SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૧-૧૨-૮૩ સાહિત્ય, શિક્ષણ, સ ંસ્કાર કે કલાની ઉપાસના માટે આવશ્યક સગવડ અને આર્થિક સહાયને વિચાર કરી શકાય પરંતુ સમાજના ચાક સમક્ષ એ પસંદગી માટે આવે ત્યારે કેવળ લાયકાત સિવાય બીજો કાઇ માપદંડ હોઇ ન શકે. આ સ્થળે પસંદગી કરુણા કે સહાનુભૂતિને આધારે નહીં પરંતુ માણસની સજ્જતાની ઉત્કૃષ્ટતાની રીતે થવી જોઇએ. આ જો તમે ન કરો તે રાષ્ટ્રીય એકતાના મૂળમાં સુરંગ ચાંપવાનું કામ તમારે હાથે થાય છે. તમારા પોતાનાજ દેશમાં તમે એક નાગરિકને ખીજા નાગરકથી જુદા પાડે છે. અને એ તિરાડ સાંધવા માટે તમારી પાસે શક્તિ પણ નથી, ગજું પશુ નથી. ગરીબ અને કચડાયલાંને નામે એક મૂલ્ય ઊભું કરવાના પ્રયત્નો થાય છે. પણ એ સાચું મૂલ્ય નથી. એક નકલી મૂલ્ય સત્યના વાધા પહેરીને મહાલે છે. પ્રબુદ્ધ જીવન એ જ રીતે લધુમતીની બાબતમાં પણ આપણે સ્પષ્ટ થવાની જરૂર છે. આ દેશમાં કોઇ ધર્મનું રાજ્ય નથી. જ્યાં ધનુ રાજ્ય હોય ત્યાં જ ધામિ'ક બહુમતી કે લધુમતીને સવાલ ઊભા થઈ શકે. પરંતુ રાજ્ય જ્યાં બિનસાંપ્રદાયિક હોય ત્યાં ધર્મને નામે લધુમતી શી રીતે હોઈ શકે? ભારત જેવા વિશાળ દેશમાં થાડા ધણા લેકા જુદી જુદી ઉપાસના કરતા હોય એ સ્વાભાવિક છે. પરંતુ ઉપાસના એ વ્યક્તિગત ખખત છે. ઉપાસના કરનારાઓના સમુદાય હોય ત્યાં પણ આખરે તા એ સમૂહની એ અંગત ખાબત છે. રાજ્ય અને અટકાવે પણ નહીં અને થાબડે પણ નહી. પરંતુ આપણે ત્યાં તે એ કી ફાર એલ' એવી રમત છે. એ રમત જોયા કરવી એ બિનસાંપ્રદાયિકતા નથી. પહેલા રસ્તા પચાવી પાડવાની હરીફાઇ ચાલતી, હવે લાઉડસ્પીકર સ્પર્ધા ચાલે છે. આ વાત કરતી વેળા કાષ્ટ એક કામને નજરમાં રાખીને આ વાત હું નથી કરતા. તમામ સંપ્રદાયને એક સરખી લાગુ પડે છે. આ પશુ રાષ્ટ્રીય એકતાને ખાટલે મોટી ખાડ છે. આવા તો અનેક પ્રશ્નો છે જેને વિશે, માત્ર વર્તમાનપત્ર કે પત્રકારાએ નહીં પણ સમગ્ર પ્રજાએ પોતાની પ્રતિબદ્ધતા અને પેાતાનું મૂલ્ય ખેાળી કાઢવાનુ છે. અને અંતે તે એક જ મૂલ્ય સર્વોપરિ થઇ રહેવાનુ છે. Man's perfection or Man's Excellence. આ પરિપૂણુ તા અને આ સર્વોત્કૃષ્ટતા એ જ સુખમય સમાજનાં ઘટક પરિબળા છે. એને જીવતાં રાખવાં, જ્યાં ન સાય ત્યાં ઊભાં કરવાં એ ઊંચા પત્રકારત્વની પ્રતિબદ્ધતા અને મૂલ્ય હાવાં જોઇએ. આમ જોઇએ તે પત્રકારત્વની પ્રતિબદ્ધતા અને મૂલ્ય એવાં જોઇએ. આમ જોઇએ તો પત્રકારત્વ પેાતે જ એક પ્રજાકીય આંદલન છે. એ દાલન જેટલુ સ્વસ્થ અને નરવું હશે એટલાં ઊંચાં નિશાન ખીજા' આંદલને પણ તાકી શકરો. ડેન્ટીની‘ડિવાઈન કામેડી'માં દોજખનુ વર્ણન છે. એમાં માનવ સમાજ ભ્રષ્ટ થઇ ગયેલા છે. એમાં જીવન અસાર લાગે છે, જીવાતુભૂત શ્રદ્ધા નથી. ત્યાં ચારિત્ર્યની શિથિલતા છે અને અકરાંતિયા ઉપભાગ છે. ત્યાં પૈસાના ગોટાળા છે અને વકરેલા મિજાજ છે. જીવન પ્રત્યે ત્યાં કાઇ આદર નથી. જાતીયતા એ શાની વસ્તુ છે, ધમનું વ્યાપારીકરણ થયું છે, નાઁ દ'લ છે. નર્યાં કઠપૂતળીના ખેલ છે, જાતિ વિદ્વષ અને વિગ્રહો છે, કુટુંબ, દેશ, મિત્રા અને ઊંચા આદર્શોને સહેલાઇથી છેડ ลป શકાય છે. પ એ એક એવા સમાજનું ચિત્ર છે, જે મરણપથારીએ પડેલા છે, બધા સભ્ય સબધા પણ મુઝાઈ જવાની અણી ઉપર છે. દોજખનું આ ચિત્ર અને આપણા આધુનિક સમાજનુ" ચિત્ર સરખાવી જુએ. આપણી અને દોજખની વચ્ચે એક વેંતનુ ય છેતુ નથી, અને આપણી સામે પશુ બે માંથી એકની પસ ંદગી કરવાના પડકાર છે કાં તે સામાજિક પ્રતિબદ્ધતા અને મૂલ્યનિષ્ઠા પસંદ કરો અથવા તો દોજખ ૫૨ બ્રાહ્મ * તનસુખ ભટ્ટે પોતાની આધ્યાત્મિક ભૂમિકાના આધારરૂપે ગીતા કાઈ દલીલ રજૂ કરતી નથી, જે શાસ્ત્રાને સમજવા માટે માનવજાતિના વિશાળ સમુદાય અસમથ' છે એવા શાસ્રાથ વડે સિદ્ધ કરી શકાય એવી સમસ્યારૂપ પરબ્રહ્મ નથી, અગત અનુભવ વિનાના શાસ્ત્રાય કદી ય સત્યની પ્રતીતિ કરાવી ન શકે. નિજ નિજને અનુભવ જ આપણને આત્માના અસ્તિત્વતા પુરાવે પૂરા પાડી શકે. ખરી વાત તો એ છે કે આપણે બ્રહ્મનુ કાઈ પણ જાતનું વર્ણન આપી શકીએ એમ છે જ નહિ. આપણાં લથડિયાં લેતાં વણુને તથા ઊણાં ધારણાની કા સાધકતાનું દારિદ્ર દર્શાવવા માટે મૌનનુ કઠોર સાધન જ એક માત્ર ઉપાય દીસે છે. ઉપનિષદોમાં પરબ્રહ્મનુ વણુન આપણને અક્ષર અચિંત્ય અને સાથેાસાથ અખિલ બ્રહ્માંડના અધિષ્ઠતા તરીકેનું પણ મળે છે. તે આ વિશ્વમાંના સર્વ પદાર્થાનું આદિ કારણ છે છતાં તે સદૈવ અવિકારી અવ્યય છે. પરબ્રહ્મ જગતના માત્ર આધાર કે અધિષ્ઠાન જ નથી પરંતુ તે તેની અંતગ ત રહેલું પ્રવૃત્તિશીલ પરિબળ પણ છે. પરમાત્મા અગમ્ય જ્યોતિમય હોવાને લીધે વિશ્વાતીત પણ છે અને છતાં એગસ્ટાઇનના શબ્દોમાં, આત્મા પોતાને જેટલા પરિચિત હોઇ શકે તેના કરતાં તે આત્માને અધિક પરિચિત છે,’પરમાત્મા સ્વયંભૂ તરીકે પરબ્રહ્ના છે. છતાં બ્રહ્માંડના સરજનહાર તથા વિશ્વનિયતા તરીકે તે પરમેશ્વર છે, ભગવાન છે, પરમેશ્વર પાપાને માટે સીધેસીધે તે નહિ પણ આડ તરી રીતે જવાબુદાર ગણાય ખરા. જેમની ઉપર પ્રભાવ તા પાડી શકાય પણ જેમને નિય'ત્રણમાં ન રાખી શકાય એવી પ્રવૃત્તિપ્રધાન, પ્રેય વાંછનારી વ્યકિતઓ વડે આ સંસાર સભર છે, અને વળી જ્યારે પરમેશ્વર તે જગતમાં સરમુખત્યાર તરીકે વતા નથી ત્યારે, સ ંઘષ અનેિવાય' બને છે, આ જગત સ્વતંત્ર જીવોથી ભરેલું છે એમ માનીએ તે તેના અથ એવા જ નીકળે કે પાપ સંભવિત પણ છે ને મુશકત પણ છે. યંત્રમય જગતના વિકલ્પ જોખમભયુ" જગત તથા સાહસપ્રધાન સસાર જ હોઈ સકે. ગીતા એ વાત ઉપર ભાર મુકે છે કે પરબ્રહ્મ પોતાની પ્રકૃતિમાંથી આ દશ્ય વિશ્વને સરજાવનાર સાકાર શ્વિર છે.. તે પ્રત્યેક જીવના હૃદયમાં વસે છે. તે સર્વે યજ્ઞાના સ્વામીં અને ભોકતા છે. તે આપણા હ્રધ્યમાં ભકિત પ્રેરે છે અને આપણી ઉપાસનાને સફળ કરે છે. આ જગતનાં મુલ્યેાનુ તે આદિસ્થાન છે, ધારણાસ્થાન છે. ઉપવાસના વર્ડ તથા પ્રાથના વડે તે આપણી સાથે અંગત નાતા ખાંધે છે.
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy