SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ (00 7. -૧૨ ૩ બુદ્ધ જીવન સ્વ. ઇશ્ર્વર પેટલીકર રમણલાલ ચી શાહુ સુપ્રસિદ્ધ ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર તથા સમાજસુધારક શ્રી ઇશ્વર પેટલીકરનુ... અમદાવાદમાં ૨૨મી નવેમ્બરના રેજ ૬૬ વર્ષની વયે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. એમના અવસાનથી આપણે એક સાજન્યશીલ, સસ્કારી, નિખાલસ સાહિત્યકાર અને સમાજસેવક ગુમાગ્યા છે. એમના અવસાનથી મને એક વડીલ મિત્રની ખોટ પડી છે. સ્વ. પેટલીકરને પરિચય મને સૌ પ્રથમ ઈ. સ. ૧૯૪૮ માં જૂનાગઢની સાહિત્ય પરિષદ નિમિત્તે થયા હતા. તે સમયે હુ મુંબઇમાં એમ. એ. નો અભ્યાસ કરતા વિદ્યાથી હતા અને સાંજ વર્તમાન નામના દૈનિકના તંત્રીવિભાગમાં નાકરી કરતે ‘હતા. ‘સાંવત માન’ના પ્રતિનિધિ તરીકે મારે જૂનાગઢ સાહિત્ય પરિષદમાં જવાનું હતું. એ દિવસેામાં નવચેતન’માં હાસ્યરસની કટાર લખનાર શ્રી મૂળરાજ અંજારિયા સાથે જૂનાગઢ જવા હુ’મુછળી નીકળ્યે ત્યારે આણંદ સ્ટેશનથી ખમીસ, કાટ અને ધાતિયું પહેરેલા ત્રીસેક વર્ષોંના એક સજ્જન અમારા ડબ્બામાં ચર્ચાયા. મૂળરાજ ખોલકણા બુહુ. અવાજ પણ મોટા. એટલે અમે સાહિત્ય પરિષદમાં જઇએ છીએ એની થઇ ગયેલી. જાણુ આસપાસના મુસાફરીને એની મેળે જ સાહિત્ય પરિષદની વાત જાણીને પેલા સજ્જન અમારી બાજુમાં આવીને ખેઠા. પરસ્પર પરિચય થયા. એ સજ્જન તે ઈશ્વરપેટલીકર છે તે જાણીને અમને આનંદ થયો. ત્યારે પેટલીકર. જનમટીપ' નવલકથાના નવાદિત લેખક તરીકે જાણીતા થયા હતા. પ્રજાબંધુ'માં ત્યાર પછી એમની મારી હૈયાસગડી' નામની નવલકથા છપાઇ હતી. પેટલીકર સાથે આ રીતે પ્રથમ પરિચય થયેા. સાથે જૂનાગઢ પહોંચ્યા. એક રૂમમાં ઊતર્યાં. પરિષદમાં હાજરી આપી. છેલ્લે દિવસે ગિરનાર ઉપર ચઢ્યા. ત્યાં સાથે એક રૂમમાં રાત શકાયા. જૂનાગઢથી પાછા ફરતાં ગોંડલમાં એક દિવસ મકરન્દભાઇ દવેને ત્યાં શકાયા. વળતે વિસે પાછા ગાડીમાં ખેઠા. પેટલીકર આણું સ્ટેશને ઊતર્યાં. હું અને મૂળરાજ મુંબઈ પાછા ફર્યાં. હું તેા એક સાહિત્યરસિક વિદ્યાથી હતા. પરંતુ પાંચ-છ દિવસના સહવાસને કારણે પેટલીકર સાથે મારે ગાઢ પરિચય થયેા. એમની સાથે સાહિત્યિક દુનિયાની જાતજાતની વાત થઇ. પ્રથમ પરિચયે જ પેટલીકરે ખુલાસા કરી દીધો કે પોતે બહુ ભણ્યા નથી. શાળામાં માસ્તર તરીકે કામ કર્યુ છે. પ્રજાબંધુ' ના તંત્રી ચુનીલાલ વર્ધમાન શાહની પ્રેત્સાહનથી પોતે નવલકથા લખતા થયા છે. પરંતુ ‘જનમટીપ'ની રાયલ્ટીની રકમ વિચારતાં લાગે છે કે શિક્ષણની તોકરી છોડીને નવલકથાકાર થાય તા સરળતાથી પોતાનુ ગુજરાન ચલાવી શકશે. એટલે શાળાની નાકરી છેાડી દીધી છે. આ રીતે શિક્ષક તરીકે ‘ઈશ્વરભાઇ પટેલ’ના નામથી શાળામાં જેએ તણીતા હતા. તેઓ હવે ઇશ્વર પેટલીકરના નામે વધુ જાણીતા થયા. પોતાની જ્ઞાતિમાં અશ્વરભાઈ પટેલ નામની ત્રણ ચાર જાણીતી વ્યક્તિ હતી. એટલે એમના યશ પોતાને લેાકા ન આપે એટલા ખાતર પોતાના વતન પેટલીને યાદ કરી ગાડી લેાકાની જેમ પેટલીકર' અટક એમણે રાખી હતી. માલિક શ્રી કુંભ કરેલ સુખ ૪૦૦ ૦૦૪ તેની કન્ટર ૫. પેટલીકરની મારી હૈયાસગડી' નામની નવલકથામાં પાદરા નામના ગામમાં બનતી ઘટનાનું વર્ણન છે. વાદરાય દસેક માઈલ દૂર આવેલુ‘ ગાયકવાડી ગામ પાદરા મારું વતન વાર્તામાં પોતાના વતનની વાત આવે એટલે સૌને ગમે રમણલાલ દેસાઈની બધી જ નવલકથા વિદ્યાથી હતા ત્યારે કે વાંચેલી. રમણુલાલ દેસાઇ વડાદરાના અને સયાજીરાવ ગાયકવાડસરકારી ખાતામાં ઉચ્ચ અધિકારી હતા. એટલે પાદરા ઘ વાર તે ગયા હશે. પરંતુ એમની કાષ્ટ નવલકથામાં પાદરા નિર્દેશ નથી. (જો કે એમણે પાત્રોની જેમ ગામેાનાં ના પણ ધણ ખરું. કાલ્પનિક વાપરવાની શૈલી અપનાવેલ એટલે પેટલીકરની સત્યઘટનાત્મક નવલકથામાં પાદરાના ઉલ્લે વાંચી મેં હષ જિજ્ઞાસાપૂર્વક એમને એ વિશે પૂછેલુ. એમ કહ્યુ` કે એ ધટના બરાબર પાદરામાં જ બનેલી. વળી પે પાદરાની શાળામાં શિક્ષક તરીકે કામ કરેલું. પેટલીકર' પાદરાના અનુભવાતી વાતા સાંભળી એમની સાથે પ્ર મિલને જ આત્મીયતા સધાયેલી. એમની સરળ મુખમુ વાતચીતમાં અહંકારના અભાવ, નિખાલસતા, તથા ળ બદલે ૨' કારવાળી ચરોતરી ખેાલીને લહેકા એ બધાં સ્પષ્ટ છાપ પ્રથમ મિલને જ અંકિત થઈ ગઈ હતી. સાહિત્ય પરિષદમાંથી પાછા ફરતાં ગોંડલથી અમે રાત ગાડી પકડી હતી. પ્રવાસના થાક હતા. અમને ઊંધ ર હતી. પર`તુ પેટલીકર સાની પાટલી પર ખેઠેલા ઉતારુ રસથી વાતા કરતા જતા હતા; પ્રશ્ન પુછતા અને એકરિ સાંભળતા. મધરાત થઇ એટલે અમે ઝોકાં ખાવા લા પરંતુ પેટલીકરે લગભગ આખી રાત એ ઉતારુ સાથે વ કર્યાં કરી. ઉતારુ પણ થાર્કયા વગર, બલ્કે ઊલટથી પોત સુખ–દુ:ખની વાતો કરતા હતેા. સવારે અમે પેટલીકરને ક તમે તે! આખી રાત વાત કર્યાં કરી. આરામ નહે કરવે ?” એમણે કહ્યુ, ‘એ ઉતારુની વાતમાં મને એટલા છ રસ પડયો. એમાંથી મને એક નવલકથાના પ્લેટ ગયા છે. ત્યાર પછી કેટલેક વખતે પેટલીકરની મધલાળ' ના નવલકથા પ્રગટ થઇ. એમણે મને જણાવ્યુ` હતુ` કે જૂનાગ પ્રવાસ વખતે પેશા એક અજાણ્યા મુસાફરના અનુભવ પ લખાયેલી આ નવલક્થા છે. ‘જનમટીપ', મારી હૈયાસગડી' · ઇત્યાદિ નવલકથ દ્વારા સત્યઘટનાત્મક કથાસામગી ઉપર મંડાયેલી નવલ લખવાની ફાવટ પેટલીકરને આવી ગઇ હતી. પછીથી કોઈ વખત પ્રવાસ કરવા ખાતર ટ્રેનમાં ત્રીજા વર્ગમાં સફર કરતા, અને મુસાફરો પાસેથી જાતજાતના સ્વાનુભ પ્રસંગોની વાતા જાણી લાવતા. એમની નવલકથાઓમાં રીતે કેટલાંય પાત્રો અને પ્રસંગે વાસ્તવિક જીવન લેવાયાં અને આલેખાયાં છે. એમની કીતિા, નવ લોહીની સંગાઇ' પણ પેતાના કૌટુમ્બિક જીવનની સત્યઘટ આધારે લખાઇ છે. (અનુસંધાન પાનું ૧૫૦) મુદ્રા ને એક ડેમનલાલ જે સાથે, પ્રાત : ૩૮૫, સુરર્ વ પી મુને ટ્રેન્ડ પ્રિન્ટ, જગનાથ ક્રૂર શેઠ, ૨પ મુઇ જ ફોન ઃ ૩ર
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy