________________
SSC
-
- ----
ન
મમય+
જો કે વ્યવહારમાં આમ જોવા મળતું નથી. પણ પરસ્પર હિત-વિરોધ જોવા મળે છે. અને એમાં તક્ષણ હિત સાધવામાં : સત્યનું આચરંણ બાધારૂપ બને તે ત્યાં, અસત્યાચરણ કરીને તાત્કાલિક હિત સાધી લઈએ છીએ એ ખરું, પરંતુ એ વ્યવહારને અનુભવ પણ એમ જે બતાવે છે કે એમાં વધુ અસત્યાચરણ કરવામાં જે પાવરધો તે વધુ હિત સાધી જાય છે. પરિણામે તે જેને આપણે માનવનું સર્વપ". સામાન્ય હિત કહીએ, તે પણ સધાતું નથી. માત્ર વ્યકિતગતહિત જ સંધાય છે. સરવાળે તે આ વ્યકિતગત હિત પણ ટકાઉ કે કાયમી રહેતું નથી. કારણ, તે બહુજનસમાજની અખે ચડે છે, અને વિરોધ કરીને તે હિત ૫ણું. બહુજન સમાજ આંચકી લે છે. .. - જ આ જ છે . . .
. . . . એટલે સરવાળે તે સાર એ જ નીકળે છે કે, સકળ જીવસૃષ્ટિના હિતથી જ એવું કઈ સત્યનું મૂલ્ય નથી અને સત્યધમથી જુદું કઈ માનવીનું કે જીવસૃષ્ટિનું હિતા સાધવું હોય તો સત્યનું કે સત્યરૂપી ધર્મનું પાલન આવશ્યક છે. આજે એ પાલન નથી થઈ શકતું એટલે અસત્યાચરણ કે ધર ... aઈ શકતું એટલે અસત્યાચરણ કે અધમ કરીને તાત્કાલિક હિત સાધી લેવાની આપણી વૃત્તિ છે તે ટૂંકી દૃષ્ટિની, ટુંકા લાભની છે. સંપૂર્ણ સત્યનું આચરણ કરવામાં આપણે માનવજાત અપૂર્ણ છીએ.. એ વાત સાચી, પણ ઋષિમુનિઓએ, સાધુસંતાએ, મહાપુરુષોએ સાધના કરી કરીને અનુભૂમિ મેળવીને સત્યને જ વિજય નિશ્ચિત ગણે છે. તે એના પરની આપણી શ્રદ્ધાને વધુ દઢ, બનાવીએ. આપણે અપૂર્ણ માણસે સંપૂર્ણ સત્યનું પાલન ન કરી શકીએ પણ સત્યને વિજય થાય છે એવું શ્રદ્ધાબળ છે. ધરાવી જ શકીએ. આ શ્રદ્ધાબળ જ માણસજાતને ટકાવે છે, આગળ વધારે છે.
સત્યમેવ જયતે' સૂત્ર નથી, સત્ય છે. સત્ય ઉપરના આ શ્રધ્ધાબળને કઢાવીએ, વધારીએ.
આવું શ્રધ્ધાબળ જ સત્યનું આચરણ પણું સુલભ બનાવશે.
- - - - - તા. ૧-૪-૮૩ એ જ અમૃતલાલ શેઠ અચામાં કહ્યું કે મેં પત્રવ્યવહાર બીજેથી મેળવ્યા છે. એ બાબત ; હું આપને કદાચ ૨૪ કલાકમાં જ ખાત્રી કરાવી આપીશ.”ને અમૃતલાલ શે પિતાનું વચન ૨૪ કલાક પૂરા થાય તે પહેલાં જ પાળી બતાવીને ગાંધીજીના મનનું કૅથાશક, સમાધાન કર્યું. : નાયર નામના એક નટખટ સંવાદદાતા મારા એમને શું રંધાઈ રહ્યું છે તેની ચણભણ વાત જાણવા મળેલી..ને એમને પત્રકારનો જીવડે “રંગડો' રાખવાં થનગની ઉઠશે. દેશના વિભાજન જેવી ગંભીર મેં મહત્વની સમસ્યા પર લેકમતને જાગૃત કરીને તેને કેળવવાની એક પત્રકાર તરીકેની પિતાની ફરજ માનીને.. તેમણે નાયર મારફત ઝીણુના બે સેક્રેટરીઓને સાધેલા.. ગાંધીજીને અભિપ્રાય એ હતો કે લાંચ-રૂશ્વતમાં કોઇને લાવીને. સમાચાર મેળવી તેને પ્રસિદ્ધ કરવામાં નીતિ નથી, અનીતિછે. સાંભળીને અમૃતલાલ શેઠે વિનમ્રતાથી પણ કાંઈક અંશે ધંધવાઈને જવાબ આપેલ કે બાપુ, હું દૈનિક અખબારનું સંચાલન કરૂં છું, સાબરમતીના આશ્રમનું નહિ. ... ,
બીજી જ સવારે ઝીણાએ ગાંધીજીને લખેલા પત્રની શબ્દશઃ પ્રતિલિપિ અમૃતલાલ શેઠે ગાંધીજીના હાથમાં મૂકી, ને કહ્યું કે મૂળ પત્ર ઝીણાના મલબાર હિલના બંગલેથી સંદેશવાહક જોડે રવાના થઈ ચૂકયે છે ને લગભગ અરધી. કલાકમાં આપને મળી જશે. બરોબર એ પ્રમાણે જ ઝીણાને પત્ર ગાંધીજીને મળ્યા. ને અમૃતલાલ શેઠે એમના હાથમાં થડીવાર પહેલા મૂકેલી પ્રતિલિપિ સાથે સરખાવતા તેમાં કાનામાત્રને પણ ફરક જણાયે નહિ. વસ્તુતઃ એ પ્રતિલિપિ ટંકણયંત્ર પર ઉતારેલી મૂળ પત્રની “કાર્બન કોપી” જ હતી. ને ગાંધીજીને પ્રતીતિ થઈ કે, અમૃતલાલે સચ્ચાઈને ચાલે ચાતર્યો નથી. લાંચ-રૂશ્વતની અનીતિ પરત્વે અમૃતલાલ શેઠે ખુલાસે કરેલે કે ઝીણાના બન્ને સેક્રેટરીઓને એક એક સુટનું કાપડ ભેટ કરવા સિવાય ઈતર કંઈ જ આપવામાં આવ્યું નથી.
ગાંધીજી જાણતા હતા ને પરિચયમાં આવનાર સહુ કોઇ જાણતા હતા કે અંગત તેમજ જાહેરજીવનમાં, આત્યંતિક સેવાભાવથી ને પ્રખર દેશપ્રેમથી અનુપ્રાણિત એવા અમૃતલાલ શેઠ કદી પણ સચ્ચાઈ ને પ્રમાણિકતાને ચીલે ચાતરતા નથી. માલામાલ કરી દેવાના અનેકવિધ પ્રલોભને પ્રત્યે એમને એકમેવ તુચ્છકારભર્યો પ્રતિભાવ હતો કે-સિંહ કદી ખડ ખાય નહિ'. છેક ઉપરથી છેક નીચે સુધી, ખાયકી ને ભ્રષ્ટાચારથી ખદબદતા દેશના રાજકારણ, જાહેર સેવાઓ અને જાહેર જીવનને જોઈએ છીએ ત્યારે અમૃતલાલ શેઠ. જેવા નિભીક પત્રકાર ને લેકનેતાની નિષ્ઠા, પ્રમાણિકતા, ખમીર ને ખુમોરીની વાતે ‘કિવદંતિ' જેવી ભાસે તેમાં આશ્ચર્ય નથી. '
ગાંધી-ઝીણા પત્રવહેવારને લગતી ઉપર આપેલી વિગતે મેં સ્વ. અમૃતલાલ શેઠના રવમુખેથી એકથી વધુ વખત સાંભળી છે ને તે પ્રમાણે અત્રે પ્રસ્તુત કરી છે. ખાસ તો એટલા માટે કે શ્રી યશવંત દોશીના નીચેના વિધાન અંગે બેડી ગેરસમજ થવાનો સંભવ છે.
અમૃતલાલ શેઠને મત એ જાતે હો, કે રાષ્ટ્રના લાભ-નુકસાન સાથે પત્રકારને કઈ લેવાદેવા નથી. એમની દષ્ટિએ પત્રકારની ફરજ ગમે તેમ કરીને હકીકત મેળવવાની
અd
ન જ કીર્તિકાન્ત શેઠ ઉપરના શીર્ષક તળે તા. ૧૬-૧૦-૮૨ ના અંકમાં શ્રી યશવંત દોશીને સંતુલિત અને વિચારણીય લેખ વાંચીને તેના અનુસંધાનમાં થેડી વિગતની પૂતિ કરવાના લેભનું સંવરણ કરી શકતા નથી.
ગાંધીજીની નારાજગીનું બીજુ પણ સબળ કારણ હતું. ગાંધી-ઝીણા પત્રવ્યવહાર “જન્મભૂમિમાં પ્રસિધ્ધ કરવામાં આ તેથી ઘુંઘવાઈને ઝીણાએ ગાંધીજીની શુધ્ધ બુદ્ધિ ને પ્રમાણિકતા પર આક્ષેપ કરેલે, કે પત્રવ્યવહાર જાણીબુઝીને પ્રકટ થવા દેવામાં આવ્યો છે, ને તેની બધી જવાબદારી ગાંધીજીની છે. '
ગાંધીજીને દુઃખ થયું. તાબડતોબ અમૃતલાલ શેઠને બોલાવીને તેમણે કહ્યું: “અમૃતલાલ, કોઈને ત્યાં નહિ ને મારે ત્યાં ખાતર પાડયું?” અમૃતલાલ શેઠ એકનિષ્ઠ ગાંધીભકત હતા. ગાંધીજી એ જાણતા હતા. એટલે તો એમની ઉંડી વ્યથા ઉપરના શબ્દોમાં વ્યકત કરેલી.