________________
૧૩૬
| પ્રહ છવન
ઉપઘાત પામે છે, તે પ્રત્યક્ષ છે. અશાતાથી પીડાતું ચેતન છવદ્રવ્ય જ એવી પદ્ગલિક ઔષધિના પાન વડે શાતા પામે છે, તે પ્રત્યક્ષ છે. આથી જડ એવું કુમદ્રવ્ય ચેતન એવા આત્મદ્રવ્યને બાધક થાઓ છે અને પિતાને શુદ્ધ સ્વભાવ વૈભાવિક અશુદ્ધ સ્વરૂપ ધારણ કરે છે તે બિલકુલ સંગત અનુભવસિદ્ધ પ્રક્રિયા છે.
પ્રથમના ત્રણ પદાર્થો નિષ્ક્રિય છે. તેઓ એકબીજા સાથે કે છવ સાથે બદ્ધ સંબંધ કરવાને સમર્થ નથી.
તેઓ સદાએ તેમના એક શુદ્ધ સ્વરૂપમાં જ રહે છે. - આથી બાકી રહ્યો પુગલ, જે અનેક રૂપ ધારણ કરવાવાળો - સક્રિય પદાર્થ છે. અને તેથી તે જ પદાર્થ જીવની અશુદ્ધતામાં નિમિત્ત બની શકે છે. શુદ્ધ જીવ એટલે પિતાના સ્વાભાવિક પરિણામોમાં રમણ કરતે જીવ સિદ્ધાત્મા પિતાના સ્વાભાવિક પરિણામમાં રમણ કરે છે તેથી તેમના પરિણમનમાં અન્ય કોઈ પણ પદાર્થની નિમિત્તતા નથી. સંસારી જીવ અનેક પ્રકારના વૈભાવિક પરિણામોમાં સંસરણ કરે છે. વૈભાવિક પરિણામ માટે સ્વથી ભિન્ન સક્રિય પદાર્થની નિમિત્તતા અવશ્ય જોઇએ. સંસારી જીવની વૈભાવિક પરિણતિમાં પૌગલિક કર્મ અને નેકમ વગણના છે આ નિમિત્તતા પૂરી પાડે છે.
પ્રશ્ન: ૨ જીવને અનાદિકાળથી જ કમથી લેપાયેલ માનશે તે કમંબંધ નિષ્કારણ પ્રાપ્ત થાય છે. અર્થાત જીવની તે અનાદિકાલીન અવસ્થા સ્વાભાવિક જ પ્રાપ્ત થાય છે. આવી રીતે નિષ્કારણ અવસ્થા અનાદિની છે તે તેવી અવસ્થાને અંત પણ કેમ આવે ? એટલે કે જેની બદ્ધ અવસ્થાનું કોઈ કારણ નથી તે તે જીવની કમથી મુકિત પણ થઈ શકે છે કે કેમ મનાય ?
સમાધાન: કર્મબંધની પરંપરા તો અનાદિકાલીન જ છે તેમાં શંકા નથી. પરંતુ વ્યકિતગત કઈ પણ એક કમ જીવ સાથે અનાદિકાળના સંબંધવાળું નથી. અર્થાત તે કમંબંધ સાદિ છે. આજે જે કમ જીવ સાથે બંધાયેલું પડયું છે તે કંઈ અનાદિકાળથી જીવ સાથે સંબંધવાળું નથી. તે કમં વધુમાં વધુ તે ૭૦ કડાકડી સાગરોપમ પૂર્વ બંધાયેલું હોઈ શકે. ટૂંકમાં બંધાયેલાં કર્મો સાદિ છે, અનાદિ નહિ. પરંતુ કર્મબંધની પરંપરાને અનાદિ નહિ સાદિ માનીએ તે પહેલાં જીવ શુધ્ધ હતું અને પછી કમથી બંધાય છે તેમ માનવું પડે. પરંતુ આમ માનીએ તો તે કર્મબંધ જ નિહેતુક બની જતાં મુકત જીવને પણ ફરી સંસારની પ્રાપ્તિ થાય અને મોક્ષ પુરૂષાર્થ જ વ્યર્થ બને, પરંતુ જ્ઞાનીઓએ આવું ભાખ્યું નથી. ખાણમાંથી નીકળતું સુવર્ણ તેના શુદ્ધ રવરૂપમાં કદી જ ઉપલબ્ધ થતું નથી, તેવી જ રીતે જીવ અનાદિકાળથી અશુદ્ધ અવસ્થામાં જ રહ્યો હોવાથી અશુદ્ધ જ પ્રાપ્ત થાય છે. પરંતુ જેવી રીતે સુવર્ણ અને ઉપલને (માટી) ચિરકાલીન સંબંધ તથાવિધ તાપાદિ સામગ્રી પ્રાપ્ત થયે નષ્ટ થતાં સુવર્ણ શુદ્ધ સુવર્ણ પ્રાપ્ત થઈ શકે છે. તેવી જ રીતે તપ ધ્યાનાદિ સામગ્રી થકી ભવપરિપકે જીવ અને કમને અનાદિકાલીન સંબંધ પણ નષ્ટ થઈ, આત્મા તેનું શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરી શકે છે. જીવમાત્રનું અંતિમ ધ્યેય પિતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ જ છે. કારણુ શુદ્ધ સ્વરૂપ જ પરમાનન્દરૂપ છે. આ
પ્રશ્ન (૩); જડ એવું નિતિન પૈગલિક કમ ચૈતન્ય સ્વરૂપ એવા આત્માને ઉપઘાત કેમ કરી શકે ? અર્થાત જડ પદાર્થ ચેતન પદાર્થ પર અસર કેમ કરી શકે?
સમાધાન: અનુભવગોચર પદાર્થમાં તર્ક ન હોય. ડાહ્યા માણસની મતિ પણ જડ એવા મદ્યાદિ પદાર્થના પાન વડે
( અનુસંધાન પાના ૧૩૮થી ચાલુ) સુધી જવાને બદલે પિતાની નજીકના કેન્દ્રમાં લાભ મેળવી શકે.
દેશવિદેશથી સંસ્થાના કાર્યને જોવા આવનારાંઓએ અહીં પ્રેમભાવથી માનવતાનું જે મહાન કાર્ય થઈ રહ્યું છે તેની મુકતકંઠે પ્રશંસા કરી છે. કરુણામૂતિ મધર ટેરેસાએ જ્યારે આ સંસ્થા જોઈ ત્યારે કહ્યું, “વિકલાંગને નવી આશા આપતા આવા સુંદર કાર્યને પરમાત્માના આશીર્વાદ પ્રાપ્ત થાઓ.’
સામાન્ય સાધન વડે, દેશી કારીગરોની મદદથી ધગશ વંતા કાર્યકરે વિકલાંગ માટે કેવી સેવા કરી શકે તેને અણુસાર અહીં નજરે જોયા વિના આ મુશ્કેલ છે.
જયપુરના જૈન ભાઈઓએ આવા પ્રકારની સંસ્થા ઊભી કરી ધર્મ તથા સેવાને એકબીજા સાથે વણી લઈ શ્રી મહાવીર પ્રભુનું નામ દેશ–પરદેશમાં પણ ઉજજવળ બનાવ્યું છે. જૈન ધર્મની અને અન્ય ધર્મની સર્વ સંસ્થાઓને આ સંસ્થામાંથી સુંદર માર્ગદર્શન પ્રાપ્ત થાય છે.
અનેક નિરાધાર દુઃખી અપગને સ્વાશ્રયી જીવન જીવવાની અનુકુળતા કરી આપતી આ સંસ્થા આશીવાદ સમાન છે. દીનદુઃખી માન માટેની સેવાને ભાવ જેમના હૈયામાં યત્કિંચિત રહેલું હોય એવા સૌ માટે જયપુરની આ સંસ્થાની તીર્થયાત્રા અનેક નવી પુણ્ય પ્રેરણાઓ જગાડનારી અવશ્ય થશે.
જયપુર યાત્રા માટે, ધંધા માટે, ફરવા માટે જનારા સવ કોઇને એકવાર આ સંસ્થા નજરે જોવા અત્યંત નમ્ર વિનંતી છે.
(તા. ક. :-કઈ પણ સંસ્થા પિતાના ગામનાં પગે અપંગ એવાં દીનદુઃખી ભાઈબહેનને જયપુર મોકલવા ઇચ્છતી હોય તે તેનું તે અંગેનું તમામ ખર્ચ “દિવાળીબહેન મહેતા ચેરિ.. ટેબલ ટ્રસ્ટ” આપવા તૈયાર છે. તેવી સંસ્થાઓને નીચેના સરનામે પત્રવ્યવહાર કરવા નમ્ર વિનંતિ છે. * શ્રીમતી આશાબહેન મહેતા,
દિવાળીબેન મેહનલાલ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ. ૯૯૧૦, પ્રસાદ ચેમ્બર્સ, તાતા રોડ, નં. ૨, સ્વદેશી મીલ કમ્પાઉંડ,
એપેરા હાઉસ, મુંબઈ ૪૦૦ ૦૦૪. ૪ . સંઘના સભ્યને નમ્ર વિજ્ઞપ્તિ
. ૧૯૮૩ના વર્ષના ઘણા સભ્યના લવાજમે હજુ બાકી છે, લવાજમના રૂ. ૨૫– સંધના કાર્યાલયમાં સત્વરે મોકલી આપવા નમ્ર વિનંતિ. પયુષણ વ્યાખ્યાનમાળામાં તે અવશ્ય લવાજમ ભરાય જાય છે, પણ આ વખતે ભરાયા નથી. તે મોકલી આપવા નમ્ર વિન તિ. , ' ,
• ચીમનલાલ જે. શાહ
કે. પી. શાહ મંત્રીઓ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ