SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-૮૩ પ્રબુદ્ધ જીવન વિવેક પુરૂષ....સ્વ. ચીમનભાઇ ૪ મનુભાઇ પંચાલી, દ્રશ’ યુ. સ્નેહી સમા ચીમનલાલ ચકુભાઈ શાહના અવસાનથી ગુજરાતે સંસ્કારિતા તેમજ સમાજસુધારાના ક્ષેત્રમાં એક વિવેકનિષ્ઠ આગેવાન ખાયા છે. જૈન સમાજમાં તે તેમની ખાટ આવતા વર્ષામાં પૂરાય તેવા સભવ નથી. વિવેકનિષ્ઠા, કદાગ્રહના અભાવ અને અભ્યાસ પરાયણતા માગે છે. નિષ્ણુ'ય વિવેક્યુક્ત થાય તે માટે પ્રશ્નને વિવિધ બાજુએથી તપાસવા પડે છે. અભ્યાસ વિના આ ન ખતે. ચીમનભાઈ ધારાશાસ્ત્રના તેમજ બંધારણના મેટા અભ્યાસી હતા. સુબઈમાં પહેલા પાંચમા તે ગણાતા. ભારતનું અધારણ ઘડાયુ જ્યારે તેઓ બંધારણુ સભાના સભ્ય હતા અને આપણા દેશ વતી સુતામાં પણ ગયેલા. પશુ આવા બંધારણના જાણકાર તેમજ કુશળ ધારાશાસ્ત્રી -બીજા મળે પણ ચીમનભાઈ જેવા અભ્યાસપૂણુ* વિવેક મળવા મુશ્કેલ છે. તેમને અને મારા પરિચય એકાદ દસકાના જ ગણાય. ગુજરાતને પણ તેમના ખાસ પરિચય એમણે 'પ્રબુદ્ધ જીવન'નું ત્તંત્રીપદ સ ંભાળ્યુ. ત્યારથી વિશેષ થયા. પહેલાં તે ‘પ્રબુદ્ધ જૈન’ હતું. અને તે રીતે પણ જૈન સમાજમાં નવા નાનનેા પ્રકાશ સ્વ. પરમાનંદભાઈ મારફત સારી પેઠે લાવેલા. આજના -ગુજરાતી જૈન સમાજ રૂઢિજડતામાંથી નીકળ્યો હોય તે તેનુ -એક કારણ પરમાન ભાઇ અને તેમના મંડળ પ્રબુદ્ધ જૈત' -મારફત ફેલાવેલા નવા જમાનાના પ્રકાશ છે. આ મ`ડળમાં ચીમનભાઈ પણું પહેલેથી જ હતા. પશુ પરમાનંદભાઇ જતાં તેમણે ‘પ્રમુદ્ધ જીવન' સંભાળ્યુ અને ભાગ્યું. તેમના અણુપણુ અને નિર્ભયતાથી શાભતા લેખા હાશ હેશિ વંચાતા. તેઓ પર જૈન વિચારણાની પ્રગાઢ અસર હતી. એક શુદ્ધ જૈન તરીકે જ જીવ્યા અને તે જ રીતે મરણુને સમતાભર્યાં ચિત્તથી શાંભાળ્યું. અમારે છેલ્લા મેળાપ હેસ્પિટલમાં થયેલે. આજે વિસે તેમનુ આપરેશન હતું. પણ તે સ્વસ્થ જ નહીં પ્રસન્ન હતા. મને કહે કશી ચિંતા કે વાસના નથી, દેહષ્ટ ભલે હોય, આગલે અઠવાડિયે જ મે હેરાલ્ડ લાસ્ટી -ઇન્સ્ટીટયુટમાં સોક્રેટીસ પર આપેલ વ્યાખ્યાન મળેલુ . એટલે -સોક્રેટીસ વિષે પણ વાતા થઈ. સાક્રેટીસના અનુયાયી જેવી તર્ક બુધ્ધ મરણુ તત્પરતા હતી. ઊઠતી વખતે મેં સહેજ રૂ ધાયલા કંઠે તેમના હાથ પકડી કહ્યું, 'હું કાંઇ કહું, તેવી અપેક્ષા આપણી વચ્ચે ન હોય. તમે તેા દેહની આળપ’પાળ છેાડી છે.' હસીને કહે, કશી જરૂર નથી, તમારી વાત યથાય છે.' દેહ છતાં વિદેડ અવસ્થા ધ્રુવી હોય તેની કાંઇક ઝાંખી થયાનું મેં મિત્રાને કહ્યું. .. આ અવસ્થા પાર આવતાં તેમને ઘણુ' ચિંતન મનન જાગરૂકતા રાખવા પડયાં જ હશે. આ કાંઈ એમના પ્રથમ રોગ નહોતા. જિંદગી પર ક્ષય કે તેવા રાગના વિવિધ હુમલા થયા ૧૫૯ કરેલા. યુનિવર્સિટીની છેલ્લી પરીક્ષા આવા રાગ વચ્ચે જ આપેલી, અને તેમાં પણું પ્રથમ કક્ષામાં ઉત્તીણ થયા. મહારાષ્ટ્રના સતા તથા ઉપનિષદના મહાન અભ્યાસી અને કેટલાયના ગુરુવય' રાનડેએ સામાંથી સા મા તત્ત્વજ્ઞાનના પ્રશ્ન પત્રમાં એમને આપેલ. પણ ચીમનભાઇએ તત્ત્વજ્ઞાન પરીક્ષાનેા વિષષ માન્યા નહેતા. તે તા જીવનનું સત્ય શોધકતા જીવનનું ભાથુ` હતા. સત્ય શા કરવુ, નવુ' લેવું, જૂનુ' ખેાટુ' લાગે ત્યારે છેડવુ એવી પ્રમુદ્ધ સાધના હતી તેમની. ‘શીન્ન અને સમાજ'માં મે” એકવાર વિનોબાજીએ જ્યારે ખંદિરાજીને સાંય સમાજમાંના એક કહ્યા ત્યારે ટીકા કરેલી. ચીમનભાઇને એમાં મારી ઉષ્ણતા' કે અવિવેક દેખાયાં અને તેમણે પણ એક તેધ લખેલી. મેં પશુ તેને વિવેકપુરઃસર જવાબ આપેલા. કટોકટી આગળ વધતાં તેમને મંદિરાજી વિષેના અભિપ્રાય ખલાયે, તે પછી તરત અમારે રાજકોટમાં મળવાનુ થયેલું'. સભામાં જ મારા હાથ પકડીને કહે, હવે હું મદિરાજીને હિમાયતી નથી.' મારા કરતાં જ્ઞાન અને વયમાં કયાંયે મોટેરા પણ જૂતુ જો ખાટુ લાગે તે પ્રબુદ્ધ પુરૂષ તેને ક્રમ ચાલુ રાખે? લાક ભારતી'માં ગાંધી વિચાર પર ત્રણ વ્યાખ્યાને આપ્યાં. અપૂર્વ હતાં. હૃધ્ધની તલ્લીનતા અને બુદ્ધિની જાગરૂકતાના સૌને અનુભવ થયે.. તે વિસામાં મેં જોયુ' કે તેમના સવ' વ્યવહાર એક મુમુક્ષુપુરૂષ ખોલે, ચાલે, કરે કેમ' જેવા હતા. આહાર તા નહીવત જ, પણ વાણી સ્પષ્ટ છતાં કશાય આધાત ઉપજાવે તેવી નિભે'ળ પણ તેની પાછળ જોનારને એક ઉદાસીનતાની છાયા જોવા મળે. પ્રિય અને મિષ્ટ, નહી', હા પણુ નિસ ગતા, એક અથ'માં તેઓ જૈન ધમની ઉત્તમ પેદાશ હતા. જૈન ધમ' આવા વિવેક પુરૂષોને આપતા રહે તે જ તેમનુ ઉત્તમ તપ' છે. સાધના એટલે વિચારમય જીવન. વિચારમય જીવન જીવવાના અને તે પ્રમાણે જીવન ઘડવાને મે પ્રયત્ન કર્યાં છે. આવી સાધના સતત સાધના છે. સામાન્યપણે કષ્ટદાયી છે. આપણું જીવન પરંપરાગત હોય છે. વિચારમય જીવન કેટલેક દરજજે વિચાર કરવા એટલે સત્ય શોધવા પ્રયત્ન કરવા. તે પ્રમાણે વર્તન કરવું એથી પણુ અધરુ છે. સ્વતંત્ર વિચાર કરવાની અથવા જીવનશોધન કરવાની વૃત્તિ અને શક્તિ બહુ થેાડી વ્યક્તિએમાં હાય છે, તે પ્રમાણે વર્તન કરવાની હિંમત એથી પણ થેડી વ્યકિત આમાં હાય છે. અવગાહન'માંથી
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy