SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૦-૮૯ પ્રભુત જીવન ૧૫ ઉમેરતાં ૧૭ ઈચ અને ૭૧ દોકડા વરસાદ પડી ચૂકે છે, ખેતીનું કામ ધમધોકાર ચાલવા માંડયું છે.” - અઠવાડિક “ફૂલછાબ'માં પ્રગટ થતી ગુણવંતરાય આચાયંની હું, બા ને મંગળદાસ” કલમ લોકપ્રિય થતાં જુદા જુદા અખબારોએ એવી હળવી કલમનું અનુકરણ કર્યું. ગુજરાતીમાં બીરબલ'ના ઉપનામથી શ્રી ખરશેદજી બમનજી ફરામરોજની “ભર કટોરા રંગ કોલમ અને એમની હળવી કલમ ઘણું જાણીતાં થયાં. 'પ્રજાબંધુ” માં “મંથન” અને ચકવાક નામે મેરૂ” અને “ચકેર” ઉપનામધારી લેખકની હળવી કલમ નેધપાત્ર છે. આમાં ગુજરાત સમાચાર દૈનિકે પણ સારો એવો ફાળો આપે. આઝાદી પછીના અખબારોમાં પણ હળવી કલમનું પ્રમાણ વધ્યું છે અને એણે સારી એવી વાચકપ્રિયતા મેળવી છે. આઝાદી પૂર્વેના પત્રકારત્વમાં ભાષાશુદ્ધિનું મોટું કામ નમંદ અને ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ કર્યું. સૌરાષ્ટ્ર જૂથના લેખકે તે મેઘાણી કહે છે તેમ પત્રકારની શૈલી પર “સાહિત્યને જરીકસબ કરતા.” રાણપુર શૈલી તરીકે ઓળખાયેલી આ શૈલીમાં કયાંક શબ્દોની ભભક અને વિચાર કરતાં શબ્દોને ખડખડાટ વધુ મળે છે તેમ છતાં જુસ્સાદાર ભાષા અને તળપદા શબ્દોના વિનિયોગ માટે આ શૈલી નેધપાત્ર ગણાય. શ્રી ચુનીલાલ વ. શાહે પણ શૈલી માટે ઘણી ચીવટ રાખવી. ગાંધીજી આવતાં શૈલીની સાદાઈ અને ભાષાશુદ્ધિનું મોટું કામ થયું. ખેદ સાથે એ નોંધવું જોઈએ કે આપણાં દૈનિક આજે જોઈએ તેટલી ભાષાની ચીવટ રાખતાં નથી. આઝાદી પછી દૈનિકે પાનની દષ્ટિએ પુષ્ટ થયાં. આની - સાથેસાથ વૈવિયય લેખ વિભાગે મોકળે હાથે પ્રગટ થવા લાગ્યા. મોટાં દૈનિકાએ અડવાડિયામાં ત્રીસથી ચાલીસ જેટલા વૈવિધ્યપૂર્ણ વિભાગ આપવા શરૂ કર્યો પ્રજાજીવનની એકે "એક પ્રવૃત્તિને જુદા જુદા વિભાગ દ્વારા વ્યાપમાં લેવા પ્રયાસ થ, પણ વૈવિધ્યમય વિભાગોના આટલા બધા વ્યાપનું કારણ શું? આનું એક કારણ તે ગુજરાતી વાચકનું માનસ છે. આ વાચક અખબારને “બાસ્કેટ જેવું માને છે. એમાં 'સમાચાર, તંત્રીલેખ કે જાહેરખબર તે હોય જ, પરંતુ વિષયોનું વૈવિધ્ય તથા માહિતી અને મને રંજનને પણ સ્થાન મળ્યું હોય. એને માત્ર વર્તમાન બનાવ વિશેના લેખે જોઈતા નથી, બલકે ધાર્મિક, આધ્યાત્મિક યા વૈિદક અને 'તિષ જેવા લેખની પણ એની ઘણી મેટી માંગ છે. બીજી બાજુ કોઈ એક વિષયને અનુલક્ષીને ચાલતાં સામયિકે ઝાઝું જીવતાં નથી, આથી વાચક ઓછામાં ઓછા ખર્ચે છાપાની બાસ્કેટમાંથી જ બધુ મેળવવા પ્રયાસ કરે છે. લેખ વિભાગોને કારણે સમાચાર વાંચવાના કંટાળામાંથી મુકિત મળે છે. એક સમયે અખબારોમાં માત્ર સમાચાર જ પ્રગટ થતાં, ત્યારે વિદેશીઓ આપણું અખબારને જોઈને નિરાશા સાથે કહેતાં કે ભારતનાં બધા જ વર્તમાનપત્રો સરખાં લાગે છે, ચહેરા વિનાના માનવી જેવા. જ્યારે લેખવિભાગ દ્વારા આવી એકવિધતા દૂર થાય છે. અખબારનું વ્યકિતત્વ ઊપસે છે, પરંતુ આજે કેટલાંક અખબારોમાં તે સમાચારની અવેજીમાં લેખવિભાગ કામ કરતાં હોય તેવો વિપર્યાસ જેવા મળે છે. જાહેર ખબર અને ફીચરની વચ્ચે આજે સમાચારે ગભરામણ અનુભવે છે. આઝાદી પછી એવી ધારણા હતી કે રાજકીય પરિસ્થિતિનું આલેખન ઓછું થશે તેને બદલે આપણા અખબારોમાં રાજકારણનું વર્ચસ્વ વધી ગયું છે. બીજી બાજુ વૈચારિક દારિદ્રય તે પ્રગટ થયું, પરંતુ કટોકટીના સમયે કર્તવ્યનિષ્ઠાની પણ કટી થઈ. આઝાદીનું યેય સિદ્ધ થયા પછી અખબારોને કઈ નવું દયેય સાંપડ્યું નહિ અને જેમ જેમ વર્ષો વીતતાં જાય છે તેમ તેમ યેયનિષ્ઠ પત્રકારત્વ પાછું પડતું ગયું અને ધંધાદારી નફા-ટાનું પત્રકારત્વ આગળ આવવા માંડયું. શ્રી મહાદેવભાઈ દેસાઈએ કરેલી ટોર થાદ આવે છે. તેઓ વર્તમાનપત્રને અનુલક્ષીને કહે છેએ. કમાવાનું સાધન માત્ર બને છે, ત્યારે નખેદ વાળે છે, પરંતુ પિતાને ખર્ચ કાઢતાં કાઢતાં એ સેવાનું સાધન બને છે ત્યારે એ લોકજીવનનું આવશ્યક અંગ બને છે.” ભારતને આઝાદી પ્રાપ્ત થઈ તે સમયે સમગ્ર વિશ્વના મનવલણ, ટેકનોલોજી જેવી બાબતમાં સમૂળી ક્રાંતિ થઈ છે. ૧૯૫૦ના ગાળામાં ગુજરાતી અખબારનાં જેટલા માલિકે બદલાયા તેટલા કયારેય બદલાયા નથી. પરંતુ એ પછી પ્રજાને રીઝવવા અને ઉપયોગી થવા માંટે સભાન પ્રયને થવા લાગ્યા. સનસનાટીને અતિરેક, ઉછીની વાચન સામગ્રી તેમ જ કૃત્રિમ શ્રદ્ધા દર્શાવતા લેખોની ભરમાર ચાલી. સાહિત્યની સમીક્ષા કે વિદેશી ગ્રંથના પરિચયને બદલે લોકપ્રિય નવલકથાઓએ આસન જમાવ્યું. આમાં ભાગ્યે જ પ્રયોગશીલ કે સાહિત્યિક ગુણવત્તાવાળી નવલકથાઓ દેખા દે છે. પ્રજાની અસ્મિતા કે સાંસ્કૃતિક પરંપરાઓના સંવર્ધનની વાત ગૌણ બની. નૃત્ય, રંગભૂમિ, પુરાતત્ત્વ, પરિભ્રમણ જેવી બાબતોની ઉપેક્ષા થવા લાગી. સહિત્ય, શિક્ષણ કે સરકૃતિની ઘટનાઓ નાની ધરૂપે આવે તેય સદ્ભાગ્ય ગણાવા માંડયું. આનું એક કારણ એ છે કે આઝાદી પૂર્વે અખબારનું લક્ષ સુશિક્ષિત અને જાગૃત વર્ગ હતા, આજના અખબારની નજર મધ્યમ વર્ગ અને નીચલા વર્ગની રસ અને રુચિ પર છે. આ વર્ગ ભણેલે છે, સારી રીતે વાંચી શકે છે. પણ એની રૂચિ કે સમજશકિત જોઇએ તેટલાં કેળવાયાં નથી. બીજી બાજુ એની વાચનભૂખ એટલી બધી છે કે કાચું-પાકું લખાણ હોય યા અનુવાદ હોય તે પણ તેને ચાલે. વ્યક્તિના દૈનિક જીવનમાં આવતા એકેએક વિષયને અઠવાડિયે ચાલીસ જેટલા ફીચર આપીને વાચકને તરબતર કરવાને પ્રયાસ થશે. આને કારણે અખબાર ડીપાર્ટમેન્ટલ સ્ટોર જેવું બની ગયું. આઝાદી પૂર્વે તિષ કે વૈદક જેવા અસ્પૃશ્ય વિષયો વિશે લખાવા માંડયું. સુર્યોદય, સુર્યરત, પંચાંગ, આપની આજ, અવસાન નોંધ, લગ્ન મંગલ, ચે િપનાના ફીચર્સ, ગૃહઉદ્યોગ, ગાસન, બ્યુટીફીકેશન” અને લેકસાહિત્ય એમ બધા જ લેખવિભાગે આપવાના શરૂ થયા. આ વિભાગો વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો લખતા હોવાથી આમાં મૌલિકતા મળે છે. આજે દેનિક જેટલું એની ખબરને કારણે વેચાય છે, એટલું જ એના વૈવિધ્યમય લેખવિભાગને કારણે વેચાય છે. કયારેક તે અમુક લોકપ્રિય કોલમ્સને કારણે પણ તે વેચાય છે, આથી લેખકોમાં સારી એવી હરીફાઈ જાગે છે અને મૌલિકતા તેમજ અસરકારકતા માટે લેખક ચીવટ રાખે છે. આઝાદી પૂર્વે તંત્રીની નીતિની આંગળીએ લેખવિભાગ ચાલતા હતા, હવે તંત્રી પિતાની નીતિ પ્રમાણે લેખ લખાવે તેવું રહ્યું નથી. દરેક લેખક પિતાના અભિપ્રાય મુજબ લખ હોવાથી વિચારિક મોકળાશને જેવું બીલેખ કે જા પરતુ વિષયોન
SR No.525968
Book TitlePrabuddha Jivan 1983 Year 44 Ank 18 to 24 and Year 45 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1983
Total Pages282
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy