SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧-૮૩ લાકસભામાં કરેલું પ્રવચન યાદગાર ખની ગયું. છે. ૧૯૩૭ માં ચીમનભાઇ કને યાલાલ મુનશીના પ્રથમ સપકમાં આવ્યા. એમની લેખનકિત તા મૌલિક ચિંતનશકિતથી પ્રભાવિત થએલા મુનશીએ એમને ગુજરાતી સાહિત્ય પરિષદની કારાબારી સમિતિમાં લીધા અને ૧૯૩૯ થી ૧૯૫૧ સુધી એમ સતત બાર વર્ષ સુધી ચીમનભાઇએ ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે સેવાઓ આપી. એમણે અમદાવાદ, લાઠી, નાગપુર, જૂનાગઢ, નવસારી વગેરે સ્થળે ભરાએલાં અધિવેશનામાં હાજરી આપી એ એધિવેશનાની પૂર્વ તૈયારીઓ કરવામાં, વહીવટી યાજન કરવામાં અને અધિવેશન પછી એના અહેવાલે તૈયાર કરવામાં પુષ્કળ સમય આપ્યા. એમની કામગીરીથી પ્રસન્ન થ મુનશીએ એમને ભારતીય વિદ્યાભવનની કારોબારી સમિતિમાં પણ લીધા. સાહિત્ય પરિષદના મંત્રી હતા ત્યારે ચીમનભાની લેખનપ્રવૃત્તિ ઠીક ચાલતી. સ્વ. રામનારાયણ પાઠક ત્યારે પ્રસ્થાન’ના તંત્રી હતા. એમની સૂચનાથી ચીમનભાઇ ‘પ્રસ્થાન’માં નિયમિત નૈધિ લખતા. ત્યાર પછી એ પ્રવૃત્તિ મંદ પડી. પરંતુ છેલ્લા કેટલાંક વર્ષથી તેઓ પ્રબુદ્ધ જીવનના તંત્રી થયા ત્યાર પછી એમની લેખન પ્રવૃત્તિ ક્રીથી નિયમિત ચાલી. એમના ચિંતનાત્મક લેખોનું પુરતક ‘અવગાહન'ના નામથી ઇ. સ. ૧૯૭૭માં પ્રગટ થયું. ?‘ભગવાન મહાવીર' અને આલ્બટ રવાઇઝર' એ બે પરિચય-પુરિતકાએ પણ એમણે લખી હતી. પત્રકારત્વના અને કેળવણીના ક્ષેત્ર સાથે પણ ચીમનભાઇને ગાઢ સપક' રહ્યો હતા. તેઓ ૧૯૩૯ થી ‘જન્મભૂમિ' અને એનાં ખીજા પત્રા સાથે સંકળાએલા હતા. કેટલેક સમય એ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે એમણે કામ કર્યું' અને એ પછી શેના પ્રમુખ અન્યા. ઈ. ૧૯૫૫માં તેઓ પ્રેસ ટ્રસ્ટ એક્ કાડિયામાં ડાયરેકટર તરીકે જોડાયા હતા. ત્યાર પછી એના પ્રમુખ તરીકે ચુંટાયા હતા. તે બીજી વાર પણ એના પ્રમુખ તરીકે ચ*ટાયા હતા. તેઓ કી પ્રેસ' જૂથ, એક્સપ્રેસ’ જૂથ અને ‘ટાઈમ્સ એક પ્રક્રિયા' જૂથનાં પત્રા અને કામગીરીથી તથા એના કમ ચારીઓના પ્રશ્નથી પણ સુમાહિતગાર હતા. કાણું કે વર્ષોં સુધી એ પત્રાના સોલિસિટર તરીકે એમણે' કામ કર્યુ હતુ. ચીમનભાને કેળવણીના ક્ષેત્રમાં જીવંત રસ હતો. કાલેજમાં અયાપ થવાની ૩×ાસ્ત યુવાન વયે સ’જોગવશાત્ એમણે ન સ્વીકારી, પરંતુ વે યુનિવર્સિટીની મુંબઇની કૉલેજની સ્થાપના થઇ ત્યારે પોતાના વ્યવસાયની સાથે સાથે તેમાં કેટલાંક વર્ષ માના અધ્યાપક તરીકે પણ કામ કયુ" તે તે પછી વર્ષોંથી એ"યુનિવસિટીની સેનેટ તે સિન્ડિકેટના સભ્ય તરીકે સેવા આપી હતી. મુ"બઈમાં જૈન કળવણી માઁડળ, જેના હસ્તક શ્રેણી સસ્થાઓ ચાલે છે, તેમાં એના સ્થાપનાકાળથી છેવટ સુધી તેઓ મંત્રી રહ્યા. વળી મચુસ્ત જૈન વિદ્યાથી ગૃહ ઋને લી'ખંડી કેળવણી મડળમાં એના પ્રમુખ તરીકે પણ તેઓએ કાય' કયુ". કેળવણીની પેઠે તીખી રાહતના ક્ષેત્રે પણ એમની સેવાઓ નેધિપાત્ર રહી હતી. મુ’બમાં નવેસ્ટ જૈન ક્લિનિક, જે ગરીખા ને મધ્યમ વર્ગોના માણસે માટે આશીર્વાદરૂપ છે, તેના તે આદ્યસ્થાપક અને ત્રીસ વર્ષથી પ્રમુખ હતા. તેવી જ રીતે સૌરાષ્ટ્ર મેડિકલ સેન્ટર અને સુરેન્દ્રનગર સી. યુ. શાહુ ટી. ખી. હોસ્પિટલના તે શરૂઆતથી અંત સુધી પ્રમુખ રહ્યા. ....ચીમનભાઇ કાયદાના નિષ્ણાંત હાવાથી કેન્દ્ર અને રાજયાની ૧૮૫ સરકારની એ વિષયની ઘણી જુદી જુદી સમિતિઓમાં વખતે વખત એમણે કામ કર્યું હતું અને જુદા-જુદા ધારાએ ધડવામાં સરકારને મદદરૂપ થયા હતા. ગુજરાત સરકારના ઔદ્યોગિક વિકાસ નિગમના પ્રમુખ તરીકે પણ એમણે સેવા આપી હતી. ચીમનભાઈ, લાકસભાના સભ્ય હતા ત્યારે તેમની તબિયત અસ્વસ્થ રહેતી હતી. લેાકસભામાંથી નિવૃત્ત થઈ ૧૯૫૭ માં મુંબઇ આવ્યા અને ડૅાકટરને બતાવ્યુ. ડાકટરે કહ્યું કે આંતરડામાં કેન્સરની ગાંઠ હશે. ૪. ૧૯૫૯ માં ગેપરેશન કરાવ્યુ છતાં આંતરડામાંથી કશું નીકળ્યું નહિ. પરંતુ આંતરડાં નબળાં પડી ગયાં હતાં અને પાચનશકિત સાવ મંદ પડી ગઇ હતી એ સાચું. એથી ચીમનભાઇએ ખાવાપીવામાં ખૂબ કાળજી રાખવાનું અને નિયમિત ફરવા જવાનું ચાલુ કર્યું" હતુ. અને ધર છેાડી મુંબઇ બહાર રહેવું પડે એવી રાજદ્દારી છતર પ્રકારની નિમણૂક સ્વીકારવાનુ` માંડી વાળ્યુ હતું. પરિણામે મુ ંબઇની ઘણી સંસ્થાઓને એમની સેવાઓના સારા લાભ મળ્યો. તેઓ જે સસ્થાઓમાં જોડાય તે સસ્થાને આર્થિક રીતે સધ્ધર બનાવી આપતા અને એની પ્રવૃત્તિઓની ક્ષિતિજ વિસ્તારી આપતા. કુંડાળાની શરૂઆત પેાતાનાથી જ કરે અને મિત્રા, સ`ખ્ખી તથા અન્ય દાતાઓ પાસેથી સારી રકમ મેળવી આપતા. લેાકાતે તેમનામાં ધણા વિશ્વાસ અને તેથી તેમના હાથે લાખા રૂપિયાનાં ક્રૂડ જુદા જુદા હેતુંએ માટે થયું. તેઓ ભારત જૈન મહામંડળ અને ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્રમાં અગ્રસ્થાન ધરાવતા હતા. અને દેશમાં જયાં અને જયારે કુદરતી આપત્તિ આવી પડે ત્યારે એ કેન્દ્ર તરફથી રાહતકાય માટે તેમના દ્વારા ઘણી મોટી રકમનાં કુંડ એકત્ર થયા હતા. ભગવાન મહા— વીરતા ૨૫૦૦માં નિર્વાણુ મડ઼ેત્સવ પ્રસંગે રાષ્ટ્રીય સમિતિના મંત્રી તરીકે તેમણે ધણું સંગીન કાય' કર્યું. ચીમનભાઇ પચીસથી વધુ સંસ્થાએમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી કે ટ્રસ્ટીના હોદ્દો ધરાવતા હતા. આટલી બધી સરથાનાં કામને તેઓ એકલે હાથે કેવી રીતે પહેાંચી વળતા હતા. એવા પ્રશ્ન થાય. એના જવાબ એ છે કે ચીમનભાઈ અત્યંત કુશળ વહીવટકર્તા હતા, દરેક ખાબતને પુખ્ત અને ઝીણવટભર્યાં વિચાર કરતા પરંતુ નિષ્ણુય ત્વરિત લે. ફાલતુ વાતચીત અને ચર્ચાઓમાં સમયને વેડફાઇ જવા દેતા નહિ, અને પોતાના હાથ નીચેના માસે પૂણ' વિશ્વાસ મૂકી તેમની પાસેથી હાંશથી ! કામ લેતા. ગમે તેવી વિંમ પરિસ્થિતિમાં તેએ પાતાના મનની સમતુલા અને રવસ્થતા ગુમાવતા નહિ. સંસ્થાની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેતા હોવા છતાં અંતરથી તે અલિપ્ત રહી શકત. કારણ કે તેમની વિચારણાના પાયામાં ધમ' અને તત્ત્વજ્ઞાન રહેલાં હતા. પહેલેથી તત્ત્વજ્ઞાનના વિદ્યાથી હાઈ ભગવાન મહાવીર, બુદ્ધ, શુખ્રિસ્ત વગેરેનો એમના જીવન ઉપર પ્રભાવ પડે એ સ્વાભાવિક હતું. તદુપરાંત ગાંધીજી, રાજચંદ્ર, સોક્રેટિસ, ટાÆાય. આલ્બર્ટ સ્વાઇત્ઝર વગેરેને પણ એમણે ઊંડા અભ્યાસ કર્યાં હતા. અને એમના જીવન વિકાસમાં એ મહાપુરુષોના પણ મહત્વના ફાળા હતા. સામાજિક ક્ષેત્રે, વિશેષત : મુખમાં ચીમનભાઇનુ સ્થાન ધ માઢું હતું. લેકસેવાનાં અનેક કાં એમનાં હાથે થયાં. એમની ૭૧ મી જન્મજયંતી પ્રસંગે એમના મિત્રા અને પ્રશસદાએ એમને સાડા ત્રણ લાખ રૂપિયાની થેલી અપશુ કરી હતી. ચીમનભાઇએ એમાં પોતાના તરસ્યા શે. ૭૧,૦૦ - કાય
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy