SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ • ચીમનલાલ ચકભાઇ શાહ સ્મૃતિ અંક તા. ૧-૧-૮૩. Scanning કરવામાં આવ્યું. લીવરમાં પણ કંઇ માલુમ ન પડ્યું. હવે ફક્ત એક જ તપાસ બાકી રહેતી હતી. તે હાજરી અને તેની જોડે નાના અતિરડાને ભાગ. બેરિયમ આપીને તપાસ કરાવવા ચીમનભાઈ રાજી ન હતા, પણ છેવટે તેમને સમજાવી શકાય. તપાસ કર્યા પછી પણ તકલીફ ચાલુ જ હતી. નસ દ્વારા કુકેઝ ચાલું જ હતું, આ સમય અમારા માટે ખરી કસેટીને હતે. નિદાન થાય નહીં. તકલીફમાં ફેર પડે નહીં. એટલે નિર્ણય લેવાની ચિંતા, અને માનસિક તાણ રહે. બેરિયલ આપીને તપાસ કરતાં જણાયું કે, હોજરીમાંથી નાના આંતરડામાં જવાને રસ્તે લગભગ બંધ થઈ ગયો છે. અને કંઈ પસાર થઈ શકે તેમ નથી. હોજરી પછી નાના અતરડાને ભાગ જે Pylorus કહેવાય છે, તેમાંથી એક ગાંઠ તેના ઉપર દબાણ કરે છે. ત્યાર પછી ડોકટરોને સાથે મળી પરસ્પર વિચારણા કરી અને નકકી થયું કે ઓપરેશન કરવું જોઈએ. પૂરત યિાર કર્યા પછી નકકી કર્યું કે, ઓપરેશન જૈન કલીનીકમાં કરવું. શ્રી ચીમનભાઈ પણ સંમત થયા, ઓપરેશન થિયેટરની પૂરી તૈયારી કરી. તા. ૭મી ઓકટોબરે સવારે ૯ વાગે ઓપરેશન છે. શાન્તિલાલ મહેતા તથા ડે. આર. જે. શાહે કહ્યું". પેટ ખેલતા ગાંઠ દેખાણી, ફેલાઈ ગયેલી હતી એટલે કાઢી શકાય તેમ ન હતી. હોજરીને રસ્તો બંધ હતા, એટલે હોજરીમાંથી આંતરડાને નવો રસ્તો કરી તેને જોડી દીધું. ગાંઠનો ટુકડો લઈને તપાસ માટે મોકલાવ્યો. બે કલાક બાદ ઓપરેશન પુરૂં થયું. અરેઅતના ૭૨ કલાક થોડી તકલીફ રહી, પછી સાધારણ આરામ રહયે. દરરોજ ડે. શાન્તિલાલ મહેતા, ડે. આર. જે. શાહ, ડો. આર. એચ. મહેતા તપસતા રહે અને સારવાર ગોઠવતા રહે. - આ દિવસોમાં મુલાકાતીઓને મેટો ઘસારો હતો. દરેકને તે શ્રી ચીમનભાઈ પાસે લઈ જવાય પણ નહીં. કેમકે એમને પૂરતા આરામની જરૂર હતી. તેમની પૂછપરછ માટે ઘણું ફોન - આવે. V. I. P. લોકોને શ્રી ચીમનભાઈ પાસે લઈ જવા. - તેમને અમુક જ પ્રમાણમાં વાત કરવા વિનંતી કરવાની, તથા -કોઇને માઠું ન લાગે તેનું ધ્યાન રાખવાનું, એ રીતે આ સમય અમારા માટે ખૂબ જ નાજુક હતા. તેમાં પણ શ્રી ચીમનભાઈ અને તેમના પુત્ર સુધીરભાઈને સારે સહકાર મળી રહે. ભાઈ સુધીરભાઈ વિષે પણ થોડી વાત કરવાની છે. શ્રી ચીમનભાઈને સારવાર માટે, તપાસ કરાવવા બાબત, ઓપરેશન નિર્ણય લેવા વિષે સમજાવવામાં અમને સુધીરભાઈની ખૂબ જ મદદ મળી છે. હોસ્પિટલમાં ૪૦ દિવસ અને ધરે ૨૦ દિવસમાં ૨૪ કલાકની તેમની ઉબે પગે હાજરી અને એકધારા ૬૦ દિવસ-રાતના ઉજાગરા. સમયે સમયે નિયમિત દવા આપવા ઉપરાંત, નાની નાની બાબતમાં પણ તેઓ ધ્યાન રાખતા. શ્રી ચીમનભાઈને રપંજ આપવામાં તથા નસની જોડે જોડે તેમનાં મળ-મૂત્ર પણ પોતે જાતે જ સાફ કરે. પથારી કરવી, કપડાં બદલવા, તેમના પિષણનું માપ રાખવાનું વગેરે કાર્યમાં સુધીરભાઈએ પુત્ર તરીકેની ફરજ બજાવવામાં કંઈ જ બાકી નથી રાખ્યું, ચીમનભાઈના સેવાકાર્યમાં તેમણે શ્રવણ જેવું કામ કર્યું છે. ' આવી ગંભીર માંદગી અને અનહદ શારીરિક પીડા છતાં ચીમનભાઈની મનની સ્વસ્થતા, સમતા, અને શાંતિ સારી જળવાઈ રહી હતી. ઓપરેશનની આગલી રાત્રે તેમણે “મારી કસોટી નામને લેખ “પ્રબુદ્ધ જીવન” માટે લખાવ્યું. ઓપરેશન પછી માંદગી ઉગ્ર હતી તે સમયે પણ મનની સ્વસ્થતાથી તેમણે માંદગીને બિછાનેથી” એ બીજે લેખ લખાવ્યું. અને મૃત્યુ જ્યારે નજીક છે, તેની પ્રતીતિ થઈ ત્યારે “માનવ સંબંધે' એ લેખ લખાવ્યો. આવા કઠીન વ્યથાના દિવસોમાં પૂર્ણ સ્વસ્થતાથી, માનસિક સ્થિતિને કાબુમાં લઈને જીવનભરના વિચારેના નિચોડને એમણે આ ત્રણ લેખમાં આલેખ્યો. તેના ઉપરથી ચીમનભાઈની આકૃતિ આપણું અંતરના ઉંડાણમાં હમેશને માટે કંડારાઈ રહ્યાની લાગણી અનુભવાઈ રહી છે. " માંદગીના સાઠ દિવસ તેમના માટે અસહ્ય, શારીરિક પીડાના હતા, પણ તેમની મનની સ્વસ્થા પૂરેપૂરી હતી. તેમણે કેઈપણ જાતની ફરિયાદ કરી નથી. ઓપરેશન પછી અઠવાડિયા બાદ નકકી કર્યું કે તેમને રોગ વિશે વાકેફ કરવા. તેમના પુત્ર સુધીરભાઈએ પૂર્વભૂમિકા તૈયાર કરી, અને અમે ધડકતા હૃદયે અને વ્યથિતપણે, તેમની પાસે બેસીને તેમને સઘળી હકીકત કડીબદ્ધ જણાવી. તે સમયે પણ શરીરની પીડ ઘણું જ, પણ સંપૂર્ણ સ્વસ્થતાથી જરાયે લાગણીવશ થયા સિવાય સાંભળ્યું. ત્યાર પછી આ રોગ બાબતમાં “રોગ કેવો વળાંક લે છે?” “વધારે કંઈ કરવા જેવું ખરું કે?' વગેરે ત્રણચાર સવાલો સ્વસ્થતાથી પુછયા બાદ કહ્યું કે, ડોકટર! ચિંતા કરવાનું કે મુઝોવાનું કોઈ કારણ નથી. આ શરીર પ્રત્યે કઈ જાતનું વળગણ નથી; છુટી જવાનું પણ દુઃખ નથી. ફકત લાંબી માંદગી પરવશ બનાવી મુકે અને બીજાને ભારરૂપ થવાય તેનું જ દુઃખ છે.” આવી સ્વસ્થતા સાથે આવા ગંભીર સમાચાર તેમણે શાતિથી પચાવી દીધા. અંતમાં, થોડા ટાંકા કાઢવાના બાકી હતા. એકંદરે તબિયત સારી હોવાથી ડોકટરની સલાહથી ઘરે લઈ જવાનું નકકી કર્યું. તા. ૩૧મી ઓકટોબરને, રવિવારે ઘરે ગયા. ત્યાર પછી સાધારણ ઠીક રહેતું. પણ રૂચિ બિલકુલ નહીં', તબિયતમાં ખાસ સુધારે ન હતા. દિવાળીની રાતથી તબિયતે પલટો લીધો, ઉલટી થઈ અને તેમાં થોડું લોહી પડયું. પછીના ચાર દિવસ વિકટ ગયા. તબિયત ઉત્તરોત્તર લથડતી જ રહી, અને શનિવારે ૨૦ મી નવેમ્બરે સવારે ૧૧ વાગ્યે તેમના પુત્ર, પુત્રવધૂઓ અને પૌત્રપૌત્રીઓની તથા મહાસતીજીની હાજરીમાં નવકાર ગણતાં ગણતાં તેમને આત્મા દેહને ત્યજીને વિલીન થઈ ગયે. છે સેવા કરવી સહેલી નથી. અંતરના ભાવ શુદ્ધ હોય પણ સંજોગે પ્રતિકૂળ હોય, વિરોધ હોય, ઇષ કે ખટપટ હોય, મતભેદ થાય અને જીવને કલેશ થાય. માનવવ્યવહાર એટલે સંઘર્ષ. ભારે ધીરજ અને સહિષ્ણુતા જોઈએ. પિતાનું ધાર્યું કરવાની વૃત્તિને ખૂબ કાબૂમાં રાખવી જોઈએ. સંસ્થામાં કે સમૂહમાં કામ કરતાં હોઈએ ત્યાં સૌને સાથી રાખીને કામ કરવાની કુશળતા જોઈએ. આ ત્યારે બને કે સાથી કાર્યકર્તાઓ પ્રત્યે પિતે આદાર રાખે અને પિતાનું વર્તન એવું હોય કે બીજાને પિતાના પ્રત્યે આદર થાય. , સેવા મેહમાંથી
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy