________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૩-૮૦
આપણે આવું અનુકરણ કરીએ તો?
* મૂળ લેખક: આટબુચવાહક આપણે દેશ સ્વતંત્ર થયે, કેટલા બધા બલિદાન પછી આપણને સ્વતંત્રતા મળી. આને લીધે મમય ભારત વર્ષમાં આનંદ વ્યાપી ગયે. પરંતુ પરિસ્થિતિએ એવો વળાંક લીધે કે જેમને પ્રજાનું રક્ષણ કરવા માટે સત્તાસ્થાને આરૂઢ થી એ લે કે જ ભક્ષણ કરનારા નીવડયો. એટલે આપણને થોડા વિચારમાં મૂકી દે એવો આ લેખ પ્રગટ કરવાની ઉત્કંઠા જાગી.
આજે કાળાનાણાનું જાણે સામ્રાજય વ્યાપી ગયું છે. દેશદાઝ જેવી વસ્તુ જેમના દિલમાં નથી એવા શાસકે આજે ભ્રષ્ટ બની ગયા છે અને પિતાની સત્તા કેમ ટકી રહે અને પિતાને વૈભવ કેમ વધે એ જ વિચારસરણીથી વહીવટ ચલાવી રહ્યા છે અને વૈરભાવના અગ્નિદ્વારા દેશ આખાને રગદોળી રહ્યા છે આમ કરીને તેઓ સમગ્ર દેશને ભારે મોટું નુકશાન કરી જહ્યા છે. એટલી ભાન-સોન પ તેમણે ગુમાવી દીધી છે.
આપણે ઘણી બધી બાબતમાં પરદેશનું અનુકરણ કરવામાં શુગ છીએ. પરંતુ એ અનુકરણ બેટી વાતનું જ કરીએ છીએ-તેમના સગુણનું નથી કરતાં, તેને આપણું મેટું દુભાગ્ય ગણાવી શકાય.
સ્વતંત્ર ભારતમાં દરેક નાગરિક સ્વતંત્ર છે. સો કોઈને પિતાના યુનિયન રચવાનો અધિકાર મળે છે, ચા કાઢવાની પણ છૂટ મળી છે. એ છૂટને ઉપયોગ આપણે ત્યાં બેટી રીતે થઈ રહ્યો છે. એ મરચાઓ તોફાની બની જતા હોય છે, આને કારણે સામાન્ય જનને ઘણો ત્રાસ પડતો હોય છે અને કયારેક તે આને કારણે સામાન્યજનની સહી સલામતી પણ જાણે ભયમાં મૂકાતી હોય એમ લાગે છે !
આ બધા પછી એવો પ્રશ્ન થાય છે કે આવા ખોટા અનુકરણને બદલે જે દેશ માટે ખૂબ જ લાભદાયક થઈ પડે એવું આપણે જાપાનનું અનુકરણું કરીએ તે? તે દેશને કેટલે માટે લાભ થાય? આમ કરવામાં મજૂરો તેમ જ માલિકેસોએ પિતાનો દ્રાંચે બદલવો પડે અને દેશદાઝની વૃત્તિ કેળવવી પડે તેનાં આપણને નીચેનાં લખાણમાં સ્પષ્ટ દર્શન ‘ચાય છે.
આ લેખકને લેખ મૂળ હિન્દુ’ પત્રમાં પ્રગટ થયા હતા, તેમાંના મહત્ત્વની છેડા મુદ્દાને આપણે અભ્યાસ કરીએ.
તેમાં લખ્યું છે કે જાપાનમાં કઈ મીલ કે કારખાના કદી બંધ રહેતાં જ નથી, એનું ઉત્પાદન કદી અટકતું નથી, અને તેથી મજૂરોની રોજી અટકતી નથી. ત્યાં હડતાળ પડે છે, પરંતુ ત્યાં હડતાળની રીત અનેખી છે. મજુરો, તેમના વેતન માટે કે કામ માટે નાખુશી વ્યક્ત કરે છે, પરંતુ કામ અટકાવીને -હિ. તેઓ અવાજ જરૂર ઉઠાવે છે, પરંતુ દેશને નુકશાન થાય એ રીતે નહિ. કારણ, ત્યની જનતામાં દેશપ્રેમ છે, અને કઈ દેગ્નપ્રેમી પિતાના દેશને નુકસાન થાય તેવું કદાપિ ' ઇચછે નહિ; કરે નહિ.
લેખકે લખ્યું છે કે, “મારા એક મિત્ર જાપાનના શહેર કિયામાં કારખાનું જોવા ગયે, તે કારખાનામાં ટી. વી. સેટ બની રહ્યા હતા. બધા જ કારીગરો બરાબર કામ કરી રહ્યા -હતા, પરંતુ બધાએ માથે લાલપટ્ટી બાંધી હતી. તે જોઈને મિત્રે પૂછ્યું કે “આને શું અર્થ છે કારખાનાના
મેનેજરે કહ્યું : “એને અર્થ એ છે કે આ બધાં અહડતાળ ઉપર છે. આ રીતે પટ્ટી બાંધીને તેમને વિરોધ દર્શાવી રહ્યા છે.' આ સાંભળી મિત્રને ભારે આશ્ચર્ય થયું અને
અનુવાદક : રંભાબહેન ગાંધી તેણે પૂછ્યું કે “હડતાળ પર હોવા છતાં કામ તે બરાબર કરે છે, આને હડતાળ કેવી રીતે કહેવાય?”.
હડતાળ પાડવા છતાં કારીગરો કામ કરે છે અને “ગો-લે’ પણ નથી કરતા એ જોઈ મિત્રને ભારે આશ્ચર્ય થયું અને તેટલું જ આશ્વર્ય મેનેજરને મિત્રના પ્રશ્નથી થયું. એણે મિત્રને કહ્યું કે “કામ કેવી રીતે અટકાવાય? ઉત્પાદન અટકે તે તેમને પિતાને નુકસાન થાય, પગાર ન મળે અને દેશને પણ નુકસાન થાય—એ કેમ પરવડે ?'
“અસંતોષ જાહેર કરવાને એમને અધિકાર જરૂર છે, પરંતુ દેશને નુકસાન પહોંચે એ રીતે નહીં એ લેક આ રીતે પટ્ટી બાંધીને તેમને અસંતોષ જાહેર કરે છે અને અમે પણ અરસપરસ મળીને તરત જ સૌને સંતોષ થાય એવું નિરાકરણ શોધી કાઢીએ છીએ.” મિત્રે પૂછ્યું, “આ લકે કંઈ ભગફેડ કરતાં નથી ? મેનેજરે કહયું, ‘એવી કલ્પના પણ કેમ કરી શકાય? ભાંગફેડથી તે દેશને જ નુકસાન થાય ને? કોઈ પણ દેશપ્રેમી દેશને નુકસાન કરે ખરો? હા, આવી લાલ કે કાળી પટ્ટી ઉપરાન્ત આ લેકે એમને અસંતેષ બીજી રીતે પણ જાહેર કરે છે, તે બધા કામના સમય કરતા પંદર મિનિટ વહેલાં આવે છે અને બહાર ચાકમાં શાંતિથી ઊભા રહીને એવા ગીત ગાય છે, જેમાં એમનાં દુઃખન, કચ્છનાં વર્ણન આવે છે, એ સાંભળીને મેનેજમેન્ટને વિચાર આવે છે કે આપણે એમને પૂરા સંતોષી શકયા નથી, અને તેમની માગણી અંગે વિચાર કરતાં એમ લાગે છે કે એમની ફરિયાદ સાચી છે. અને એ બાબત ગંભીર વિચારણા કરી તરત નિર્ણય લેવાય છે અને એ રીતે પ્રશ્નને ત્વરિત ઉકેલ આવી જાય છે.” - મિત્રને આ રીત સાંભળીને ભારે આશ્ચર્ય થયું, કારણ કે તેણે પિતાનાં દેશમાં અનાથી વિપરીત રીતના દર્શન થતાં હતાં. એટલે મિત્રે ફરીથી પૂછયું કે “એ લેકે ટી. વી. સેટને નુકસાન કરતા નથી? અથવા તે ખામીવાળા બતાવવાનો પ્રયત્ન કરતા નથી ?' મેનેજરે કહ્યું કે “ના દેશપ્રેમી માણસ એવું કેમ કરી શકે? તેઓ તેમના મૌન દ્વારા જ અમારી અને ખેલી નાંખે છે, અને મેનેજમેન્ટ તુરત જ મીટીંગ બોલાવીને વ્યાજબી ઉકેલ શોધી કાઢે છે. કારણું, અમારે ત્યાં કઈ કારખાનામાં, મીલમાં કે અન્ય જગ્યાએ હડતાળ પડે તે મેનેજમેન્ટ માટે જ શરમરૂપ ગણાય છે. હા, હમણું અમારે ત્યાં થોડા અંશમાં અમેરિકાને પવન અગ્યા છે. અને તમારી જેમ ક્રાંતિમાં માનનારો એક નાનકડો વર્ગ ઊભો થયે છે, એટલે એમની ચડામણીથી “સબ-વેમાં એવી હડતાળ પડી હતી ખરી, મિત્રે પૂછયું, ત્યારે તમને ઘણી મુશ્કેલી પડી હશે?” મેનેજરે કહ્યું, ખાસ નહિ. કારણ, અમારી લે તેમાં દેશાભિમાન હતું, તમારે ત્યાં છે, એવી ઉગ્રતા નહેાતી જ, તેથી હડતાળ એક જ દિવસની પાડી-રવિવારે ત્રણ વાગ્યા પછી, જયારે ઓછો પેસેન્જરો હોય.”
આ વાંચ્યા પછી એવો પ્રશ્ન મનમાં થાય કે આપણે ત્યાં પણ એવું અનુકરણ કરીએ તો ?
પણ આપણે ત્યાં, યુનિયનોના લીડરોમાં મજૂરોમાં કે માલિકામાં દેશદાઝ જેવી વરતુ જ કયાં છે ? આ બધા જ તકવાદી છે, તક મળતાં જ માથો ઊંચા કરે છે અને જનતાને રંજાડે છે. આ રીતે પિતાના દેશની પાયમાલી કરી રહ્યા છે. - મનમાં પ્રશ્ન થાય છે કે સ્વતંત્રતા માટે લડનારાઓમાં જેવો શુદ્ધ દેશપ્રેમ હતો તેવા દેશપ્રેમને શું આપણે સદંતર દેશનિકાલ જ કરી દીધો છે?