________________
તા. ૧૬-૧૧-૮૩
આમ, ધમ શાસનથી આત્માના શુદ્ધ રવરુપના વિશેષણેાની મૂળમાંથી વિચારણા કરવા વડે કરીને આત્મા રવશાસિત થઇ સ્વસ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે. આવી રવરૂપ શાસિત થયેલ વ્યકિતનું જીવન આદર્શ જીવન હોય છે અને નિષિ જીવન હોય છે સ્વયં તે સુખી હોય છે અને એની છાયામાં આવનારને સુખને સ્પર્શ થયા વિના રહેતા નથી.
ધમ શાસિત થઈ ધર્માચરણ કરવું એ ધમ પુરુષાથ' છે. અને સ્વરૂપશાસિત થઇ સ્વરૂપ નિરાવરણની પ્રવૃતિ કરવી તે મોક્ષપુરુષાથ' છે. મેાક્ષપુરુષાથ' અને ધમ પુરુવાનું અનુસંધાન connection કરવાથી ધમ પુરુષાથ' સહજ જ સેવાય છે. સાક્ષ્યસ્વરૂપ-નિશ્ચયને લઈને આ રીતે વ્યવહાર સમળ્યું તે સાચું. આત્મખળ ધર્માચરણમાં ફેરવીશુ' અને મુક્તિ પામી શકીશું.
અધ્યાત્મની શૌલિ એટલે ત્રણે કાળને વિષે નિશ્ચયથી વ્યવહારધમ છે. નિશ્ચયમાંથી વ્યવહારધમ કાઢો એટલે વ્યવહાર સાથે કહેવાય. યાદ રાખે કે મેક્ષપુરુષાથ ધમ પુરુષાથ વિહોણા નથી. તેમ ધમ પુરુષાર્થાં મેક્ષપુરુષાથ' વિહોણા નથી. ધમ પુરુષાથથી નરક-તિય "ચ ગતિ ટાળી શકાય છે જ્યારે માક્ષપુષાથથી દેવ-મનુષ્યગતિ ટાળીને પરમાત્મ સ્વરૂપ અર્થાત્ સિદ્ધસ્વરુપને પામી શકાય છે કે જે પામ્યા પછી કાંઈ પામવાનુ કાંઇ થવાનું “કાંઈ મનવાનું– કાંઈ પ્રગટાવવાનું બાકી રહેતું નથી, આત્યંતિક કાય થતાં કાય કારણ અભેદ બની જઇ કૃતકૃત્યતા પ્રાપ્ત થાય છે.
સહુ કાઈ સુધના સંયોગે સ્વશાસિત થઇ સ્વરુપને પ્રાપ્ત કરો ! રવરુપસુખનુ વેદન કરો !
( પાના ૧૪૮ થી ચાલુ )
ન હન્યતે'નુ' અવલોકન કરતા લેખા હોવાનું જણાવી તે સવ'ની ચિંતનસમૃદ્ધિને ખ્યાલ આપ્યા હતા.
આંતરજીવનના યાત્રી
કામસ”ના તંત્રી અને કવિ તથા વિચારક શ્રી વાડીલાલ ઢગલીએ સદ્ગતને અંજલિ આપતાં ચીમનભાઇના જિન્દગીનાં આ વર્ષ પછીના ચિંતનમાં વિચારતુ પોત કેટલું બધુ મજબૂત હતું તે કહીને જણાવ્યુ` હતુ` કે : ‘સમયચિતન'ના છેલ્લા ત્રણ લેખેામાં ચીમનભાઈએ ઢિચુસ્ત સમાજ સાથેના છેડે ફાડી નાખ્યો હોવાનું જોઇ શકાય છે. એમનું સમગ્ર ચિંતન આંતરજીવનના યાત્રી જેવું હાવાનું જણાવી મહાવીર, માસ, મહાત્મા' લેખનો ઉલ્લેખ કરી વકતાએ કહ્યું: ‘ચીમનભાઇની જીવનદૃષ્ટિ ઘણી રીતે ગાંધીજીની જીવનદૃષ્ટિને મળતી આવે છે. મારી દૃષ્ટિએ ચીમનભાઇને સદેશ એ છે કે સમાજની શુદ્ધ ભાવે સેવા કરવી એ મેટામાં મોટા ધમ છે.' ચીમનભાઇ સમાજને સાથે રાખી સમાજને પેરે પેરે સુધારવા માંગતા હતા. વકતાએ શ્રી ચીમનભાઈના ગદ્યમાં વિચાર પરત્વે સાધ્ય સાધનની એકતા હોવાનું જણાવ્યું હતું. તેમણે સદ્ગતનાં સમગ્ર લખાણાને ગ્રન્થસ્થ કરવાનું સૂચવ્યું હતુ..
અતિથિવિશેષ શ્રી વસનજી લખમશી શાહે સદ્ગતને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ અને આ પુસ્તકના પ્રકાશન માટે આર્થિક સદ્ધયેાગ આપનાર દાતા શ્રી જગશીભાઈ કે. શાહ અને ભાઇઓને બિરદાવ્યા બાદ ‘જન્મભૂમિ'ના અને ‘જન્મભૂમિ પ્રવાસી’ના તંત્રી શ્રી હરીન્દ્ર દવેએ . ચીમનભાને શ્રદ્ધાંજલિ આપી તેમના નિધનથી શૂન્યાવકાશ સજાયા હોવાનું કહી કાઇ પણ રાજકીય ઘટનાનુ સાચું પ્રતીતિકર અથધટન કરવાની તેમની સૂઝ અને શક્તિને
પ્રબુદ્ધ જીવન
૪૭
સ્વાનુભવ સ ંદર્ભે નિર્દેશ કર્યાં હતા. તેમની પાસેથી શ્રીમહુ રાજચન્દ્રની વાણીનું અધટન કેટલી સરલ ભાષામાં મળે છે તે ‘સમયચિંતન' માંના એક લેખને આધારે તેમણે કહ્યું હતું: ભાષા ખે ધારી તલવાર છે. સ'પૂર્ણ' સત્ય ભાષામાં આવતું નથી. આંશિક સત્યને સપૂણ' માની માણુસ ભ્રમમાં પડે છે. માણસને નિશ્ચયની ભાષા વાપરતાં આવડે છે એટલે મિથ્યાને સત્ય અને સત્યને મિથ્યા બનાવે એવી તેની બુદ્ધિ છે. એ શ્રી ચીમનભાઈના મંતવ્યનું અવતરણ આપી શ્રી હરીન્દ્ર દવેએ કહ્યું હતું.
‘આ પુસ્તક પ્રત્યે આપણા મનનું ઉદ્ઘાટન થવુ જોએ,’ બહુમુખી પ્રતિભા
ડૉ. રમણભાઇ શાહે કહ્યુ: સમયચિંતનનું ઉદ્ઘાટન એ આનન્દ અને ગૌરવના પ્રસંગ છે. ચીમનભાઇના અવસાનથી અવકાશનુ નિર્માણુ થયુ' છે. તેમની પ્રતિભા બહુમુખી હતી. તે તત્ત્વચિંતક હતા, વ્યવસાયે ધારાશાસ્ત્રી હતા, સમાજસેવક હતા. તેમણે વિદ્યાકીય તેમજ ધાર્મિક પ્રવૃત્તિ પણ ઘણી કરી છે. છેલ્લાં વર્ષોંનુ તેમનુ ચિંતન અત્યંત સમૃદ્ધ છે. તે પરિપકવ પ્રતિભા અને પ્રજ્ઞાતું ફળ છે. છેલ્લાં બાર વર્ષ'માં તેમણે ત્રસાથી પણ વધુ લેખા લખ્યા છે, તેમાના કેટલાક અવગાહન'માં તે કેટલાક ‘સમયચિંતન ’માં સંગ્રહાયા છે: પત્રકારનું લેખન સનાતન કે ચિરંતન ન હાઈ શકે, પ્રસ ંગે તેનુ મૂલ્ય ધણુ' માટુ' પણ પછી બનતી ધટના લેખનને તત્કાલીન બનાવી મૂકે છે. હજી ત્રણ ચાર પુસ્ત થાય એટલી સામગ્રી છે. અને તેનું પ્રકાશન શ્રી સુઈ જૈન યુવક સંધની યેજનામાં છે. ચીમનભાઇની ચિંતનપ્રતિભા ઊંચી કાટીની હતી. તે તત્ત્વશાધક ચિંતક હતા. તેમની કર્તવ્યનિષ્ઠા એવી કે પ્રબુદ્ધ જીવન'ના છેલ્લા અંક સુધી તેમણે લખ્યું. આ ગ્રન્થ એ મહાપુરુષની પ્રસાદીરૂપ છે.’
પ્રમુખપદેથી ડા. ઉષાબહેન મહેતાએ વકતાઓને અને શ્રી મુંબઈ જૈન યુવક સધા આભાર માનીને કહ્યું : ચીમનભાઇ સહુના વત્સલ વડીલ હતા.
તેમનું વ્યક્તિત્વ વિરલ હતું. તે સાધક ચિંતક હતા. સૌજન્યમૂતિ' સંસ્કારપુરુષ હતા. કાઈ પણ સમસ્યા એવી ન હોય કે તમે એની પાસે જાએ અને તેને ઊકેલ ન મળે. તે જૈન હતા પણ તેમનું નેતૃત્વ જૈન સમાજ પૂરતું સીમિત નહેતુ. તે સમસ્ત સમાજના સૂધન્ય નેતા હતા. પ્રભુધ જીવન' તે તેમના જે સ્પર્શ' થયા તે પારસમણિને સ્પર્શી હતા. તેમની લેખિનીમાં ગળતે જાદુ હતા. કટોકટીકાળ દરમ્યાન તેમની ખમીરવંતી લેખિતીમાં સરકારના સામના કરવાને અને યુવાનેાને માદ'ન આપવાની તેમની ક્ષમતાનું દર્શન થતું હતું. ગઈ પેઢી અને નવી પેઢી વચ્ચે સેતુ બની રહેલા ચીમનભાઈ સદા યૌવનસૂતિ હતા. તેમના સ્મારકની જરૂર નથી. ક્ષર દેહે તે આપણી વચ્ચે નથી પણ અક્ષરદેહે તે આપણી સાથે જ છે. તેમનુ મૃત્યુ આપણને એમનાથી દૂર લઈ જઈ શકે નહિ. તે યુવાને માટે પ્રેરણામૂતિ' રહેવાના જ. એમણે ચીધેલા રસ્તે આપણે આગળ વધીએ અને એમણે રજૂ કરેલા ચિંતનને વ્યવહારમાં ઉતારવાના પ્રયત્ન કરીએ એ જ એમનું સાચુ સ્મારક છે. ૪. ઉષાબહેતે ‘સમયચિંતન' જેવાં વધુ પુસ્તકા મળે એવી અપેક્ષા વ્યકત કરી હતી.
સંધના મંત્રી શ્રી કે. પી. શાહે આભારદર્શન કર્યુ હતું.
"
~~