________________ ( 1 0 પ્રવ્ય જીવન તા. 6 -3 સ્વ. કરિશી કે. વીરા - . આધાત વખતે સામાન્ય હતા માળી અમારા શ્રી મુંબઈ જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિના એક સક્રિય સભ્ય શ્રી ટોકરશી કે. વીરાનું રવિવાર તા. ૧૧મી ડિસેમ્બરમાં રોજ વહેલી સવારે, પર! વર્ષની યુવાન વયે, હદયરોગના હુમલાને કારણે અચાનક અવસાન થતાં અમે સૌએ આઘાત અને શેકની ઘેરી લાગણી અનુભવી છે. એમના પુત્ર ચિ. વિનેશનાં લગ્નને સરકાર સમારંભ તા. 10 મીએ રાત્રે પતી ગયા પછી તેઓ ઘરે આવ્યા હતા. ત્યાર પછી રાત્રે અચાનક છાતીમાં ભારે દુખા થતાં નીચેના માળે ડોક્ટરને બોલાવવા ગયેલાં એમનાં પત્ની જયાબહેન પાછાં આવી પહોંચ્યાં તે પહેલાં તે એમનું અવસાન થયું. પાસે માત્ર હતા એમને પાળે પ્રિય કૂતરે સિલ્કી. શ્રી વીરાના અવસાનથી અમને એક સ્નેહસભર, વિચારશીલ, ખેલદિલ સાથીદારની ભારે ખેટ પડી છે. “મીસ્ટર વીરાને B સુબોધભાઈ એમ. શાહ વીરા, તમે ખૂબ જ દબાણ કરી તમે તે Lion હતાં; Lion--hearted હતાં, જીવનની બાજી આમ હારી જવાય ? . . મૃત્યુ સામે છેડીક તે ટકકર લેવી હતી! . અમારા જેવા 6 65 વાળા રહી ગયી, ... " ને તમે બાવન વરસે ચાલી નીકળ્યાં? અમે તે ઠીક-જયાબહેનને તે “જઉં છું” કહેવા રોકાવું હતું ? તમારાં ‘સિલ્કીને તે “બાય” કરવા રહેવું હતું . . . પણ બિચારો એ ય સમજી ગયો હશે કે “પપ્પા” ચાલી ગયાં તમારા મુખ પર ચારે બાજુ ચુમીઓ ભરીને એણે તમને વિદાય આપી ! -અને મિત્ર, .. , લગ્નનાં મંડપમાં નેવી બ્લ્યુ સૂટમાં તમે કેવા શોભતાં હતાં? રાત્રે બે વાગે તમારે નિશ્વેતન ચહેરો પણ એ જ સેહામ - લાગતો હતે. એ જ રૂપાળા, એ જ સુંદર, જાણે હમણું તમે બેઠા થશે, બેલશે ને પૂછશે, ' ' . . કે આપણે ત્યાં આજે પાટી* છે કે શું? . - 2 કેઈએ કહ્યું છે Loved most, wanted most '' વીર, તમે ઈશ્વરને વહાલાં થઈ ગયાં, તમે અમને પણ વહાલાં હતાં તેનું શું?' , પ્રજ્ઞાચક્ષુઓ માટે મળેલા મશીનો દાતાઓની યાદી 2 સે. તારાચંદ ધનજી ચેરિટેબલ ટ્રસ્ટ , ', 1 શ્રીમતી લીલાવતી નગીનદાસ દફતરી . 1 શ્રીમતી સરલાબેન પરીખ 1 સ્વ. ઇન્દિરાબેન રમણલાલ પટેલના સ્મરણાર્થે હા. શ્રી રમણલાલ ભગવાનદાસ પટેલ , 1 શ્રી જમનાદાસ નેમચંદ હેમાણુ 1 શ્રી ભોળાભાઈ જેસીંગભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ , 1 દિલિપ રમણીકલાલ વોરા ચેરિટેબલ ટ્રસ્ટ - હા. શ્રી જીતેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ વેરાત 1 મે. જયંત પેકીંગ ઈન્ડસ્ટ્રીઝ શ્રી મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત - વિદ્યાસન્ન સંધના ઉપક્રમે બુધવાર, ગુરુવાર અને શુક્રવાર, તા. 4, 5 અને 6 જાન્યુઆરી, 1984 ના રોજ ઈન્ડિયન મરચન્ટસ ચેમ્બરના વાલચંદ હીરાચંદ સભાગૃહમાં વિદ્યાસત્રનું આયોજન કરવામાં આવ્યું છે. એ અંગેની વિશેષ વિગતે હવે પછી જણાવવામાં આવશે. " લિ. મંત્રીઓ - સ્વ. વીરસ અમારા સંઘની સમિતિના લગભગ અઢાર વર્ષથી સભ્ય હતા. તેઓ મિલનસાર, ઉત્સાહી, ઉદાર અને કાર્ષદક્ષ હતા. સંધની પ્રત્યેક પ્રવૃત્તિમાં વિશેષતઃ પ્રેમળ 'યેતિ' ની પ્રવૃત્તિમાં તેઓ એમનાં પત્ની જયાબહેન સાથે સક્રિય ભાગ લેતા. સંધના કાર્યક્રમ માટે બહાર ગામથી પધારનાર મહેમાનોને સ્ટેશને કે એરપોર્ટ પર લેવા મૂકવાની તથા પિતાને ઘરે ઉતારવાની જવાબદારી તેઓ સામેથી માગીને સહર્ષ સ્વીકારી લેતા. સંધની સમિતિની કેટલીક મિટિંગ સ્વ. વીરાને ત્યાં જતી ત્યારે વીરાદંપતીના પ્રેમાળ આતિથ્યને અને અનુભવ અમને થતું. સ્વ. વીરા કાપડના વેપારી હતા. પરંતુ વેપાર કરતાં સાહિત્ય, સંસ્કાર, સમાજ સેવા અને રાજકારણની બાબતમાં તેમને વિશેષ રસ હતે. તેઓ તાજેતરમાં લાયન્સ કલબ ઓફ બોમ્બે સેન્ટ્રલના પ્રમુખ થયા હતા. પ્રભુ સંગત વીરાના આત્માને શાંતિ આપે અને શ્રીમતી જયાબહેનને અચાનક આવી પડેલા આ દુઃખમાં ધએ ધારણ કરવાની શક્તિ આપે એવું પ્રાચીએ છીએ. -તંત્રી માલિક : શ્રી મુંબઈ જેન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : 385, સરદાર વી. પી. શેઠ, મુંબઈ 400 004. ટે. નં. 350296 : મુકણસ્થાન : રેડ પ્રિન્ટ, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ 4. ફોનઃ ૩પ૬૮૩ર