________________
૨પર
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૩-૮૩
નંદગાંવ : અમારી મુલાકાત
સંકલન શાંતિલાલ ટી. શેઠ.
ખે સાઉથ રોટરી કલમે થાણા જિલ્લાના મોર ગામની માનજીક અાવેલ નંદગાંવને દત્તક લીધું છે, જે મુંબઈથી સો કીલે
મીટર અને પાલઘરથી ૨૦ કીલો મીટર દૂર છે. બોરીવલી, વીરાર -અને થાણુથી બસમાં ત્યાં જવાય છે. નંદગાંવમાં ૧૧૮ કુટુંબેની ‘કુલ ૮૭૦ ની વસતિ છે. મોટે ભાગે ગરીબીની રેખા હેઠળ " cજીવતા આ લોકોને ચોમાસામાં થોડી મજૂરીનું કામ મળે છે, "આજના દિવસેમાં નવરાશ. એટલે દારૂની લત લાગી જાય. પાણી
માટે ત્યાં એક જ કૂવે છે. એટલે પીવાના પાણીની ૫ણું ખેંચ રહે છે. નાના ઘાસના ઝુંપડામાં વસતા આ લેકેને પહેરવેશ થયું ફાટયે-તૂટ હોય છે. ખેરાક ૫ણુ એક ટંક મળે તે મળે,
આવા આ ગાંવને દત્તક લઈ, ગ્રામ સુધારણાનું પાયાનું કામ કરનાર બેખે સાઉથ રોટરી કલબની પ્રવૃત્તિઓના નિરીક્ષણ માટે કલબના અધિકારી શ્રી જે. પી. શાહ અને -ળકી એન. આર. શાહે શ્રી મુંબઈ જૈન યુવક સ ધની કારોબારી -સમિતિના સભ્યોને નંદગાંવની મુલાકાત લેવાનું નિમંત્રણું આપ્યું. તા. ૨૦-૨-૧૯૮૩ ના રોજ અમે નંદગાંવ ગયા અને ત્યાંનું કામ જોઇને તથા અમારી મુલાકાત માટે મુંબઈથી જવા આવવાની • તથા ભોજન વગેરેની સુંદર વ્યવસ્થા જેને અમે બહુ પ્રસન્નતા અનુભવી. ત્યાંની પ્રવૃત્તિઓની ટૂંકી વિગત નીચે પ્રમાણે છે.
આ પ્રવૃત્તિને પ્રાણુ છે, મુંબઈના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ‘ડે. એ. જે. શાહ. છેલ્લા દસ-બાર વર્ષથી તેઓએ ત્યાં દવાખાનું શરૂ કર્યું છે અને વિનામૂલ્ય સેવા આપે છે, દર - શનિ-રવિવારે તેઓ મુંબઈથી ત્યાં જાય છે અને તયાર
દવાઓ લેવાને બદલે તેઓ ત્યાં હાથે દવા બનાવે છે અને * દરદીઓની ચિકિત્સા તેમ જ સારવાર કરે છે. તેમની ગેરહાજરીમાં એમને નેકર સારવાર કરે છે અને ડો. એ. જે. શાહે તેને સારવાર અંગેની તાલીમ પણ આપી છે.
ગરીબીને કારણે એક ટંક પૂરતું પણ ખાવા ન મળે, એટલે પિષણનો અભાવે માંદગી આવે, આ માટે ડો. એ. જે. શાહે દરરોજ એક વખત છોક્ષ આપવાની શરૂઆત કરી છે અને એનું પરિણામ પણ સારું આવ્યું છે. જાતજાતના -જહેમાના કારણે શરૂઆતમાં દવા ન લેતા ગ્રામવાસીઓને એમણે ધીમે ધીમે વિશ્વાસ સંપાદન કર્યો છે.
ઓખે સાઉથ રોટરી કલબે પણ આ ક્ષેત્રમાં થોડા વર્ષોથી રસ ઘટે શરૂ કર્યો અને ગ્રામ સુધારણાનું કાર્ય હાથ ધયુ. નંદગાંવને પાંચ વિભાગમાં વહેંચી દીધું છે અને સારા ઝુંપડા બધી આપી રહેઠાણની સમસ્યા હળવી કરી. ત્યાર બાદ પ્રત્યેક ઝુંપડાને વિજળીની સુવિધા પૂરી પાડવામાં આવી. શિક્ષણ માટે પ્રાથમિક શાળા શરૂ કરી અને હાલ ૧૦૦ બાળકે અભ્યાસ કરે છે, એ વવદ્યાથીઓએ એસ. એસ. સી. ની પરીક્ષા પણું આપી છે.
એક “બાળ મંદિર પણ શરૂ કર્યું છે, જેમાં ૩૫ બાળકે અભ્યાસ કરે છે. આ બાળ મંદિર’ ‘સમાજવાદી મહિલા મંડળ, પૂના -તરફથી ચાલે છે. ત્યાંના શિક્ષણ અંગેની જવાબદારી માટુંગાની
એમ. એમ. પી. શાહ મહિલા કોલેજના પ્રા. મૃદુલાબેન શાહ સંભાળે છે. તેઓ પણ પ્રાય: દર શનિ-રવિવારે નંદગાંવ જાય છે. ના દર મહિનાના ત્રીજા રવિવારે ગ્રામવાસીઓનું સમૂહ ભોજન ચી જાય છે ત્યારે એણે સાઉથ રોટરી કલબના અધિકારીએ ત્યાં અચૂક જાય છે અને એમની સાથે ભોજન વધે છે. ગ્રામ્યવાસીઓને સંકેચ દૂર કરવામાં અને એમને વિશ્વાસ સંપાદન કરવામાં સહભોજનની આ સૂઝે મહત્ત્વનો ભાગ | ભજવ્યું છે. અસ્પૃશ્યતાને ખ્યાલ પણ આથી દૂર કરી શકાય છે
આ બધી પ્રવૃત્તિઓના નિરીક્ષણથી અમને ખૂબ જ 'તેષ થશે અને કાર્યકરને અંતરથી ધન્યવાદ આપ્યા.
પૃષ્ઠ ૨૪૪ પરથી ચોલુ છે: (૧) રતિ (૨) પ્રજોત્પત્તિ અને (૩) ધર્મસંપત્તિ. આ ત્રણમાં પહેલા કરતાં બીજો અને બીજા કરતાં ત્રીજો હેતુ ચઢિયાત છે. કેઈકના જીવનમાં કોઈ પણ એકને, કોઈકના જીવનમાં બેને અને કાઈકમાં એ ત્રણેયને સ્થાન હોઈ શકે. સામાન્ય લોકોના જીવનમાં માત્ર રતિને સ્થાને હોય છે, પ્રજોત્પત્તિ તે એની મેળે થાય તે થાય અને ધર્મસાધનાની તે એમને સ્વપ્નેય કલ્પના હોતી નથી. એમનાથી ઉચ્ચતર કક્ષાનાં દંપતીઓમાં ત્રણેય હેતુઓને સ્થાન હોય છે, પરંતુ કઈક વિરલ ઉચ્ચતમ દંપતીઓનાં જીવનમાં રતિ અને પ્રજોત્પત્તિ નહીં પહેલેથી માત્ર ધર્મસાધનાને જ સ્થાન હોય છે. આપણું શાસ્ત્રકારોએ પત્નીને માટે “સહધર્મચારિણી” શબ્દ પ્રય છે તેમાં સ્થલ જીવન-વ્યવહારથી માંડીને સૂક્ષ્મતમ અધ્યાત્મિક સાધના સુધીને અર્થમાં રહેલી છે.
ત્યાગ, સંયમ, સહકાર, સહિષ્ણુતા ઈત્યાદિની ભાવના વિના દામ્પત્યજીવન લાંબા સમય મન દમય રહી ન શકે. કમભાગરહિત દામ્પત્યજીવન પણ ઉલ્લાસમય હોઈ શકે એવું દુનિયાના બહુ ઓછી દેશના લોકોને પ્રતીત થતું હોય છે. લગ્નની પ્રથમ રાત્રિથી જ પિતાની આઠેય પત્ની સાથે દીક્ષા લેનાર જમ્મુમાર અથવા એકબીજાની જાણ વિના એકથી શુકલ પક્ષની અને બીજાથી કૃષ્ણ પક્ષની બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવાઈ જતાં તે સાચી નિષ્ઠાથી જીવનભર નિભાવનાર વિજય શેઠ અને વિજ્યા શેઠાણીના ઉલ્લાસમય અને આરાધનામય દામ્પત્યજીવનની અને એવા બીજા કેટલાંયે દંપતીઓની વાત તે પશ્ચિમના જગતને ગળે ન ઊતરે તેવી છે.
અલબત્ત, ભારતમાં બધાંનું લગ્નજીવન બહુ સુખી હોય છે, એમ તે ન જ કહી શકાય.
ભારતમાં સ્ટાછેડા જલદી લેવાતા નથી. કાયદાની દૃષ્ટિએ યુરોપ-અમેરિકા જેટલું સહેલું પણ નથી, પરંતુ જે એ સરળ બને છે અને લેકનિંદાનું કારણ ઓછું થાય તે સહેજે પાંચ-પંદર ટકા એવાં દંપti એ હેઈ શકે કે જે છૂટાછેડા લઈને વધુ સુખી થઈ શકે ધન અને સાસુને ત્રાસ, આર્થિક પરતંત્રતા, એકલા રહેવાની હિંમતને અભાવ, લેકનિંદાને ડર, કેટલીક સામાજિક પ્રતિકૂળતાએ-ઇત્યાદિ કારણે સ્ત્રી છૂટાછેડા લેતી નથી અને લાચારીથી જીવન પૂરુ કરે છે. કેટલીક કાયમ માંદી રહેતી સ્ત્રીઓની, વિધવા બન્યા પછી તબિયત સુધરતી જાય છે તેમાં પણ આવું એક કારણ રહેલું હોય છે.
દામ્પત્યજીવનમાં પતિ-પત્ની બંનેના પક્ષે કેટલીક સહિષ્ણુતાની અપેક્ષા રહે છે. પતિ અને પત્ની વચ્ચે વય-ભેદ, શિક્ષણ-ભેદ, રુચિ-ભેદ, દ્રષ્ટિ-ભેદ, લક્ષ્ય-ભેદ વગેરેના કારણે મતમતાંતર અવશ્ય હોઈ શકે. એમાં સહકાર, સહિષ્ણુતા અને સમભાવ હોય તે દામ્પત્યજીવન સમગ્ર દામ્પત્યજીવન એક પણ ઉગ્ર શબદ વિના સુસંવાદી રહ્યા કરે અને પ્રેમમય ચાલ્યા કરે એવું તે સામાન્ય રીતે અસંભવિત ગણાવું છે.
લગ્નજીવનમાં સ ધર્ષ કે વિસંવાદ, બકરીના યુદ્ધ, ઋષિના શ્રાદ્ધ અને પ્રભાતિની મેધગજનાની જેમ અપજીવી હોય છે?
अजायुद्धमृषिश्राद्धं. प्रभाते मेघडम्बरम् । _स्त्रीभर्तुः कलहश्चैव चिरकालं न तिष्ठति ॥ વિસંવાદનું વાદળ પસાર થઈ જાય એટલે ફરી પાછું દામ્પત્યજીવન સુસંવાદી બને છે. માટે જ જે ડાહ્યા સ્ત્રી-પુરુષે મતભેદ કે તકરારની નજીવી બાબતેને બહુ મોટું રૂપ આપતાં નથી, તેમનું દામ્પત્યજીવન સરળતાથી ચાલે છે.
સુખી દામ્પત્યજીવન એ પણ એક કળા છે, જેને એ હરતગત છે તેને આવા પ્રશ્નો નડતા નથી.
!
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રેડ મુંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન : ટ્રેડ પ્રિન્ટર્સ, જગન્નાથ શંકર શેઠ રેડ, ગિરગામ, મુંબઈ ૪ ફેન ઃ ૩૫૬૮૩ર