SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૨-૮૩ • પ્રબુદ્ધ જીવન ૨૨૯ માતા જ તેઓ જી નાખે છે. જા મનુષ્યના મન માનવી ખાધાં. એક માણસ દેડીને સહાય સ્થાને પહોંચ્યો ત્યારે ઘાતા વળી. પણ માંસાહારની આસુરીવૃત્તિએ હદ વાળી દીધી. મનુષ્યના દાંત, હોજરી, વગેરેની રચના જોઇને ખ્યાલ આવી જાય છે કે મનુષ્ય એ શાકાહારી જ હોવો જોઈએ. માંસભક્ષણ એ જંગલી પશુઓને જ આહાર છે, તેથી તેમનાં દાંત લાંબા, મેટા તેમજ પાચન-અવયવે માંસભક્ષણને યેગ્ય બનાવ્યાં છે. લાગણીપક્ષ વિરોધ ઊઠાવશે કે, દૂધ એ પણ પ્રાણીમાંથી જ બને છે માટે એ પણ માંસાહાર કહેવાય. એમ તે હવા ૫ણુ માંસ કહેવાય. કારણકે હવા લેવામાં ઘણું બેકટેરિયાં મરે છે. પણ આ સંજોગો અનિવાર્ય છે. લાગણીશીલને ન મારવા એ ધર્મ છે. એના આહારથી લાભ નથી. માનવીના કેશ જુદા અને પ્રાણીઓના જુદા. એક વનસ્પતિ એવી છે કે ઘણાના કેશમાં ભળે છે. પ્રાણીના કેશમનું માત્ર દૂધ સુપાય છે, બીજું કાંઈ નહિ. પ્રાણીઓને બહાર કરવાથી કેશ એવા નિર્બળ થશે કે રોગનાં જંતુઓ પણું મનુષ્યના શરીરને હચમચાવશે. રોગપ્રતિકાર શક્તિ ઘટી જશે. જઠરાગ્નિ મંદ પડશે. ઔષધ લેતાં જ રહેવું પડશે. રોગની જેમ ઉગ વધી જશે. જિંદગીમાં અશાંતિ ફેલાઈ જશે. જાનવરોની હત્યા સમયનું દશ્ય વિચારીએ તે, કસાઈ છરે લઈને તેના ગળા પર ફેરવે. ઢેર તરફડે. જીવતાં જીવની ચામડી અને માંસ નિર્ભયતાથી અલગ કરે; તે માત્ર માનવીની સ્વાદેન્દ્રિય પિષવા ! આવી કરતા મનુષ્યની સહજ દયા, કમળતાને નષ્ટ કરી નાખે છે. કેટલાંક પશુઓને કતલખાનામાં લાવતાં જ તેઓ ગભરાય છે. ધી બની જાય છે, ત્યારે તેનું માંસ ઝેરી બની જાય છે. તેને ખાવાથી અનેક રોગો થાય છે. કહેવાય છે કે, ગાયનાં ગળા, કાંધ કે પેટ જેવા અંગે જે ગાંઠ હોય છે, ત્યાં કેન્સર થવાને વધુ સંભવ હોય છે. જાનવરોને જા જુદા ૨૦૦ રોગ થાય છે. એવાનું માંસ ખાવાથી જરૂર મંદવાડ આવે છે. પ્રાણીનું માંસ ખાનારને કૃમિરે ગ વધુ થાય છે. ઘેટાંબકરાંનાં લીવર અને ફેફસામાં જે પાણી જેવો ભાગ હોય છે તે ખાસ નુકસાનકારક હોય છે. ગાંધીજી કહે છે કે, “ધમ, મને માંસ કે ઇંડાં ખાવાની અાજ્ઞા આપતું નથી. સત્ય હોય કે ભૂલભરેલું, પણ મારો ધાર્મિક વિશ્વાસ છે કે માણસ માંસ, ઈંડાં કે અન્ય પ્રકારનું માંસ ન ખાય. માણસે જીવતા રહેવા માટે પણ બેજવાબદારી ભરેલ સાધને ઉપયોગમાં લેવા જોઈએ નહિ. જીવનને સલામત રાખવા માટે પણ અધમ ઉપાયેનું આલંબન લેવું જોઇએ નહિ. ધમની સમજ મેં જે મેળવી છે તે એ છે કે જ્યારે જીવનમરણનો સવાલ હોય ત્યારે પણ માંસ કે ઇંડાં ખાવાની અાજ્ઞા ધર્મ આપતા નથી.” બાઈબલ (રોમન્સ ૧૪૨૯-૨૧)માં કહ્યું છે કે, માંસ માટે ભગવાનનાં કાર્યને નાશ ન કરે...માંસ ખાવું કે ઘરૂ પીવે એ સારું નથી. કુરાન (સર'ધ ૪–૨૬)માં કહ્યું છે કે, “અલ્લાહને તમારી કુરબાનીનું લોહી, માંસ પહોંચતાં નથી, તેને તે તમારા તકવી અને પરહેજગારી (અહિંસાત) પહેચે છે. ભગવાન સ્વામીનારાયણે આજથી ૨૦૦ વર્ષ પૂર્વે પ્રગટ થઈને અહિંસામય યજ્ઞ, જાણીને મચ્છર, માંકડ, જ, વગેરેને ન મારવી એમ કહી અહિંસાનું પ્રતિમાન કર્યું. યજ્ઞના પ્રસાદ૨પે પણ માંસ ન લેવું એમ સ્પષ્ટ આજ્ઞા આપી. એ જ બાબતને અનુલક્ષીને પૂ. પ્રમુખસ્વામી મહારાજે દાદરાનગરહવેલી–સેલવાસમાં આ પ્રવૃત્તિ ઉપાડી તે ત્યાંના રહેવાસી ભકતોએ વર્ષો સુધી જે ચૂલા પર માંસ રહ્યું છે, તે ચૂલાઓ પણ તેડી નાંખ્યા છે. કિન–નોર્થ અમેરિકામાં ગેલ્વેસ્ટીન પરગણામ આજે કોઈ માંસ ખાતું નથી. ખ્રિસ્તી ધર્મના સેવન્થડે એડવેન્ટિસ્ટ ચર્ચે પિતાની ૧૯૦ શાખાઓ દ્વારા માંસભક્ષણ અને પ્રાણીઓની હિંસા ન કરવામાં મહત્વનો ફાળો આપે છે. આપણે, આ સૃષ્ટિ સાથે જીવવું છે, એમાં ભળવું છે, પછી શીદ કાપાકાપી કરવી? એ ગરીબડાં પશુઓ તે નહિ બોલે, પણ કુદરત બેલશે. સ્ટીલ કલર કામદાર : ચંદ્રમાનવ (અભ્યાસ વર્તુળની પ્રિક્રમે શુક્રવાર, તા. ૨૧-૧-૧૯૮૩ ના રોજ ડે. રામુ પડિતે ઉપરોકત વિષય પર આપેલાં વાર્તાલાપને સાર અત્રે આપ્યો છે. –તંત્રી) : રેટ (Robot) એટલે યંત્રમાનવ. એનું આખું શરીર સ્ટીલનું હોવાથી એને “સ્ટીલ કલર કામદાર” પણ કહેવાય છે. યાંત્રિક શક્તિ અને ઈલેકટ્રોનિકસ ગણુતરી યંત્ર (Computor) ની સહાયથી રોબેટ અનેક જાતનાં કામ ખૂબ જ ચેકસીથી કરે છે. યંત્રમાનવ હોવાથી માનવીય તે પાસાંઓથી પર છે, જેમ કે, સતત ત્રણ પાળી કામ કરવામાં લાગતે થાક, ચા, પાન, બીડી અને તમાકુના વ્યસનાદિ, લંચ માટે રીસેસ, હડતાળ કે પગાર વધારાના પ્રશ્નો નથી. યંત્રમાનવ જોખમી કામ કરવામાં, દુગધ મારતી જગ્યાએ કામ કરવામાં ખૂબ જ ઉપયોગી છે. માત્ર આપણે એને પ્રોગ્રામ કરી આપ પડે. બાકીનું બધું એ સંભાળી લે છે. એના કાર્યનાં વૈવિધ્યમાં હોસ્પિટલમાં નસ' તરીકે કામ આપવાથી માંડીને મહાસત્તાઓ વચ્ચેના સંભવિત યુધ્ધમાં યંત્રમાનવ દ્વારા ન્યુકલીયર યુદ્ધ લડવાની શકયતા ઊભી થઈ છે. વિજ્ઞાનની હરણફાળના ફળસ્વરૂપે આજે આપણે યંત્રમાનવ યુગમાં આવીને ઊભા છીએ. વિશ્વમાં આજે વધુમાં વધુ યંત્ર માનવ જાપાનમાં કાર્યશીલ છે. એ પછી અમેરિકા અને અન્ય દેશોને કમ આવે છે. ઓછી માનવશક્તિ અને વસતિ વધારાને દર નહીંવત્ હોવાથી જાપાનમાં યંત્ર માનવના ઉપયોગને જહદી આવકાર સાંપડે. શરૂઆતમાં કામદારોએ પણુ યંત્ર માનવના ઉપયોગને આવકાર્યો, જેથી એકના એક પુનરાવર્તન પામતા કંટાળાજનક કામમાંથી છૂટી શકે અને અન્ય બૌદ્ધિક કામમાં પિતાની શકિત ઉપયોગ થઈ શકે. જે કે હવે જાપાનમાં યંત્રમાનવના ઉપયોગને કામદાર સંએ વિરોધ કર્યો છે, કારણકે, હવે યંત્રમાનવ પાસેથી અનેક જાતનાં કામે લેવાય છે. ક્યારેક મુંધવાનું, બલવાનું અને સાંભળવાનું કામ પણ એની પાસેથી લેવાય છે. એક માત્ર મય યંત્રમાનવની છે, અને તે એ કે એની પાસે માનવ સુલભ હૈયું નથી અને સંબ ઝીલી શકે એવું તંત્ર નથી. અત્યારે યંત્રમાનવની કીમત અંદાજે રૂપિયા ત્રણ લાખ છે, પરંતુ કીંમતના પ્રમાણમાં અનેક પ્રકારના કામ લઈ શકાય છે. આપણું દેશને વિચાર કરીએ તે માપણે ત્યાં બેકારીનું પ્રમાણ વિશેષ હોવાથી યંત્રમાનવના ઉદ્યોગના વિકાસની શકયતા ઓછી છે. અલબત્ત, કેટલાંક ઉદ્યોગમાં એની પાસેથી કામ લેવામાં કશું ખોટું નથી.
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy