાંખે છે. ભૂલ પકડયાને એમને આનંદ અને ગર્વ હોય છે. અને ઠેકાણે એની વાત કરતા ફરે છે, પરંતુ એ જ કાય: કર્તાઓ આવા કામ હાથ નીચેના બીજા કાર્યકર્તાઓને સેપર પિતે પિતાની શકિતને સંસ્થાના કાર્યક્ષેત્રને વિકસાવવામાં
અથવા દાનને ન પ્રવાહ મેળવવામાં ઉપગ કરે તે એથી સંસ્થાને વિશેષ લાભ થાય. એક તીર્થની ધર્મશાળામાં બાયડ રૂમમાં નહાવા માટેના લેટા લોકો શૌચ માટે ન લઈ જાય એટલા માટે ટ્રસ્ટીઓ, પચ દસ વર્ષ લેટા વસાવવાને બદલે બાથરૂમના બધાં લોટામાં કાણાં પડાવી દીધાં. ટ્રસ્ટીની ફળ ૫ બુદ્ધિ માટે ધન્યવાદ, પરંતુ શૌચ માટે અજાણતાં લેટ લk જઈને પસ્તાયેલા લોકોની ગાળો ઘણું વર્ષ સુધી એમણે ખાધી હશે ! પાંચ લોટને ખર્ચ બચાવતાં હજારે લેટર જેટલી દાનની રકમ એમણે ગુમાવી હશે !
સમગ્ર દષ્ટિએ જોઈએ તે આપણી કેટલીયે સંસ્થાઓને આધુનિક રૂપ આપવાની જરૂર છે. હવે વખત એ આવો, રહ્યો છે કે જાહેર સંસ્થાઓ માટે લેકે સમયને બહુ બે નહિ આપી શકે. (યુરોપ અમેરિકામાં તે એમ બની જ રહ્યું છે.) નવી પેઢીને આપણી સંસ્થાઓ પ્રત્યે આકર્ષવા માટે આપણા કેટલીક જૂની રીતરસમો, કરકસરની પદ્ધતિઓ બદલવી પડશે. સંસ્થાઓને ઓપ આપવા માટે કેટલાક ખર્ચ હવે અનિવાય" ગણવા જોઈએ. કારણ કે ઘણી બધી સંસ્થાઓ હોય તે તેમાં જે સંસ્થા પ્રગતિશીલ હશે તેના તરફ કાર્યકતાઓ વધારે આકર્ષાશે.
જાહેર ધર્માદા સંસ્થાઓએ લાંબુ આયુ ભોગવવું હોય તે કરકસરના સિદ્ધાન્ત કરતા સુવાસના સિદ્ધાન્તને ચડિયાત ગણુ જોઈએ. વિવેક દષિ અને દૂરદર્શિતાવાળા પ્રામાણિક, સંનિષ્ઠ કાર્યકરો દ્વારા સંસ્થાની સુવાસ વધે છે.
ટી. બી. પેશન્ટની સારવાર ! સંઘ દ્વારા ચાલતા પ્રેમળ જાતિ દ્વારા વ્યથિત કે બીમાર વ્યકિતઓને અનેક પ્રકારની મદદ કરવામાં આવે છે. હમણાં હમણાં ટી. બી. શિન્ટ સારવાર માટે વિનંતિ કરતા હોય છે. તેને માટે મેટી રકમની જરૂર રહે. એક ટી. બી. પેશન્ટને તદ્દન સાજા કરવા માટે રૂ. ૩૫૦૦)ને ખચ આવે છે. તો દાતાઓને વિનંતિ છે કે તેઓ રૂ. ૩૫૦૦નું દાન મેકલી એક ટી, બી, પેશન્ટને મદદરૂપ બની પિતાને પ્રેમાળ સહકાર આપે,