SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૧૫૦ બધુ પતી જાય છે. કાયદાના પાલનની ખાખતમાં વ્યવસ્થાતંત્ર કેટલું બધું શિથિલ બની ગયુ છે તે આવા દાખલાઓ પરથી જણાય છે. પૈસા કમાવાની લાલચ માણસને કયારેક આંધળા નાવી દે છે. તેવી જોરદાર વૃત્તિને તેને ધમ' પણ અટકાવી શકતે નથી એ અક્સાસની વાત છે. મરેલા ઢારની ચરબી કાઢી લઈ સાચા ઘીમાં ભેળવી દઇ બીજા ગામે જઈ સસ્તા ભાવે વેચી આવતી રખારણ કે વાધરણાના દાખલા હજૂ પણ બને છે. એ વાત પ્રત્યે આંખમીંચામણાં કરીને તેમની પાસેથી સસ્તુ શ્રી ખરીદીને અજારભાવે વેચવાના લેાભ નાનાં ગામેામાં સારા વેપારીઓ પણ જતા કરી શક્તા નથી. કયારેક ધમના ક્ષેત્રે પ્રતિષ્ઠિત કહેવાતા વેપારીએ તેમાં ભળેલા હોય છે. આવા નાના વેપારીએથી શરૂ કરીને મેટી કંપનીઓના મોટા ડાયરેકટરો પણ આવાં કાર્યોમાં સામેલ હોય છે. કયારેક એક બાજુ તેએ 'સમાજનાં ધાર્મિક કાર્યોંમાં આગેવાનીભર્યાં ભાગ લેતા હોય છે, તેા ખીજી બાજુ પ્રાણીજ ચરખીની આયાત કરવાનાં લાયસન્સ મેળવવા માટે જબરી પુરુષાય' કરતા હોય છે. આપણે કાં નજરે જોવું છે? માલ ખારાબાર આવે છે અને ખારાબાર ચાહ્યા જાય છે અને આપણને આપણે પોતાના નફા મળી જાય છે, પછી એવા ધંધા કરવામાં વાંધા શો હોય ?–આવી રીતે તે પોતાનાં મનને મનાવતા હોય છે. કેટલાક વેપારીએ વેપાર (ચરખી, ઈંડાં, માછલી વગેરેને લગતા) કાયદેસર કરતા હોય છે. એમના ધમ સાથે તે સુસ ગત હોતે નથી એમ તે જાણતા હોવા છતાં તેમ કરે છે અને પોતે ધમમાં અતૂટ શ્રદ્દા ધરાવે છે, એવા ડાળ કરતા હાય છે. પૈસાની લાલચ માણસની પાસે કેવાં અકૃત્ય કરાવે છે તે આવે પ્રસંગે દેખાય છે. ભારતમાં ખાદ્યપદાર્થમાં ભેળસેળ કેટલી હદ સુધી વધી ગઇ છે તે પ્રાણીજ ચરબીના દાખલા પરથી પ્રતીત થાય છે. જ્યારે સરકારી તંત્ર સ્વચ્છ થશે, પ્રજા પોતે વિવિધ ગ્રાહક મ`ડળ, ઊભાં કરીને જાગૃત ખનશે, આવાં અપકૃત્યો કરનારને વિના વિલંખે ઘણી કડક સજા થવા લાગશે, ઉત્પાદામાં સમજદારી અને રાષ્ટ્ર તથા પ્રજા પ્રત્યેની વફાદારીની ભાવના ખીલશે ત્યારે શુદ્ધ ચીજવસ્તુ આપણને લાગશે. પરંતુ આ પરિસ્થિતિનું નિર્માણ થતાં કાણુ જાણે હજુ કેટલાંય વર્ષ' આપણે રાહ જોવી પડશે ! મળવા જે પરિસ્થિતિ સ્વાભાવિક અને સહજ હોવી જોઇએ એનુ નિર્માણ કરવા માટે પરિશ્રમ ઉઠાવવા પડે એ ભારત માટે કેટલી દુર્ભાગ્યની વાત છે! તા. ૧-૧૧-૩ લખવી એ તમારે મન હવે ડાબા હાથના ખેલ છે.. આ પ્રયાગ હવે તમારે માટે શાબ્દિક રીતે પણ સાચેા પડશે.' પેટલીકરે એટલી ઝડપથી હાથખલે કરી લીધા કે નવલકથાના લેખનમાં એમણે જરા પણ ગાળા પડવા દીધા નહિ. એમની ડાબા હાથની નવલકથાઓ ગુજરાતને ઘણાં વર્ષ' સુધી, મળતી રહી. (અનુસંધાન પાના ૧૫૮ થી ચાલુ) ઈ. સ. ૧૯૪૮ થી ઈ. સ. ૧૯૫૫ સુધી મારે જ્યારે આણંદ જવાનુ થતુ ત્યારે પેટલીકરને અચૂક મળતા. ૧૯૫૫ માં જ્યારે હું એમને મળ્યા હતા ત્યારે સતત લેખનકાયને કારણે તેમને જમણા હાથે writer's cramp કપવા' થવા લાગ્યા હતા. એ હાથે સરખું લખાતુ નહતુ. મેં કહ્યું, તમારે તા લખવાના વ્યવસાય અને તેમાં હાથે આ તકલીફ થઇ, હવે શું કરશે ?' એમણે કહ્યું, મારી તેા આજીવિકા આ નવલકથાના લેખનમાંથી ચાલે છે. ખાર મહિને ખેથી ત્રણ નવલકથાઓ મારે લખવી જ જોઇએ. એ માટે મે ડાબા હાથે ખરાખડી શીખી લીધી છે. હવે ડાબા હાથે લખવાનું હું ચાલુ કરીશ' મેં હસતાં હસતાં કહ્યુ', આામ પણ નવલકથા નવલકથા-વાર્તાના વ્યવસાયી લેખન દરમિયાન, વચ્ચે ફાજલ સમય ઠીક ઠીક મળતા હોવાથી પેટલીકરે સામાજિકવિષયા ઉપર, ખાસ કરીને પેાતાની પાટીદાર જ્ઞાતિની સમસ્યાઓ ઉપર લખવાનું ચાલુ કરેલુ'. વળી એમણે અ'ગત મા'શ'ન તથા સમસ્યાના નિરાકરણ માટે પેાતાને સથય મિશનરીની જેમ નિઃસ્વાથ'ભાવથી આપવા ચાલુ કરેલા. એક વખત મને કહે, અમારી જ્ઞાતિના લેાકામાંથી કેટલીક જડતા જલદી. દૂર થતી નથી. ગમે તેટલું ભણેલા યુવાન હોય, પણ પૈઠણુના પૈસા લેતાં જરાયે અચકાય નહિ. કયારેક સારી કન્યા જતી કરે, પણ પૈસા જતા ન કરે. તે। બીજી બાજુ કેટલાક શ્રીમા આફ્રિકામાં જઇ લાખા રૂપિયા કમાયા હોય, પણ દીકરીનાં લગ્ન વખતે જમાને પગે લાગવાના જૂના ધારા પ્રમાણે સવા રૂપિયા જ આપે, અને તે પણ ક્રાઇ વખત તે ચેકથી આપે ! જ્ઞાતિની સમસ્યાઓને નિમિત્તે પેટલીકરને ભાતભાતના અનુભવે સાંભળવા મળતા, જેમાંના કેટલાક એમને એમની સર્જનાત્મક કૃતિઓમાં કામ લાગતા. પોતાની જ્ઞાતિના અને ત્યાર પછી તા વિશાળ જનસમાજના પ્રશ્નોના નિરાકરણમાં તથા સમાજસુધારણામાં સ્વ. પેટલીકરનું યોગદાન ઘણુ માટુ રહ્યુ છે. પેટલીકર અમદાવાદ રહેવા ગયા ત્યાર પછી મારે એમને મળવાનુ ઓછુ થતું ગયું. પછીથી તા પેટલીકરે પણ નવલકથાનુ લેખનકાય' છેાડી ઇ વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને કયારેક રાજકીય વિષયો પર લેખ લખવાનું ચાલુ કર્યુ. સદેશ'માં ‘લેકસાગરને તીરે તીરે' નામની કાલમ તેઓ નિયમિત લખવા લાગ્યા. એક વખત એમની સાથે નવલક્થાના લેખન વિશે વાત થઇ ત્યારે એમણે કહ્યું, “મારી નવલકથાઓમાં હવે કયારેક કાઈક જૂનાં પાત્રો તે પ્રસંગેાતુ નવા વેશે અજાભુતાં પુનરાવત ન થઇ જાય છે. મારે જો હવે નવું કહેવાનુ ન હોય તા નવલકથા લખવાનુ` છેડી જ દેવુ જોઇએ એમ મને લાગ્યું છે. એટલે મે' છેડી દીધુ' છે. વળી આવિકા તા હવે રોયલ્ટીમાંથી સારી રીતે ચાલે છે એટલે વાંધે નથી. પેટલીકરની આ નિખાલસતા મને સ્પશી ગઇ હતી. ધણાં વષ પછી ઈંગ્લેંડના પ્રવાસેથી પાછા ફર્યા પછી નવે તાઝગીસભર અનુભવ લઈ આવીને એમણે આપણને કરી પાછી એક નવલકથા આપી. સાહિત્ય પરિષદના અધિવેશનમાં કે જ્ઞાનસત્રમાં પેટલીકરને વારંવાર મળવાનુ થતુ. કોઇ વખત અમદાદમાં કે મુંબઇમાં પણ મળવાનુ થતુ. પરંતુ પહેલા જેટલું એ હવે સતત રહ્યું નહેતું. પેટલીકર સાથે છેલ્લા થાડા મહિના પહેલાં પત્રથી સપર્ક થયા હતા. મારા પુસ્તક પાસપોર્ટની પાંખે' નું અવલોકન એમણે સદેશમાં પેાતાની કોલમમાં લખ્યું હતું. તેનું કટિંગ મોકલવા સાથે તેમણે મને ગઇ ૧૪મી જુલાઈએ વિગતવાર પત્ર - (અનુસંધાન પાનુ. ૧૫૭)
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy