SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૨-૮૩ પ્રબુદ્ધ જીવન - ૨૩૧ (પૃષ્ઠ ૨૨૪ પરથી ચાલુ) લેખો તેઓ પૂરા વાંચી જતા એવી જ રીતે તેઓ પિતાને ત્યાં ભેટ આવેલા કે પિતે વેચાતા લીધેલા ગ્રન્થ પણ ઝડપથી જોઈ જતા અને એમાંની મહત્ત્વની નવી સામગ્રી એમના રમૃતિપટ ઉપર દઢપણે અંકિત થઈ જતી. શ્રી નાહટાઇએ એટલું બધું લેખનકાર્ય કર્યું છે કે તેની વાત કરીએ તો સામાન્ય માણસને વિસ્મય થાય. લગભગ છ દાયકા જેટલા સમયમાં એમણે છ હજારથી વધુ લેખો લખ્યા છે. સતત લખવાને કારણે તેમના અક્ષર પણ બગડવા લાગ્યા હતા અને એને કારણે એમનાં કુટુંબીજને કે પરિચિત સજજને સિવાય બીજાઓ તેમનું હાથનું લખાણ બરાબર વાંચી શક્તા નહીં'. મારા ઉપર ૧૯૬૦ ની આસપાસ જ્યારે પણ નાહટાજીને હાથને લખેલે. પત્ર અવતે ત્યારે બિલોરી કાચ લઈને કલાક મથામણું કરીને હું તે વાંચી શકો, પરંતુ પછીથી તે એમાં પણ મુશ્કેલી પડવા માંડી. એટલે મારી વિનંતી સ્વીકારી તેઓ ટાઈપ કરીને કે બીજા પાસે લખાવીને મને પત્ર મોકલતા, શ્રી નાહટાને પત્ર-વ્યવહાર ઘણો મેટા હતા. જુદી જુદી વ્યક્તિઓ અને સંરથાઓને રોજન ત્રીસથી ચાલીસ પિસ્ટકાડ તેઓ લખતા અને કેટલાયને વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડતા. તેઓ બેઠા બેઠા પિતાના ડાબા હાથની હથેળીને મુખ સન્મુખ ડેકની જેમ રાખીને તેમાં પોસ્ટકાર્ડ રાખતા અને જમણ હાથમાં કલમ લઈ ઝપાટાબંધ પત્રો લખી નાખતા. અનેક વ્યક્તિઓ સાથે તેઓ સંપર્કમાં રહેતા. દરેકની સાથે શું શું કામ બાકી છે તેની સ્મૃતિ તેમને હંમેશા તાજી રહેતી અને તે કામ માટે તેમની ઉધરાણી નિયમિત ચાલતી. નાહટાજીએ સેપેલું એક કામ પૂરું ન થાય ત્યાં સુધી તેમના દરેક પત્રમાં તેને નિર્દેશ થયો જ હોય. નાહટાજી સમયને કયારેય દુર્વ્યય ન થવા દે. પિતે ખાન, બેજન, નિદ્રા ઈત્યાદિમાં જરૂર કરતાં જરા પણ વધુ સમય ન બગાડે, કોઇની સાથે ટોળટપ ન કરે. તેમના મનમાં સ્વાધ્યાય અને સંશોધનની એક પછી એક યોજનાઓ પડેલી હોય. એમના માર્ગદર્શન માટે રાજસ્થાનમાંથી કેટલાય માણસો વખતેવખત મળવા આવે. કેટલાય મણિસે પત્ર દ્વારા એમનું માર્ગદર્શન મેળવવા ઇચછે. એ દરેકને કોઈ પણ પ્રકારની અપેક્ષા વગેરે નાહટાછ ઉત્સાહપૂર્વક માર્ગદર્શન આપતા રહે. મધ્યકાલીન જૈન-સાહિત્યની કઈ કૃતિ કે કર્તા વિશે મારે જાણવું હોય તે હું નાહટાજીને પત્ર લખતે અને તેમને વળતી ટપાલે વિગતવાર જવાબ આભે જ હોય, અથવા હસ્તપ્રત આવી પહોંચી હોય. નાહટાજીએ પિતાના નાનાભાઈ અભયરાજની સ્મૃતિમાં અભય જૈન ગ્રંથમાળા નામની સંરથી પિતાના પૈસે થાપી અને તેમાં હસ્તપ્રતો, ગ્રન્થો, સામયિકે, પ્રાચીન ચિત્રો, કલા કૃતિઓ વગેરે વસાવવાનું કાર્ય એકલે હાથે શરુ કયુ". પ્રતિ વર્ષ તેમાં ઉમેરો થતો જ રહ્યો. એમાં અત્યાર સુધીમાં ૬૫ હજાર હતપ્રત એમણે એકત્ર કરી છે. અને એવી જ રીતે પચાસ હજારથી વધુ મુદ્રિત ગ્રંથો તથા પ્રાચીન અનેક ચિત્રો, સિકકાઓ, પાવલીઓ ઈત્યાદિ એકત્રિત કર્યા છે. કોઈ મોટી સંસ્થા કરી શકે એવું કામ નાહટાજીએ એકલે હાથે કયુ છે. નાહટાજીએ મેટ્રિક સુધીને પણ અભ્યાસ નહેતે કર્યો, પણ આપસૂઝથી એમણે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, રાજસ્થાની, હિંદી, જૂની ગુજરાતી, અર્વાચીન ગુજરાતીના અનેક ગ્રંથને અભ્યાસ કર્યો, વળી તેઓ અંગ્રેજીમાં લખાયેલા . . પણ સમજાય તેટલા વાંચીને તેને સાર ગ્રહણ કરી લેતા. ઘણું જુદી જુદી યુનિવર્સિટીના પી.એચ. ડી. ના પરીક્ષક તરીકે તેમણે કામ કર્યુ છે અને તેમના હાથ નીચે કેટલાય વિદ્યાથીઓએ પીએચ. ડી. ની પદવી માટે માર્ગ દર્શન મેળવ્યું છે. તેમણે ઘણું યુનિવર્સિટીઓના ઉપક્રમે વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાને આપ્યાં છે. યુવક-સંધની પયુંષણ વ્યાખ્યાનમાળામાં પણ બે વખત તેઓ વ્યાખ્યાન આપવા માટે પધારેલા. નાહટાને “સિદ્ધાન્તાચાય, “વિદ્યાવારિધિ “સાહિત્ય વાચસ્પતિ', “જૈન ઇતિહાસ-રત્ન”, “રાજસ્થાની સાહિત્યવાચરપતિ’, ‘સંધરન’ પુરાતત્ત્વવેત્તા ઇત્યાદિ વિવિધ બિરદો જુદી જુદી સંસ્થાઓ તરફથી જુદે જુદે સમયે આપવામાં આવ્યાં છે, જે એમની આગવી સિદ્ધિનાં ઘાતક છે. નાહટાજીનું સમગ્ર જીવન આ રીતે વિદ્યોપાસનામાં સફળતાપૂર્વક પસાર થયું છે. શ્રી અને સરસ્વતીને સુભગ સમન્વય એમના જીવનમાં થયેલ. નાહટાજી સરળ પ્રકૃતિના હતા. કેઈ વાતે એમને માઠું લાગતું નહીં. તેમને પહેરવેશ સાદો હતા. તેમની જીવન જરૂરિયાત ઓછી હતી. ક્યારેક રેલવેના બીજા વગનાં ડબ્બામાં બેસવાની જગ્યા ન હોય અને પેસેજમાં નીચે બેસવું પડે ત્યારે પણ અત્યંત પ્રસન્ન ચિત્તો નાહટાજી પ્રવાસ કરતા હોય. કેઈને ઘરે ઊતર્યા હોય ત્યારે સગવડની બહુ અપેક્ષા તેઓ ન રાખે. ખાવા પીવાને સમય વીતી જાય તો પણ ચહેરા ઉપર વ્યગ્રતા ન જણાય. એક વખત મુંબઈમાં મારે ઘરે ઊતર્યા હતા, ત્યારે સવારના વહેલાં અમે કેટલાક વિદ્વાનોને મળવા માટે નીકળી ગયા. ત્યાંથી ઘરે આવી ભોજન લઈ એક કાર્યક્રમમાં જવાના હતા, પરંતુ પરાંમાંથી પાછા ફરતા સમય એટલે વીતી ગયો કે અમારે સીધા કાર્યક્રમમાં જવું પડયું. ઘરે પાછા પહેાંચતા ચાર વાગવા આવ્યા, નાહટાજીએ સવારથી કશું ખાધેલું નહીં, કોઈને ત્યાં પણ કશું લીધેલું નહિ. એમણે ઘરે આવીને એમ કહ્યું કે આજે તપશ્ચર્યાને અનાયાસ બહુ સારે લાભ મળે છે. હવે સાંજે જમવાને નથી. આખાં દિવસનો ઉપવાસ થવા છતાં તેઓ એટલી જ રવરતા અને પ્રસન્નતાપૂર્વક કામ કરતા રહ્યા હતા. જૈન સાહિત્યમાં પણ નાહટાના રસના વિષયે વિવિધ પ્રકારના રહ્યા હતા. મધ્યકાલીન રાસસાહિત્ય અને ફાગુસાહિત્યના સંશોધનના ક્ષેત્રે એમનું કાર્ય ધણું મહત્વનું છે. એમણે સંશોધન કરીને સંપાદિત કરેલા એવા સંખ્યાબંધ ગ્રન્થા છે, જેમાં પ્રાચીન ગુજર રાસ-સંચય,' “સીતારામ ચેપાઈ,” ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ વગેરે મહત્ત્વના ગ્રન્થ છે. રવ. મોહનલાલ દલીચંદ દેસાઈએ “જૈન ગુજર કવિઓ નામને ગ્રન્થ તૈયાર કરવા જેવું ભગીરથ કાર્ય કર્યું હતું એવું જ ભગીરથ કાર્ય નાહટાએ પણ કર્યું છે. ત્રણ લાખથી વધુ હરતપ્રતો નાહટાજીએ પિતે જઈ તપાસી છે! એમાંની અજ્ઞાત હસ્તપ્રતોને આધારે એમણે “મરગુજર કવિઓ અને એમની રચનાઓ” નામનો એક ગ્રંથ પ્રકાશિત કર્યો છે. એના વધુ ત્રણ ભાગ જેટલી લેખનસામગ્રી એમની પાસે છાપવા માટે તૈયાર હતી. પરંતુ આવા પ્રકારના સંશોધનાત્મક ગ્રંથનું પ્રકાશન અર્થિક પ્રોત્સાહન વગર અટકી જતું હોય છે. એ પ્રકાશિત થયું હોત તે નાહટાને બહુ આનંદ થાત. સેનગના જૈન સાહિત્ય સમારોહમાં એમણે એ વિશે નિર્દેશ કર્યો હતે. જૈન સાહિત્યના સંશોધનક્ષેત્રે, ખાસ કરીને હરતલિખિત પ્રતિઓની દૃષ્ટિએ નાહટીજી જેટલું જ મોટું કાર્ય કરનાર અત્યારે બીજી કોઈ વ્યકિત નથી. હવેના સમયમાં પ્રાચીન સાહિત્યના સંશોધનકાર્યમાં એકંદરે રસ ઓછો થતો જાય છે ત્યારે નાહટાજીએ કરેલી સાડા પાંચ દાયકાની સેવાનું મૂલ્ય પણ મોટું લાગે છે, એ ક્ષેત્રમાં કામ કરનારાઓને એમની ખેટવર્ષો સુધી લાગ્યા કરશે. આવા બહુકૃત વિદ્વાનને આપણી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ હો!
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy