SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમુખ્ય વન તા ૧૧-૨૩ પક્ષની નિશાની ઝાડ હોવાથી કેટલાક મતદાતાએ ઝાડ સામે ચેકડી કરી સમાજવાદી પક્ષને મત આપવાને બદલે મતદાનમથાની આજુબાજુના ઝાડ ઉપર ચડી ગયા હતા. આવા મતદાતાઓ હોય તો પશુ ઉમેદવારને એમની પડે ખુશામત કરી મત મેળવવા છે. આ રીતે મતદાતાઓનુ ધમંડ જાગે છે, એમનુ' અહું પોષાય છે. આમ, ચૂંટણીઓ પક્ષ, ઉમેવાર અને મતદાતા ત્રણેની ઉન્નતિ નહિ પશુ અવનતિ માટે કારણભૂત અની રાષ્ટ્રની રગેરગના કારી ખાતા કર્કરોગની ગરજ સારે છે. લેકશાહીના આ દોષો છતાં એ તે કમુલ કરવું જ પડશે કે લાશાહી સિવાય આપણી પાસે બીજો ક્રાઇ પર્યાય નથી. ચીમનભાઇએ સાચું જ કહ્યુ છે કે, ` ‘સ ંસદીય લેાકશાહીમાં અનેક દાષા હોવા છતાં તેના કરતાં વધારે સારી પદ્ધતિ ન શોધાય ત્યાં સુધી તે શ્રેષ્ડ રાજ્યપદ્ધતિ છે. તે એટલા માટે કે ખીન્ન રાજ્યપદ્ધતિએ મુકાબલે આ પદ્ધતિમાં પ્રજાના કાંક અવાજ છે, વિચાર અને વાણીસ્વાતંત્ર્ય છે. પાંચ વર્ષે પ્રજાને જવાખ આપા પડે છે, સ ંસદમાં સતત દેખરેખ અને ટીકાને અવકાશ છે. પ્રજાને રાજ્યકર્તાઓમાં ફેક્ાર કરવાની તક રહે છે.' આમ સાચા ઉપાય લેશાહીને તિલાંજલિ આપવાને નહિ પણ એને સાચા યજ્ઞ બતાવી, ચૂંટણીઓને લેાકશિક્ષણ. અને લોકજાગૃતિ માટેનાં પવિત્ર પર્વો બનાવી રાષ્ટ્રના ચારિત્ર્યનું ધડતર કરવાના છે. આમ, લોકશાહીને સાચા અથ માં લેાકશાહી બનાવી, આદર્શ પ્રત્યે વાળવી હાય તો શુ' કરી શકાય ? આને માટે સ ́સ્થાકીય સ્તરે તેમજ વૈતિક ચૂંટણીની પ્રક્રિયામાં તેમજ નાગરિકાના વ્યક્તિત્વમાં પરિવતના લાવવા આવશ્યક છે. સ્તરે, અમુક (૧) ચૂંટણીએ નિયત સમયે થાય એ આવશ્યક છે પણ આ સાથેજ એ વાતની પણ પૂરી તકેદારી રાખવી રહી કે ચૂંટણીએ, મુક્ત ચૂંટણીએ એટલે કે સરકાર કે સત્તાધારી પક્ષની કાઇ પણ જાતની દખલગીરી વિના થાય. (૨) સરકારની માફકજ ચૂંટણી પર પ્રસરતું પૂછપતિ આનું વસ્ત્ર પણ નાબૂદ થવું જ જોઇએ. ચીમનભાઈ હંમેશ એ વાત પર ભાર મૂક્તા કે ચૂંટણી માટે ખ'ની નક્કી થયેલી મર્યાદાનો કડક અમલ થવા જોઈએ, એટલુ જ નહિ પણુ, ઉમેઘ્વારાની માફક રાજકીય પક્ષો માટે પણ આવી મર્યાદા નક્કી કરવામાં આવે. બધા પક્ષા એનુ પાલન કરી પોતાના પાકા અને પૂરા હિસાબ રજુ કરે, જેની નિષ્પક્ષ તપાસ થાય. એમની એવી અપેક્ષા હતી કે સત્તાધારી પક્ષ આ દિશામાં પહેલ કરે. (૩) પક્ષાએ યોગ્ય ઉમેદવારાને ઉમેદવાર તરીકે ઉભા રાખવા જોઇએ. ઉમેવારેએ એક વખત ચૂંટાઈને આવ્યા પછી મતદારાની આશા—આકાંક્ષા અને આવશ્યકતાઓને નિર્ભય રીતે વાચા આપવી જોઇએ તેમજ પ્રજાને યોગ્ય મા'દર્શન પણ પુ" પાડવુ. જોએ. સંક્ષેપમાં પક્ષના નેતાઓમાં કાય કુશળતા અને ચારિત્ર્યશીલતાના સમન્વય સધાયેલો હાવા જોઇએ એ વાતમાં કાઈ શંકા નથી કે લેાકશાહીની સફળતા માટે ઋષિકલ્પ નેતાઓની આવશ્યકતા રહે છે. સંભવ છે કે એક ઉમેાર ચૂંટણી વખતે અનેક રચના આપે, લોકાની સેવા કરવાની ઉત્કટ ઇચ્છા પ્રદર્શિત ૧૦૧ કરે પણ એક વખત ચૂંટાઈ આવ્યા પછી નિષ્ઠાપૂર્વક કામ ન કરે, લાકને સ્થાને ‘સ્વ’ ને કેંદ્રમાં રાખતા થઈ જાય અને જાહેરજીવનના સર્વ' નીતિનિયમેને તેવે મૂકી દે. ચીમનભાઈ આ માટે સ્પષ્ટ રીતે એક ઉપાય ચીધે છે અને તે આવા પાછા ખેંચી લેવાના એટલે Right ઉમેદવારને to Recalla. આજકાલ પ્રચલિત થયેલી પક્ષાંતરની કુરીતિના પણુ ચીમનભાઇ પ્રખર વિરોધી હતા. લાકશાહીને દોષમુક્ત કરવા માટે અમણે સૂચવેલા અનેક ઉપાયોમાંના એક છે ‘પક્ષાંતર સવ'થા બંધ થવુ જોઇએ. પક્ષાંતર કરવુ હાય તો રાજીનામુ આપી ફરી ચૂંટણી થાય.' (૪) ઉમેદવારાની માફક મતદાતાઓએ પણ સતત્ જાગૃત અને કાઇ પણ જાતનાં પ્રલેભનાને વશ થયા વિના યોગ્યતાને આધારે મતદાન કરવા માટે તૈયાર રહેવું પડે. ા માટે સર્વોદય વિચારકાની માફક ચીમનભાઇ પણ બિનપક્ષીય મતદાર મંડળેા રચવાની હિમાયત કરે છે. આવાં મડળાને ચૂંટણીમાં થતી ગેરરીતિઓને અટકાવવા માટે કાનૂની પગલાં લેવાને અધિકાર આપવા જોઇએ એમ પણ એ માનતા. આમ લેાકશાહી સફળ થાય એટલા માટે નિતિનિષ્ઠ નરવી કે ઋષિકલ્પ નેતાઓ હોવા જરૂરી છે, એ જ પ્રમાણે મતદાતાઓ પણ જાગૃત હોય, શિસ્તબદ્ધ હોય, સ્વતંત્ર વિચારવાળા અને નૈતિક ચૈતન્યવાળા હાય ઍ પણ એટલું જ આવશ્યક છે. (૫) વિચાર અને વાણીસ્વાતંત્ર્ય એ લેાકશાહીનાં પ્રાણસમાન તત્ત્વો છે. આ બન્ને હકાને સ્પષ્ટ મર્યાદા છે. સ્વતંત્રતાને નામે વચ્છ ંદતા ન પોષી શકાય અને સમાજની પ્રગતિને અવરેધતા સ્થાપિત હિતનું રક્ષણુ પણ ન કરી શકાય. પરંતુ આના અય' એમ ન ધરાવી શકાય કે સમાનતાને નામે આપણે વ્યકિતસ્વાતંત્ર્યને પડતુ મુકીએ. સ્વાતંત્ર્યની રક્ષા ખાતર ન્યાયતંત્રની સ્વતંત્રતા અને વર્તમાનપત્રો તથા સંચારમાં બીજા સાધના પર વધુ પડતાં નિયંત્રણના અભાવ ખૂબ જરુરી છે. જો વ`માનપત્રા પર અંકુશ મુકવામાં આવે અથવા એમને પ્રજાના અવાજને વાચા આપતા ટકાવવામાં આવે તે જેવા પ્રજાને અવાજ રૂપાય એવું જ લેાકશાહીનું ગળું પણુ રૂ ધાયજ એ વાત નિર્વિવાદ છે. ચીમનભાઈ અભિવ્યક્તિ અને અખબારી સ્વાતંત્ર્યના વા પ્રચંડ સમર્થીક હતા એ કટાટીના કઠણ કાળ દરમ્યાનના એમના પ્રબુદ્ધ જીવન'ના લેખેાથી એમણે પુરવાર કરી ખતાવ્યું. એમની સૌમ્ય પણ ખમીરવંતી લેખિનીમાં સત્તાના અન્યાયી આદેશાનેા અનાદર કરવાની હિંમત હતી. જનમતને નિર્ભયપણે વ્યક્ત કરવાનું સામર્થ્ય હતું. એએ કહેતા જ કે સમાચારપત્રોના સ્વાતંત્ર્ય વિનાની લેાકશાહીની હું કલ્પના જ કરી શકતા નથી. બિહાર Press Bill અંગે પણ ચીમનભાઇના દિલમાં ઊડી વ્યથા હતી. જરૂર પડે તા આ બિલ સામે સક્રિય લડત આપવાની પણ એમની તૈયારી હતી. (૬) લોકશાહીમાંથી લેાના વિશ્વાસ ઊડી ન જાય અને એના પાયા સુદૃઢ અને એટલા માટે લોકશાહીના અન્ય ચાહકાની માફક ચીમનભાઇ પણ સત્તાધારી અને વિાધી અને
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy