SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૨૮૩ સર્જનાત્મક સાહિત્યના પ્રકાશનની જરૂરિયાત જૈન સાહિત્યની સંભવિત નવી ક્ષિતિજો તરફ અગૂલિનિર્દેશ કરતાં એમણે કહયું: ‘પ્રકાશન થતાં જૈન સાહિત્યમાં આજે સજતા કેટલી છે અને પરંપરાગત કેટલુ છે એ પ્રશ્ન વિચારવા જેવા છે. શુધ્ધ જ્ઞાન અંગેનુ સાહિત્ય માત્ર આપવાને બદલે સજનાત્મક સાહિત્યના પ્રકાશનને વિશેષ મહત્ત્વ આપવાની જરૂર છે. આજે પ્રકાશિત થતાં જૈન સાહિત્યમાં ૯૦% સાહિત્ય પર પરાગત અને સાધુ પ્રણિત કે પ્રેરિત છે; ૮% સાહિત્ય વિવાદ અને પરસ્પર સબ' અ ંગેનુ છે અને માત્ર ૨% સાહિત્ય સર્જનાત્મક સાહિત્ય છે. આ ક્રમ ઉલટાવવા જોઇએ. પ્રકાશન થનાર સાહિત્ય અંગે નિષ્ણુ'ય કરનારી અનુભવી અને નિષ્પક્ષ સમિતિ એનુ` મૂલ્યાંકન કરે ત્યારખાદ જ જૈન સાહિત્યનું પ્રકાશન થાય એવી વ્યવસ્થા થાય તે આ ક્રમ સહેલાથી ઉલટાવી શકાય. પ્રબુદ્ધ સામયિક અને પ્રકાશન: સ્વતંત્ર સામાજિક સ્વરૂપ સર્જનાત્મક સાહિત્યના વિવિધ સ્વરૂપે જેવા કે કાવ્ય, નાટક, નવલકથા, નવલિકા, નિધ, સામયિક, અનુવાદ, લઘુકથા આદિના સર્જન તરફ વળવાની જરૂરિયાત પર ભાર મૂકીને સામયિક અને જૈન પત્રાનુ સ્વતંત્ર સામાજિક સ્વરૂપ નથી એમ એમણે જણાવ્યું હતું. સમીક્ષા, તાત્ત્વિક કે નિતાંત પર પરાગત સાહિત્ય સકાલીન નથી અને એની ભાષાશ લીમાં પણ કાઈ ઉલ્લેખનીય પવિતન નથી એમ જણાવીને ડૉ. તેમજી જૈતે વાચક વર્ગની જાગૃતિના અભાવે સમજદાર વાચવુગ' તૈયાર થયા નથી એમ ઉમેયુ" હતુ. એમણે વધુમાં જણાવ્યું : 'શૈલી કે ભાષા વિજ્ઞાનની દૃષ્ટિએ જૈન સાહિત્યનુ ગૃહેન મૂલ્યકિન પત્તુ નથી અને વિગતુ' એ તરફ લક્ષ ગયું નથી. લેખકાની અધ્યયન વૃત્તિને ખીલવવી અને અલગ અલગ મહત્ત્વપૂણ' લેખાના વ્યક્તિ-કાશના પ્રકાશનનું કાય હાથ ધરવું જોઇએ. આ માટે દાલનપરક માનસને ખલે સમૂહ માનસના વિકાસ તરફ લક્ષ આપવું જોઇએ અને ખાલ સાહિત્ય, ક્રિશાર સાહિત્ય, પાઠય પુસ્તક અાદિ સાહિત્યના પ્રકાશનની મહત્વપૂર્ણ દિશામાં કામ કરવું જોઇએ.’ જૈન ગુર્જર સાહિત્ય : અમૂલ્ય સંદ` સાધન પ્રા. જયંત કાઠારીએ જૈન ગુર્ સાહિત્યનું” અમૂલ્ય સંદર્ભ સાધન' વિષે ખેાલતાં જણાવ્યું : ગુજરાતી ‘સાહિત્ય પરિષદ ગુજરાતી સાહિત્યના કાશનુ કામ કરે છે. ઇ. સ. ૧૮૫૦ સુધીની કૃતિઓ અને કર્તાઓમાં મેટા ભાગની કૃતિઓ અને ર્તા જૈન છે. એ માટે અમે જૈન ગુજર કવિઓ' (ત્રણ ભાગમાં)ના મુખ્ય આધાર લીધેા છે, શ્રી માહનલાલ દલીચંદ દેસાઈએ કરેલુ કામ અદ્ભુત છે. એકલે હાથે આવું મહાભારત કામ થઇ શકે એની આજે પના આવવી મુશ્કેલ છે.' શ્રી માહનલાલ દલીચંદ દેસાઇના કામનુ સામગ્રી અને પદ્ધતિની દૃષ્ટિએ ધણું મહત્ત્વ છે એમ જણાવી પ્રા. જયંત કાહારીએ કહ્યું : વ્યવસાયે વકીલાતના ધંધામાં વ્યસ્ત એવા એમણે વૈજ્ઞાનિક પદ્ધતિએ ામ યુ" એ સામે મારું મસ્તક નમે છે. આમ તા એ હસ્તપ્રતાની યાદી છે. એમાં કૃતિના સ્મારભ અને અત, મંગલાચરણુ અને પ્રશસ્તિ આપવાથી કૃતિ સમય, ગુરુ પરંપરા, કર્યાં વગેરે ઐતિહાસિક ખાખતા નક્કી કરવામાં સરળતા રહે છે. આ બધામાં ઋગત્યની ખાખત એ છે કે સતત જાગૃતિથી એમણે નવી માહિતી અને અથ ધટનના આધારે શ્વેતત સુધારા કર્યાં છે. તદુપરાંત એમણે જે સૂચિ આપી છે 9 ન ર૪૧ એવી સૂચિ થ્યાજ સુધી મેં ગુજરાતી ગ્રંથામાં કર્યાંય જોઇ નથી. ૪૦૦૦ પૃષ્ઠોના આ પ્રથામાં ૨૨૬ પૃષ્ઠ સૂચિના છે. એમાં કર્તા સૂચિ, કૃતિ સૂચિ, વગીકૃત સૂચિ, જેમ કે, રાસા, લોકકથાઓ વગેરેની સૂચિ, ગદ્યકારની અલગ સૂચિ અને હસ્તપ્રત લિપિબધ્ધ થયાની સાલના સમાવેશ સાથે આપી છે. સ્થાન અને રાજકર્તાએની પણ સૂચિ આપીને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં એવી કૃતિની નિર્ણાયકતાના દરવાજા એમણે ખેાલી આપ્યા છે. આ ઉપરાંત પૂરક સામગ્રી, ગુરુ પટ્ટાવળી, કથા નામકાષ, દેશીઓની કકકાવાર અનુક્રમણિકા અને સૂચિથી સ શાષકના માગ' સરળ થયા છે અને એટલે વિશધી પુરાવા ન મળે તે જૈન ગુર્જર કવિઓ'ના આ ગ્રંથને અમે અધિકૃત ગણીએ છીએ.’ જૈન ભંડારા: સાચવણીની વિશિષ્ઠ પરિપાટી જૈન સાહિત્યની આ વિભાગીય ખેઠકના સંચાલક ડી. રમણુભાઇએ સમાપન કરતાં કહ્યું : 'જૈન ધમ'માં સાહિત્ય કૃતિ લખાય એ જ્ઞાન છે. તેની આશાતના ન થાય એટલે કાળજીપૂર્વક સાચવણીની એક વિશિષ્ટ પરિપાટી ઊભી થઈ. એના પરિણામે ગ્રંથ ભડારા ઊભા થયા અને એ ભંડારા સાર્વજનિક થયા. એમાં માત્ર જૈનાની કૃતિઓ સચવાઇ છે એવું નથી. આવા ભડારામાં વીસ લાખથી પ વધુ જૈન જૈનેતર હસ્તપ્રતા અત્યારે મળે છે. એમાં કેટલીય હસ્તપ્રતો અમૂલ્ય અને ભાગ્યે જ મળે એવી અલભ્ય છે. ઉદ્યોતનસૂરિ કૃત ‘કુલયમાળા’ નામક ગ્રં′થની જેસલમેર અને [ડારકર ઇન્સ્ટીટયુટના સંગ્રહમાંથી માત્ર એ જ હસ્તપ્રત મળી અને ડા. આદિનાથ નેમિનાથ ઉપાધ્યેએ એનુ સાધન-સપાન કર્યુ. પ્રાકૃત ભાષાના કથાના પ્રકારને છતાં ધમ તત્ત્વને વણી લેવામાં આવેલા આ અદ્ભુત ગ્રંથ છે. બાણુની કાબરી સાથે એને અતિશયોક્તિ વિના મૂકી શકાય. આપણે જૈન છીએ, એટલે સ`કુચિતતા કે અભિમાનથી એમ કહીએ છીએ એવુ નથી, પરંતુ જૈનેતર વિદ્વાનોએ પણ આ ગ્રંથની પ્રશંસા કરી છે.' પ્રત્યેક દાયકાની ભાષાના આધાર જૈન ભુંડાગ એમણે વધુમાં કહ્યું : પશ્ચિમના વિદ્દાનાએ સ્વીકાયુ” છે, કે ભાષા વિજ્ઞાનની દૃષ્ટિએ પ્રત્યેક દાયકાની ભાષા જોવી હોય ત દુનિયામાં માત્ર જેના પાસેથી જ મળે છે. છેલ્લા ૮૦૦ વર્ષની વાત કરીએ તા આ ભારામાં સચવાયેલી કૃતિઓમાં પ્રત્યેક દાયકાની ભાષા જોવા મળે છે. ભાષા વિજ્ઞાનની દૃષ્ટિએ, સામાજિક સદભની દૃષ્ટિએ એના અભ્યાસ કરવા જેવા છે, અને ભવિષ્યમાં એમ થશે પણ ખરું. ડો. રમણુભાષ્ટના વકતવ્ય સાથે સમારાદ્ધ પૂરા થયા હતાં. આ ઉપરાંત જે વિદ્વાને આ સમારાહમાં ઉપસ્થિત રહ્યા ન હતા પરંતુ એમના તરફથી સશોધન–લેખા પ્રાપ્ત થયા હતા એની યાદી આ પ્રમાણે છેઃ ૧. આપણા ખાલાવમેધ શ્રી કે. કા. શાસ્ત્રી, (અમદાવાદ) ૨. ભક્ત ત્રિમૂર્તિ : આન ધનજી યાવિષયજી અને દેવચંદ્રજી, ડો. ભગવાનદાસ મનસુખલાલ મહેતા (મુખ) ૩. શ્રીમદ્ રાજચંદ્ર એક મહાવિભૂતિ, ડો. ભગવાનદાસ મનસુખલાલ મહેતા (મુ ખ) ૪. જૈન ધમ'માં સ્યાદા, શ્રી દિલસુખ ક્રૂતેચંદ મહેતા, (મારંઞી) ૫. જૈન થા સાહિત્ય ઃ કેટલીક લાક્ષણિકતા ડૉ. હસુ યાજ્ઞિક,(અમદાવાદ) આ રીતે 'ચતુથ' જૈન સાહિત્ય સમારાહ સફળતાપૂર્વક જાયા. એ માટે સૌને અભિન. (સંપૂર્ણ') Ve
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy