SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ ચીમનલાલ ચકુભાઇ શાહ સ્મૃતિ અંક દષ્ટિપૂત વિચારક માગ દશ ક ૭ અમૃતલાલ યાજ્ઞિક નવેમ્બરમાં હું હરદ્વાર હતા. ચીમનભાઇની ચિરનિદ્રાના સમાચાર વત'માનપત્રમાં વાંચ્યા, ત્યારે મેં અકથ્ય મનાવેના સંવેદન અનુભવ્યાં. મા'દ' પ્રકાશ મુઝાયા અને અંધારું વ્યાપ્યુ. એવુ લાગ્યું'. તેની વ્યાકુળતા તીવ્ર ની. પ્રમુદ્ધ જીવન’નાં દ્રશ્યો સામે તરવરવા લાગ્યાં. તેના ધડવૈયા પરમાન દાંનું પુણ્ય સ્મરણુ થયુ. પ્રમુદ્ધ જીવન' એટલે પરમાનંદ કાપડિયા એવું સમીકરણ હતું. પછી એ સમીકરણ ચીમનભાઈ માટે વિશેષ સાયક બન્યુ., પરમાનંદભાઇ ગયા એટલે તેનુ સુકાન ચીમનભાઇએ સભાળ્યું. તેમાં પહેલાં ચીમનભાઇ લખતાં, પણ તેમના વ્યક્તિત્વના પૂર્ણ પ્રકાશ તા તે એ પત્રના તંત્રી બન્યા ત્યારે ઝળહળતા જોયા. પછી તે ગાંધીજીના ‘હરિજન’ સાથે તેને હું સરખાવતા. ગાંધીજી જેમ એ પત્ર દ્વારા પ્રજા-શિક્ષણ કરતા, તેમ‘પ્રમુદ્ધ જીવન' સમાજને માટે વિચારશિક્ષણનું સાધન બન્યુ હતુ. એ શાળાના હુ વિદ્યાથી'. રાજકારણના (સમાજના અને ધમ'ના પણુ) પ્રશ્નોનુ હાર્દ સમજવા-શીખવા માટે પ્રમુદ્દે જીવનમાં ચીમનભાઇ તેનુ' ધ્રુવુ વિશ્લેષણ કરે છે અને તવદશી" વિશદ વિચારણા વ્યક્ત કરે છે તેની રાહ જોતા, અનેક જોતા હશે. તેમની છેલ્લી જન્મજયતી વખતે જાયેલુ સન્માનમિલન યાદ આવ્યુ’. ચીમનભાઇએ એ પ્રસગે તેમની જીવનભાવના વ્યક્ત કરી હતી તે હુ" જાણે અંતઃશ્રુતિથી સાંભળતા હાઉ” એવુ “અત્યારે અનુભવુ છું. ૧૯૮૦માં શ્રી પ્રતાપભાઇ ગાંધી અમને સાવરકું ડલા એક સમારભ માટે લઇ ગયા. તે પ્રસંગ મારે માટે અવિરમરણીય અન્ય છે. બે દિવસ અમે સાથે રહ્યા, ત્યારે ચીમનભાઈને 'તરંગ પરિચય થયા. તેમની સાથે અનેક પ્રકારની વાત થઇ. તેમણે તેમના વિદ્યાથીકાળના પ્રસંગો કહ્યા, થોડી અગત વાત કરી, તેમની જીવનદૃષ્ટિની ઘેાડી ઝાંખી કરાવી, તેની અમૂલ્ય વિચારસામગ્રી મારા ચિત્તમાં સંધરાઇ છે. તેમને સાવરકુ'ડલા જેટલે દૂર ભાવનગરથી કારમાં પ્રવાસ કરવા પડે તે તેમની તખિયતને અનુકૂળ નહોતું છતાં તેમણે શા માટે જવાનુ સ્વીકાયુ" એ વિશે કહેલુ : ‘જ્યાં સુધી સવારમાં પેટ સાફ ન ચાય, ત્યાઁ સુધી બહાર નીકળવું એ મારી તખિયત માટે પ્રતિકૂળ છે. મારે બહારગામ લાંખે જવાનુ થાય, તે। મારે જમવાનુ ટાળવુ' પડે છે. એટલે જવાનુ ટાળું છું”. આજે મારે ઉપવાસ જેવું થશે, પણ હું પાર્લામેન્ટની ચૂંટણી માટે ઊભે હતા ત્યારે સાવરકુંડલાનાં લોકોએ તેમાં મદદ કરી હતી. એમનુ નિયંત્રણ આવે ત્યારે એમણે કરેલી મદદને હું કેમ ભૂલ" ! તબિયતની અગવડ ભોગવવી પડે તાપણુ ત્યાં જવું એ મારી કજ છે, તેમનું મારા ઉપર ઋણ છે...' તેમની ઉપવાસસ્થિતિ મે નજરે નિહાળી. કૃતજ્ઞતાની તેમની લાગણીનું પ્રત્યક્ષ ક્શન થયુ.. સાવરકુંડલા જવા માટે અમરેલી ને જવુ પડે છે. અમરેલીમાં મારા મિત્ર શ્રી રતિલાલ સુંદરજી શાહ વકીલ રહે છે. તેમને ચેાડી મિનિટ મળવાની મારી છા હતી. અમે મળ્યા. શ્રી રતિલાલભાઈ માત્ર વકીલ જ નથી, ત્યાંના કેળવણી મડળના પ્રમુખ છે, સામાજિક કાયકર્તા છે. પહેલાં રાજકારણમાં પણ સક્રિય હતા. શ્રી રતિભાએ ચીમનભાઈને વિન"તી કરી તા. ૧-૧-૮૩ કે સાવરકુંડલાથી વળતી વખતે તમારા લાભ અમરેલીને મળે તે માટે અમે મિલન ગઢવવાના વિચાર કર્યાં છે તે આપ સંમતિ આપો. ચીમનભાઇએ તેમને પ્રેમાદરભાવ જોઇને સ ંમતિ આપી. ખીજે સેિ સાંજે છ વાગ્યે અમરેલીમાં મિલન ગેડવવાનુ ઠરાવ્યુ` હતુ', સાવરકુંડલાથી નીકળવાનુ` મોડું થયુ' તેથી ત્યાંના નેતા શ્રી લલ્લુભાઇ શેઠને ટેલિફાનથી કલાકેક માડુ થશે એમ જણાવવા અમે વિનતી કરેલી. અમે અમરેલી રાતે આઠેક વાગ્યે પહોંચ્યું. શ્રી રતિભાને મળ્યા ત્યારે જાણ્યું કે સાવરકુંડલાના ઝલાન–સ દેશે મળ્યા નથી, અને હાલમાં શ્રેાતા છ વાગ્યાથી આવેલા છે. ખે કલાક રાહ જોવરાવવા માટે અમને ખૂબ દુઃખ થયુ. એએસ કલાકથી અમારી રાહ જોઇને રતિભાઇ ધેર જ ખેઠા હતા.. ધણા વખત અમારી રાહ જોઇને શ્રોતાએ ચાલ્યા ગયા હશે; એટલે ટાલમાં જવાની જરૂર નથી એમ અમે ક્ષમાયાચની કરતા રતિભાÉને જણાવ્યુ. રતિભાઈ ખાણ્યા, આપણે. હાલમાં તે જએ.' રતિભાઈ સચિત હતા,તે દેખાતું' હતું. પ અમે આઠ વાગ્યે હાલમાં ગયા, ત્યારે આખા હાલ ચિકાર હતા ! અને શ્રોતાઓમાં અમરેલીના દાકતરા, વીલે, ન્યાયાધીશ,. શાળા–કાલેજના આચાર્યાં, રાજકરણી વગેરે હતા. ચીમનભાઇને સાંભળવા અને મળવાની તેમની આટલી ખધી ઉત્સુક્તા હશે? તેની મને કલ્પના નહોતી. ‘પ્રબુદ્ધે જીવનમાં વ્યક્ત થતી તેમની વિચારણા પ્રત્યે પ્રેમાદર-ભાવનું આ પરિણામ જોઈ મને સાન'દાશ્રય' થયું. ચીમનભાઇએ થેડુંક પ્રારતાવિક કહી, પ્રશ્નોત્તરી રાખી. રાજકીય પ્રશ્નો પુછાયા, તેમાં એક ખે વકીલો અને અન્ય જતેચીમનભાઇના વિચારોથી વિરોધી મત ધરાવતા હતા. ચીમનભાઈના જવાખાથી તેમને સાષ ન થયો. તેઓ ઉશ્કેરાટ અને આવે. શથી ચીમનભાઇના વિચારાના વિરોધ કરવા લાગ્યા. પછી ઉમ્ર કટાક્ષા પણ કરતા હતા. હું. આ જોઇને અકળાયા હતા, મારા મનમાં રાષ પણ ઉત્પન્ન થયા હતા. જાણે અનાદર ખતાવતા હોય તેવુ. મને લાગતું હતુ. પરંતુ નવાઈની વાતએ હતી કે ચીમનભાઇ તદ્દન સ્વરથતાથી જવાખા આપત હતા. તેમાં નહાતા જરાય ઉશ્કેરાટ કે નહેાતી કશી અકળામણુ. મન ઉપર તેમના સૌંયમ જોઈને મને થયું કે જૈન ધમ નું તત્ત્વ તેમણે આચરણમાં ઉતાર્યુ છે. અમરેલી ન ગયા હોત ચીમનભાઇના ચિત્તસયમ નિહાળવા મને ન મળ્યો હત. પણ સૌથી વિશેષ આશ્ચય તો એ હતુ` કે મિલન પૂરું થઈ ગયા પછી ઉકળાટ અને અકળામણુ ખતાવનાર વિધી મતવાળા મિત્રા ચીમનભાઇને મળ્યા, ત્યારે તેમના મુખ ઉપર વિશિષ્ટ પ્રકારના આદરવિનયના ભાવા વરતાઈ આવતા હતા. ત્યારે મને પેલુ' અ’ગ્રેજી વિધાન યાદ આવ્યું હતું કે Those who came to seoff, became followers. એમનુ" થયેલ પરિવતન કેવુ" મમ*સૂચક છે ! છેલ્લે, એક અ ંગત વાત કર્યાં વિના હું રહી શકતા નથી.માર! વિશ્વાસ-ભાળપણ-મૂર્ખાઈને લીધે એક સ્નેહી (?) એ હ્યું તેમ મેં સહી કરી આપી હતી-વિચાર્યાં વિના. પરિણામે, મને પ્રથમ ઝાયદેસરની નોટીસ આવી હતી કે મારે તેમને તેમના શેરી પાછા આપી દેવા. મે" એ શેરી તેમને મેલાવી દીધા હતા! હું તેમને મળીને વાત કરીશ એવું વિચારી રહ્યો.
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy