SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ પ્રબુદ્ધ જીવન ખે મુખ્ય ખાતે હતી : એક તા ભગવાન બુદ્ધનાં સત્ત્વશીલ વાણી ને ઉપદેશો ને બીજી, બૌદ્ધ ધર્મ'નુ સાળ; સંધની સાવત્રિક શક્તિ ને આયેાજનતંત્ર એટલાં પ્રબળ હતાં કે સધનુ સ્થાન ધમ' જેટલું જ મહત્ત્વનું ગણાતું. યુદ્ધ સરણું ગચ્છામિ, ધમ્મ સરણું ગચ્છામિ, સધ’સરણ, ગ્ચ્છામિ. આ ત્રિશરણુ મત્રમાં એ સુપેરે સ્પષ્ટ થયું છે. આ સધનાં ઘટક તત્ત્વો હતાં ભગવાન બુદ્ધના સનિષ્ઠ, સત્ત્વશીલ, ક્રસાયેલા શિષ્યા. સવ સ્વને ત્યાગ કરી, ધમપ્રચાર અને લેાક–શ્રેયના આદર્શાથી પ્રેરાઇ નીકળી પડતા આ શિષ્યા-ધમ પ્રવત કા દૂર દૂરના દેશોમાં પહેાંચી જતા, ત્યાં જ સ્થિર થઇ ત્યાંની પ્રજામાં ભળી જતા તથા ખત્ત અને ધીરજપૂર્વક ધમ પ્રચાર કરી. ત્યાંજ વિલીન થઇ જતા. આમ છતાં, આ સનિષ્ઠ શિષ્યાનુ ભાથું તા ભગવાન બુદ્ધનાં દશન, વાણી ને ઉપદેશ જ હતું. એમના ઉપદેશની એક વિશિષ્ટતા એ હતી કે તે પોતે જે કહેતા તે માની જ લેવું, એ આાગ્રહું એ કદીયે ન રાખતા. એ કહેતા હું જે કહુ છું તે પહેલાંના જ્ઞાનગ્રંથાને આધારે છે માટે, કે એ ભૂતકાળના આદર્શનાં પ્રમાણુ પર રચાયેલું છે માટે, કે એ ન્યાય અને તર્કસ ંગત છે માટે, કે એ તમારા વિચારાને અનુરૂપ છે માટે, કે લેક મને માનનીય તે પૂજનીય ગણે છે માટે, માની લેશે નહી; પણ તમારી વિવેમુદ્ધિ તમને ખાતરી આપે કે એ સત્ય છે, તા જ એના સ્વીકાર કરજો.' કાઈ કાના ઉદ્ધાર કરે, એ વાતમાં એ માનતા જ નહીં. દરેકે જાતે જ પાતાના ઉદ્ધાર કરવાના રહે છે. પ્રત્યેકમાં પેાતાના ઉદ્ધાર કરવાની શકિત રહેલી હોય છે જ! એ કહેતા 'એ શકિતની' એ દીપતી વાત સકારે, એને સતેજ કરો. બધે જ પ્રકાશ પથરાઇ જશે !' આધ્યાત્મિક ક્ષેત્રે આવા સ્વાવલંબનની વાત, ત્યારે જ નહી', આજે પશુ અવનવી ને અસાધારણ લાગે એવી છે. આમ તા એ બાહ્ય કમ'કાંડની વિરુદ્ધ હતા, પણુ કમને એ ખૂબ જ મહત્ત્વ આપતા; પુનમમાં એ માનતા તે પૂર્વ જન્મનાં કુમ'નાં ફળ, પછીના જન્મમાં પણ ભાગવવાં પડે છે, એવી એમની દૃઢ માન્યતા એમની જાતકકથાએમાં પ્રતિપાદિત થાય છે. હિંસાના એ પ્રખર વિરોધી હતા. વેદવિહિત હિં’સા પણ એમને મન નિષિદ્ધ જ હતી. ઉદ્દેશ ભલે ઉદાત્ત હય, પુણ્ય હોય, પણ હિંસા એ હિંસા જ છે!-એમાં તે વળી અપવાદ કેવા? પ્રાણીમાત્ર પ્રત્યેની મૈત્રી, કરુણા ને મુદિતા, એમના તત્ત્વજ્ઞાનના પાયા છે. *. વિશ્વભરના ઇતિહાસમાં અનન્ય એવું એમનુ' દશ'ન છે- . વેથી વેર શમતુ નથી; વેથી તેા વેર્જ વધે છે. વેર, માત્ર પ્રેમથી જ શમી શકે છે.' રાષ્ટ્ર, પ્રશ્ન, સમાજ તે વૈતિક જીવનમાં યે સતત લાલબત્તી ધરી, માગ દેશ'ન કરાવતુ' આ શાશ્વત સત્ય છે. fel આધુનિક પ્રતિવાદીને ય ગમી જાય એવા એમના એક અભિગમ એ જમાનામાં અનેાખા હતાઃ રાયકર, તા. ૧-૬–૮૪ સ્ત્રી કે પુરુષ, બ્રાહ્મણ કે ચાંડાળ, એમાં એમને મન ઇ જ ભેદ ન હતા, શ્રાવસ્તીના કાટયાધિપતિ અનાથપિંડક ને વૈશાલીની નગરવધૂ આમ્રપાલીના ભાજન-નિમ ંત્રણ એ સમાન ભાવે સ્વીકારતા. આ વિરલ દષ્ટિ, તત્કાલીન ગણુતંત્રીય લેકશાહીમાં શ્રદ્ધા રાખનાર આજના લેકામાં પણ એમને સર્વોચ્ચ આદર્શ માનવને સ્થાને પ્રસ્થાપે છે. સ્વતંત્ર ચિંતન અને પ્રાણીમાત્ર પ્રત્યેની અનુક’પાથી ઉભરાતા હૃદયવાળી આ વિભૂતિના તત્ત્વજ્ઞાનનું ઊંડાણુ, સરળતાથી રજૂ કરવાની શૈલી એવી લક્ષ્યવેધી હતી કે સત્વર એ શ્રેતાઓના મન તે બુદ્ધિમાં ઊતરી જતું. એમના ઉપદેશાના શ્રવણુથી ચેર, લૂંટારા તે હત્યારા સુધરી જતા તે રાજકુળના સભ્યા તથા સપન્ન દારિકા સવ"સ્વ ત્યાગી, એમનાભિખ્ખુસંધમાં જોડાઇ જતા. -ને આ બધું, એ જનતાની વાણીમાં કહેતા. તે વખતે ધાર્મિક તે આધ્યાત્મિક ક્ષેત્રની પ્રવૃત્તિઓ સસ્કૃતમાં થતી, જે ભાષા લેાકેાની પહેોંચ બહારની હતી. જનતાની વાણીમાં રજૂ થતુ ભગવાન બુદ્ધનું તત્ત્વજ્ઞાન સ`જન માટે સુલભ થઈ ગયું હતું. એમની સત્ત્વશીલ વાણીમાં રહેલા ઊંડા રણુકાના મૂળમાં હતી એમણે સાધેલી ઉચ્ચાર તે આચારની એકવાક્યતા. એમના ‘તથાગત’ નામમાં આજ રહસ્ય સમાયેલુ છે. ધર્મ ગ્રંથ દીધનિકાયમાં નોધાયુ છે- 'તે જે પ્રમાણે આચર કરતા, તેવુ' જ ઉચ્ચારતા તે જે ઉચ્ચારતા તે જ પ્રમાણે આચરણ કરતા; તેથી જ તા એમને તથાગત' કહેવામાં આવે છે. ‘કામયે દુઃખ તપ્તાનામ્ પ્રાણીનાસ્ થ્યાતિનાશનમ્’ ની ભાવના જીવનમાં શબ્દશઃ સાકાર કરનાર આ વિશ્વાના . દને પૃથ્વી પરના અનેક દેશે પર, પ્રજા પર ને સસ્કૃતિ પર જે ઊંડી, પ્રેરક તે દૂરગામી અસર કરી છે એ જગતના ઇતિહાસમાં અજોડ અને અપૂર્વ ઘટના છે. વિશ્વના મંચ પર આવુ* મહાન પાત્ર કદાચ, કાઈજ નહી જડે ! સાભાર – સ્વીકાર ઇશ્વરસ્મૃતિ લે, ગોવિન્દભાઇ, પ્રકા, એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ. શામળદાસ ગાંધી માગ, મુખમ ૪૦૦૦૦૨. કીમત ૨, ૫ ૦૦. ભારતીય કથા-સાહિત્ય લે. ડેા. હરિવલ્લભ ભાયાણી, પ્રકા. ભોગીલાલ લહેરચંદ ભારતીય સસ્કૃતિ સ’સ્થાન, પાટણુ (ઉ. ગુજરાત) કીંમત રૂ. ૨-૦૦, : અ વાટુ લે. આસમાન સાટી. પ્રા. કુંવર પબ્લીકેશન, ૫૦/૪ રામ સદન, બ્રાહ્મણવાડા કાસ રોડ, માટુંગા, મુ ંબઈ ૪૦૦૦૧૮ કીમત રૂ. ૫-૦૦, ટ્રસ્ટીશિષ: વિચાર અને વ્યવહાર સપા. હિંમત ઝવેરી અને ઇન્દિરા ડેાકટર, પ્રકા. ટ્રસ્ટીશિપ ક્ાઉન્ડેશન, ૨૦ યુથિકા, ૨૨ નૌ. ભચા માગ', મુબઇ ૪૦૦૦૦૭ કીમત રૂ. ૫-૦૦. ઘડતર અને ચણતર લે. નાનાભાઈ ભટ્ટ પ્રકા. શ્રવણ ટ્રસ્ટ, C/o. કુમાર કાર્યાલય, લિ. ૧૪૫૪, રાયપુર, અમદાવાદ ૩૮૦૦૦૧ કીમત રૂ. ૨૮-૦૦,
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy