SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મૃતિ અંક તા. ૧-૧-૧૩ મૃત્યુને કલગી ચૈતન્યના મહાસાગરમાં વિલીન થવું એવી મોક્ષની કપના સેવતા ચીમનભાઈ એવા મેક્ષ માર્ગે પ્રયાણ કરી ગયા છે. એ સમાચાર માટે એમણે પોતે જ આપણને અગાઉથી સજજ કર્યા હોવા છતાં એ સમાચાર મળતાં ઊંડી વેદના અનુભવી. “પ્રબુદ્ધ જીવન” દ્વારા એમને નિયમિત મળવાનું થતું અને એ પ્રત્યેક મિલન જાણે કે સહચિંતનમાં અને અફર આશાવાદમાં પરિણમતુ, તેવું હવે નહિ બને. તેમને અભય સાદ હવે એમના સદેહે સાંભળવાનો નહિ મળે, એ ખોટ કેમે કરીને પુરાય એવી નથી. પણ એ માટે પણ આપણને ઘણું દિશાસૂચન કરતા ગયા છે તે હવે આપણું મંગલ સ ભારણું બની રહે. કર્મનો સિદ્ધાંતમાંની એમની શ્રધ્ધાએ એમને નિરyતા, નિમંત્રતા ને નિરંહકારિતાના વાહક બતાવ્યા હતા. તણે હવે અવશ્ય એમની કલ્પનાના મોક્ષમંદિરના દ્વારે એમને પહોંચાડયા હશે, જયાં એમને સુખદ અનુભવ થયો હશે કે: અજાણ્યો દ્વાર ગયાં ખૂલી; કલગી મૃત્યુને કરે ! આપણા સૌની આ દઢ શ્રદ્ધા છે અને એમાં આપણું પરમ આશ્વાસન હો! -ઝીણાભાઈ ઢસા, “સ્નેહરશ્ચિમ કુશાગ્રબુદ્ધિ અને કાર્યનિષ્ઠાનો સુમેળ રવ. ચીમનભાઈ શાહ મુંબઈના જયેષ્ઠ અને ધણુ બાહોશ સોલિસિટર તરીકે વિખ્યાત હતા. કુશાગ્ર બુદ્ધિ અને કાઈ પણ કાર્ય- કાયદાક્ષેત્રે કે સમાજક્ષેત્રે-નિષ્ઠાથી કરવાનો આગ્રહ; આ બને તો તેમનામાં સુંદર સુમેળ તે, ઈ-કેપેરેટેડ લે સંસાયટીના ઉપપ્રમુખ થવાનું પણ તેમને માન મળ્યું હતું. તેમના દુ:ખદ નિધનથી કાયદાના ક્ષેત્રમાં મોટી ઉણપ નિર્માણ થઈ છે. આ ઉય પૂરવી મુશ્કેલ છે. : -ન્યાયમૂતિ શ્રીમતી સુજતા મનોહર સાધક અને શુર પુરુષની સ્વસ્થતા 4 ચીમનભાઈ વિષે જે લખાયું, જે અંજલિઓ અપાઈ એમાં એમના મૃત્યુના શેક કરતાં એમના જીવન અને મૃત્યુની મહત્તા પ્રકાશ પામતી ગઈ. ' ગરીબ મા-બાપના દીકરા, સમાજ અને રાજકારણમાં અસાધારણ પ્રતિભા અને પ્રતિષ્ઠા મેળવી. એમના વ્યવસાયમાં ખૂબ વિકાસ પામ્યા, અને અનેક સામાજિક સંસ્થાઓને છત્રછાયા આપતા વડલા સમાન હતા એટલું તે હું જાણુતે જ હતું, પણ એની સાચી ઓળખાણું તે “પ્રબુદ્ધ જીવનમાં આવતા એમના બુદ્ધિપ્રભાથી ઝળકતા, માનવભાવયુકત, ઉદાત્ત, ચિંતનાત્મક લેખ દ્વારા પડી. “પ્રબુદ્ધ જીવન’માં એમણે લખવું શરુ ન કયુ હોત તે એમના ભાદાત્ત વ્યકિતત્વની પૂરી પિછાન જ ન પડત. માત્ર ધાર્મિક ક્ષેત્રે જ નહિ, પણ જ્ઞાનના બહુવિધક્ષેત્રનું એમનું પ્રદાન તત્વચિંતકોની હરોળમાં , એમને સ્થાન અપાવી ગયું. મૃત્યુ પહેલાંના મતદગીના એમના પહેલા લેખથી મારા ચિત્તમાં પણ એ ક્ષેભ થયો કે ચીમનભાઈ જેવા ધર્મમય ચિંતક ડગી ગયા કે શું ? પણ પછીના એમના બીજા અને ત્રીજા લેખે તે એક સાધક અને શેર પુરુષની સ્વસ્થતાનાં દર્શન કરાવ્યા. મૃત્યુને મંગલ કરી જાણ્યું. -- જયમલ પરમાર વ્યક્તિમાં રહેલાં આંતરતત્વની ઓળખ - સ્વ ચીમનભાઈ ખરેખર એક સહદથી માણસ. અંગ્રેજીમાં જેને “A man in men' કહે છે તેવા હતા. હું બેકવાર તેમને રૂબરૂ મળે. પહેલીવાર ‘રેખા-૨માં ગમે ત્યારે એમને મેઢે “કરપીસ’ નામનો રોગ થયેલું. છતાં તેમણે મારી સાથે વાતચીત, ચર્ચા-વિચારણા કરેલી. તેમના ઊંડા તત્વચિંતનની મારા પર અવિસ્મરણીય અસર થયેલી. વિનોબાની પાછળ ચાલી નીકળેલાં ચીમનભાઈ માણસમાત્રના ઊંડાણને સ્પર્શી શકતા. બીજી વારની મારી મુલાકાત થી મુંબઈ જૈન યુવક સંધના મારા વ્યાખ્યાન વખતે થયેલી. વર્ષોથી “પ્રબુદ્ધ જીવન માં પ્રગટ થતાં તેમના તંત્રી–લેખે હું ખૂબ જ ઊંડાણપુર્વક-વાંચત, વિચાર આવ્યો છું. તેમની સરળતા, સાદાઈ અને નિખાલસતા મને ગમતાં. વ્યકિતમાં રહેલાં આંતરતત્ત્વની એમની ઓળખ અચંબો પમાડે તેવી હતી. ઈશ્વર તેમના આત્માને પરમ શાંતિ આપે એવી પ્રાર્થના. -હરજીવન થાનકી પ્રબુધ્ધ જીવન દ્વારા લેકશિક્ષણનું કામ સદ્ગત મુ ધી ચીમનભાઈ સાથે મારી ઓળખાણ મારા સ્વ. સસરા મુ. પરમાનંદભાઈ કાપડિયાને કારણે થઈ હતી, અને મુંબઈમાં કયારેક મળી જવાનું બનતું. તે વખતે તેમની સાથે વિનોબાજીના ભૂદાન અદિલિત, સર્વોદય અદિલિન વિગેરે અંગેની વાતો થતી. તેમને તે પ્રવૃત્તિઓ ગમતી, પરંતુ તેનાથી દેશના રાજકારણું ઉપર બહુ અસર થશે નહીં', એવી તેમની સ્પષ્ટ માન્યતા હતી. પરમાનંદભાઈના ગયા પછી છેલલા દસ વર્ષમાં દેશમાં બહુજ મહત્ત્વના રાજકીય બનાવ બન્યા તેની ઊંડાણથી સમજણ આપવા ‘ચીમનભાઈને પ્રબુધ્ધ જીવન” મારફતે જે પ્રયત્ન રહ્યો તે દરેક રાજકીય વિચારકાને ધણા પસ દ પડને ૯૭૪ માં નવનિર્માણ આંદોલન ગુજરાતમાં થયું અને બિહારમાં જયપ્રકાશજીએ ઈદિરાની રાજ્ય કરવાની રીત સામે જે બંડ પેકાયું તેનું ઘણા અશે સમર્થન ચીમનભાઈના લેખમાં મળતું. દેશના ન્યાયત ત્રની સામે જે મેટા પડકાર આ માં તેની વિગતો “પ્રબુદ્ધ જીવન’માં જે રીતે તેઓ ચચંતા, તે એક બહુ મોટું લોકશિક્ષણનું કામ હતું. દૂર રહ્યા રહ્યા પણ ચીમનભાઇના વ્યકિતત્વને અનુભવ “પ્રબુદ્ધ જીવન’ મારફતે તે થતા જ, પરંતુ રૂબરૂ મળતા ત્યારે પણ તેમની મારા અને મારા પત્ની ગીતા તરફની લાગણીઓ વ્યકત થતી, અને તેમનું વૈચારિક ભાથું પ્રત્યક્ષ જાણવા મળતું હતું, - જ્યારે સમાજમાં બહુવિધ ચિંતકની અછત છે, ત્યારે શ્રી ચીમનભાઈ જેવા વિચારક, ચિંતક અને લેખકની ભારે મોટી ખોટ મુંબઈના અને ગુજરાતના જાહેર જીવનમાં પડી છે. - પિતાના મૃત્યુ અંગેનું તેમનું જે મનન-ચિંતન છેલ્લા દિવસમાં ચાલ્યું તે તેમના મનની નિમંળતા અને થિતપ્રજ્ઞ અવસ્થા તરફ જવાની તૈયારી સૌથી મોટું ઉદાહરણ છે, અને એ રીતે તેમનું મૃત્યુ એ ધન્ય મૃત્યુ હતું.' શ્રી ચીમનભાઈને મારી ભાવપૂર્વકની અંજલી. - સૂર્યકાન્ત પરીખ
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy