SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ પ્રબુદ્ધ જીવન તા ૧-૨-૩ } રૂશ્વતખેર, ચારિત્રહીન, ભ્રષ્ટ રાજ્યકર્તા પ્રત્યે લાચાર પ્રજા કયારેક આદરની નજરે જુએ છે. પરંતુ એ જ પ્રજા તક મળતાં એવા રાજ્યકર્તાને હાંકી ૫ણુ કાઢે છે. વિવિધ રાજદ્વારી પદ્ધતિમાં લોકશાહી પદ્ધતિ ઉત્તમ છે, પરંતુ એ પૂર્ણ છે એમ ન કહી શકાય. એની અપૂર્ણતા કયારેક ખેટા માણસેને ઊંચા આસને બેસાડી દે છે; કયારેક કલ્યાણના કાર્યોને વિલંબમાં નાખી દે છે; કયારેક લોકવિગ્રહ ૫૭ કરાવે છે. પ્રજા કલ્યાણની ભાવના જેમના હૈયે સદા પ્રજવલિત રહેતી હોય છે, જેઓ નિઃસ્વાર્થ, ત્યાગમય, સેવાપરાયણ જીવન જીવે છે, જેઓએ ધન, સ્ત્રી, સત્તા, કાતિ વગેરેની એષણાને સંયમિત બનાવી દીધી હોય છે, અને જેઓ લોકપ્રિયતાને કેક પિતાને ચઢવા દેતા નથી એવા આદરણીય પ્રામાણિક મહાપુએ, થોડી ઓછી કાર્યદક્ષતા હોય તે પણ સારું શાસન દીર્ધકાળ સુધી ચલાવી શકે છે. રાતોરાત મેટા થઈ ગયેલા ભ્રષ્ટ સત્તાધીને પ્રજા દીર્ધકાળ સહન કરી શકતી નથી. આપણી ચુંટણીઓએ આપણુ રાજદ્વારી નેતાઓને ઓછા બેધપાઠ આપ્યું નથી. - સ્વ. અગરચંદજી નાહટા જે રમણલાલ.ચી, શાહ અગરચંદજી નાહટાનું તા. ૧૨ મી જાન્યુઆરીએ એમના વતને બીકાનેરમાં સવારે સવા નવ વાગ્યે હુયરોગના હુમલાને કારણે અવસાન થયું. એમના અવસાનથી ભારતીય સરકૃતિક અભ્યાસના ક્ષેત્રે અને વિશેષતઃ પ્રાચીન જૈન-સાહિત્ય અને કલાના ક્ષેત્રે મોટી ખોટ પડી છે. એમની ખેટ કેટલી મોટી છે એની પ્રતીતિ તે બીજા પાંચ-પચીસ વર્ષ એ ક્ષેત્રમાં અભ્યાસ કરનાર વ્યકિતઓને જ્યારે હરતપ્રતના સંદર્ભ અને માહિતી મેળવવામાં કેટલીક મુશ્કેલીઓ પડશે ત્યારે થશે. કેસરી સાફ, સફેદ ડગલો તથા ધેતિયું પહેરેલા નાહટાજીપસાર થાય તે કઈને ખ્યાલ ન આવે કે ભારતના આ એક મૂર્ધન્ય સારસ્વત છે. શ્રી અગરચંદજી નાહટા એટલે જૈન સાહિત્યના સંશોધન માટેની જાણે કે એક જીવતી જાગતી સંરથા. ભારતભરમાં અને ભારત બહાર કેટલાય વિદ્વાનેને એમના તરફથી જરૂરી માહિતી ઓછી અમે તરત સપિડી જતી. પ્રાચીન જૈન સાહિત્યની તેઓ જાણે કે જીવંત જ્ઞાનકેશ જેવા, વોકિંગ એન્સાકપીડિયા જેવા હતા. એ વિષયમાં કોઈ કૃતિ વિશે, કોઈ કર્તા વિશે કે કોઈ કૃતિની રચનામાલ વિશે પૂછીએ તે નાહટાઇને એ બધી વિગતે મેઢે હોય. સ્તવન–સજઝાયની હજારો પંકિતઓ એમને કંઠસ્થ અને ગાય પણ બુલંદ સ્વરે. ૩. પૂ. પુણ્યવિજયજી મહારાજ એમની પાસે શ્રીમદ્ રાજચંદ્રકૃત 'અપૂર્વ અવસર’ વારંવાર ગવડાવતા. શ્રીનાહટાનું દેહાવસાન આટલું વહેલું થશે એવી ધારણ નહોતી, કારણ કે થોડા દિવસ પહેલાં જ તેઓ સૌરાષ્ટ્રમાં સેનગઢ મુકામે યોજાયેલા ચતુર્થ જૈન સાહિત્ય સમારોહ પ્રસંગે પ્રમુખ તરીકે પધાર્યા હતા. એ પ્રસંગે તેઓ જે રીતે હરતા ફરતા હતા, જે રીતે બુલંદ સ્વરે એમણે પ્રમુખ તરીકે પોતાનું પ્રવચન આપ્યું હતું તથા એક વિભાગીય બેઠકમાં બે પ્રાચીન અપરિચિત જૈન કૃતિઓને પરિચય કરાવતે પેપર એમણે વચ્ચે હવે તે પરથી તે એમની કામ કરવાની શારીરિક ચેગ્યતા હજ એટલી જ સબળ છે એની પ્રતીતિ થઈ હતી. અલબત્ત, એમને પગની થેડી તકલીફ ચાલુ થઈ હતી. ઊઠવા-બેસવામાં એમને શ્રમ પડતો હતો; ટકાની જરૂર પડતી હતી. એમણે તે પ્રસંગે મને કહ્યું, રમણભાઈ, મારી પગની તકલીફ વધતી જાય છે. મુંબઈમાં કઈ સારા ડોક્ટરને બતાવવા અાવવું છે. તમે એ માટે તપાસ કરી રાખજે.' સેનગઢના સાહિત્ય સમારોહ પછી પાલીતાણામાં પૂ. યશોદેવસૂરિજી પાસે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ડાયરેકટર પૂ. કરસાહેબ સાથે ! હું ગયો હતો ત્યારે ત્યાં પણ શ્રી નાહટાજી અમને મળ્યા. હતાં અને ત્યારે પણ પિતાનાં ઘૂંટણની તકલીફ અંગે ફરી મને યાદ કરાવ્યું હતું. મુંબઈ આવીને એમને પત્ર લખવાનો વિચાર કરતા હતા ત્યાં તો એમના અવસાનના સમાચાર આવ્યા. - જૈન સાહિત્ય સમારોહના પ્રમુખ તરીકે શ્રી નાહટાની વરણી થઈ તે અંગે મેં તેમને પત્ર લખ્યું હતું. જવાબમાં મણે જણાવ્યું હતું કે પોતે અઠવાડિયા પહેલાં સપરિવાર બીકાને થી નીકળશે અને રાણકપુર, અબુ, શેત્રુજયવગેરે તીર્થોની યાત્રા કરીને સેનગઢ પહોંચશે. આમ એમના અંતિમ દિવસે જૈન સાહિત્ય સમારોહના પ્રમુખસ્થાનને Nિ,. વિકા સાથેના મિલનને લીધે અને પવિત્ર તીર્થોની યાત્રાને લીધે આનંદસભર બની ગયા હતા. | શ્રી નાહટાની વય ૭૩ વર્ષની હતી. તેમને જન્મ બીકાનેરમાં નાહટા પરિવારમાં શ્રીમંત વેપારી કબમાં ઇ સ. ૧૯૧૧ ના માર્ચ મહિનાની ૧૯ મી તારીખે થયે હતે. એમણે શાળામાં માત્ર પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. કુટુંબના વેપારને કારણે કિશોરાવસ્થામાં જ નાહટાજીને વેપારમાં લાગી જવું પડયું હતું. તેઓ કલકત્તામાં પિતાની પેઢીમાં કામ કરતા થઈ ગયા. પરંતુ ૧૭ વર્ષની ઉંમરે તેઓ બીકાનેરમાં કપાચંદ્રસૂરિ નામના આચાર્ય ભગવતના સંપર્કમાં આવ્યા અને ત્યાર પછી પૂ. ભદ્રમુનિ (હપીવાળા '' ૫. સહજાનંદ મુનિ)ના સંપર્કમાં આવ્યા ત્યારથી તેમના જીવનમાં ઘણું મોટું પરિવર્તન આવી ગયું. તેમની ભાવના તે દીક્ષા અંગીકાર કરીને જૈન મુનિ બનવાની હતી; પરંતુ કુટુંબના આગ્રહને કારણે તેઓ તેમ કરી શકયા નહીં. 1 તેમનાં લગ્ન થયાં; ગૃહરથ જીવનમાં પ્રવેશ થયા, પરંતુ એમણે સંકલ્પ કર્યો કે વર્ષમાં લગભગ આઠ મહિના જેટલે સમય સ્વાધ્યાય, આરાધના વગેરેમાં આપે અને બાકીનો સમય વેપારમાં આપે. આ રીતે દર વર્ષે તેઓ કલકત્તા: અને ગાહાટીમાં પિતાની દુકાને જઇ ચારેક મહિનાને સમય આપી, બીકાનેર આવી જતાં અને પછી ત્યાં સળંગ સાત-આઠ મહિના સાહિત્યના સ્વાધ્યાયમાં વીતાવતા. યૌવનમાં, આરંભાયેલે આ એમને જીવનક્રમ ઘણું વર્ષો સુધી ચાલ્ય.. પછી તે વેપાર માટેનો સમય ઘટીને એક-બે મહિના પૂરતા મર્યાદિત થઈ ગયેલા અને છેલ્લાં પંદરેક વર્ષથી તે તેઓ વેપારમાંથી સાવ નિવૃત્ત થઈ ગયા હતા. આખું વર્ષ તે. સ્વાધ્યાયમાં પસાર કરવા લાગ્યા હતી. શ્રી નાહટાજીનો રોજનો કાર્યક્રમ વિશિષ્ટ પ્રકારનો હતે. ઈ. સ. ૧૯૬૦ માં હુ બીકાનેરમાં એમને ઘેર રહ્યો હતો ત્યારે એમની કામ કરવાની પદ્ધતિથી પ્રભાવિત થયા હતા. રાજ, સવારે ત્રણ વાગ્યે ઊઠીને તરત જ તેઓ સ્વાધ્યાય, ધ્યાન, જાપ વગેરેમાં લાગી જતા. સવારમાં નિયમિતપણે તેઓ આ રીતે પાંચ સામાયિક કરતા. ત્યાર પછી સ્નાન વગેરે કરી,. દેરાસરે પૂજા કરી આવીને દૂધ-નારતે લઈને પિતાના ઘરની સામે, અભય જૈન ગ્રંથાલયના મકાનમાં જ... ફરી પાછા સ્વાધ્યાયમાં લાગી જતા. જમીને બપોરે તેઓ ગ્રન્થ, સામયિકે વગેરે વાંચતા : અને ટપાલ લખતા. ત્યાર પછી તેઓ જે વિષય પર પિતાને લેખ લખવાનું હોય તેને લગતું વાચન – મનન કરી લેતા. સાંજે જમ્યા પછી તેઓ એક લેખ લખતા. આ રીતે વર્ષમાં ” સહેજે તેઓ નાના મોટા સોદોઢસે લેખ લખતા. તેમની કામ કરવાની ઝડપ ઘણી હતી. એમને ત્યાં મહિને સવાસથી, વધુ સામયિકે – પત્રિકાએ ઈત્યાદિ આવતાં. એ દરેક પર એમની નજર ફરી જતી અને એમના મહત્ત્વના. (અનુસંધાન પૃષ્ઠ ૨૩૧) વાની ઝડપ લાગી ઇત્યાદિ એમના મહત્વન.
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy