________________
ચીમનલાલ ચકુભાઇ શાહ સ્મૃત્તિ અક
૧૮૬
ઉમેરીને તે રકમનુ ‘માનવ રાહત ટ્રસ્ટ' કયુ", જેમાંથી દર વર્ષે લગભગ ચાલીસ હજાર રૂપિયાની સહાય ગરીખાને અપાય છે. તેવી જ રીતે એમની તાંતેરમી જન્મજયંતી પ્રસંગે ઝાલાવાડી સભા જેના તે ત્રીસ વર્ષથી પ્રમુખ હતા, તેના સભ્યોએ એમને ચાર લાખ રૂપિયાની થેલી અપણું કરી, જેમાં ચીમનભાઇએ રૂા. ત્રીસ હજાર ઉમેર્યાં. એ રકમનુ' ચીમનભાઇના નામથી ઉચ્ચ ‘શિક્ષણુ ક્રૂડ’ સ્થાપવામાં આવ્યું જેમાંથી દર વર્ષે રૂપિયા પચાસ હજાર વિદ્યાથી ઓને શિષ્યવૃત્તિ તરીકે અપાય છે. સીમનભાઇ પ્રત્યે લેાકાને કેટલો પ્રેમાદર હતા. તેની સાક્ષી આ ઘટના છે.
યુવક
ચીમનભાઇ જેમ ચિ'તનશીલ લેખક હતા તેમ કુશળ વકતા અને વ્યાખ્યાતા પણ હતા. લેખનમાં તેમ વકતૃત્વમાં ગુજરાતી તેમજ અંગ્રેજી એ બંને ભાષા પર તે અસાધારણ પ્રભુત્વ ધરાવતા હતા. શ્રી મુંબઇ જૈન સધ તરથી પ્રતિ વર્ષ' યોજાતી પયુ ષષ્ણુ વ્યાખ્યાનમાળામાં ૧૯૩૬થી સેલ્લી વ્યાખ્યાનમાળા સુધી દર વર્ષે તેઓ ક્રાઇ એક વિષય ઉપર મનનીય વ્યાખ્યાન આપતા આવ્યા હતા એમના વકતવ્યમાં હમેશાં ગહનતા, મૌલિકતા, નવા અભિગમ અને તાજગી રહેલા હતા. તેમની વાણી સ્પષ્ટ ને સચોટ હતી અને શ્રેતાઓ પર તેના ઊંડા પ્રભાવ પાડતી. રવ. પરમાનંદ ક્રાપડિયાના અવસાન પછી ‘પ્રમુદ્ધ જીવન'ના ત ંત્રીપદની જવાખદારી ચીમનભાઇના માથે આવી પડી. એથી માટા લાભ એ થયા કે વત માન ભારતીય અને આંતરરાષ્ટ્રીય રાજદ્વારી ને ઇતર ધટનાઓ વિષેના તેમના વિચારો, પહેલાં તેમના એ વિષેનાં વ્યાખ્યાના દ્વારા કૃત ચેડાક શ્રેતાઓને જાણુવા મળતા હતા તે ‘પ્રબુદ્ધ જીવન'ના વિશાળ વાચક વર્ગને સુલભ થયા. તદુપરાંત એના પ્રત્યેક ”કમાં કાઇ એક વિષય ઉપર તેમનેા મનનીય લેખ પશુ રહેતા એમાં એમના સન્નિષ્ઠ ને પારશ'ક વ્યક્તિત્વને આપણને પરિચય થાય છે. એમની શૈલી ગાંધીજીની ગદ્યશૈ લીની આપણને યાદ અપાવે એવી. ચીમનભાઇની એક મોટી સેવા એ હતી કે દેશમાં જયારે કટોકટીનું શાસન લાદવામાં આવ્યું અને વાણીસ્વાતન્ય છીનવી લેવામાં આવ્યુ ત્યારે તેની સામે ‘પ્રમુદ્ધ જીવન' દ્વારા એમણે પૂરી નિયતાથી પોતાના ખુલ'દ અવાજ ઉઠાવ્યા. એ દિવસ દરમિયાન ‘પ્રમુદ્ધ જીવન' ઉપર સતત ભય તોળાતા રહયાં, ને ચીમનભાઇની ધરપકડની આવા વારવાર મુંબઈમાં ફેલાતી રહી, પરંતુ એમની' સાચી નિષ્ઠા અને ઉચ્ચ ચારન્પિશીલતાને લીધે સરકારે સમુદ્ધિપૂવ ક એવુ’ કોઇ પગલું લીધું નહિ. કટોકટી દરમિયાન ચીમનભાઇએ મુક્ત વિચારણા દ્વારા કરેલી દેશસેવા યાદ્ગાર બની રહેશે.
શ્રી ચીમનભાઈનું પરિણીત જીવન બહુ ઉત્સાહપ્રેરક ન હતું. ચીમનભાઇનાં લગ્ન સત્તર વર્ષની વયે એમના દાદાએ નક્કી કરેલી કન્યા સાથે થયાં. એ જમાનાની કેટલી યે તેજસ્વી વ્યક્તિઓના જીવનમાં બન્યું હતું. તેમ પતિપત્ની વચ્ચે અભ્યાસ, સંસ્કાર વગેરેનું અંતર રહેતું. ચીમનભાઇ સાઈિસટર થયા હતા અને એમનાં પત્ની અજવાળીબહેન અશિક્ષિત હતાં. તેની પ્રકૃતિ વચ્ચે પણ અંતર હતું. પત્નીના સ્વભાવ વિશેષ બુદ્ધિમુ`ખ, એલાયો, થાંત તાં થ્યાગ્રહી હતા. ચીમનભાજીની જાહેર જીવનની પ્રવૃત્તિએ પત્નીને બહુ પસંદ નહેાતી. પરિણામે દામ્પત્યજીવનમાં કયારેક ઘણું થયા કરતુ', ત્રણેક વખત પત્નીએ માનસિક સમતુલા ગુમાવી હતી,
તા. ૧-૧-૮૩
પરંતુ તખીખી સારવારથી સારું થઇ ગયું હતું. આવી વ્યથાભરી પરિસ્થિતિમાં પણ ચીમનભાઇએ પૂરી સ્વસ્થતા, ધ ય અને નિષ્ઠાથી પેાતાનુ ગૃદ્ઘજીવન નભાવ્યું. પોતાની જાહેર ૨ જીવનની પ્રવૃત્તિઓ ઉપર તેની અસર પડવા ન દીધી, કેટલે અશે. એ ગૃહજીવન જાહેરજીવનને પોષક બન્યું. માંદગી દરમિયાન એમણે પત્નીની સારી ચાકરી કરી. ઉત્તરાવસ્થામાં પત્નીનુ માનસપરિવત ન થયું હતુ. વારંવાર તે ચીમનભાઈ માટે હૃદયની શુભેચ્છા વ્યક્ત કરતાં. ઈ. ૧૯૭૩માં લગભગ ખે વર્ષના માડ પછી એમનું અવસાન થયું. ત્યાર પછી ૧૯૭૬ માં ચીમનભાઇનાં માતાનુ ૮૭ વર્ષોંની વયે સમાધિપૂર્ણાંક અવસાન થયું.
ચીમનભાઈને સતાનેામાં બે પુત્રા છે. મોટા પુત્ર મનસુખભાઈ એમની સાથે વકીલાતના વ્યવસાયમાં જોડાએલા અને નાના પુત્ર સુધીરભાઇ એન્જિનીઅર છે. એ બંનેને ત્યાં સ'તાતા છે. ધરે ચીમનભાઈના ધણું ખરે સમય વાચન, ચિંતન, મનન અને લેખનમાં પસાર થતા.
આામ, ચીમનભાઇ એટલે આપણા સામાજિક સરિકારિક, રાજને તિક, ધાર્મિ'ક, શૈક્ષણિક, સાહિત્યિક ઇત્યાદિ ક્ષેત્રાની એક અગ્રગણ્ય વ્યક્તિ. તેમની પ્રતિભા બહુમુખી હતી. તેમનામાં રૂઢિગત પરપરા અને આધુનિકતાનો સુભગ સમન્વય હતા. તેમનુ જીવન હંમેશાં પ્રસન્ન, સસ્પેંયમી, સંસ્કારમય અને સેવામય રહ્યુ હતુ. ધરે અને એસિમાં મળી તે દરરાજ દસથી બાર કલાક ભિન્નભિન્ન સંસ્થાની વિવિધ પ્રવૃત્તિનાં સંચાલન અને માગ દશનમાં તથા અનેક મુકાલાતીઓની સાથે ચર્ચાવિચારણામાં પસાર કરતા હતા. એકલા પડે ત્યારે અધ્યયનલેખન ચાલતુ. છેલ્લાં કેટલાંક વર્ષોથી તે અંતમુ ખ વિશેષ બન્યા હતા. પોતાની બેઠક પાસે ‘સમણુસુત્તમ્', ‘ઇશાવાસ્ય ઉપનિષદ’, ‘ભગવદ્ ગીતા’, ‘બાઇબલ' વગેરે થોડાક પ્રથા કાયમ મૂકી રાખતા અને અંતમુ ખ થવા માટે આ પ્રથામાંથી એમને પુષ્કળ પ્રેરણા મળ્યા કરતી.
......અને ચીમનભાઈના જીવનમાંથી બીજા અનેકતે પુષ્કળ સતત પ્રેરણા મળ્યા કરતી. ૨૦મી નવેમ્બર ૧૯૮૨ના રાજ એમના દેહ વિલય થયા.
*
માણસને માંસાહારમાંથી છેડાવવાની એક ઉપાય મને સૂઝે છે. આઠ દિવસ તેને દેવનાર (મુંબઇ)ના અથવા કાઇ કતલખાનામાં રાખી મૂકો. તેનામાં જરા પણુ માણસાઇ હશે તે, મને શ્રદ્ઘા છે કે, માંસાહાર પ્રત્યે તેને ધૃણા થશે. મોટા ભાગના માંસાહારી લેાકાએ પ્રાણીવધ જોયા નથી, લેાહીની નદીઓ વહેતી જોઈ નથી, કેટલુ ધૃણાત્મક છે તે અનુભવ્યું નથી. તેની અનહદ ગર્દી, મળમૂત્ર, લેહીના થતા ખીચડી, હાડમાંસના લાચા, આ બધું નજરે નિહાળે તે એની આંખ ઊધડે, સ્વાદિષ્ટ વાનગીએ અદૃશ્ય રીતે ટેબલ ઉપર આવે છે એટલે તેની પાછળ કેટલી ભયંકર પ્રક્રિયા પડી છે. તેનુ માજીસને ભાન નથી. માંસાહાર છેડાવવાના આ ઉપાય જરૂર અજમાવવા જેવા છે.
( ‘નિરામિષ આહાર’માંથી )
38